________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો.
પૂ. શ્રી અંબાલાલભાઈ
- એ વિચારી “આજના દિવસની ૨, ૧૬,000 વિપળનો ઉપયોગ કરજે.” મનુષ્યઅવતારે સમયે સમયે નવા કર્મ બાંધીને જીંદગીનો હીન ઉપયોગ કર્યો છે, તે અટકાવી અંબાલાલભાઈએ સફળતાનો માર્ગ સમજી લીધો. આ એક ભવમાં પર્યટનનો કીનારો લાવવા, - અમૂલ્ય કૌસ્તુભથી વિશેષ કિંમતી માનવદેહથી પરમપદ સાધ્ય કરવા પુરુષાર્થ કર્યો, એ નિશ્ચય અને પુરુષાર્થ છેલ્લી કસોટી મૃત્યુવેળાની, તે સમયે સાકાર થયો. તે સગાં-વહાલાં અને સ્વજનો પણ જોઈ શકતા હતા. ૬) છઠ્ઠી ભક્તિ - ઈન્દ્રિયદમન - સત્ કાર્ય પ્રીતિ :
અ) ઈન્દ્રિયદમન :
શ્રી સદ્ગુરૂ સેવામાં સેજે થતું. “સેવા ધર્મો પરમ ગહનો - સેવા - સૂશ્રુષા કરનારમાં નિદ્રાજય, રસના સંયમ, વિકથા ત્યાગ, પ્રમાદ જય, આહારનો જય, શાતાશીલીયાપણુ મૂકવું, ભય, દુગચ્છા-સ્વછંદ છોડવો જોઈએ, તો જ તન-મન-ધનની આસક્તિ છૂટે એમ સમજી એકાગ્રતાથી સેવા-સૂશ્રુષા કરતા.”
બ) સત્ કાર્ય પ્રીતિ :
પરોપકાર, દયા, દાનશીલ, તીર્થ યાત્રા, સ્વામિ વાત્સલ્ય, સંઘ ભક્તિ, દીન દુઃખીને મદદ કરવી, દર્દીને વ્યાધિથી પીડાતાને જે કંઈ સહાયતા થાય તે કરવી.
શ્રી સદૂદેવ ભક્તિ - સત્સંગ - સધર્મારાધન-સતુશાસ્ત્ર અધ્યયન-શ્રી પદ્મનંદીજી આદિ લેખન વિગેરે આત્મહિતના કાર્યોમાં પણ જાગૃત હતા. તેમની પાસે અધ્યાત્મની શુષ્ક વાતો ન હતી. બીજાનું દુઃખ જોઈ તેનું દિલ દ્રવતું, તેના બે દાખલા આગળ આવી ગયા છે. (પ્લેગના દર્દીની જાતે સારવાર કરી), ફેણાવના છોટાભાઈને પ્લેગના દર્દમાં સેવા કરીને સમાધિ મરણ કરાવ્યું.
૭) સાતમી ભક્તિ - આખા જગતને પ્રભુસ્વરૂપે જોવું :
શ્રી વ. ૧૬૩માં પરમકૃપાળુદેવની શિક્ષા છે. “હે હરિ સર્વને વિષે તું છો એમ હોવાથી દાસત્વભાવ રાખવો,” એ પરમધર્મના એ ઉપાસક હતા.
“સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો;” - વ. ૧૬૩
આ બોધ તેમના ઉરમાં પરિણમ્યો હતો. બધા જીવો હરિસ્વરૂપે છે. આ દૃષ્ટિ મળી પછી તે પ્રત્યે મોટાઈ કે માન કેમ રખાય એટલે વ્હાલા – દવલાના ભેદ નહીં. સમદષ્ટિવંત પોતાથી કોઈને હલકો અથવા નાનો જોતા નથી, તેમ જોવાથી તો એ જીવની સત્તામાં રહેલા હરિની આશાતના થાય, એવી વિલક્ષણ વૃત્તિ જેને કૃપાળુ દેવના બોધથી મળી હતી, એ કોઈની પ્રકૃતિ – સ્વભાવને જોતા નહીં. જીવથી પ્રકૃતિ જુદી છે, અને તે કર્મ પ્રકૃતિ દરેકને મૂકવાની છે. તલમાં તેલ રહ્યું છે તેમ એ દેહધારીમાં પરમાત્મા બેઠો છે. વ. ૧૫૯ એ પ્રભુ વચનનો વિચાર કરતાં છેવટે નિર્ણય થયો કે - “સર્વરૂપે એક શ્રી હરિ જ છે.” એમ લક્ષ રાખવો, ત્યારે જ સમાધિ-સમાધાન રહેશે. આ વચન તેમણે સમ્મત કર્યું હતું. વ. ૮૩૩ - સમ્યગદર્શનનું બળવીર્ય એ જ છે કે – “સર્વમાં સામ્યભાવ
૮૫