Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004670/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત યોગલક્ષણદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન દસમી બત્રીશી વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીજી લો....lary org Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાદિંશદ્વાબિંશિકા અંતર્ગત યોગલક્ષણદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન • મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા + આશીર્વાદદાતા + વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા પ્રાવચનિક પ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ - વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા છે સંકલન-સંશોધનકારિકા છે. પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી : પ્રકાશક : તાર્થ માગતું.' ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩. Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન + વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૩ * વિ. સં. ૨૦૬૩ આવૃત્તિ : પ્રથમ * નકલ : ૫૦૦ મૂલ્ય રૂ. ૪૫-૦૦ આર્થિક સહયોગ પૂ.સા.શ્રી વિશુદ્ધપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબની દીક્ષાતિથિ નિમિત્તે કંકુબેન કેશવલાલ શિરોઈયા પરિવાર (ધાનેરાવાળા) હ. સુશીલાબેન રમેશભાઈ શિરોઈયા _ _| | : મુખ્ય પ્રાપ્તિસ્થાન : તાર્થ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. મૈં મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન ઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ ૭૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ - : પ્રાપ્તિસ્થાન :* અમદાવાદ : “ગીતાર્થ ગંગા” શ્રી નટવરભાઈ એમ. શાહ (આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, 8 (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ અમદાવાદ-૧૩. = (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ મુંબઈ : નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના ક્વેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૮. ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. 8 (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ 8 (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગર : શ્રી લલિતભાઈ ધરમશી. શ્રી ઉદયભાઈ શાહ ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ જવાહરલાલ નહેરુ રોડ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, સર્વોદય પાર્શ્વનાથનગર, જામનગર-૩૬૧૦૦૧ જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. 8 (૦૨૮૮) ર૬૭૮૫૧૩ 8 (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩) * સુરત : * રાજકોટ : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ શ્રી કમલેશભાઈ દામાણી ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, બાબુ નિવાસની ગલી, રાજકોટ-૩૬૦૦૦૧. ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ # (0૨૬૧) ૩૦૧ ૩૨૪૪ * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. (080) (O) 22875262, (R) 22259925 Page #5 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકાશકીય ક. “ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જેતશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું લય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સો સોને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચતો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચતોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્વજિજ્ઞાસ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા (સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.) Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો (ગુજરાતી) વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદષ્ટિસમુચ્ચયા ૨. કર્મવાદ કર્ણિકા ૩. સગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી (ભાગ-૧) [ પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત ] ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો. Page #7 -------------------------------------------------------------------------- ________________ | Is :- ५. पू. शिवर्य श्री युगभूषाविषयक (नाना ifsd) म. सा.। ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? (हिन्दी) व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत एवं विकल्प २. चित्तवृत्ति ४. प्रश्नोत्तरी लेखक :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ? संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ENGLISH Lecturer : H. H. GANIVARYA SHRIYUGBHUSHANVIJAYJI M.S. 1. Status of religion in modern Nation State theory | Author : H. H. GANIVARYA SHRIYUGBHUSHANVIJAYJI M. S. 1. Is Jaina Order Independent Religion or Denomination ? Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત કk વિવેચનના ગ્રંથો ( ગુજરાતી) વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા | ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્રાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાબિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામàદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાલિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશ: વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ 3. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!!! સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજ.). સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. Rakshadharma'Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧ ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ ગ્રંથની ‘યોગલક્ષણદ્વાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩૨૩૨ અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત આ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની એક Master Picce - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. આ ‘યોગલક્ષણદ્વાત્રિંશિકા' દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ગ્રંથનું ૧૦મું પ્રકરણ છે. પૂર્વની ‘કથાદ્વાત્રિંશિકા'માં કહ્યું કે ઉપદેશક ગુરુ યોગ્ય જીવોને માર્ગ બતાવવા માટે કથા કરે છે, અને તે ધર્મકથા સાંભળવાથી યોગ્ય શ્રોતાઓને કથાના ફળસ્વરૂપે યોગની પ્રાપ્તિ થાય છે. તે યોગનું લક્ષણ ‘યોગલક્ષણદ્વાત્રિંશિકા'ના પ્રારંભમાં જ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે ‘મોક્ષજ્ યોનનાવેવ યાચિત્ર નિહબ્બતે' । મોક્ષની સાથે યોજન કરનાર હોવાથી જ તે યોગ કહેવાય છે. પરમતારક પરમોપકારી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલ મોક્ષમાર્ગની સાધના એટલે યોગની સાધના. યોગના સ્વરૂપ અંગે અનેક મતો હોવા છતાં યોગની મોક્ષસાધકતામાં કોઈ જ વિવાદ નથી. સર્વ દર્શનકારોએ મોક્ષની પ્રાપ્તિ માટે અનન્ય ઉપાય સ્વરૂપે યોગનું વર્ણન કર્યું છે. આ દ્વાત્રિંશિકામાં યોગ, યોગનું લક્ષણ, પ્રણિધાનાદિ પાંચ આશયો, યોગનો સંભવ, યોગના પ્રકાર, યોગપ્રાપ્તિનો કાળ, યોગના અધિકારી-અનધિકારીનાં લક્ષણ, યોગનાં મુખ્ય ઘટકો, નિશ્ચય અને વ્યવહારથી યોગનું સ્વરૂપ, યોગનું ફળ વગેરે બાબતો મુખ્યતયા જણાવેલ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના પ્રણિધાનાદિ પાંચ પ્રકારના આશયોમાંથી કોઈપણ આશય ક્રિયાકાળમાં વર્તતો હોય તો (૧) પુણ્યાનુબંધીપુણ્યનો ઉપચય થાય છે જે વિશેષ પ્રકારની ધર્મક્રિયા કરવાને અનુકૂળ સામગ્રી અપાવવામાં સહાયક બને છે અને (૨) જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મોનો હ્રાસ થવાથી થયેલી નિર્મળતા જીવને મોક્ષને અનુકૂળ એવી ઉપર ઉપરની ક્રિયાની નિષ્પત્તિમાં કારણ બને છે. ૨ વળી, ચરમપુદ્ગલ પરાવર્તમાં જ યોગનો સંભવ છે; કેમ કે જીવમાં વર્તતું ભવ્યત્વ ત્યારે જ સમ્યક્ પ્રયત્નથી મોક્ષરૂપ ફળરૂપે પરિણમન પામે છે. જેમ ઘીનો અર્થી દૂધ આદિમાં ઉચિત પ્રયત્ન કરે તો ઘીની પ્રાપ્તિ થાય. ઇત્યાદિ દૃષ્ટાંતથી જણાવેલ છે. ‘હું ભવ્ય છું કે નહીં’ તેનો નિર્ણય પાના નં. ૭ ઉપરથી આપણે સ્વયં કરી શકીએ. આવી ઘણી સુંદર વાતો આ દ્વાત્રિંશિકામાં ઉપલબ્ધ થાય છે. જિનાગમમાં બતાવેલ યોગનાં લક્ષણોને જાણી, સામર્થ્ય હોય તો જૈનેતર યોગલક્ષણની પણ પરીક્ષા કરી, જીવનમાં યોગમાર્ગ આરાધી, મોક્ષ મેળવવા માટે ઉદ્યમવંત થઈ, પ્રાપ્ત થયેલ યોગમાર્ગ દ્વારા અનંત સુખના સ્વામી બનીએ એ જ અભ્યર્થના. