Book Title: Chitrasen Padmavati Charitra
Author(s): Rajvallabh
Publisher: Rajendrasuri Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 104
________________ ૩૩ 66 કેઃ—“અહા ! મારા વડીલેાએ તો પછીઆ દેખાયા પહેલાંજ સંસારના ત્યાગ કર્યાં હતો અને ધમ ધ્યાનમાં તત્પર મન્યા હતા, અને હુ' તો હજી સંસારમાંજ છું. વડીલ પુરૂષાની ચાલતી પ્રણાલિકાના છેદ કરનાર મને ધિક્કાર છે!” આ પ્રમાણે ચિંતામગ્ન તથા વિષણુ વદનવાળા પતિને દેખીને રાણીએ તેમના માનસિક આશય સમજ્યા વગર જ નમ્રવાણીથી કહ્યું કે:- સ્વામિન ! મારા નાથ ! જો વૃદ્ધત્વની આપને લજ્જા આવતી હશે, તેના આપના મનમાં તિરસ્કાર હશે. તો આખા નગરમાં પહુ વગડાવીશ કે જે કાઈ પૃથ્વીનાથને વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલા કહેશે તે અકાલે પણ સ્વગના અતિથિ થશે, એટલે કે તેના વધ કરવામાં આવશે; માટે આપે જરાવસ્થાની જરાપણ ચિંતા કરવી નહિ.” રાજાએ કહ્યું કેઃ- રાણી ! અરે, આવું અવિવેકવાળુ શું આવે છે ? કારણકે જા તો આપણી જેવાને આભૂષણરૂપ થાય છે. ’” આવું સાંભળીને રાણીએ પૂછ્યું કેઃ— તો જરા અવસ્થાની અને પનીયાની વાત સાંભળીને તમારૂ મુખ વિષણુ કેમ થઇ ગયુ ? ” એટલે રાજાએ તેને પેાતાને થયેલ વિચાર અને વૈરાગ્યનાં કારણની હકીકત નિવેદન કરી, અને સ`સારત્યાગ કરવાના નિશ્ચય જાગ્યેા. રાણીએ રાજાને સમજાવવા ઘણુંા પ્રયત્ન કર્યાં, પણ રાજા પેાતાના નિશ્ચયમાંથી ડગ્યા નહિ. પછી રાજાએ ઉંમરલાયક પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યાં, અને રાણીની સાથે તેણે તાપસધમ સ્વીકાર્યાં. રાણી તે વખતે ગૂઢગર્ભા હતી—થેાડા વખતથી ગર્ભવતી થયેલી હતી. તે અનુક્રમે ગભ વૃદ્ધિ પામતાં તેનું ઉદર: 66

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164