Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ને પરિજ્ઞાત ગૃહાવાસ, (૨) પરિજ્ઞાત ગૃહાવાસ ને પરિજ્ઞાત સંજ્ઞ ઈત્યાદિ ચાર પ્રકાર (૧૨)
નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષો પણ કહ્યા છે–ઈહાથ ને પરાર્થ, (૨) પરાર્થ ને ઈહાથ ઇત્યાદિ ચાર પ્રકાર (૧૩)
- પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) એક વદ્ધમાન એકમ હીયમાન, (૨) એકમાં વદ્ધમાન અને બેમાં હીયમાન ઈત્યાદિ તે ચાર પ્રકારે. (૧૪)
પહેલા સૂત્રને ભાવાર્થ–પહેલા ભાંગાને ભાવાર્થ નિચે પ્રમાણે છેકોઈ એક પુરુષ એ હોય છે કે જે કેવળ આત્મભરિ (પિતાનું જ પિષણ કરનારો અથવા સ્વાર્થ સાધક) હોય છે, પણ પરાર્થસાધક હેતે નથી. જિન કલ્પિક સાધુને આ પ્રકારમાં ગણાવી શકાય.
બીજા ભાંગાને ભાવાર્થ-કેઈ એક પુરુષ એ હોય છે કે જે પરાર્થ સાધક હોય છે પણ સ્વાર્થ સાધક હોતું નથી. આ પ્રકારમાં અહંત ભગવાન આવી જાય છે કારણ કે તેઓ સ્વાર્થ સાધક હેતા નથી પણ પરાર્થ સાધક હોય છે પરમાનન્દ સંદોહ (સમૂહ) પ્રાપ્તિ કરાવનારા હોય છે.
ત્રીજા ભાંગામાં સ્વાર્થ સાધક અને પરાર્થસાધક સ્થવિર કલ્પિકને ગણાવી શકાય છે, કારણ કે ધાર્મિક અનુષ્ઠાનેથી તેઓ પોતાનું પણ ભલું કરે છે અને સિદ્ધાન્તની દેશના દ્વારા અન્ય જીવોનું પણ ભલું કરે છે.
સ્વપર અનુપકારી કોઈ પણ મુગ્ધ બુદ્ધિવાળા (વિવેક રહિત) પુરુષને ચોથા ભાંગામાં સમાવેશ થાય છે કારણ કે તે પુરુષ આત્મભરિ (સ્વાઈ સાધક–પિતાનું હિત સાધનારે) પણ હોતો નથી અને અન્યનું હિત સાધ નારે પણ હોતું નથી. અથવા જે રવેચ્છાચારી (સ્વછંદી) હોય છે તેને પણ આ ભાંગામાં સમાવેશ થાય છે. લોકોત્તર પુરુષેની અપેક્ષાએ આ ચાર ભાંગાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. લૌકિક પુરુષની અપેક્ષાએ પણ આ ચાર ભાંગાનું યથાયોગ્ય કથન થવું જોઈએ,
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૫૫.