Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“રારિ મ” ઈત્યાદિ-કુંભના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે. (૧) કેઈ એક કુંભ એ હોય છે કે જે સમસ્ત અવયવોથી સંપન્ન હોય છે અથવા દહીં આદિથી પૂર્ણ હોય છે અને પૂર્ણાવલાસી પણ હોય છે એટલે કે દશકની દષ્ટિએ પણ તે પૂર્ણ જ લાગે છે. (૨) કેઈ એક કુંભ પૂર્ણ હોવા છતાં પણ તુચ્છાવભાસી હોય છે, એટલે કે તેમાં ભરેલું દ્રવ્ય કોઈ કારણે નજરે નહીં પડતું હોવાથી તે કુંભ ખાલી જ હવાને ભાસ થાય છે. એ જ પ્રમાણે બાકીના બે ભાગ પણ સમજી લેવા.
“gઈ જત્તારિ કુરિઝાવા” ઈત્યાદિ–એ જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) કેઈ પુરુષ એવા પ્રકારના હોય છે કે તેઓ ધનશ્રત આદિથી પૂર્ણ (સંપન્ન) હોય છે અને ધનકૃત આદિના વિનિયેગથી પૂર્ણા વલાસી-પૂર્ણ જ છે એવું દર્શકોને લાગે છે. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે ધનકૃત આદિથી પૂર્ણ હોવા છતાં પણ તુછાવભાસી-ધનકૃત આદિથી રહિત જ હોય એવો લાગે છે. (૩) કોઈ એક પુરુષ ધનકૃત આદિથી રહિત હેવાને કારણે તુચ્છ હોય છે, પરંતુ પ્રસ ગેચિત પ્રવૃત્તિને કારણે પૂર્ણાવભોસી લાગે છે એટલે કે ધનકૃત આદિથી સંપન્ન લાગે છે. (૪) કોઈ એક પુરુષ તુચ્છ (ધનકૃત આદિથી રહિત) હેય છે અને તુછાવલાસી જ લાગે છે એટલે કે લેકે પણ તેને ધનકૃત આદિથી રહિત જ લાગે છે.
“રારિ પા” કુંભના આ પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે--(૧). કેઈ એક કુંભ જલાદિથી પણ પૂર્ણ હોય છે અને પૂર્ણ રૂપવાળે સંપૂર્ણ ( અવિકલ-અખંડિત) સંસ્થાનવાળો હોય છે અથવા પુણ્ય રૂપવાળ સુંદર આકારવાળો હોય છે. (૨) કેઈ એક કુંભ દહીં આદિથી પૂર્ણ હોવા છતાં પણ તુચ્છ રૂપવાળે અસુંદર આકારવાળો હોય છે. એ જ પ્રમાણે બાકીના બે ભાંગી પણ સમજી લેવા..
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૬ ૨