Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આશ્રયીમાં અભેદના ઉપચારથી તેમને દુરાય આદિ રૂપે કહેવામાં આવેલ છે. એટલે કે જે સ્થાનમાં કચ્છ (દુઃખ) વૃત્તિ હોય છે તે સ્થાનને પણ કૃચ્છવૃત્તિને ભેગથી કુછૂવૃત્તિ રૂપ (દુઃખરૂપ) માનવામાં આવ્યાં છે. એ જ કારણે અહીં તે સ્થાને દુરાગ્યેય આદિ રૂપ અહીં કહ્યાં છે. અથવા–પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં આચાર્ય આદિકેને માટે શિષ્યોને વસ્તુતત્વ કહેવાનું દુરાગ્યેય હતું અને તેમની બુદ્ધિમાં વસ્તુતત્વની વિભાગશઃ સ્થાપના કરવાનું કાર્ય પણ મુશ્કેલ હતું. અને પિતાને માટે પણ તે દુર્દશ, દુસ્તિ તિક્ષ અને હરનુચર હતું. આ પ્રમાણે અર્થ પણ અહીં ગ્રહણ કરી શકાય છે. જે વચ્ચેના ૨૨ તીર્થ કેરે થઈ ગયા તેમની આખ્યાન આદિ પાંચ સ્થાનેમાં અકૃષ્ણવૃત્તિ (સુખરૂપ વૃત્તિ) હતી. તેમને આખ્યાન આદિમાં કઠિનતાને અનુભવ કરે પડ ન હતું. તેઓ આ પાંચ સ્થાનેમાં અકચ્છ વૃત્તિવાળા (સુખરૂપ વૃત્તિવાળા) હતા.
(૧) સુ આખેય, (૨) સુ વિભાજ્ય, (૩) સુદ, (૪) સુતિતિક્ષ અને (૫) સુ અનુચર. અકૃચ્છવૃત્તિના યોગથી આ સ્થાનને અકૃચ્છવૃત્તિરૂપ કહ્યાં છે. તેથી તે સ્થાને સુ આખેય આદિ રૂપે અહીં બતાવવામાં આવ્યાં છે. વચ્ચેના ૨૨ તીર્થકરેના શિખે જુપ્રાગ્ય હતા તેથી તેમને વસ્તુતત્વ કહે. વામાં–સમજાવવામાં ભગવાનને કઠિનતાને અનુભવ થતો નહીં. અહીં પણ ઉપર મુજબના પાંચે સ્થાનેનું કથન થવું જોઈએ. અથવા વચ્ચેના ૨૨ તીર્થકરના તીર્થમાં આચાર્યોને આધ્યાન આદિ પાંચ સ્થાનોમાં કઠિનતા અનભવવી પડતી નથી. આ પક્ષે આગળ પ્રમાણે જ અહીં વ્યાખ્યા સમજી લેવી.
હવે મહાવીર પ્રભુએ શ્રમણ નિથાના જે કર્તવ્ય બતાવ્યાં છે, તેને સૂત્રકાર પ્રકટ કરે છે–શ્રમણ ભગવાન મહાવીરે નીચેનાં પાંચ સ્થાન શ્રમછેને માટે સર્વદા ફલદાયી વર્ણિત કર્યા છે, નામની અપેક્ષાએ કીર્તિત કહ્યાં છે, વરૂપની અપેક્ષાએ સ્પષ્ટવાણીથી કહ્યાં છે, નિત્ય પ્રશંસાને ચગ્ય કહ્યાં
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૧૮