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી મારામાં યોગમાર્ગમર્મજ્ઞ અને મને યોગમાર્ગનો બોધ કરાવવામાં ધર્મબાંધકર એવા સ્વ. પ. પૂ. શ્રી મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજા) જ્ઞાનયોગની સાધનાની રુચિ જગાડેલી હતી જ. તેમાં મારું જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું. ત્યાં સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત, પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે ૫. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પ.પૂ. ઉપા. યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોનું અધ્યયન કરતાં કરતાં તેમની પ્રેરણા અને કૃપાથી, મને તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે, તે ગ્રંથોના શબ્દશઃ વિવેચનનું લેખનકાર્ય કરી તેની સંકલના કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે મારી નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર, મારા જીવનમાં ચિત્તની Page #12 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/પ્રસ્તાવના પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપી સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય મને યોગમાર્ગમાં રત બનાવી અંતે પૂર્ણ બનાવે તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. આ કાત્રિશિકાના પૂફસંશોધન કાર્યમાં મૃતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને સા. દષ્ટિરત્નાશ્રીનો તથા સા. આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. આ “યોગલક્ષણદ્ધાત્રિશિકા' ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છબસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ‘મિચ્છા મિ દુક્કડું માંગું છું. પ્રાંતે સ્વ-અધ્યાત્મની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને, અને આ લેખન અનુભવમાં પલટાય કે જેથી હું યોગીનાથ પરમાત્માએ બતાવેલા યોગમાર્ગને પામીને આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું, ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસનના બળથી વહેલી તકે પરમપદને પામે અને હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું, એ જ અભ્યર્થના. - bયામeતુ સર્વગીવાળામ” વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા. ના શિષ્યા તપસ્વીરના સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. ના શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી Page #13 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/સંકલના : “યોગલક્ષણધ્રાગંશિકા’ના પદાર્થોની સંકલના: પ્રથમ બ્લોકમાં યોગનું લક્ષણ બતાવ્યું, અને તે યોગનું લક્ષણ ચરમાવર્તમાં સંભવે છે પરંતુ અન્ય આવર્તામાં સંભવતું નથી, તે વાત બીજા અને ત્રીજા શ્લોકમાં બતાવી. અન્ય આવતમાં જીવો ધર્મ કરે તોપણ લોકપંક્તિથી કરનારા છે, માટે તેઓને યોગનો સંભવ નથી, આમ કહીને એ બતાવવું છે કે ચરમાવર્તમાં રહેલો જીવ પણ જો લોકપંક્તિથી ધર્મનું સેવન કરે તો તે ધર્મ યોગ બને નહીં; છતાં, ચમાવર્તના જે જીવો લોકપંક્તિ છોડીને પ્રણિધાનાદિ આશયપૂર્વક ધર્મક્રિયા કરનારા છે, તેઓનો તે ધર્મ યોગરૂપ છે; જ્યારે શરમાવર્તની બહારના જીવો તો લોકપંક્તિથી જ ક્રિયા કરે છે, તેથી તેનો ધર્મ યોગરૂપ નથી. શ્લોક-૪માં લોકપંક્તિનો અર્થ કર્યો કે “લોકસદશ ભાવ સંપાદનરૂપ' અને લોક-૬માં બતાવ્યું કે “લોકઆરાધનના હેતુથી જે ક્રિયા કરાય છે તે લોકપંક્તિથી કરાયેલી છે અને બ્લોક-૮માં કહ્યું કે “દાન-સન્માન-ઉચિત સંભાષણાદિ વડે પણ જે લોકપંક્તિ ધર્મપ્રવૃત્તિ કરાય છે, તે કુશળ છે. તેથી લોકપંક્તિના અનેક પ્રકારના અર્થો થાય છે. તે આ રીતે – (૧) લોકો જેમ કરતા હોય તેમ ધર્મક્રિયાઓ કરવામાં આવે, પરંતુ શાસ્ત્રાનુસારી ન કરવામાં આવે તો તે લોકપંક્તિ છે. (૨) લોકોની આગળ સારું દેખાડવા માટે કીર્તિ-સ્પૃહાદિથી કરાય તે લોકચિત્તના આવર્જન માટે કરાતી ક્રિયા લોકપંક્તિ છે. (૩) યોગ્ય જીવોને ધર્મ પમાડવા માટે યોગીઓ જે દાન-સન્માન-ઉચિત સંભાષણાદિ પ્રવૃત્તિઓ કરે છે, તે પણ લોકપંક્તિ છે. લોકપંક્તિના આ ત્રણ અર્થ પૈકી નં. 9ની લોકપંક્તિ પરને ધર્મ પમાડવાના આશયથી છે, માટે કુશળ છે. આનાથી એ ફલિત થાય કે શાસ્ત્રવચનના બંધથી નિયંત્રિત અને આત્માના યોગમાર્ગને ખીલવવા માટે કરાતી પ્રવૃત્તિઓ સિવાયની સર્વ પ્રવૃત્તિઓ લોકપંક્તિ Page #14 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/સંકલના છે. જેમ સંસારી જીવો સંસારની સર્વ પ્રવૃત્તિઓ કરે છે તે લોકસદશ ભાવસંપાદનરૂપ હોવાથી લોકપંક્તિ છે, અને શાસ્ત્રવચનથી નિરપેક્ષ ધર્મપ્રવૃત્તિ પણ લોકસદશ ભાવસંપાદનરૂપ હોવાથી લોકપંક્તિ છે, અથવા લોકોના ચિત્તને આવર્જન કરીને ‘હું ધર્મી છું’ તેવું બતાવવા અર્થે ધર્મઅનુષ્ઠાન કરાતાં હોય તોપણ તે લોકપંક્તિ છે. વળી, જેમ લોકપંક્તિથી ધર્મપ્રવૃત્તિ થાય છે, તેમ અનાભોગથી પણ ધર્મપ્રવૃત્તિ થાય છે, પરંતુ આ લોકપંક્તિથી કે અનાભોગથી થતી ધર્મપ્રવૃત્તિ યોગરૂપ નથી, અને આવી પ્રવૃત્તિ ચરમાવર્તની બહારના જીવો સર્વદા કરે છે; અને ક્વચિત્ ચ૨માવર્તવર્તી જીવો પણ કરે છે, તોપણ તે યોગરૂપ નથી. પ્રણિધાનાદિ આશયથી કરાયેલી ધર્મક્રિયા યોગરૂપ છે, અન્ય નહીં. આ પ્રણિધાનાદિ પાંચ આશયોનું વર્ણન વિસ્તારથી અન્ય ગ્રંથોમાં લખાયું છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોવું. સંક્ષેપથી પ્રણિધાનાદિ આશયનું સ્વરૂપ આ પ્રમાણે છે ૫ (૧) પ્રણિધાનઆશય :- મોક્ષને લક્ષ્ય કરીને તેની નિષ્પત્તિના ઉપાયના સમ્યક્ સેવનના સંકલ્પથી કરાતી ક્રિયા પ્રણિધાન આશયવાળી છે. પ્રણિધાન આશયવાળી તે ક્રિયા શાસ્ત્રથી સંપૂર્ણ નિયંત્રિત નથી, પરંતુ શાસ્ત્રથી નિયંત્રિત કરવાની બળવાન ઇચ્છા તે ક્રિયામાં વર્તે છે. (૨) પ્રવૃત્તિઆશય :- લક્ષ્યને અનુરૂપ, શાસ્ત્રવચનથી નિયંત્રિત, શક્તિના પ્રકર્ષથી થયેલ ક્રિયા પ્રવૃત્તિઆશયરૂપ છે. (૩) વિનજયઆશય :- પ્રવૃત્તિઆશયમાં વર્તતા સાધકને કોઈ વિઘ્ન ઉપસ્થિત થાય તો પ્રવૃત્તિઆશયથી થતી ક્રિયા સ્કૂલના પામે છે. તેવા સમયે પ્રાપ્ત થયેલાં વિઘ્નોનો ઉચિત ઉપાયો દ્વારા જય કરવામાં આવે જેથી ફરી પ્રવૃત્તિ પ્રારંભ થાય, તે વિઘ્નજયઆશય છે. (૪) સિદ્ધિઆશય :- જે અનુષ્ઠાનવિષયક પ્રવૃત્તિઆશય પ્રગટેલ હોય, તે અનુષ્ઠાન સ્વભાવસિદ્ધ બને, ત્યારે સિદ્ધિઆશય પ્રગટે છે, જે પ્રસ્તુતમાં અસંગઅનુષ્ઠાનની ભૂમિકારૂપ છે. (૫) વિનિયોગઆશય ઃ- પોતાનામાં પ્રગટ થયેલા ધર્મોને બીજામાં વિનિયોજન કરવાનો અધ્યવસાય તે વિનિયોગઆશય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/સંકલના આ પાંચ આશયોમાંથી કોઈપણ આશયથી કરાયેલી ક્રિયા ધર્મરૂપ બને છે, તે સિવાયની ક્રિયા ધર્મરૂપ નથી. ચરમાવર્તની બહારના જીવોમાં પ્રણિધાનાદિઆશય નહીં હોવાથી ક્યારેય પણ તેમની ધર્મક્રિયા મોક્ષ માટે બનતી નથી; કેમ કે ચરમાવર્તની બહારના જીવો ઉપર કર્મની પ્રકૃતિનો અધિકાર સર્વથા જ ગયો નથી. તેથી યોગમાર્ગની