Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 61
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે.” - વ. ૭૪૯ | શ્રી સદ્ગુરૂ આશ્રય વિના સ્વચ્છેદે વર્તવાથી શુષ્કજ્ઞાની થવાનો વખત આવે અને તપ - ત્યાગાદિમાં પણ વૃત્તિઓ શાંત થતી નથી – ઉન્મત્ત થાય છે, જેથી જીવ માર્ગથી પડી જાય છે. પૂજય અંબાલાલભાઈને કૃપાળુદેવનો સમાગમ લાભ નથી મળતો, તેથી જંગદું વ્યવહાર સવૃત્તિ ચૂકવી દે એવામાં રહેવું પડે છે તેથી મૂંઝાય છે ને નિરાશ થઈ પ્રભુને પોકારે છે કે મારી સંભાળ લ્યો, મને આમાંથી પ્રભુ બચાવો, મારી વ્હારે આવો, તેવા ખેદમાં પ્રભુ તેમને હિંમત આપી - ઉત્સાહ – શૂરવીરતા આપે છે. - તે જ એના સત્સંગની બલિહારી છે. “મુમુક્ષુપણું જેમ દેઢ થાય તેમ કરો; હારવાનો અથવા નિરાશ થવાનો કંઈ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી.” - વ. ૮૨૯ | “ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે. -- - ધર્યથી સર્વિચાર પંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઈ - - - અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે.” - વ. ૮૧૩ ગુરુ ગમ” વિ. સં. ૧૯૫૨ “તે શ્રીમાન પુરુષોત્તમ, સત્ - ચિત્ - આનંદરૂપે સર્વત્ર ભરપૂર છે. મૂર્તિમાન ! (ગુરુગમ) સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ? એ સ્વરૂપ વિચારતાં, સંભારતાં અમને તો પરમ સમાધિ આવે છે.” - વ. ૧૫૭ પરમાત્માનું સ્વરૂપ કે, શુદ્ધાત્માનું સ્વરૂપ વચનાતિત છે, બુદ્ધિથી પર છે, અગમ અગોચર વસ્તુ છે, તેને બુદ્ધિગમ્યથી કે વચનથી સમજી ન શકાય, તે માત્ર અનુભવગમ્ય છે. આનંદઘનજી મહારાજ કહે છે “નય નિક્ષેપે રે જેહ ન જાણીએ, નવિ જીહાં પ્રસરે પ્રમાણ, જેહ અગોચર માનસ વચનને, તેહ અતિન્દ્રીયરૂપ, અનુભવ મિત્તેરે વ્યક્તિ શક્તિશું, ભાખ્યું તાસ સ્વરૂપ” - “ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, .... એક “તુંહિ તુંહિ” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે, .... લખ્યું લખાય તેમ નથી; કહ્યું કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે.” - વ. ૧૪૪ એટલે કૃપાળુદેવ કહે છે – “વહ બાત રહી સુગુરુ ગમકી” ગુરુ શાન કરે એમાં જ પાત્ર શિષ્યને સમજાઈ જાય છે. છપદની સિદ્ધિથી આત્મસ્વરૂપ સમજાવા અર્થે એ ગુરુગમરૂપ શ્રી આત્મસિદ્ધિજીની રચના ગુરુ શિષ્યના સંવાદરૂપે કરી છે. શિષ્યને આત્માની, પુનર્જન્મની, કર્મની, મોક્ષની, આસ્થા છે, પણ તે અંતરમાં ઊંડી શંકાસહિતની ઓઘ આસ્થા છે તે સદ્દગુરુ ભગવાન જાણે છે, એટલે “એ અંતર શંકાતણો સમજાવો સદુપાય.” એમ પ્રથમ પદની શંકા મૂકી છે. આત્મા નામનો પદાર્થ જુદા જુદા દર્શનો અને મતો, જુદે જુદે સ્વરૂપે કહે છે. તેના બંધ મોક્ષની વ્યાખ્યા જુદે

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110