Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 48
________________ અઢારમું : : ૪૩ ૪ ભસ્યાભાર તાવમાં તે રજને અરધે કે પિ મણ બરફ વપરાય છે. પણ સુજ્ઞ અને સત્યવાદી ચિકિત્સકેએ સ્પષ્ટ કહ્યું છે કે જે તાવ મારી નાખે તે ઝેરી જ હેય, તે ગમે તેટલા મણ બરફ મૂકવામાં આવે, તે પણ દરદી બચી શક્તા નથી અને જે મારી નાખે તે ઝેરી ન હોય, તે અમુક વખત ગયા બાદ તાવને વેગ ગમે તેટલે આકરે હોય, તે પણ માથાને ભાર હળવે થઈ જાય છે. એટલું ખરું કે બરફ મૂકતી વખતે દરદીને આરામ રહે છે, પણ તે જ કાર્ય મીઠાનાં પિતાંથી થઈ શકે છે. વળી બરફના આ પ્રકારના ઉપયોગમાં શરદી થઈ જવાનો ભય રહે છે, તે ભય મીઠાનાં પિતાને ઉપયોગ કરવામાં રહેતું નથી. તાત્પર્ય કે બરફના બહેળા ઉપગથી તાવ હઠી જાય છે એ માન્યતા બરાબર નથી અને બીજા ઉપાયોથી પણ તેનું કાર્ય સાધી શકાય છે, એટલે બરફનો ઉપગ ન જ કરવું હોય તે ઘણી સરલતાથી તેમ બની શકે છે. (૧૧) વિષ (ઝેર). વિષ એટલે ઝેર. તે મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. ખનિજ, પ્રાણીજ, વનસ્પતિજ અને મિશ્ર. સેમલ, હડતાલ વગેરે ખનિજ વિષે છે. સાપનું ઝેર, વીંછીનું ઝેર વગેરે પ્રાણીજ વિષે છે. વછનાગ( વત્સનાભ), અફીણ,ઝેરકેચલાં, ધતુર, આકડો વગેરે વનસ્પતિજ વિષે છે. આ વિષેમાંથી સત્વ ખેંચીને કે બીજા ઔષધિ પ્રયોગથી તૈયાર કરેલા તાલુપુટ વગેરે મિશ્ર વિષે છે. કેટલાંક વિષે એવાં હોય છે કે જે તાત્કાલિક મારે છે અને કેટલાંક વિષે એવાં હોય છે કે જે ભ્રમ, દાહ, મૂરછી,

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74