જિજ્ઞાસા પણ તેઓને થતી નથી. આ રીતે બતાવીને જે ફલિત થાય છે તે શ્લોક-૨૨માં બતાવતાં કહે છે કે “આત્મામાં વર્તતો ભાવ તે યોગ છે, અને ક્રિયા પણ તે ભાવના સાંનિધ્યથી યોગ બને છે, અને તે ભાવ પ્રણિધાનાદિઆશય છે. આ આશયથી નિયંત્રિત ક્રિયાઓ પણ મોક્ષનું કારણ બને છે. આનાથી એ પ્રાપ્ત થાય કે મોક્ષને અનુકૂળ એવી ક્રિયા, ભાવની સાથે નિયત વ્યાપ્તિવાળી છે અર્થાત્ જે જે ક્રિયાઓ મોક્ષને અનુકૂળ હોય તેવી સર્વ ક્રિયાઓ ભાવથી અનુવિદ્ધ જ હોય, અને તે ક્રિયાઓનો કષાયના ઉદયથી ભંગ થાય તોપણ તે ભાવના સંસ્કારો આત્માની સાથે રહે છે. જેમ સંયમજીવનમાં સમતાની વૃદ્ધિને અનુકૂળ ક્રિયાઓ સાધુઓ કરે છે, અને અહીં જ તેમની સાધના અપૂર્ણ રહે તો દેવભવમાં જાય છે, અને ત્યાં અવિરતિઆપાદક કષાયના ઉદયને કારણે સંયમની ક્રિયા રહેતી નથી, તોપણ મનુષ્યભવમાં સાધુપણાના પાડેલા સંયમના સંસ્કારોની અનુવૃત્તિ દેવભવમાં પણ રહે છે. તેથી દેવભવમાં પણ સંયમ પ્રત્યેનો રાગ હોવાથી તે સંયમના સંસ્કારો પુષ્ટ બને છે. તેથી દેવભવ પછીના ભાવમાં પૂર્વના સંયમ કરતાં અધિક વિશુદ્ધ સંયમની પ્રાપ્તિ શીધ્ર થાય છે. આથી ભાવથી અનુવિદ્ધ ક્રિયાને સુવર્ણઘટતુલ્ય કહેવામાં આવી છે. ગ્રંથકારશ્રી દષ્ટાંતથી ભાવ અને ક્રિયાનો ભેદ બતાવે છે -- જેમ શિરાવાળા=પાણીની સરવાણી નીકળતી હોય તેવા, કૂવાને ખોદવામાં આવે ત્યાં ખોદવાની પ્રવૃત્તિતુલ્ય ક્રિયા છે અને શિરાજળતુલ્ય ભાવ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્મામાં મોક્ષને અનુકૂળ પ્રાથમિક ભાવ પ્રગટ્યો છે તે ક્રિયા કરાવે છે, અને ક્રિયાથી તે ભાવ વૃદ્ધિ પામે છે, અને વૃદ્ધિ પામતો એવો તે ભાવ પ્રકર્ષને પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/સંકલના તેથી એ ફલિત થાય કે સંસારના ભાવોથી વિમુખ એવો ભાવ પ્રથમ પ્રગટે છે, અને સદનુષ્ઠાનરૂપ ઉચિત ક્રિયાઓ દ્વારા તે ભાવ સંસારથી વિમુખવિમુખતર થતો જાય છે અને આત્માના શુદ્ધ ભાવને અભિમુખ-અભિમુખતર થતો જાય છે, અને અંતે પૂર્ણ આત્મભાવમાં વિશ્રાંત થાય છે, તેમાં ક્રિયા નિમિત્તકારણરૂપ છે. વળી, ભાવપૂર્વકની ક્રિયા મોક્ષનું કારણ છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે ભાવપૂર્વકની ક્રિયા ભાવનિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ છે; કેમ કે ક્રિયા સાક્ષાત્ કારણ નથી પરંતુ ભાવનિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ છે. અને તેમ સ્વીકારવાથી ક્રિયાકાળમાં વર્તતો ભાવ મોક્ષફળમાં અન્યથાસિદ્ધ થાય છે. તે દોષનું નિવારણ કરવા ક્રિયામાં વર્તતા ભાવને ક્રિયાકાળમાં વર્તતા ભાવને, ગ્રંથકારશ્રીએ શક્તિવિશેષરૂપે ઉલ્લેખ કર્યો છે. તેનાથી એ અર્થ પ્રાપ્ત થાય કે મોક્ષને અનુકૂળ એવી ક્રિયા સમ્યજ્ઞાનથી નિયંત્રિત હોય તો તે ક્રિયા ભાવની વૃદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે; અને સમ્યજ્ઞાનથી નિયંત્રિત ક્રિયા શક્તિવિશેષવાળી છે, અને ક્રિયામાં રહેલી તે શક્તિ પ્રણિધાનાદિઆશય રૂપ છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે ક્રિયાકાળમાં વર્તતા પ્રણિધાનાદિ આશયવાળી ક્રિયા અધ્યાત્માદિ ભાવ દ્વારા મોક્ષનું કારણ છે. આ કથન વ્યવહારનયથી છે. વળી, જ્ઞાનનય ક્રિયાને અભિવ્યંજક માને છે. તે દૃષ્ટિથી ગ્રંથકાર કહે છે કે શક્તિવિશેષવાળી ક્રિયા-પ્રણિધાનાદિ આશયવાળી ક્રિયા, આત્મામાં રહેલા મોક્ષને અનુકૂળ એવા ભાવની અભિવ્યંજક છે, જનક નથી. તેથી જ્ઞાનનયથી એ પ્રાપ્ત થાય કે આત્મામાં મોક્ષને અનુકૂળ ભાવો પડ્યા છે છતાં સંસારી જીવમાં અભિવ્યક્ત નથી, અને સમ્યજ્ઞાનથી નિયંત્રિત એવી ક્રિયા મોક્ષને અનુકૂળ એવા અધ્યાત્માદિભાવોને અભિવ્યક્ત કરે છે, અને તે અધ્યાત્માદિભાવો જ પ્રકર્ષને પામીને વીતરાગતામાં વિશ્રાંત થાય છે; જેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને અંતે યોગનિરોધ અને ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી ગ્રંથકારશ્રીએ ભેદનયનો આશ્રય કરીને આત્માનો મોક્ષને અનુકૂળ એવો ભાવનો વ્યાપાર તે યોગ છે' એમ બતાવ્યું, અને શુદ્ધનયથી “ધર્મઅનુષ્ઠાનરૂપ ક્રિયાઓ અને મોક્ષને અનુકૂળ એવા ભાવોથી ભિન્ન એવો, શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો Page #17 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણ દ્વાચિંશિકા/સંકલના આત્મા” પોતાનું લક્ષ્ય છે, એમ બતાવ્યું; અને તે લક્ષ્યને પ્રગટ કરવા અર્થે ક્રિયાથી નિષ્પન્ન થતો અધ્યાત્માદિભાવરૂપ યોગ કારણ છે, અને ક્રિયા દ્વારા વૃદ્ધિને પામતો એવા તે અધ્યાત્માદિભાવ શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળા આત્માને અભિવ્યક્ત કરે છે, તે વાત શ્લોક-૨૯ થી ૩૧માં બતાવેલ છે. વળી, સંસારઅવસ્થામાં વર્તતા જીવોને જીવસ્થાનકો, ગુણસ્થાનકો અને ચૌદ માર્ગણાઓ કર્મની ઉપાધિથી થાય છે, અને આત્મા ભેદનયથી શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો છે અને તે ક્યારેય પણ શુદ્ધજ્ઞાયકસ્વભાવનો ત્યાગ કરતો નથી, તે વાત યુક્તિથી શ્લોક-૩૨માં બતાવેલ છે. છબસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં પણ કંઈ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭, Page #18 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા અનુક્રમણિકા અનુક્રમણિકા - જે એ * F S S ૧૭-૧૮ S $ ( શ્લોક નં. વિષય પાના નં. યોગનું લક્ષણ : | (i) યોગના લક્ષણમાં હેતુના મુખ્યપણાનું સ્વરૂપ. (ii) ચરમાવર્તમાં યોગનો સંભવ. ચરમાવર્તની બહાર યોગના અસંભવનું કારણ. ચરમાવર્તની બહારના ભવાભિનંદી જીવોનું સ્વરૂપ. | ૯-૧૧ ચરમાવર્તની બહારના ભવાભિનંદી જીવનાં લક્ષણો. ૧૧-૧૫ ભવાભિનંદી જીવના લોકપંક્તિથી કરાયેલા ધર્મનું સ્વરૂપ. ૧૫-૧૬ લોકપંક્તિથી કરાયેલા ધર્મનું વિપરીત ફળ. ધર્મ માટે લોકપંક્તિ ઇષ્ટ હોવા છતાં લોકપંક્તિ માટે ધર્મ અનિષ્ટ. ૧૮-૨૧ (i) લોકપંક્તિથી કરાતી ક્રિયા કરતાં અનાભોગવાળી ક્રિયા કંઈક સુંદર. ૨૧-૨૪ (ii) પ્રણિધાનાદિનો અભાવ હોવાથી તત્ત્વથી લોકપંક્તિથી અને અનાભોગથી કરાયેલી ક્રિયા અસુંદર. ૨૧-૨૪ ૧૦. | પ્રણિધાન આદિ પાંચ આશયો. ૨૪-૨૬ પ્રણિધાન આશયનું લક્ષણ. -૩૧ ૧૨. પ્રવૃત્તિઆશયનું લક્ષણ. વિનજયઆશયનું સ્વરૂપ. ૩૩-૩૮ સિદ્ધિઆશયનું સ્વરૂપ. ૧૫. વિનિયોગઆશયનું સ્વરૂપ. ૪૦-૪૩ ૧૬. પ્રણિધાનઆદિ આશય વગરની ધર્મક્રિયા સંસારની અન્ય ક્રિયા સદશ, માલિન્યથી અનર્થભૂત. ચરમાવર્તકાળમાં યોગનો સંભવ. ૪૫-૪૯ ૧૮. | નવનીત આદિ જેવો ચરમાવર્તકાળ. ૪૯-૫૧ ૧૧ . ૩૧-33 ૧૪. ૩૮-૪) ૪૩-૪પ. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ૨૨. યોગલક્ષણદ્વાચિંશિકા/અનુક્રમણિકા બ્લોક નં. વિષય પાના નં.] ૧૯. | ચરમાવર્તમાં પ્રકૃતિનો અધિકાર દૂર થાય ત્યારે તત્ત્વની | જિજ્ઞાસા, તેની પૂર્વે તત્ત્વની જિજ્ઞાસાનો અસંભવ. ૫૧-૫૩ કર્મનો અધિકાર હોવાના કારણે ચરમાવર્તની બહાર તત્ત્વની જિજ્ઞાસાના અસંભવની યુક્તિ. પ 3-પપ તત્ત્વની જિજ્ઞાસા પ્રગટ થાય ત્યારે આત્મા ઉપરથી | કર્મના અભિભવની કંઈક ન્યૂનતા. પપ-પ૮ | મોક્ષ પ્રત્યે ભાવ મુખ્ય હેતુ અને ભાવના યોગથી | ક્રિયા પણ મોક્ષનો હતુ. ૫૮-૬૦ ૨૩. | ફળનિષ્પત્તિ પ્રત્યે ભાવ અને ક્રિયાનું સ્થાન. ૧૦-૧૨ ૨૪. | બોદ્ધો વડે ભાવથી યુક્ત ક્રિયાનો સુવર્ણઘટ સદશ સ્વીકાર. ૬૨-૬૬ ૨૫-૨૬. ભાવ વિનાની ક્રિયા અને ભાવપૂર્વકની ક્રિયા વચ્ચેનો ભેદ. | કક-૭૨ ૨૭. | ક્રિયા, ભાવ દ્વારા મોક્ષનું કારણ. ૭૨-૭૯ ૨૮. | જ્ઞાનના પરિણામરૂપ અને વર્ષોલ્લાસરૂપ હોવાથી મોક્ષને અનુકૂળ એવો વ્યાપાર, તે યોગ. ૭૯-૮૩ (i) જીવસ્થાન, ગુણસ્થાન અને માર્ગણાસ્થાનોમાં સંસારી જીવની અવસ્થાભેદની પ્રાપ્તિ. (ii) ભેદનયે જીવમાં અવસ્થાભેદનો અભાવ. (iii) કર્મથી આત્માની અવસ્થાંતરની પ્રાપ્તિ. વિભાવોના અનિત્ય સ્વભાવ છતાં શુદ્ધનયની દૃષ્ટિથી આત્માના નિત્ય સ્વભાવ. ૮૬-૮૯ | શુદ્ધભદન, આદિથી આત્માને જીવસ્થાનકાદિ પરિણામોથી પૃથક્ સ્વીકારની શાસ્ત્રયુક્તિ. ૮૯-૯૩ ૩૨. | સ્વદર્શન-પરદર્શનના યોગલક્ષણની પરીક્ષાથી | તત્ત્વની પ્રાપ્તિ. ૯૩-૯૪ { ૮૨-૮૩ ૮૩-૮૫ ૩૧. Page #20 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अर्ह नमः । ॐ ह्रीँ श्रीशङ्खेश्वरपार्श्वनाथाय नमः । ॐ ऐं नमः । न्यायाचार्य - न्यायविशारद - श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत યોગલક્ષળદ્વાત્રિંશિ પૂર્વની કથાદ્વાત્રિંશિકા સાથે સંબંધ : कथानिरूपणानन्तरं तत्फलभूतस्य योगस्य लक्षणं निरूप्यते અર્થ : કથાના નિરૂપણ પછી તેના ફળભૂત-કથાના ફળભૂત, યોગના લક્ષણનું નિરૂપણ કરે છે ભાવાર્થ : યોગ્ય જીવોને માર્ગ બતાવવા માટે ઉપદેશક કથા કરે છે અને તે કથાના ફળરૂપે યોગ્ય જીવોને યોગની પ્રાપ્તિ થાય છે. તેથી કથાનું નિરૂપણ કર્યા પછી કથાના ફળભૂત એવા યોગના લક્ષણનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે. અવતરણિકા : ગ્રંથકારશ્રી યોગનું લક્ષણ બતાવે છે - Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્લોક : યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧ मोक्षेण योजनादेव योगो ह्यत्र निरुच्यते । लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारतास्य तु ।।