________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
તેમણે ચરિતાર્થ કર્યાં હતાં. તેમનામાં એ જ ભાવનાનું જીવંત રૂપે પ્રાગટ્ય થયું હતું. જગતના શરણ બધા બળતરાવાળા જાણી તે પ્રત્યે વૈરાગ્ય ભાવ જાગ્યો.
—
તુલસીજી - મૈં ભરોંસે અપને રામ કે, ઓર ન હૈ કુછ કામકે.” જગત વ્યવહારનું માહાત્મ્ય ઊડી જવાથી પ્રભુ આશ્રયમાં તેમનું મન સ્થપાયેલું રહી શકતું. સંસાર મોહિનીનો રંગ ઓસરતો હતો.
“હિર ઇચ્છા જે હશે તે સુખદાયક જ હશે” “ધીરજ રાખવી અને હિરઇચ્છા સુખદાયક માનવી,’’ એટલું જ કર્તવ્ય સમજાયું હતું. ભક્તનું જીવન ભગવાન ભરોસે હોય છે, કારણ તે પ્રભુને તે જ સર્વસ્વ સોંપીને બેઠા હોય છે અને જગતમાં જન્મીને પ્રભુ મિલન સિવાય તેની બીજી ઝંખના હોતી નથી – કર્તવ્ય નથી માન્યું. એના નેણ અને વેણમાં પ્રભુ વસેલા હોય છે. ઈશ્વર પર વિશ્વાસ અજોડ હોય છે. તેથી જે પ્રભુ કરશે તે મમ હિતનું, એમ જ શરણાગતિ - ભક્તિનું રહસ્ય છે. “હું નું સ્થાન તેના અંતરમાં વિલય પામ્યું હોય છે.” “હું ને સ્થાને હરિને સ્થાપી - હું - ને પરમાત્માનું દાસત્વ આપે છે.” અર્થાત્ “હું” નહીં “તું”માં “હું” શમાઈ જાય છે. એ જુદો પડતો નથી. હિરથી ભેદભાવ તેને પોષાતો નથી. જો ચિત્ત કંઈ પણ બીજામાં જાય છે, તો તેને વ્યથા થાય છે.
ભક્તના જીવનમાં સરળતા ઓતપ્રોત વસી હોય છે. એ પ્રાર્થે છે. “પ્રભુ તારી છે હૂંફ, હૂંફે હૂંફે હું જીવું છું.” તેથી અંતર શાંતિ પામે છે.
હરિદર્શનની ચમત્કારિક પ્રભા કેવી છે તે વ.માં પ્રભુએ સૂચવ્યું છે કે – “જ્ઞાનીપુરુષને જોયા પછી, જ્ઞાનીપુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં.’’ - ૨. ૪૫૪
અંબાલાલભાઈને કૃપાળુના દર્શનથી એ જ પ્રકારે સંસારમાં પ્રવર્તવા પ્રત્યયી વીર્યમંદ પડી ગયું, જેથી તે સંબંધી - બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા - પ્રીતિ સ્ફૂર્યા કરતી અને પરિગ્રહની મર્યાદા - અલ્પતા હોવાથી પરમ પ્રભુના સત્સંગમાં ઘણીવાર અને લાંબો સમય રહેવાનું બનતું, નહીં તો નિવૃત્તિ ક્યાંથી મળે ?
કૃપાળુદેવ ત્યાગવૃત્તિને બળપૂરક શાલિભદ્રનું દૃષ્ટાંત આપે છે. “માથે રાજા વર્તે છે” એટલા વાક્યના ઇહાપોહ (વિચાર) થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાળિભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા. આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતો હશે ? તે વિચારી જોવા યોગ્ય છે.” - વ. ૪૭૭ આ વચન આપણને પણ વિચારી જોતાં ગાઢ મોહનિદ્રામાંથી જગાડે છે.
“અલ્પ આહાર નિદ્રા વશ કરે, હેત સ્નેહ જગથી પરિહરે,
લોક લાજ વિ ધરે લગાર, એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર.’
એવા પ્રભુ માર્ગના પથિકનું વર્તન – આચરણ પણ બીજા સાધકોને શિક્ષા લેવા જેવું – દૃષ્ટાંત
૯૭