Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala
View full book text
________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
શ્રી રાજમુદ્રા કૃપાળુની મુદ્રા રે મારા ચિત્તમાં વસી રહી; એથી જગતની સર્વ આકૃતિઓ તુચ્છ તે નાસી ગઈ ...કૃપાળુની અનુપમ શાંતિ મળે પ્રભુ જોતાં, સ્થિરતા તે ભાવે થઈ; એ પરમાત્માને ઓળખી ભજતાં, ભવની ભાવટ ગઈ ..કૃપાળુની આસન સિદ્ધ અવિચળ જેનું, દીઠે સુબુદ્ધિ થઈ સાર ગ્રહણ કરે ભક્તિ પ્રભાવે, ભ્રાંતિ બધી મટી ગઈ ...કૃપાળુની શાંતપણું પરિપૂર્ણ છે જેમાં, ઉપશમ રસ છલકાય, દૃષ્ટિ સુધારસ ક્યારી નિરખતાં, આનંદ અંગ ન માય ...કૃપાળુની પરમ કૃપાનિધિ સદ્ગુરૂ સાચા, શ્રીમદ્ સદ્ગુરૂ દેવ; રાજચંદ્ર પ્રભુ કૃપા કરી મને, આપો ચરણની સેવ ...કૃપાળુની આ સંસાર દાવાનળ સળગે, દુઃખમય અપરંપાર; તેને બૂઝાવે સમ્યકદર્શન, તારું પ્રભુ સુખકાર ...કૃપાળુની નામ તારું લેતાં કામ કલ્યાણનું, સત્વર સહેજે થાય; હૃદયનું દર્શન હૃદયથી થાતાં, ભાવ અપૂર્વ પમાય ...કૃપાળુની શ્રી સહજાત્મ સ્વરૂપ તમારું, મુદ્રાએ ઓળખાય; સુખ સ્વભાવ સ્થિરતા સ્થિતિનું, પ્રેમે પરખી લેવાય ...કૃપાળુની
ઉપયોગે સમજી લેવાય ...કૃપાળુની અનુપમ દૃષ્ટિ પ્રકાશ પ્રભુજી, તેજ અનંત કરનાર; દાસની દૃષ્ટિ સુધારી સુખી કરો, સાદી અનંત પ્રકાર ...કૃપાળુની જય જય સદ્ગુરૂ રાજચંદ્ર પ્રભુ, પુષ્ટાલંબન દેવ; આ સેવક કર જોડીને વિનવે, ઘો શુદ્ધ ચરણની સેવ ..કૃપાળુની
- પૂ. ગિરધરબાપા કૃત.
૨)

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110