१।। અન્વયાર્થ : દિ=જે કારણથી ત્ર=અહીં=લોકમાં અથવા પ્રવચનમાં મોક્ષે યોનનાવેવ= મોક્ષની સાથે યોજન કરનાર હોવાથી જ યોઃ-યોગ નિરુત્ત્વતે કહેવાય છે, તેન=તે કારણથી=મોક્ષની સાથે યોજન કરનાર હોવાથી જ યોગ કહેવાય છે તે કારણથી, તુ=વળી ત ્—તેના=મોક્ષના મુખ્યòતુવ્યાપારતા=મુખ્ય હેતુની વ્યાપારતા T=આવું=યોગનું લક્ષİ=લક્ષણ છે. ૧ શ્લોકાર્થ : જે કારણથી અહીં ‘મોક્ષની સાથે યોજન કરનાર હોવાથી જ યોગ કહેવાય છે,’ તે કારણથી, વળી તેના=મોક્ષના, મુખ્ય હેતુની વ્યાપારતા આનું=યોગનું, લક્ષણ છે. ||૧|| ટીકા ઃ मोक्षेणेति-योगो हि-योगशब्दो हि, अत्र = लोके प्रवचने वा, मोक्षेण योजनादेव निरुच्यते = व्युत्पाद्यते, तेन अस्य = योगस्य तु तन्मुख्यहेतुव्यापारता लक्षणं, निरुक्तार्थस्याप्यनतिप्रसक्तस्य लक्षणत्वानपायात् ।।१।। ટીકાર્ય : योगो हि નક્ષળત્વાનપાયાત્ ।। જે કારણથી અહીં=લોકમાં અથવા પ્રવચનમાં, મોક્ષની સાથે યોજનાર હોવાથી જ યોગ=યોગ શબ્દ, વ્યુત્પાદન કરાય છે, તે કારણથી વળી આનું=યોગનું, લક્ષણ, તમુખ્યહેતુવ્યાપારતા છે=મોક્ષના મુખ્ય હેતુની વ્યાપારતા છે. અહીં પ્રશ્ન થાય કે ‘યોનનાવ્ યોઃ’ એ વ્યુત્પત્તિ છે, અને દરેક સ્થાને શબ્દની વ્યુત્પત્તિથી પ્રાપ્ત થતો અર્થ લક્ષણ બનતું નથી, તો અહીં યોગ શબ્દની વ્યુત્પત્તિથી પ્રાપ્ત થતા અર્થને લક્ષણ કેમ કહ્યું ? તેથી કહે છે Page #22 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧ અતિપ્રસક્ત એવા=અતિવ્યાપ્તિ દોષથી રહિત એવા, નિરુક્તાર્થના પણ=વ્યુત્પત્તિઅર્થના પણ, લક્ષણપણાનો અપાય છે=લક્ષણ સંગત છે. [૧] નવતર્થસ્થT' અહીં ‘પ' થી એ કહેવું છે કે અનતિપ્રસક્ત એવો અનિરુક્તાર્થ તો લક્ષણ થઈ શકે પણ અનતિપ્રસન્ન એવો નિરુક્તાર્થ પણ લક્ષણ થઈ શકે. ભાવાર્થ :યોગનું લક્ષણ : યોગીઓ મોક્ષ માટે સાધના કરે છે, તે સાધનાને લોકમાં યોગ કહેવાય છે અને પ્રવચનમાં પણ યોગ કહેવાય છે. તેથી એ ફલિત થાય કે જે સાધના મોક્ષની સાથે આત્માને યોજન કરે તે યોગ કહેવાય. તેથી આ વ્યુત્પત્તિને આશ્રયીને યોગનું લક્ષણ એ પ્રાપ્ત થાય કે મોક્ષનો જે મુખ્ય હેતુ હોય, તે મુખ્ય હેતુ કાર્યને અનુકૂળ વ્યાપાર કરતો હોય, તે વ્યાપાર મોક્ષની સાથે યોજનાર છે, અને તેમાં રહેલી વ્યાપારતા યોગનું લક્ષણ છે. અહીં મોક્ષનો મુખ્ય હેતુ જીવમાં વર્તતો ચરમાવર્તભાવી ભવ્યત્વરૂપ ભાવ છે, તે ભાવ જ ઉચિત ક્રિયાના નિમિત્તથી મોક્ષને અનુકૂળ ઉત્તરોત્તર પરિણામવાળો થાય છે, તે ભવ્યત્વનો પરિપાક છે; તે પરિપાક પામતું ભવ્યત્વ જ યોગ છે, અને તે પરિપાકને કરનારી ઉચિત ક્રિયાઓ પણ વ્યવહારનયથી યોગ છે. જેમ યોગ્ય જીવ શાસ્ત્રવચનાનુસાર ચતુઃ શરણગમન, દુષ્કતગર્તા અને સુકૃતઅનુમોદનાની ક્રિયા ઉપયોગપૂર્વક કરતો હોય તો તેનામાં વર્તતો ભવ્યત્વરૂપ ભાવ=સિદ્ધિગમજ્યોગ્યત્વરૂપ ભાવ, દુષ્કતથી વિમુખભાવવાળો અને સુકૃતના સન્મુખભાવવાળો થાય છે; અને દુષ્કૃતના વિમુખભાવને અને સુકૃતના સન્મુખભાવને પમાડવા માટે જે ઉપયોગપૂર્વક ક્રિયા કરાય છે, તે ક્રિયા મોક્ષના મુખ્ય હેતુ એવા ભવ્યત્વરૂપ ભાવને પરિણામ પમાડવાનું કારણ છે, તેથી ક્રિયામાં મોક્ષના મુખ્ય હેતુની વ્યાપારતા છે. તેથી ક્રિયામાં પણ વ્યવહારનયથી યોગનું લક્ષણ ઘટે છે. અહીં પ્રશ્ન થાય કે વ્યુત્પત્તિ અર્થથી જે અર્થ પ્રાપ્ત થતો હોય તે લક્ષણ બને નહીં. જેમ ‘છતીતિ નો' એ વ્યુત્પત્તિથી ગમન કરનાર જીવમાં વર્તતી ગમનક્રિયા Page #23 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણહાવિંશિકા/બ્લોક-૧-૨ તે ગાયનું લક્ષણ બનતું નથી, તો મોક્ષની સાથે યોજન કરે તેવી ક્રિયા મોક્ષનું લક્ષણ છે તેમ કેમ કહ્યું ? તેથી કહે છે – અતિવ્યાપ્તિદાપવાળો ન હોય તેવો વ્યુત્પત્તિઅર્થ પણ લક્ષણ બની શકે છે. જેમ પ્રસ્તુતમાં યોગ' શબ્દની વ્યુત્પત્તિ છે કે મોક્ષની સાથે આત્માનું યોજન કરે તે યોગ છે, અને તે વ્યુત્પત્તિઅર્થ યોગનું લક્ષણ કરવામાં કોઈ અતિવ્યાપ્તિદોષ નથી. તેથી તેના સ્થાને જે વ્યુત્પત્તિઅર્થ છે તે લક્ષણ બને છે. III અવતરણિકા : પૂર્વશ્લોક-૧માં કહ્યું કે મોક્ષના મુખ્ય હેતુની વ્યાપારતા=શરમાવર્તવર્તી જીવની ભવ્યત્વરૂપી ભાવની વ્યાપારતા, યોગનું લક્ષણ છે. ત્યાં પ્રશ્ન થાય કે મુખ્ય હેતુમાં મુખ્યત્વ શું છે? કે જેથી તે હેતુને મુખ્ય હેતુ કહેવાય છે? એથી કહે છે – શ્લોક : मुख्यत्वं चान्तरङ्गत्वात् फलाक्षेपाच्च दर्शितम् । चरमे पुद्गलावर्ते यत एतस्य सम्भवः ।।२।। અન્વયાર્થ : ઘ=અને, સત્તરશાત્વા=અંતરંગપણું હોવાથી નાક્ષેપબ્ધ અને ફળનો અક્ષેપ હોવાથી મુક્યત્વે મુખ્યપણું શિકહેવાયું છે, યતિ: જે કારણથી પર પુનીવર્તે-ચરમપુદ્ગલપરાવર્તમાં તસ્ય આનો યોગનો સન્મવા=સંભવ છે. [૨] શ્લોકાર્થ : અને અંતરંગપણું હોવાથી અને ફળનો આક્ષેપ હોવાથી મુખ્યપણું કહેવાયું છે, જે કારણથી ચરમપુગલપરાવર્તમાં આનો યોગનો, સંભવ છે. ||રા Page #24 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાäિશિકા/શ્લોક-૨ ટીકા : मुख्यत्वं चेति-मुख्यत्वं च अन्तरङ्गत्वात् मोक्षं प्रत्युपादानत्वात्, फलाक्षेपात्= फलजननं प्रत्यविलम्बत्वाच्च, दर्शितं प्रवचने, यतः यस्माद्, चरमे पुद्गलावर्ते एतस्य योगस्य सम्भवः, इत्थं ह्यभव्यदूरभव्यक्रियाव्यवच्छेदः कृतो भवति, एकस्य मोक्षानुपादानत्वादन्यस्य च फलविलम्बादिति ध्येयम् ।।२।। ટીકાર્ય : મુક્યત્વે..... ધ્યેયમ્ II અને મોક્ષ પ્રત્યે અંતરંગપણું હોવાથી ઉપાદાનપણું હોવાથી, અને ફળનો આક્ષેપ હોવાથી ફળજનન પ્રત્યે અવિલંબ હોવાથી, મુખ્યપણું પ્રવચનમાં બતાવાયું છે, જે કારણથી ચરમપુદ્ગલપરાવર્તમાં આતો યોગનો, સંભવ છે. આ રીતે ચરમપુદ્ગલપરાવર્તમાં વર્તતું એવું ઉપાદાનકારણનું મુખ્યપણું કહ્યું એ રીતે, અભવ્ય અને દુર્ભવ્યની ક્રિયાનો વ્યવચ્છેદ કરાયેલો છે; કેમ કે એકનું અભવ્યનું, મોક્ષ પ્રત્યે અનુપાદાનપણું છે અને અન્યનું દુર્ભવ્યનું, ફળ પ્રત્યે વિલંબમણું છે, એ પ્રમાણે જાણવું. રાા ભાવાર્થ - યોગના લક્ષણમાં હેતુના મુખ્યપણાનું સ્વરૂપ : ચરમાવર્તભાવી જીવમાં વર્તતું સિદ્ધિગમનયોગ્યત્વ તે મોક્ષનો મુખ્ય હેતુ છે. તેનું મોક્ષનું મુખ્ય હેતુપણું કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – મોક્ષરૂપી ફળ પ્રત્યે જીવમાં વર્તતું સિદ્ધિગમનયોગ્યત્વ તે ઉપાદાનકારણ છે; કેમ કે તે યોગ્યત્વ ફળસન્મુખ પરિણમન પામી અંતે મોક્ષરૂપ ફળરૂપે પરિણમન પામે છે. જેમ માટીમાં ઘટની યોગ્યતા હોય અને સમ્યક પ્રકારનો કુંભારનો પ્રયત્ન થાય તો તે માટીમાં વર્તતી યોગ્યતા ઘટરૂપે પરિણમન પામે છે, તેમ જીવમાં વર્તતું ભવ્યત્વ સમ્યક પ્રકારના પ્રયત્નથી મોક્ષરૂ૫ ફળરૂપે પરિણમન પામે છે. તેથી જીવમાં વર્તતું ભવ્યત્વ તે મોક્ષ પ્રત્યે ઉપાદાનકારણ છે, માટે તે અન્ય કારણ કરતાં મુખ્ય કારણ છે. વળી ચરમાવર્તવર્તી યોગ્યત્વ ફળજનન પ્રત્યે વિલંબ વિના કારણ બને છે, જ્યારે ગરમાવર્તની