Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૃથિવીકાય આદિ ચારકા સૂક્ષ્મશરીરકે અદૃશ્યત્વકા નિરૂપણ
પૃથ્વીકાય આદિકેથી લેક પૃષ્ટ છે, એવું પહેલાં કહેવામાં આવ્યું છે, હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે પૃથ્વીકાય આદિ ચારેનું એક શરીર એવું પણ છે કે જે સુદશ્ય હોતું નથી—“જઇને શરીર નો સુખં ” ઈત્યાદિ-(સૂ ૩૮) - (૧) પૃથ્વીકાયિક, (૨) અપૂકાયિક, (૩) તેજસ્કાયિક અને (૪) વનસ્પતિ કાયિક, આ ચાર પ્રકારના વેનું એક શરીર સુદશ્ય હેતું નથી, તેનું કારણ એ છે કે તે અનમાન આદિ દ્વારા જ ગમ્ય (જાણી શકાય એવું) હોય છેપ્રત્યક્ષ જોઈ શકાય એવું હોતું નથી કારણ કે તે અતિ સૂક્ષ્મ હોય છે.
અહીં જે “એક” શબ્દ વપરાયે છે તે સૂફમ શરીરને વાચક છે– બાદર શરીરને વાચક નથી.
શંકા–વાયુનું શરીર પણ દશ્ય હેતું નથી. તેથી આ સૂત્રમાં “ચારનું એક શરીર દશ્ય હેતું નથી ” એમ કહેવાને બદલે “પાંચનું એક શરીર દૃશ્ય હેતું નથી એમ કહેવું જોઈએ.
ઉત્તર–આ કથન પ્રકટ કરવાનું કારણ નીચે પ્રમાણે છે –વાયકાયિક સૂક્ષ્મ અને બાદર અને પ્રકારના હોય છે. તેમનું બાદર શરીર પણ સુદૃશ્ય હત નથી અને સૂક્ષ્મ શરીર પણ સુદૃશ્ય હોતું નથી, આ રીતે તેમનું એક પણ પ્રકારનું શરીર સુદૃશ્ય હેતું નથી. પરંતુ જે સૂકમ પૃથ્વીકાય આદિ પૂર્વોક્ત ચાર પ્રકારના જ જ છે તેમનાં જ સૂક્ષ્મ શરીર સુદૃશ્ય હેતાં નથી, બાદર પૃથ્વીકાય આદિકોના બાદર શરીરે તે સુદૃશ્ય હોય છે જ. તેથી પૂર્વોક્ત પૃથ્વીકાય આદિ ચાર જ એવાં છે કે જેમના સૂક્ષમ શરીર સદશ્ય હતાં નથી–તેમના બાદર શરીર તે સુદૃશ્ય હોય છે જ. પરંતુ વાયકાયિકનું તે કોઈ પણ શરીર સુદૃશ્ય હોતું નથી. અહીં વનસ્પતિ શબ્દ દ્વારા સાધારણ વનસ્પતિકાયિક જ ગૃહીત થયેલ છે. પ્રત્યેક વનસ્પતિકાયિક ગૃહીત થયેલ નથી કારણ કે તેનું એક સૂક્ષમ શરીર જ અદૃશ્ય હોય છે-બાદર વનસ્પતિકાયિકનું બાદર શરીર તે દશ્ય હોય છે કે સૂ. ૩૮ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