Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ માત્ર ગુજરા” આ કથનને ભાવાર્થ આગળ કહ્યા પ્રમાણે જ છે.
જ્યારે શુક્ર (વીર્ય) અને આર્તવ (૨૪) વાયુને કારણે અનેક રૂપે ભિન્ન ભિન્ન થઈ જાય છે, ત્યારે વિકૃત થયેલા મળે દ્વારા વિચિત્ર ની અને આકારવાળા અનેક સંતાને ઉત્પન્ન થાય છે, અહીં પણ વીર્યની અધિકતા હોય તે પુત્ર ઉત્પન્ન થાય છે, રજની અધિકતા હોય તે કન્યા ઉત્પન્ન થાય થાય છે અને શુક્ર અને રજની સમાનતા હોય ત્યારે નપુંસક સંતાન પેદા થાય છે, એવું જ પ્રકટ કરવામાં આવ્યું છે. સૂ. ૪૧ |
પૂર્વોક્ત ગભ જ છની ઉત્પત્તિમાં કારણભૂત બને છે. આ વિષયનું કથન ઉત્પાદપૂર્વ માં’ વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. તેથી હવે સૂત્રકાર તે ઉત્પાદપૂર્વના સ્વરૂપનું નિરૂપણ કરે છે.
વવારપુકવર રત્તારિ ” ઈત્યાદિ ટીકાઈ–ઉત્પાદ પૂર્વની ચાર ચૂલિકા કહી છે. ઉત્પાદનું પ્રતિપાદન કરનારૂં જે પૂર્વ છે તેનું નામ ઉત્પાદપૂર્વ છે. બધાં પૂમાં તે પ્રથમ પૂર્વ છે. જેમ કોઈ પણ રાજ્યના પ્રકરણ (અધ્યયન) હોય છે તેમ ઉત્પાદપૂર્વના પણ જે અધ્યયન જેવાં પરિચ્છેદ (પ્રકરણે, વિભાગે) છે તેમને ચૂલિકા કહે છે. ઉત્પાદપૂર્વની એવી ચૂલિકા ચાર છે. તે સૂ. ૪૨ છે
ચાર પ્રકાર કે કાવ્યોકે સ્વરૂપ કા નિરૂપણ
ઉત્પાદ પૂર્વમાં કાવ્યને પણ સમાવેશ થાય છે. તેથી હવે સૂત્રકાર કાવ્યના વિભાગોનું કથન કરે છે. “જજે ” ઈત્યાદિ–
ટીકા-કાવ્ય ચાર પ્રકારનાં કહ્યાં છે–(૧) ગદ્ય, (૨) પદ્ય, (૩) કર્યો અને (૪) શેય. જે વર્ણન કરે છે તેને કવિ કહે છે, કવિને જે ભાવ અથવા તેનું જે કમ તે કાવ્યગ્રંથ છે. જે કાવ્ય છબદ્ધથી રહિત હોય છે તે ગદ્યકાવ્ય કહે છે, જેમકે શસ્ત્રપરિણાધ્યયન. જે વાક્ય અથવા કાવ્ય છબદ્ધ હોય છે, તેને પદ્યકાવ્ય કહે છે, જેમકે આચારાંગ સૂત્રનું આઠમું વિમુફત્યધ્યયન. જે કાવ્યમાં (સાહિત્યમાં) કથાઓને સદૂભાવ હોય છે, તેને કથ્ય કાવ્ય કહે છે, જેમકે જ્ઞાતાધ્યયન. જે કાવ્ય ગાઈ શકાય એવું હોય છે તેને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૯૫