પૂર્વનું ભવ્યત્વ વિલંબથી કારણ બને છે. તેથી ચરમાવર્તની Page #25 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાથિંચિકા/શ્લોક-૨ પૂર્વના ભવ્યત્વને મુખ્ય હેતુરૂપે ગ્રહણ કરેલ નથી, પરંતુ શરમાવર્તભાવી ભવ્યત્વને મોક્ષના મુખ્ય હેતુરૂપે ગ્રહણ કરેલ છે. અહીં પ્રશ્ન થાય કે ચરમાવર્તની બહારના ભવ્યત્વને મુખ્ય હેતુ કેમ ના કહ્યો ? તેથી કહે છે – ચરમાવર્તમાં યોગનો સંભવ :જે કારણથી ચરમપુદ્ગલપરાવર્તમાં યોગનો સંભવ છે. આશય એ છે કે ચરમાવર્તકાળમાં ચરમાવર્તભાવી જીવ યોગ્ય સામગ્રીને પામીને ઉચિત ક્રિયાઓમાં યત્ન કરે તો તેનું ભવ્યત્વ મોક્ષરૂપ ફળનું કારણ બને છે, જેમ ઘીનો અર્થી દૂધ આદિમાં ઉચિત પ્રયત્ન કરે તો ઘીની પ્રાપ્તિ થાય; અને ચરમાવર્તની બહારનું ભવ્યત્વ યોગ માટે અનુપયોગી છે, જેમ ઘીનો અર્થી ઘાસમાં પ્રયત્ન કરીને ઘી પ્રગટ કરી શકે નહીં. તેથી જેમ ઘાસ એ ઘીનું કારણ હોવા છતાં પ્રયત્નથી પણ ઘાસમાંથી ઘી પ્રાપ્ત કરી શકાતું નથી, તેમ ચરમાવર્તની બહારવર્તી જીવમાં રહેલું ભવ્યત્વ મોક્ષને અનુકૂળ વ્યાપારવાળું કરી શકાતું નથી, તેથી ચરમાવર્તની બહારમાં મોક્ષ પ્રગટ કરવાનો વ્યાપાર થઈ શકતો નથી. માટે ચરમાવર્તની બહારના ભવ્યત્વને મોક્ષના મુખ્ય હેતુરૂપે ગ્રહણ કરેલ નથી. અભવ્ય અને દુર્ભવ્યની ક્રિયા કેમ યોગ નથી ? : ઉપર્યુક્ત કથનથી અભવ્ય અને દુર્ભની ક્રિયા યોગ નથી, એમ કહેવાયું; કેમ કે અભવ્યની ક્રિયા મોક્ષ પ્રત્યે ઉપાદાનકારણ નથી અને દુર્ભવ્યની ક્રિયા મોક્ષ પ્રત્યે અવિલંબથી કારણ નથી; કેમ કે દુર્ભવ્યને વિલંબથી ફળની પ્રાપ્તિ છે. દુર્ભવ્ય જીવ ચરમાવર્તમાં આવે ત્યારે ભવ્ય કહેવાય છે, અને ત્યાર પછી તેની ક્રિયાથી ક્રમસર સંસારનો ઉચ્છેદ થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય. જેમ ઘાસમાંથી દૂધ બને ત્યાર પછી પ્રયત્નથી ઘી માટે યત્ન થઈ શકે, તેમ દુર્ભવ્ય ચરમાવર્ત અવસ્થાને પામે ત્યારે મોક્ષને અનુકૂળ એવા ભવ્યત્વને પામે, ત્યાર પછી યોગની પ્રવૃત્તિ કરીને યોગના ફળને પામી શકે. આ જીવ ભવ્ય છે ? કે અભવ્ય ? તેનો નિર્ણય આ રીતે થાય -- Page #26 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨-૩ જેમ કોઈ જીવને મોક્ષનું વર્ણન કરવામાં આવે કે મોક્ષ, સંસારના સર્વ ભોગોથી રહિત કેવળ જીવના શુદ્ધ સ્વરૂપરૂપ છે, અને સર્વ ભોગોથી રહિત છે તેથી સર્વ ભોગોના સંક્લેશથી પર છે, અને સંક્લેશથી પર છે માટે કર્મબંધથી પર છે, અને કર્મબંધથી પર છે માટે જન્મ-જરા આદિ વિડંબનાથી પર છે, અને સર્વ વિડંબનાથી પર હોવાને કારણે પૂર્ણ સુખમય છે. આ વર્ણન સાંભળીને જેને તે અવસ્થા પ્રત્યે કંઈક અભિલાષ પ્રગટે, અને તેથી વિચાર આવે કે “આવી મોક્ષની અવસ્થાને યોગ્ય હું છું કે નહીં ?” તે પ્રકારના વિકલ્પથી ભવ્યત્વની શંકા થાય, તો તે જીવ નિયમાં ચરમાવર્તભાવી ભવ્ય જીવ છે. જે જીવોને સંસારના ભોગો અત્યંત સાર લાગે છે અને સર્વ ભોગોથી પર એવો મોક્ષ નિઃસાર લાગે છે, એવા જીવોને મોક્ષગમનની ઇચ્છા પ્રગટી શકતી નથી. તેવા જીવો દુર્ભવ્ય હોય કે અભવ્ય હોય. દુર્ભવ્ય જીવમાં વર્તતી સિદ્ધિગમનની યોગ્યતા પ્રયત્નથી પરિપાક કરી શકાય તેવી વર્તમાનમાં નથી, જેમ ઘાસમાં વર્તતું ઘી યોગ્ય પ્રયત્નથી પણ વર્તમાનમાં પ્રગટ કરી શકાતું નથી, પરંતુ તે ઘાસ જ્યારે દૂધરૂપે પરિણમન પામે ત્યારે તેમાં વર્તતું ઘી યોગ્ય પ્રયત્નથી ઘીરૂપે પ્રગટ થઈ શકે છે. તેમ મોક્ષે જવાની વાત જેને રુચે છે, તેવો ભવ્યજીવ ઉપદેશ સાંભળીને તેને પ્રગટ કરવાની અભિલાષાવાળો થાય અને ઉચિત ક્રિયાઓમાં યત્ન કરે તો તેની તે ક્રિયાઓથી તેનું સિદ્ધિગમનયોગ્યત્વ ફળસન્મુખ બને છે. તેથી સિદ્ધિગમનયોગ્યત્વને ફળસન્મુખ કરવાને અનુકૂળ એવી ક્રિયા એ યોગ છે. રા. અવતરણિકા : પૂર્વશ્લોક-રમાં કહ્યું કે ચરમાવર્તમાં યોગનો સંભવ છે. ત્યાં પ્રશ્ન થાય કે ચરમાવર્તની પૂર્વે પણ તે જ જીવ છે કે જે એક દિવસ ચરમાવર્તને પામીને યોગસાધના કરીને મોક્ષમાં જનારો છે, તો ચરમાવર્તની પૂર્વના તે જ જીવમાં વર્તતું સિદ્ધિગમતયોગ્યત્વ મુખ્ય હેતુ કેમ નથી ? તેથી કહે છે – શ્લોક : न सन्मार्गाभिमुख्यं स्यादावर्तेषु परेषु तु । मिथ्यात्वच्छन्नबुद्धीनां दिङ्मूढानामिवाङ्गिनाम् ।।३।। Page #27 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણ દ્વાચિંશિકા/શ્લોક-૩ અન્વયાર્થ : તુ વળી મૂિઢાનામવાળાના—દિશામોહ પામેલા પ્રાણીઓની જેમ પરેમાવર્તેપુ=પર આવર્તામાં-ચરમાવર્તથી અન્ય આવર્તામાં, મિથ્યાત્વછત્રયુદ્ધનાં મિથ્યાત્વથી આચ્છાદિત બુદ્ધિવાળાઓનું સન્મffમમુä સન્માર્ગનું અભિમુખપણું ન ચા-થતું નથી. Il૩ના શ્લોકાર્થ : વળી, દિશામોહ પામેલા પ્રાણીઓની જેમ પર આવતમાં મિથ્યાત્વથી આચ્છાદિત બુદ્ધિવાળાઓનું સન્માર્ગનું અભિમુખપણું થતું નથી. II3II ટીકા :નેતિ-g: Tરૂા. શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. lal ભાવાર્થ - ચરમાવર્તની બહાર યોગના અસંભવનું કારણ : જેમ કોઈ જીવ કોઈ ઇષ્ટ નગર તરફ જવા માટે સન્મુખ થયો હોય અને તે દિશામાં મોહ પામે તો જવા માટે ઉત્સાહિત થતો નથી, તેવી રીતે શરમાવર્તની બહારના આવતમાં જીવ મોક્ષે જવાની યોગ્યતાને વહન કરે છે, તોપણ તે આવતમાં સંસારના ભોગો પ્રત્યે ગાઢ રાગ હોવાને કારણે મિથ્યાત્વથી આચ્છાદિત તેની બુદ્ધિ છે; તેથી સંસારના ભોગોથી પર એવી મુક્ત અવસ્થા તેને રુચતી નથી, અને તે કારણે મોક્ષ તરફ જનારા સન્માર્ગ પ્રત્યે અભિમુખપણું તેને થતું નથી. ચરમાવર્તની બહારના આવતમાં જીવની મોક્ષગમનયોગ્યતા હોવા છતાં, તે જીવને સંસારના ભોગો પ્રત્યે ગાઢ રાગ છે, મિથ્યાત્વથી આચ્છાદિત બુદ્ધિ છે, Page #28 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ સંસારના ભોગોથી પર મુક્ત અવસ્થાની અરુચિ છે, અને સન્માર્ગ પ્રત્યે અભિમુખપણાનો અભાવ છે, તેથી તેનું સિદ્ધિગમનયોગ્યત્વ મુખ્ય નથી. આ રીતે શરમાવર્તની બહારની અવસ્થામાં જીવ મોક્ષને સન્મુખ નથી, તેથી તે અવસ્થામાં કરાયેલી તેની કોઈપણ ક્રિયા મોક્ષરૂપ કાર્યની નિષ્પત્તિનું કારણ બને નહીં. પરંતુ જીવ મોક્ષ જવાને સન્મુખભાવવાળો થાય છે, ત્યારે તેને જિજ્ઞાસા થાય છે કે “હું કઈ રીતે આ ક્રિયા કરું, જેથી મને ઇષ્ટ એવો મોક્ષ મળે ?” આવા અભિમુખભાવવાળો થઈને જીવ ક્રિયા કરે ત્યારે મોક્ષમાં જઈ શકે; પરંતુ શરમાવર્તની પૂર્વના કાળમાં આવી મોક્ષની રુચિ ઊઠતી નથી, તેથી “મોક્ષના ઉપાયોને સેવીને હું મોક્ષને પ્રાપ્ત કરું' એવો અભિમુખભાવ પણ તે જીવને થતો નથી. Itall અવતરણિકા : પૂર્વની ગાથામાં કહ્યું કે પર આવર્તામાં ભવ્ય જીવ પણ સન્માર્ગને અભિમુખ થતો નથી. ત્યાં પ્રશ્ન થાય કે પર આવર્તામાં પણ જીવ ધર્મ કરે છે, તોપણ મોક્ષમાર્ગરૂપ સન્માર્ગને અભિમુખ કેમ થતો નથી ? તેથી કહે છે – શ્લોક : तदा भवाभिनन्दी स्यात्सझाविष्कम्भणं विना । __ धर्मकृत् कश्चिदेवाङ्गी लोकपङ्क्तिकृतादरः ।।