Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 246
________________ જે આચાર્ય અથવા ઉપાધ્યાય ગણને ગ્લાન (વ્યાધિગ્રસ્ત) અને શૈક્ષ (બાલદીક્ષિત) ના વૈયાવૃત્ય માટે જાતે જ સારી રીતે પ્રયત્નશીલ હતા નથી, તે આચાર્ય અથવા ઉપાધ્યાયને ગણુમાં કલહ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. કલહનું પાંચમું કારણ–“ગાવાવાધ્યાય છે અનgછવાઈ જાર માતિ નો શાપૂરજીયારિ” આચાર્ય અથવા ઉપાધ્યાય જે ગણને પૂછ્યા વિના ક્ષેત્રાન્તરમાં ગમનશીલ રહે છે. ગણના અન્ય સાધુઓને પૂછીને ગમનશીલ થતા નથી, તે એવી પરિસ્થિતિમાં પણ તેમના ગણમાં કલહ ઉત્પન્ન થવાને સંભવ રહે છે. આ પાંચ કારણોથી વિપરીત કારણોને લીધે ગણમાં અકલેશનું વાતા. વરણ રહે છે. એટલે કે ગણમાં શાન્તિ ટકી રહે છે. “ગારિચ યુવાન રસf iરિ જંર ગgrટ્રાનr somત્તા” ઈત્યાદિ સૂત્રેની વ્યાખ્યા સગમ છે. ઉપર્યુક્ત પાંચ કારણેથી ઉલટાં પાંચ કારણોને લીધે ગણમાં શાન્તિ જળવાઈ રહે છે, એમ સમજવું. | સૂ. ૧૨ છે | વિષદ્યાદિ સ્થાનક નિરૂપણ હવે સૂત્રકાર નિષઘા આદિ સ્થાનેનું નિરૂપણ કરે છે. સૂત્રાર્થ–“ર નિરિકના ઘUત્તા ઈત્યાદિ– સૂત્રાર્થ_આસન વિશેષ રૂપ જે નિષદ્યા છે, તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે–(૧) ઉકુટુક, (૨) દેહિકા, (૩) સમપાદપૂતા, (૪) પર્યકા અને (૫) અર્ધ પર્યકા. નીચે પ્રમાણે પાંચ આર્જવસ્થાન કહ્યાં છે – (૧) સાધ્વાજેવ, (૨) સાધુ માર્દવ, (૩) સાધુ લાઘવ, (૪) સાધુ ક્ષાન્તિ અને (૫) સાધુ મુક્તિ. ટીકાર્થ–જે આસનમાં જમીન પર પુતને (કુલાને) રાખવામાં આવતા નથી તે આસનને “ઉત્કટુકાસન” કહે છે. આ આસનમાં ઉભડક બેસવું પડે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨ ૩૨

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266