________________
હંમબેધ૧થમાળા : ૪૦ : કે વિલાયતી વૈદામાં પ્રાણિજન્ય ઔષધ, સ્પીરીટે, ટીકચરે અને માંસરસ વગેરેને ઉપયોગ મુખ્ય છે, એટલે જરૂર જણાય તે આયુર્વેદિક ઔષધોને આશ્રય લે પણ યુનાની અને એલેપથીને આશ્રય તે ન જ લે. એના આશ્રયે ગયા પછી ભક્ષ્યાભઢ્યનું ધોરણ હરગીઝ જાળવી શકાતું નથી.
રેગના નિવારણ અંગે આયુર્વેદે જે વિચારે પ્રકટ કરેલા છે, તે જાણવા જેવા છેઃ
* દેવ અને યુક્તિને લગતા ઔષધોથી શારીરિક રોગ મટે છે અને જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ અને સમાધિવડે મનના રોગો મટે છે.
* ધર્મથી વિરુદ્ધ ન હોય તેવા આજીવિકાનાં સાધને મેળવવાં જોઈએ. તેમ કરવાથી શાંતિ, શાસ્ત્રાધ્યયન અને સુખને લાભ મળી શકે છે.
* આ લેક અને પરલોકમાં હિતના અભિલાષી બુદ્ધિમાન પુરુષોએ નીચે જણાવેલા વેગોને રોકવા જોઈએ મન, વચન અને કાયાની અયોગ્ય-સાહસિક પ્રવૃત્તિઓ, લેભ, શેક, ભય, ક્રોધ, અભિમાન, નિર્લજજતા, ઈષ્ય, અતિરાગ અને અતિદ્વેષ, કડવાં વેણ, ચાડી, જૂઠાણું, અપ્રાસંગિક કથન એ વચનના વેગોને રિકવા તથા મૈથુન, ચોરી, હિંસા વગેરે શરીરના વેગોને રોકવા. | * ઈષ્ય, શેક, ભય, ક્રોધ, માન, દ્વેષ વગેરે માનસિક વિકારે પ્રજ્ઞાપરાધ કહેવાય છે. આ પ્રજ્ઞાપરાધને ત્યાગ, ઈન્દ્રિયનું અલપટપણું, સંસારની અસારતાનું સમરણ, દેશ, કાલ અને પિતાની સ્થિતિને ખ્યાલ તથા સદાચારનું પાલન નવા રેગોને