४।। અન્વયાર્થ: તવ=ત્યારે અચરમાવર્તિમાં, મેવામિની ભવાભિનંદી વધેવા કોઈક જ જીવ જ્ઞાવિષ્પાં વિના=સંજ્ઞાવિષ્ઠભણ વગર તોપત્તિતાર = લોકપંક્તિમાં કરાયેલા આદરવાળો ઘર્મ-ધર્મ કરનારો ચા–થાય. ૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦. યોગલક્ષણ દ્વાચિંશિકા/શ્લોક-૪ શ્લોકાર્ય : ત્યારે અયરમાવર્તમાં, ભવાભિનંદી કોઈક જ જીવ સંજ્ઞાવિખંભણ વગર લોકપંક્તિમાં કરાયેલા આદરવાળો ધર્મને કરનારો થાય. In૪ll ટીકા : तदेति-तदा-अचरमेष्वावर्तेषु, अङ्गी-प्राणी, सञ्जाविष्कम्भणं आहारादिसञोदयवञ्चनलक्षणं विना, कश्चिदेव धर्मकृत्-लौकिकलोकोत्तरप्रव्रज्यादिधर्मकारी, लोकपङ्क्तौ लोकसदृशभावसम्पादनरूपायां कृतादरः कृतयत्नः ત્િ IT IT ટીકાર્ય - તા=વરબ્રિાવર્તેપુ ..... ચર્િ ત્યારે અચરમાવર્તરૂપ આવર્તામાં, કોઈક જ અંગી=પ્રાણી, આહારાદિ સંજ્ઞાના ઉદયતા વંચન લક્ષણ સંજ્ઞાવિષ્ઠભણ વગર ધર્મ કરનારોલૌકિક-લોકોત્તર પ્રવ્રયાદિ ધર્મને કરનારો, લોકસદશભાવ-સંપાદનરૂપ લોકપંક્તિમાં કૃત આદરવાળો કૃત પ્રયત્નવાળો, થાય. ૪ ‘નાદાર' અહીં ‘ડે’ થી અન્ય નવ સંજ્ઞાનું ગ્રહણ કરવું. સ્તકનીવત્તરપ્રવ્ર ' અહીં ‘૩ થી શ્રાવકાચાર કે અન્ય ધર્મના આચારોનું ગ્રહણ કરવું. ભાવાર્થ :ચરમાવર્તની બહારના ભવાભિનંદી જીવોનું સ્વરૂપ : યોગમાર્ગના પ્રારંભ (૧) સંજ્ઞાના વિખંભણપૂર્વક (૨) સર્વજ્ઞના વચનાનુસારની પ્રવૃત્તિમાં કરાતા યત્નથી થાય છે. તેથી ચરમાવર્તવર્તી જીવ સંજ્ઞાના વિખંભણપૂર્વક સર્વજ્ઞના વચનાનુસારની પ્રવૃત્તિમાં યત્નવાળો બને, ત્યારે તેની પ્રવૃત્તિ સન્માર્ગને અભિમુખ થતી હોય છે; જ્યારે ચરમાવર્તની બહારના જીવો ભવાભિનંદી હોય છે અર્થાત્ ભવના ઉપાયોમાં આનંદ લેનારા હોય છે, તેથી પ્રાય: ધર્મમાં પ્રવૃત્તિ કરતા નથી. આમ છતાં કોઈક પ્રાણી પોતાના કોઈ સંસારના ઇષ્ટફળ અર્થે કે અનાભોગથી ધર્મમાં પ્રવૃત્તિ કરે, તોપણ તેની પ્રવૃત્તિ (૧) સંજ્ઞાના વિખંભણને Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧ યોગલક્ષણદ્વાિિશકા/બ્લોક-૪-૫ અનુરૂપ હોતી નથી અને (૨) લોકપંક્તિમાં આદરવાળી હોય છે અર્થાત્ તેઓ આગમવચનથી નિરપેક્ષ રીતે ગતાનગતિક ક્રિયાઓ કરે છે અને તે રીતે ક્રિયા કરવાના યત્નવાળા હોય છે. તેથી ચરમાવર્તની બહારનો કોઈ જીવ લૌકિક પ્રવ્રજ્યા ગ્રહણ કરે કે લોકોત્તર પ્રવ્રજ્યા ગ્રહણ કરે તો પણ તેની તે પ્રવ્રજ્યાની ક્રિયા સન્માર્ગને અભિમુખ હોતી નથી. માટે અચરમાવર્તવર્તી જીવોમાં ભવ્યત્વ વિદ્યમાન હોવા છતાં તેઓની ક્રિયા મોક્ષરૂપ કાર્યને અનુકૂળ યત્નરૂપ નથી, માટે તેઓને યોગનો સંભવ નથી. અહીં વિશેષ એ છે કે ચરમાવર્તવત જીવો પણ મોક્ષનું સ્વરૂપ સાંભળીને મોક્ષની ઇચ્છાવાળા થયા હોય, અને મોક્ષના ઉપાયરૂપે પ્રવજ્યાદિ ગ્રહણ કરી હોય, છતાં આગમવચનના નિયંત્રણ નીચે સંવેગ થાય તે રીતે સદનુષ્ઠાનને કરતા ન હોય, તો લોકપંક્તિમાં આદર કરનારા છે. તેથી સદનુષ્ઠાન દ્વારા સંજ્ઞાઓનો ઉચ્છેદ થાય તે રીતે સંવેગના ઉપયોગવાળા નથી, માટે તેઓની ક્રિયા સંજ્ઞાન વિષ્ક્રમણ કરતી નથી. આમ છતાં તેઓ યોગમાર્ગના ઉપદેશને સાંભળે ત્યારે, સાંભળતાં જો તેઓને સંવેગનો પરિણામ થતો હોય અર્થાત્ “હું સર્વજ્ઞના વચનાનુસાર ક્રિયા કરીને સંસારથી વિસ્તારને પામું” તેવો અધ્યવસાય થતો હોય, તો રુચિઅંશથી તેઓમાં સંજ્ઞાનું વિખંભણ છે, માટે તેઓની ક્રિયા સર્વથા નિષ્ફળ નથી. જ્યારે શરમાવર્તની બહારના જીવોને તો યોગમાર્ગના શ્રવણ સમયે પણ લેશમાત્ર સંવેગ થતો નથી. તેથી તેઓની સંયમની પ્રવૃત્તિ સન્માર્ગને અભિમુખ નથી, માટે મોક્ષનું કારણ નથી. તાજા અવતરણિકા - પૂર્વના શ્લોક-૩-૪માં કહ્યું કે ચરમાવર્તની બહારના જીવો ભવાભિનંદી હોવાના કારણે સન્માર્ગને અભિમુખ પ્રયત્ન કરતા નથી. તેથી હવે ભવાભિનંદી જીવ કેવો હોય છે ? તે બતાવે છે – શ્લોક : क्षुद्रो लोभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यानिष्फलारम्भसङ्गतः ।।५।। Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યોગલક્ષણદ્વાચિંશિકા/બ્લોક-પ અન્વયાર્થ : ક્ષુદ્ર =મુદ્ર તોમરતિ =લોભમાં રતિવાળોકમાંગવાના સ્વભાવવાળો ગ્રીન = દીન મત્સરી મત્સરી મયવા=ભયવાળો 0:=શઠ =અજ્ઞ=મૂર્ખ નિકનારમસતિ: નિષ્કલારંભસંગત મવમિનન્દી ભવાભિનંદી જીવ ચાન્ટ હોય. પાપા શ્લોકાર્ચ - મુદ્ર, લોભમાં રતિવાળો, દીન, મત્સરી, ભયવાળો, શઠ, અજ્ઞ, નિષ્કલારંભસંગત ભવાભિનંદી જીવ હોય. પા! ટીકા : શુદ્ર તિ-ક્ષુદ્ર =પUT, નોમતિયાખ્યાશત:, ઢીના=સવાદીT:, મત્સરી પરવાતુ:સ્થિત:, મવા–નિત્યમીત:, શોકમાયાવી, કોકમૂર્વ, भवाभिनन्दी “असारोऽप्येष संसारः सारवानिव लक्ष्यते, दधिदुग्धाऽम्बूताम्बूलપNTયાહુનામ:' III રૂાવિઘ સંસારમનન્દનશીન, ચાલ્કમત, निष्फलारम्भसङ्गतः सर्वत्रातत्त्वाभिनिवेशाद्वन्थ्यक्रियासंपन्नः ।।५।। ટીકાર્ય - શુદ્ર = ..... યાસંપન્ન: | સુદ્ર કૃપણ, લોભરતિયાંચાશીલ અર્થાત્ માંગવાના સ્વભાવવાળો, દીન=સદેવ અદષ્ટ કલ્યાણવાળો, મત્સરી= પરકલ્યાણમાં દુઃસ્થિત, ભયવાન નિત્યભીત, શઠ માયાવી, અજ્ઞ=મૂર્ખ, ભવાભિનંદી="અસાર એવા પણ આ સંસારને દહીં, દૂધ, પાણી, તાંબૂલ, કરિયાણું, વેયા આદિ વડે સારવાર વસ્તુની જેમ જાણે છે" ઇત્યાદિ વચન વડે સંસારમાં આનંદ લેવાના સ્વભાવવાળો, નિષ્કલારંભસંગત=સર્વત્ર અતત્વના અભિનિવેશને કારણે વંધ્યક્રિયાસંપન્ન થાત=થાય. પણ ભાવાર્થ :ભવાભિનંદી જીવનાં લક્ષણો - ‘ભવ'માં આનંદ લેનારો જીવ તે ભવાભિનંદી જીવ. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૫ ચરમાવર્તની બહારના જીવોમાં ક્લિષ્ટતાઆપાદક કર્મની પ્રચૂરતા હોવાના કારણે, ભવના કારણભૂત ભાવોથી પર એવા આત્માના ભાવોને જોવા માટેની પણ યોગ્યતા હોતી નથી. તેથી અસાર એવો પણ ભવ સદા સાર જેવો લાગે એવા પ્રકારની પ્રકૃતિ તેઓમાં વર્તે છે, અને ચરમાવર્તમાં પણ માર્ગસન્મુખ ન થયા હોય તેવા જીવોમાં આવા પ્રકારની પ્રકૃતિ વર્તે છે. (૧) શુદ્ર - ભવાભિનંદી જીવને ભવના કારણભૂત એવા બાહ્ય પદાર્થોમાંથી આનંદ લેવાની મનોવૃત્તિ સદા હોય છે, જે ક્ષુદ્રભાવ છે. જેમ સંસારી જીવોને ક્યારેક અમુક પદાર્થને ખાવાની ઇચ્છા થાય, તો વળી ક્યારેક અન્ય કોઈ પદાર્થને ખાવાની ઇચ્છા થાય, પરંતુ ઇન્દ્રિયોને પ્રતિકૂળ એવા કટુ આદિ પદાર્થો કે વિષ્ટા આદિ પદાર્થોની ક્યારેય ઇચ્છા થતી નથી, તેમ ચરમાવર્તની બહારના ભવાભિનંદી જીવોને સંસારથી અતીત અવસ્થા ભોગસામગ્રી વિનાની હોવાથી નિઃસાર લાગે છે, અને તેના ઉપાયભૂત યોગમાર્ગ પણ નિ:સાર લાગે છે. તેથી મોક્ષ અને મોક્ષના ઉપાયભૂત ભાવોની તેમને ક્યારેય ઇચ્છા થતી નથી. વળી પ્રાયઃ તેઓ ધર્માનુષ્ઠાન કરતા નથી, ક્વચિત્ કરે તો આલોકના કે પરલોકના સુખથી કે અનાભોગથી ધર્માનુષ્ઠાન કરે છે. તેઓ આવા ક્ષુદ્ર પ્રકૃતિવાળા છે. (૨) લોભરતિ - વળી બાહ્ય પદાર્થોમાં (૧) અત્યંત લોભી છે, લોભમાં તેને આનંદ છે. અહીં કોઈક સ્થાને (૨) ‘લાભરતિ' પણ પાઠ છે અને તે પ્રમાણે અર્થ કરીએ તો બાહ્ય પદાર્થોના લાભમાં રતિવાળો=બાહ્ય પદાર્થોની યાચના કરવામાં આનંદ થાય તેવા સ્વભાવવાળો, ભવાભિનંદી જીવ છે; કેમ કે ભવના કારણભૂત બાહ્ય પદાર્થોના વિકારોમાં તેને સુખની બુદ્ધિ થાય છે. તેથી બાહ્ય પદાર્થોને મેળવીને “હું સુખી છું' તેવો રતિનો પરિણામ તેને થાય છે. (૩) દીન: જેમ સંસારમાં અતિ દરિદ્ર માણસો પ્રકૃતિથી અત્યંત દીન હોય છે, તેઓએ ક્યારેય સુંદર ભોગો જોયેલા હોતા નથી, તેથી સદા અસાર ભોગોથી આનંદ મેળવતા હોય છે; તેમ ભવાભિનંદી જીવે ઉપશમભાવનું સુખ ક્યારેય જોયું Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૫ નથી. તેથી સદા જ અકલ્યાણને જોનારો હોય છે અને તેથી નિ:સાર એવા ભોગોમાંથી આનંદ લેવા યત્ન કરે છે. તેથી સદા દીન હોય છે. (૪) મત્સરી : ભવાભિનંદી જીવ પારકાનું કદી સારું જોઈ શકતો નથી; કેમ કે તેને ભૌતિક પદાર્થોનું વધુ આકર્ષણ હોય છે અને તે ભૌતિક પદાર્થો પોતાને મળે તેવી ઇચ્છા તેને હોય છે. તેથી બીજાનું સારું જુએ તો તે સહન કરી શકે નહીં. તેને થાય કે ‘હું કઈ રીતે તેનાથી અધિક સંપત્તિવાળો થાઉં', આવો અસહનશીલ પણ બહુલતાએ હોય, તેથી તેને મત્સરદોષવાળો કહેલ છે; અને ક્વચિત્ માત્સર્યભાવ ન કરે તો પણ મોટે ભાગે ભવાભિનંદી જીવોની પ્રકૃતિ મત્સરીeઇર્ષાવાળી હોય છે. (૫) ભયવાન : ભવાભિનંદી જીવ ભયવાળો હોય છે, કેમ કે તેને પૌલિક પદાર્થોનું ઘણું મહત્ત્વ હોય છે. તે પદાર્થો તેના જીવનનો શ્વાસ છે, અને તે ચાલ્યા જાય તો પોતે દુ:ખી થાય તેમ છે. તેથી તેના રક્ષણમાં પોતાની સર્વ શકિત તે વાપરે છે, માટે સદા ભયભીત છે અર્થાત્ સાતે ભયોથી તે ભીત હોય છે. ક્વચિત્ પુણ્યના પ્રકર્ષને કારણે બાહ્ય પદાર્થોના રક્ષણની સામગ્રી પૂરતી હોય તો બાહ્ય રીતે નિર્ભય પણ દેખાતો હોય, તોપણ તે પદાર્થો નાશ ન પામે તેની સતત ચિંતા વર્તતી હોવાથી ભયના નિવારણના ઉપાયમાં વ્યગ્ર હોવાથી નિત્યભીત છે. (૬) શઠ : ભવાભિનંદી જીવ=મિથ્યાત્વી જીવ, શઠ હોય છે અર્થાત્ માયાવી હોય છે. સામાન્ય રીતે મિથ્યાત્વ અવસ્થામાં જીવને ભૌતિક પદાર્થોનું મહત્ત્વ ઘણું હોય છે, સંસારનો ગાઢ રાગ હોય છે, તેથી માયા કરવાનો પરિણામ થાય છે, માટે શઠ છે . (૭) અજ્ઞ : ભવાભિનંદી જીવને મૂર્ખ કહેલ છે; કેમ કે ક્વચિત્ તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિથી તે