________________
પ્રમોધન્ય થમાળા
< :
પુષ્પ
તેનાથી દોરવાઈ જઈને તેવુ કૃત્ય કરે તે છેક ન બનવાજોગ નથી. હવે તે માનનીય પ્રધાને પ્રથમ તેા અનાજની ખૂબ જ તંગી પ્રવર્તે છે, એવું જે વિધાન કર્યું, તે સરકારી આંકડા પર વિશ્વાસ રાખીને કર્યું હતું કે જે માટા ભાગે ખાટા હાવાના સંભવ હતા. આંકડાઓની આ ઈંદ્રજાલમાં ન ફસાતાં વાસ્તવિક સ્થિતિના અભ્યાસ કરવા માટે તેમને વારંવાર અનુરાધ થયા હતા અને ઘણું અનાજ છુપાયેલું પડયુ છે, એ હકીકત પર તેમનુ લક્ષ દોરવામાં આવતું હતું, છતાં તેમણે આ વિધાન કર્યું હતું અને તેના ઉપાય તરીકે તેમણે માછલાં ખાવાની સલાહ આપી હતી ! આ સલાહ આપવામાં તેમણે ગભીર વિચારણા કરી હશે ખરી ! અથવા પેાતે શું કહી રહ્યા છે, તેની જવાબદારીના કઈ ખ્યાલ રાખ્યા હશે ખરા ? જે લોકાને માછલાંનાં ટોપલાં નજીકમાંથી પસાર થતાં હાય તા પણ નાકે કપડું આડું રાખવુ. પડે, તે એનું ભક્ષણ કરી શકે ખરા ? અને માની લેા કે ભક્ષણ કરવાને તત્પર થાય તે પણ એ આહારથી તેમનુ સ્વાસ્થ્ય જળવાય ખરું? પ્રકૃતિ અને રુચિની વિરુદ્ધ આહાર ગ્રહ કરતાં સ્વાસ્થ્ય બગડે છે અને રાગચાળા ફાટી નીકળે છે, એ વાતના આ માનનીય પ્રધાને કંઈ વિચાર કર્યાં ખા ? વળી સ્થાન, સંચાગા, સત્ત્વ એ બધાના આહારવ્યવસ્થા પરત્વે વિચાર કરવાની જરૂર ખરી કે નહિ ? તથા જે લાક ધર્મના પાલન માટે મરવાનું પસંદ કરે અથવા દિવસેાના દિવસે ઉપવાસ કરવા તૈયાર હોય, તેમને આ રીતે પેાતાના ધાર્મિક સિદ્ધાંતાના ત્યાગ કરીને અભક્ષ્ય ખાવાની સલાહ આપવી, એમાં કયા પ્રકારનું ડહાપણું ? કયા પ્રકારનું સૌજન્ય ? કયા