Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બીજાને વિશ્વાસ તે ગુમાવી બેસે, જે વચનને કારણે અન્ય મુશ્કેલીમાં મૂકાઈ જાય, એવાં વચનને સ્થૂલ મૃષાવાદ રૂપ ગણવામાં આવે છે. આ પ્રકારના સ્થૂલ મૃષાવાદને ત્યાગ કરે તેનું નામ સ્થૂલ મૃષાવાદ વિરમણ છે. આ પ્રકારનું બીજુ અણુવ્રત કહ્યું છે. (૩) સ્થૂલ અદત્તાદાનને ગ્રહણ ન કરવું તેનું નામ સ્થૂલ અદત્તાદાન વિરમણ છે. સ્કૂલ (મોટી) વસ્તુની ચેરી કરવાને કારણે તે સ્થૂલ અદત્તાદાન રૂપ માનવામાં આવેલ છે. તે અતિ દુષ્ટ અધ્ય. વસાય રૂપ હોય છે. તેને લેકે “ચેરી” ને નામે ઓળખે છે. તે ચોરી કરવાને કારણે અપરાધી કરીને રાજદંડને પાત્ર થવું પડે છે. એવી ચેરી કરવાનો ત્યાગ કરે તેનું નામ સ્થૂલ અદત્તાદાન વિરમણ છે. તેને ત્રીજુ અણુવ્રત કર્યું છે. (૪) પિતાની પત્ની સિવાય અન્ય કઈ પણ સ્ત્રી સાથે મૈથુનનું સેવન કરવાનો ત્યાગ કરે તેને બ્રહ્મચર્ય વ્રત કહે છે. આ વ્રત લેનારે સ્વદારામાં જ સંતોષ માનીને પરસ્ત્રી સેવનને સર્વથા ત્યાગ કર પડે છે, આ પ્રકારનું ચોથું અણુવ્રત કહ્યું છે. (૫) ધન, ધાન્ય આદિના સંગ્રહ કરવા વિષે મર્યાદા નક્કી કરવી, અમુક પ્રમાણુ કરતાં વધારે પરિગ્રહ ન રાખો એટલે કે પરિગ્રહને અંશતઃ ત્યાગ કરવો તેનું નામ પરિગ્રહ વિરમણ અથવા ઈચ્છા પરિમાણ વ્રત છે. આ પાંચમું અણુવ્રત સમજવું. આ સમસ્ત કથનનો સારાંશ નીચે પ્રમાણે છે-મન, વચન અને કાયથી, કુત, કારિત અને અનુમેદના રૂપ ત્રણ કરણથી, દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવસંબંધી હિંસાદિક પાંચ પાપને જે પરિત્યાગ છે તેને મહાવ્રત કહે છે. તે મહાવત સર્વવિરતિ રૂપ હોય છે. હિંસાદિક પાંચ પાપને એક દેશની અપેક્ષાએ (અંશતઃ) ત્યાગ કરે તે અણુવ્રત છે. તે દેશવિરતિ રૂપ હોય છે. માત્ર પાંચ છે અને અણુવ્રતે પણ પાંચ છે.
વર્ણાદિકા નિરૂપણ
હવે સૂત્રકાર ઈન્ડિયાર્થોની વક્તવ્યતાને નિમિત્તે “જાત્રા” ઈત્યાદિ ૧૩ અવાન્તર સૂત્રે નું કથન કરે છે “ for quળત્તા” ઈત્યાદિ–
ટીકાર્ય–વણે પાંચ હેાય છે–(૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) લેહિત (લાલ), (૪) હારિદ્ર (પીળ) અને (૫) શુકલ. રસ પણ પાંચ કહ્યા છે—તિક્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૦૬