બુદ્ધિમાન થાય તો પણ પગલિક પદાર્થોથી અતિરિક્ત આત્મિક ભાવોમાં સુખની કલ્પનામાત્ર પણ તે કરી શકતો નથી. તેથી તે તત્ત્વને જોવામાં મૂર્ખ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ યોગલક્ષણદ્વાત્રિશિકા/બ્લોક-૫-૬ (૮) નિષ્કલારંભસંગત : ભવાભિનંદી જીવ નિષ્ફળ આરંભથી યુક્ત હોય છે. ભવાભિનંદી જીવને ગાઢ કર્મોને કારણે સંસારનાં સુખો પ્રત્યે ગાઢ રાગ હોય છે. પરિણામે સર્વત્ર ભૌતિક સુખરૂપી અતત્ત્વનો અભિનિવેશ=આગ્રહ, હોવાથી ધર્માનુષ્ઠાન કરે તોપણ તે ભૌતિક આશયથી કરે છે. તેથી તેનું તે ધર્માનુષ્ઠાન આત્મિક ગુણોને વિકસાવવામાં કારણ બનતું નથી. તેથી ભવાભિનંદી જીવ નિષ્ફળારંભી છે. ભવાભિનંદીનાં ઉપર્યુક્ત આઠ લક્ષણોમાં ક્ષુદ્ર, લોભરતિ, દીન, ભયવાન, અજ્ઞ અને નિષ્કલારંભસંગત એ છે લક્ષણો ભવાભિનંદીની પ્રકૃતિમાં વર્તતા પરિણામ છે, જ્યારે મત્સરી અને શઠ એ બે તેનાં પરિચાયક લિંગ છે અર્થાત જે ભાવ બહુલતાએ તેનામાં વર્તે છે, તે ભાવને બતાવીને ભવાભિનંદીનો પરિચય કરાવનાર લિંગ છે, એમ જણાય છે. પણ અવતરણિકા : શ્લોક-૪માં કહ્યું કે ચરમાવર્તની બહારના જીવો લોકપંક્તિમાં આદર કરનારા હોય છે. તેથી લોકપંક્તિ શું છે ? તે બતાવે છે – શ્લોક : लोकाराधनहेतोर्या मलिनेनान्तरात्मना । क्रियते सत्क्रिया सा च लोकपंक्तिरुदाहता ।।६।। અન્વયાર્થ: ચ=અને નોરથનદેતો:=લોકની આરાધનાના હેતુથી લોકોના ચિત્તને આવર્જનના નિમિતે તિનેનાન્તરાત્મન=મલિત અંતરાત્મા વડે ય સચિ=જે સલ્કિયા યિતે કરાય છે, સાકતે તોપત્તિ =લોકપંક્તિ હતીઃકહેવાઈ છે. Jigli શ્લોકાર્ચ - અને લોકની આરાધનાના હેતુથી લોકોના ચિત્તને આવર્જન કરવાના નિમિત્તે, મલિન અંતરાત્મા વડે જે સ&િયા કરાય છે, તે લોકપંક્તિ કહેવાઈ છે. Illi Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક- ટીકા : लोकेति-लोकाराधनहेतोः=लोकचित्तावर्जननिमित्तं, या मलिनेन कीर्तिस्पृहादिमालिन्यवता, अन्तरात्मना चित्तरूपेण, यत् क्रियते सत्क्रिया शिष्टसमाचाररूपा, सा च योगनिरूपणायां लोकपङ्क्तिरुदाहता योगशास्त्रज्ञैः ।।६।। ટીકાર્ચ - નોવેરાથનદેતો..... જો શાસ્ત્ર | લોકની આરાધનાના હેતુથી લોકવા ચિત્તને આવર્જન કરવાના નિમિતે, મલિન એવા અંતરાત્મા વડે કીર્તિની સ્પૃહા આદિ માલિત્યવાળા ચિત્તરૂપ અંતરાત્મા વડે, જે શિષ્ટસમાચારરૂપ= શિષ્ટતા આચારરૂપ, સન્ક્રિયા કરાય છે, તે યોગનિરૂપણામાં યોગશાસ્ત્રને જાણનારાઓ વડે લોકપંક્તિ કહેવાઈ છે. ૬il. કૌતકૃદ' અહીં 'મા' થી આના જેવી અન્ય સ્પૃહા ગ્રહણ કરવી. ભાવાર્થ : લોકપંક્તિથી કરાયેલા ધર્મનું સ્વરૂપ - ધર્મના અનુષ્ઠાન સમયે ધર્મની ક્રિયાને મોક્ષના લક્ષ્ય તરફ પ્રવર્તાવવાનું છોડીને “જો હું આ નહીં કરું તો લોકોમાં ખરાબ લાગશે' એવા આશયથી ધર્મ અનુષ્ઠાનકાળમાં લોકરંજનમાં જે ચિત્ત પ્રવર્તે છે, તે લોકના ચિત્તને આવર્જન કરવાના નિમિત્તે પ્રવર્તે છે, અને તે ક્રિયા દ્વારા કીર્તિની સ્પૃહા આદિ મલિન ભાવો ચિત્તમાં વર્તે છે. આવી કીર્તિની સ્પૃહા આદિ મલિન ભાવોથી જે શિષ્ટાચારરૂપ ધર્મક્રિયા થાય છે, તેને યોગશાસ્ત્રના જાણનારાઓ લોકપંક્તિ કહે છે અર્થાત્ ધર્માનુષ્ઠાનમાં આ પ્રકારની પરિણતિ લોકપંક્તિરૂપ છે એમ કહે છે. આનાથી એ ફલિત થાય કે આવા મલિન ભાવોથી જે કંઈ ધર્મક્રિયા થાય છે તે મોક્ષનું કારણ નથી, પરંતુ સંસારની અન્ય પ્રવૃત્તિની જેમ આ પણ સંસારની એક પ્રવૃત્તિ છે. સંસારમાં તેનું ફળ કીર્તિ આદિની પ્રાપ્તિ થાય કે ન પણ થાય, તોપણ આવી ક્રિયા કીર્તિ આદિ ફળ અર્થે છે, મોક્ષ અર્થે નથી. કા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭ યોગલક્ષણદ્વાત્રિશિકા/શ્લોક-૭ અવતરણિકા : પૂર્વશ્લોક-૬માં ભવાભિનંદી જીવો લોકપંક્તિથી ધર્મ કરે છે, તે લોકપંક્તિનું સ્વરૂપ બતાવ્યું. હવે તે લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયાના અનર્થકારી ફળને બતાવે છે – બ્લોક : महत्यल्पत्वबोधेन विपरीतफलावहा । भवाभिनन्दिनो लोकपंक्त्या धर्मक्रिया मता ।।७।। અન્વયાર્થ : મfમનિઃ =ભવાભિનંદી જીવતી ધર્મક્રિયા=લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા, મહત્ય~ત્વવાઘેન=મહાનમાં અલ્પત્વના બોધને કારણે વિપરીતત્તવ=વિપરીત ફળને લાવનારી મતી=મનાઈ છે. શા શ્લોકાર્ચ - ભવાભિનંદી જીવની લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા, મહાનમાં અલ્પત્વના બોધને કારણે વિપરીત ફળને લાવનારી મનાઈ છે. Iછો. ટીકા : महतीति-महति अधरीकृतकल्पद्रुचिन्तामणिकामधेनौ धर्मे अल्पत्वबोधेन अतितुच्छकीर्त्यादिमात्रहेतुत्वज्ञानेन, विपरीतफलावहा=दुरन्तसंसारानुबन्धिनी, भवाभिनन्दिनो जीवस्य लोकपङ्क्त्या धर्मक्रिया मता, नात्र केवलमफलत्वमेव किं तु विपरीतफलत्वमिति भावः ।।७।। ટીકાર્ચ - મતિ ..... માવ: | ભવાભિનંદી જીવની લોકપંક્તિથી થતી ધર્મક્રિયા, તિરસ્કાર કર્યો છે કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુનો જેણે એવા મહાન ધર્મમાં, અતિ તુચ્છ કીર્તિ આદિ માત્રના હેતુપણાના જ્ઞાનરૂપ અલ્પત્વના બોધથી, વિપરીત ફળ લાવનારી દુરંત સંસારના અનુબંધવાળી મનાઈ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૭-૮ અહીં લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયામાં, કેવળ અફળપણું નથી, પરંતુ વિપરીત ફળપણું છે, એ પ્રમાણે ભાવ છે. Iછા ત્ય' અહીં ' થી આહાર, માન, સન્માનનું ગ્રહણ કરવું. ભાવાર્થ :લોકપંકિતથી કરાયેલા ધર્મનું વિપરીત ફળ : ભવાભિનંદી જીવો સંસારથી અતીત એવા મોક્ષના અર્થ નથી, તેથી તેઓ સર્વજ્ઞના વચનાનુસાર ધર્મક્રિયાઓ કરવાના અભિલાષવાળા થતા નથી, માટે ધર્મક્રિયા પ્રાયઃ કરતા નથી, પરંતુ ભોગાદિમાં જ યત્ન કરે છે. આમ છતાં ક્યારેક કોઈક ભવાભિનંદી જીવ પણ તેવા નિમિત્તને પામીને ધર્મક્રિયા કરે તો લોકના ચિત્તના આવર્જન નિમિત્તે કરે છે, જેથી લોકમાં માન-કીર્તિ મળે, કે લોકો પાસેથી સુંદર આહાર-પાણી આદિ સામગ્રી મળે અથવા પરલોકનાં સાંસારિક સુખો મળે તે નિમિત્તે ધર્મક્રિયા કરે છે. આવી રીતે લોકપંક્તિથી કરાયેલી ક્રિયા, મહાન એવા ધર્મને તુચ્છ ફળને આપનાર તરીકે જોવાની હીનબુદ્ધિરૂપ છે, અને તે ઉત્તમ ધર્મની હીનતા કરાવનારી પરિણતિ છે. આવી પરિણતિ દુરંત સંસારના ફળવાળી છે. તેથી તેઓની ધર્મક્રિયાનું કોઈ ફળ નથી, એટલું જ નહીં, પરંતુ સંસારના પરિભ્રમણરૂપ વિપરીત ફળ છે. શા અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા અનર્થકારી છે. ત્યાં શંકા થાય કે તો લોકપંક્તિ સર્વથા કરવા યોગ્ય નથી ? તેના નિવારણ માટે કહે છે – શ્લોક : धर्मार्थं सा शुभायापि धर्मस्तु न तदर्थिनः । क्लेशोऽपीष्टो धनार्थं हि क्लेशार्थं जातु नो धनम् ।।८।। અન્વયાર્થ : ધર્માર્થ-ધર્મને માટે તે લોકપંક્તિ, ગુમાયાદિ=શુભને માટે પણ છે, તુ વળી તથા તેના અર્થીને=લોકપંક્તિના અર્થીને ઘર્ષ ર=ધર્મ નથીઃ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૯ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૮ ધર્મ શુભ માટે નથી; કિજે કારણથી થનાર્થ ધનને માટે વક્તશાડપિ ફ્લેશ પણ રૂE:=ઈષ્ટ છે, વશીર્થ ક્લેશને માટે ઘનષ્ણધન નો નાતુ ક્યારેય નથી=ક્યારેય ઈષ્ટ નથી. II૮. શ્લોકાર્ય : ધર્મ માટે તે લોકપંક્તિ શુભ માટે પણ છે, પરંતુ લોકપંક્તિના અર્થને ધર્મ નથી અર્થાત્ ધર્મ શુભ માટે નથી; જે કારણથી ધન માટે ક્લેશ પણ ઈષ્ટ છે, ક્લેશ માટે ધન ક્યારેય નથી અર્થાત્ ક્યારેય ઈષ્ટ નથી. IIટા. * ગુમાયા' અહીં ‘પ' થી એ કહેવું છે કે કીર્તિ આદિ નિમિત્તે કરાતી લોકપંક્તિ અશુભ માટે તો છે, પરંતુ ધર્માર્થે કરાતી લોકપંક્તિ શુભ માટે પણ થાય છે. વન્તશોપિ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે સામાન્યથી કોઈપણ જીવને અફ્લેશ ઇષ્ટ છે પણ ધનપ્રાપ્તિ માટે ક્લેશ પણ ઈષ્ટ છે. ટીકા - धर्मार्थमिति-धर्मार्थं सम्यग्दर्शनादिमोक्षबीजाधाननिमित्तं, सा=लोकपङ्क्तिः , दानसन्मानोचितसम्भाषणादिभिश्चित्रैरुपायैः शुभाय-कुशलानुबन्धाय अपि, धर्मस्तु तदर्थिनो लोकपङ्क्त्यर्थिनो न शुभाय हि-यतः धनार्थं