Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 582
________________ | | | નમ: શનિનકવનાર છે. ધર્મસંગ્રહ ભાગ ૨ જે, વિભાગ ૪ થે. હવે નિરપેક્ષયતિધર્મનું વર્ણન કરતાં પ્રથમ તેની યોગ્યતા જણાવે છે. मूलम्-" प्रमादपरिहाराय, महासामर्थ्यसंभवे । શતાનાં નિરપેક્ષ-તિમતિસુન્દ્રા રા' મૂળને અર્થગછવાસના(સાપેક્ષયતિધર્મના) પૂર્ણ પાલનથી કૃતાર્થ થએલા અતિસામર્થ્યવાળા સાધુઓને પ્રમાદને પરિહાર કરવા માટે નિરપેક્ષયતિધર્મ (સ્વીકારવો) અતિ સુંદર છે. ટીકાને ભાવાર્થ-મસિમર્થસંમ=પ્રથમનાં ત્રણ સંઘયણે (પૈકી કઈ એક) હોવાથી વજની ભીંત સમાન બૈર્યને વેગે કાયાનું બળ અને (કાયા મજબૂત હેવાથી) મનનું બળ, અર્થાત્ કાયાની અને મનની શક્તિ હોવાથી પ્રમાવિપરિચ=પૂર્વે જેનું વર્ણન કર્યું તે આઠ પ્રકારના પ્રમાદને ત્યાગ કરવા માટે જે મુનિઓ “તાર્થનામું-શિષ્યોને આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક, એ પાંચ પદેને યોગ્ય બનાવીને પિતાનું સંઘને અંગેનું કર્તવ્ય પૂર્ણ કરી ચૂક્યા હેય, તેઓને “નિરપેક્ષા સહાયની અપેક્ષા ન હોવાથી ગચ્છથી મુક્ત થવા રૂપ “ત્તિધર્મ = સાધુધર્મ ‘તિકુન્દ =વિશેષ નિર્જરા (કલ્યાણ) કારક છે. અર્થાત્ કૃતકૃત્ય થએલા આચાર્ય વિગેરેને પ્રમાદના (મેહના) વિજય માટે નિરપેક્ષ યતિધર્મ સ્વીકાર અતિ શ્રેષ્ઠ છે. અહીં એમ સમજવાનું છે કે નિરપેક્ષસાધુએ ત્રણ પ્રકારના હોય છે-૧-જિનકલ્પિક, ૨-શુદ્ધપારિવારિક (પરિહારવિશુદ્ધિવાળા) અને ૩યથાલન્દ્રિક. તેમાં જિનેશ્વરના જે કલ્પ (આચાર) તે “જિનકલ્પ' એટલે ઉગ્રવિહાર (આરાધના), તેને જે આચરે તે સાધુ જિનકદિપક કહેવાય. બીજા પરિહાર' એટલે વિશિષ્ટ જાતિને તપ, તેને આચરે તે સાધુ પારિવારિક અને તેને “શુદ્ધ' વિશેષણ લગાડતાં શુદ્ધપારિવારિક કહેવાય, ત્રીજા થથાલન્દ એટલે એ(યથાલદ) કહ૫ને અનુરૂપ અમુક કાળ, તેટલો કાળ કલ્પ પ્રમાણે આચરણ કરે તે સાધુ “યથાલબ્દિક જાણવા. જો કે આ ઉપરાંત બારપ્રતિમાઓનું પાલન કરવું તે પણ નિરપેક્ષયતિધર્મ છે જ, પણ તેને પહેલાં જણાવેલ હોવાથી અહીં કહીશું નહિ. અહીં તો ઉપર કહ્યા તે ત્રણ પ્રકારનું જ સ્વરૂપ કહીશું. આ નિરપેક્ષ યતિધર્મના અધિકારીઓ પ્રાયઃ આચાર્ય વિગેરે પાંચ (પદસ્થ) પુરૂષે જ છે. (સાધ્વીઓને આ ધર્મ સ્વીકારવાનો અધિકાર નથી.) કહ્યું છે કે "गणिउज्झायपवित्ती, थेरगणच्छेइआ इमे पंच। પાયમહિાળિો ફ, તેલિમિમાં હો તુઝા ૩ પશ્ચતુરૂ૭૮ ભાવાર્થ-ગણ-ગચ્છાધિપતિ–આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવદક, એ પાંચ પુરૂષ પ્રાયઃ આ નિરપેક્ષ યતિધર્મમાં અધિકારી છે, તેઓને આ (કહીશું તે) તુલના (ગ્યતા માટે પ્રયત્ન કરવાનો હોય છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598