Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે.) દેશસંયમના પાલનથી પણ જીવ દેવાયુને બધ કરે છે સરગસંયમને સદ્ભાવ ૧૦ દસમાં ગુણસ્થાન સુધી અને સંયમસંયમને સદ્દભાવ પાંચમાં ગુણસ્થાન સુધી હોય છે. “બાલ” શબ્દ અહીં મિથ્યાદષ્ટિએ માટે વપરા છે તેમના તપને બાલતપ કહે છે. નિજર કરવાની ઈચ્છા કર્યા વિના જે નિર્જરા થાય છે તેને અકામ નિર્જરા કહે છે. જેમકે ભૂખ આદિ જન્ય કષ્ટને સહન કરવાથી અકામનિર્જરા થાય છે. બાલતપ અને અકામનિર્જરા વડે પણ દેવાયુને બન્ધ થાય છે. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે –સરાગસંયમ અને સંયમસંયમ આ બને સમ્યગુદર્શનના સદભાવમાં જ સંભવી શકે છે, તેથી તે બને તે વૈમાનિક દેવોમાં જ ઉત્પત્તિ કરાવે છે, અન્ય દેવાયુઓના કારણભૂત બનતાં નથી. પરંતુ બાલતપ અને અકામનિર્જરા આદિને લીધે જીવ ભવનવાસી, વ્યન્તર, અને જતિષી દેના આયુને અન્ય કરે છે. અહીં કદાચ એવી શંકા કરવામાં આવે કે દેવ અને નારકી સમ્યગુદર્શનના સદૂભાવમાં મનુષ્યાયુને જ બન્ધ કરે છે અને મનુષ્ય અને તિર્યંચ દેવાયુને જ બન્ય કરે છે, તે આ કથનનું કારણ શું છે? તે શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે સમ્યગુદર્શન આત્માનું એક નિર્મળ પરિણામ છે. તેથી તે તે કર્મબન્ધનું કારણ બનતું નથી, પરંતુ તેના સદૂભાવમાં પણ જે આયુને ખબ્ધ થતો હોય તે નિયમથી જ વૈમાનિક દેવાયુને જ બન્ધ થાય છે.
શંકા–જ સમ્યગદર્શનના ભાવમાં વૈમાનિક દેવાયુને જ બન્ધ થત હોય, તો તેના સદુભાવમાં (સમ્યગદર્શનના સદૂભાવમાં) દેવ અને નારકીને મનુષ્પાયુને બન્ધ થવાની જે વાત આપે હમણાં જ કહી છે તે કેવી રીતે ટકી શકે છે ?
ઉત્તર–અહીં જે એવું કહેવામાં આવ્યું છે, તેને મરીને ચાર ગતિઓમાં જન્મ લઈ શકનાર ની અપેક્ષાએ કહ્યું છે. એવા જન્મવાળા તે મનુષ્ય અને તિય"ચ હોય છે. દેવનારકી એવાં જન્મવાળાં હોતા નથી. સૂ. ૩ળા
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૮૮