________________
શાળાનાળજાળમાળખાગાળાના જામીનાળામાઘમપરીક્ષા
(૨) જૈનોની આમ “વીતરાગદેવ વંદનીય” ઇત્યાદિ માન્યતા એ નિર્મળ સમ્યક્ટર્શન. ૩ કે (૩) અનાભિગ્રહિકને પ્રારંભિક દશામાં “બધા જ દેવો વંદનીય, બધા ગુરુઓ વંદનીય.” (૪) અનાભિગ્રહિક મિથ્યાત્વ પણ અપેક્ષાએ સારું.
આવા અનેક પદાર્થો ઉપરના લખાણ ઉપર ચિંતન-મનન કરવાથી સ્પષ્ટ થશે.
આમાંથી એક તાર પકડવાનો છે કે આ વાત માત્ર અજૈનો માટે ન સમજવી. કે વર્તમાનમાં જે જૈનો સૌ પ્રથણવાર ધર્મ તરફ વળતા હોય છે, તેઓ પણ શરુઆતમાં પર આવી જ વિચારધારા ધરાવતા હોય છે કે “મહાવીર કે શિવ કે કૃષ્ણ...છેવટે તો બધા ને ૬ સરખા જ છે ને? સંન્યાસીઓ કે જૈન સાધુઓ...બધા સંસારત્યાગી જ છે ને ? જૈનધર્મનું રે કે અન્યધર્મ...બધા આત્મહિતની જ વાત કરે છે ને ?”
આ નવા પ્રકારના જૈનો અનાભિગ્રહિક મિથ્યાત્વની ભૂમિકામાં હોય એવું સ્પષ્ટ * લાગે. આ લોકોને સીધું એમ કહેવું કે “જૈનોના ભગવાન વીતરાગ સિવાય બાકી બધા જ જ દેવો નકામા છે, તુચ્છ છે... જૈન સાધુઓ સિવાય બાકી બધા સંન્યાસી વિગેરે નામ
માત્રના સાધુ છે. અરે ! જૈન સાધુઓમાં પણ અમુક જ ગચ્છના સાધુઓ સારા-સાચા, કે જે બાકી બધા ઉન્માર્ગગામી છે...જૈનધર્મ સિવાય બાકીના બધા ધર્મો અંધકારમાં છે...” કે એ તો એમને ઉલ્લું વીતરાગ, જૈનસાધુ, જૈનધર્મ પ્રત્યે અણગમો ઉત્પન્ન કરાવી દેનારું બને.
એટલે આવા નવા જૈનો કદાચ શીરડીના સાંઈબાબા, શંકર, કૃષ્ણાદિને માનનારા એ ય હોય, છેલ્લી કક્ષાના શિથિલાચારીઓની સેવા-ભક્તિ કરનારા ય હોય, અન્ય ધર્મોના ૩ આ અનુષ્ઠાનો કરનારા પણ હોય, છતાં શરુઆતથી જ બધાનું ખંડન કરવા માંડવું એ શરણે જ { આવેલાઓના માથા કાપી નાંખવા જેવું છે. એ ખંડન સો ટકા સાચું હોવા છતાં આ જ * અવસ્થામાં તો પેલા જીવોને જૈનમાર્ગથી દૂર ધકેલનાર બની જાય છે. માટે એ વખતે તો
બીજા દેવોની સાથે અરિહંતદેવને પૂજતો-વંદતો, બીજા ગુરુઓની સાથે જૈન સાધુઓને એ પૂજતો-વંદતો...કરવો. સુગુરુ-સુદેવ-સુધર્મની પ્રશંસાદિ ચોક્કસ કરી શકાય, પણ ઈતરની # નિંદા ન કરાય. વીતરાગદેવના ગુણો હજી વર્ણવાય, પણ શંકરાદિના છતાં દોષો ય ત્યારે = ન વર્ણવાય. સુસાધુના આચારો હજી વર્ણવાય પણ શિથિલાચારીઓના શિથિલાચારની આ વખોડણી ન કરાય. જૈનધર્મના અદ્ભુત ચિતનો, પદાર્થો હજી મૂકાય પણ ઈતરધર્મોના * હિંસકપાત્રાદિની વખોડણી ન કરાય.
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત છે૧૦