Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ યોગની પૂર્વસેવા ક્રમે કરીને ભવવૈરાગ્ય અને મુક્તિ પ્રત્યેનો રાગ વગેરે કલ્યાણમાં નિમિત્ત બને છે, તેથી તે મુખ્ય મનાય છે. સફ્લેશ તીવ્ર હોય તો યોગપૂર્વસેવા એવા પ્રકારના કલ્યાણમાં નિમિત્ત બનતી ન હોવાથી તેને મુખ્ય મનાતી નથી.-આવી જાતિની શાસ્ત્રમર્યાદા છે. સમૃદ્બન્ધકાદિ આત્માઓને સફ્લેશનો અયોગ હોતો નથી તેથી તેમને યોગની પૂર્વસેવા મુખ્ય હોતી નથી. ।।૧૪-૫]I **** પાંચમા શ્લોકથી સ્પષ્ટ થયેલી વાતને જણાવીને પ્રકૃતાર્થનું સમાપન કરાય છે एष्यद्भद्रां समाश्रित्य पुंसः प्रकृतिमीदृशीम् । व्यवहारः स्थितः शास्त्रे युक्तमुक्तं ततो यदः ॥ १४-६॥ “આવી- ભવિષ્યમાં કલ્યાણને કરનારી- પુરુષની પ્રકૃતિને આશ્રયીને યોગશાસ્ત્રમાં પૂર્વસેવાદિ સ્વરૂપ વ્યવહાર પ્રવર્તે છે. તેથી આ (પૂર્વશ્લોકમાં જણાવેલું) કહેલું યુક્ત જ છે.’’–આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગનું નિરૂપણ કરનારા શાસ્ત્રમાં યોગની પૂર્વસેવા અને યોગ વગેરેનો જે વ્યવહાર પ્રસિદ્ધ છે, તે પુરુષ(આત્મા)ની તેવા પ્રકારની પ્રકૃતિ(સ્વભાવ)ને આશ્રયીને છે, કે જે પ્રકૃતિ સન્ફ્લેશ વિનાની છે અને ભવિષ્યમાં કલ્યાણને કરનારી છે. સફ્લેશવિશિષ્ટ પ્રકૃતિને આશ્રયીને યોગની પૂર્વસેવાદિ સ્વરૂપ વ્યવહાર પ્રસિદ્ધ નથી. તેથી ‘“અપુનર્જન્ધક આત્માને છોડીને બીજે સમૃદ્બન્ધકાદિ આત્માઓની યોગની પૂર્વસેવા ઉપચારથી જ છે.’’ આ પ્રમાણે જે કહ્યું છે તે યુક્ત જ છે. અહીં એ વાત સમજી લેવી જોઈએ કે યોગમાર્ગની પ્રાપ્તિ માટે જે યોગ્યતાની અપેક્ષા છે, તે માત્ર અપુનર્બન્ધક આત્માઓમાં જ EEEEEE E ૯ D CD CD

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64