क्लेशोऽपीष्टो, धनार्थिनां राजसेवादी प्रवृत्तिदर्शनात्, क्लेशार्थं जातु कदाचित् धनं नेष्टं, न हि “धनान्मे क्लेशो भवतु" इति कोऽपीच्छति प्रेक्षावान् । तदिदमुक्तं - "धर्मार्थं लोकपंक्तिः स्यात् कल्याणाङ्गं महामतेः । તર્થ તુ પુનર્ધ: પાપાયાન્વધામ7મ્ I” (યો વિદ્-વ-૨૦) तथा “(युक्तं) जनप्रियत्वं शुद्धं सद्धर्मसिद्धिफलदमलं । ધ(સદ્ધ)“પ્રશંસનાર્ડો નાધાનામાન” || (ષોડશવ-૪/૭) ત્તિ I IIટા ટીકાર્ય : ઘર્થ ..... માન” | તિ | ધર્મને માટે સમ્યગ્દર્શનાદિરૂ૫ મોક્ષના બીજતા આધાત નિમિતેઃપ્રાપ્તિ નિમિત્તે, દાન-સન્માત-ઉચિત સંભાષણાદિ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૮ ચિત્ર ઉપાયો વડે તે લોકપંક્તિ, શુભને માટે કુશળ અનુબંધ માટે, પણ છે અર્થાત્ કુશળ ફળ માટે પણ છે. વળી તેના અર્થીનો લોકપંક્તિના અર્થીનો, ધર્મ શુભને માટે નથી; દિ જે કારણથી, ધનને માટે ક્લેશ=શ્રમ, પણ ઈષ્ટ છે; કેમ કે ધનના અર્થીઓની રાજસેવા વગેરેમાં પ્રવૃત્તિનું દર્શન છે; ક્લેશને માટે જ્ઞાતિ ક્યારેય, ધન ઈષ્ટ નથી. તે અર્થને સ્પષ્ટ કરે છે - ધનથી મને ક્લેશ થાઓ" એ પ્રકારે કોઈપણ વિચારક ઇચ્છતો નથી જ. તે=ધર્મને માટે લોકપંક્તિ શુભને માટે છે વળી લોકપંક્તિના અર્થીને ધર્મ શુભને માટે નથી તે, આ કહેવાયું છે=યોગબિંદુ શ્લોક-૯૦માં તથા ષોડશક-૪, શ્લોક-૭માં કહેવાયું છે – “મહામતિને ધર્મ માટે લોકપંક્તિ કલ્યાણનું અંગ થાય, પરંતુ અલ્પબુદ્ધિવાળાઓનો તેના માટે=લોકપંક્તિ માટે ધર્મ અત્યંત પાપ માટે છે.” (યોગબિંદુ શ્લોક-૯૦) અને “સદ્ધર્મની પ્રશંસનાદિ થવાથી બીજાધાનાદિ થવાને કારણે સદ્ધર્મસિદ્ધિફળને દેનારું શુદ્ધ એવું જનપ્રિયપણું અત્યંત યુક્ત છે." (ષોડશક-૪, શ્લોક-૭) ‘ત' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. Iટા ‘સગર્શન' અહીં ‘' થી સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રનું ગ્રહણ કરવું. ‘સમUT' અહીં દ્ર' થી ઉચિત એવા તેના ભવિષ્યનું કથન કરવું વગેરેનું ગ્રહણ કરવું. ૧૨નસવા' અહીં '' થી વ્યાપાર-વાણિજ્યનું ગ્રહણ કરવું. ધર્મપ્રશંસનાઃ' અહીં ‘’ થી ધર્મનું પાલન, ધર્મનો સ્વીકાર વગેરેનું ગ્રહણ કરવું. વીનાધન' અહીં ‘ક’ થી ધર્મનો અંકુર, ધર્મનું ફળ વગેરે ગ્રહણ કરવાં. ભાવાર્થધર્મ માટે લોકપંક્તિ ઇષ્ટ હોવા છતાં લોકપંક્તિ માટે ધર્મ અનિષ્ટ : પૂર્વ શ્લોક-૭માં સ્થાપન કર્યું કે લોકપંક્તિથી કરાતી ધર્મક્રિયા દુરંત સંસારના ફળવાળી છે; આમ છતાં મહાત્માઓ યોગ્ય જીવોને ધર્મની પ્રાપ્તિ થાય તદર્થે દાન, સન્માન, ઉચિત સંભાષણાદિ વડે લોકપંક્તિનું આચરણ કરે છે, તે કુશળ ફળવાળું છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ યોગલક્ષણદ્વાચિંશિકાશ્લોક-૮-૯ આશય એ છે કે યોગ્ય જીવોના ચિત્તને આવર્જન કરીને તેમને ધર્મ પમાડવા માટે મહાત્માઓ ક્વચિત્ તેમને આહારાદિનું દાન કરે, આવેલાને સન્માનથી બોલાવે, ઉચિત વાર્તાલાપ પણ તેમની સાથે કરે છે. આ બધા ઉપાયોના સેવનનો આશય માત્ર એ જ છે કે તે યોગ્ય જીવ મહાત્મા દ્વારા ધર્મ પામે એવું તેના ચિત્તનું આવર્જન થાય. આ દાન-સન્માનાદિની ક્રિયા રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ ક્રિયા નથી, તેથી તે ધર્મક્રિયા નથી, પરંતુ લોકના ચિત્તના આવર્જનની ક્રિયા છે, તેથી લોકપંક્તિ છે. આમ છતાં મહાત્માઓ કીર્તિ આદિની સ્પૃહાથી લોકપંક્તિનું સેવન કરતા નથી, પરંતુ યોગ્ય જીવોને ધર્મની પ્રાપ્તિના શુભાશયથી કરે છે. તેથી તે લોકપંક્તિની ક્રિયા પણ કુશળ ફળવાળી છે અર્થાત્ યોગ્ય જીવોને ધર્મની પ્રાપ્તિરૂપ કુશળ ફળ મળે છે, વળી મહાત્માઓને પણ કુશળ આશય હોવાથી નિર્જરારૂપ ફળ મળે છે. પરંતુ જે જીવો માત્ર લોકના ચિત્તના આવર્જનરૂપ લોકપંક્તિ માટે ધર્મ કરે છે અર્થાત્ ધર્મઅનુષ્ઠાનનું સેવન કરે છે, તે ધર્મઅનુષ્ઠાન શુભ માટે નથી; કેમ કે બાહ્ય રીતે ધર્મની આચરણા હોવા છતાં અંતરંગ રીતે સાંસારિક તુચ્છ કીર્તિ આદિની સ્પૃહામાત્રરૂપ પરિણતિ છે. તે પરિણતિથી કર્મબંધરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, માટે તે અનુષ્ઠાન શુભ માટે નથી. તે વાત દૃષ્ટાંતથી બતાવે છે – કોઈ જીવ ધનપ્રાપ્તિ માટે ક્લેશ પણ અર્થાત્ શ્રમ પણ સ્વીકારે છે, પરંતુ તેને ક્લેશ માટે ધન ક્યારેય ઇષ્ટ બનતું નથી. આશય એ છે કે ધનપ્રાપ્તિ માટે રાજસેવાદિ પ્રવૃત્તિ કરવારૂપ ક્લેશ લોકોને ઇષ્ટ હોય છે; પરંતુ “મને ક્લેશ પ્રાપ્ત થાઓ, તે માટે હું ધન કમાઉં' એવી ઇચ્છા કોઈ કરતું નથી. તેની જેમ કોઈ જીવ ધનસ્થાનીય ધર્મની પ્રાપ્તિ અર્થે ક્લેશસ્થાનીય લોકપંક્તિને ઇષ્ટ સ્વીકારે તે ઉચિત છે, જેમ યોગ્ય જીવને ધર્મપ્રાપ્તિ કરાવવા અર્થે મહાત્માઓ લોકપંક્તિને સ્વીકારે છે; પરંતુ ક્લેશસ્થાનીય લોકપતિ માટે-લોકના ચિત્તના આવર્જન માટે, તેમને ધર્મ ઇષ્ટ નથી. III અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે કીર્તિ આદિની સ્પૃહાપૂર્વક લોકપંક્તિથી કરાતી ધર્મક્રિયા દુરંત સંસારફળવાળી છે. હવે અનાભોગવાળાની લોકપંક્તિથી કરાતી ધર્મક્રિયા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-લ કીર્તિ આદિની સ્પૃહાવાળા જેવી નહીં હોવા છતાં શુભ નથી, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : अनाभोगवतः सापि धर्माहानिकृतो वरम् । शुभा तत्त्वेन नैकापि प्रणिधानाद्यभावतः ।।९।। અન્વયાર્થ : ધદનિવૃત્ત =ધર્મની હાનિ નહીં કરનારા એવા, નામાવતઃ= અનાભોગવાળાની સાપિકતે પણEલોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા પણ વરસારી છે, તત્ત્વન તત્વથી, પ્રાથનામાવતા=પ્રણિધાનાદિના અભાવથી વાપિ એક પણ ગુમાં ન=શુભ નથી. ૯ શ્લોકાર્ય : ધર્મની હાનિ નહીં કરનારા એવા અનાભોગવાળાની લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા પણ સારી છે, તત્ત્વથી પ્રણિધાનાદિનો અભાવ હોવાથી એક પણ શુભ નથી. II II. ક સપ' અહીં * T' થી એ કહેવું છે કે લોકપંક્તિથી નહીં કરાયેલી ધર્મક્રિયા તો સારી છે, પરંતુ અનાભાંગવાળાની લોકપંક્તિથી કરાયેલી પણ ધર્મક્રિયા મનાગૂ સુંદર છે. - ' T' અહીં ૩પ' થી એ કહેવું છે કે કીર્તિ આદિની સ્પૃહા માટે કરાતી કે અનાભોગવાળાથી કરાતી લોકપંક્તિની એક પણ ક્રિયા શુભ નથી. પ્રધાનામાવત:' અહીં ર થી પ્રવૃત્તિ, વિધ્વજય વગેરે આશયોને ગ્રહણ કરવા. ટીકા : अनाभोगवत इति-अनाभोगवतः सन्मूर्छनजप्रायस्य, स्वभावत एव वैनयिकप्रकृतेः सापि लोकपंक्त्या धर्मक्रियापि, धर्माहानिकृतो धर्मे महत्त्वस्यैव यथास्थितस्याज्ञानाद् भवोत्कटेच्छाया अभावेन महत्यल्पत्वाप्रतिपत्तेधर्महान्यकारिणो वरं Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૯ अन्यापेक्षया मनाक् सुन्दरा, तत्त्वेन-तत्त्वतः पुन कापि प्रणिधानाद्यभावतो नैकापि, वरं, प्रणिधानादीनां क्रियाशुद्धिहेतुत्वात् ।।९।। ટીકાર્ય : મનમોલાવત: ....... સેતુત્વાન્ || ધર્મની અહાનિ કરનારા એવા=ધર્મમાં યથાસ્થિત મહત્વનું જઅજ્ઞાન હોવાને કારણે, અને ભવની ઉત્કટ ઇચ્છાનો અભાવ હોવાને કારણે, મહાન એવા ધર્મમાં અલ્પપણાની અપ્રતિપત્તિ હોવાથી ધર્મની હાનિ નહીં કરનારા એવા, સંપૂર્ઝનજપ્રાયઃ અર્થાત્ સંમૂચ્છિમ જીવોના જેવા સ્વભાવથી વેયિક પ્રકૃતિવાળા અર્થાત્ કોઈકને ધર્મ કરતા જોઈને ધર્મ કરવાની પ્રકૃતિવાળા, એવા અનાભોગવાળાની, તે પણ લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા પણ, શ્રેષ્ઠ છે અન્ય અપેક્ષાએ અર્થાત્ કીતિસ્પૃહાશિવાળાની અપેક્ષાએ કાંઈક સુંદર છે. તત્ત્વથી વળી એક પણ=પ્રણિધાતાદિનો અભાવ હોવાને કારણે એક પણ, સારી નથી; કેમ કે પ્રણિધાનાદિનું ક્રિયાશુદ્ધિનું હેતુપણું છે. IGN નોંધ :- અહીં ટીકામાં નવ વર' ના સ્થાને શ્લોકનો ‘નવાપ ગુમ' શબ્દ હોવો જોઈએ, એમ ભાસે છે. ‘ધર્મપિ ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે લોકપંક્તિ વગરની ધર્મક્રિયા તો સારી છે જ, પરંતુ અનાભોગવાળાની લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા પણ સારી છે. ભાવાર્થ: જે જીવો અનાભોગથી ધર્મઅનુષ્ઠાન કરે છે તે જીવોને ધર્મમાં યથાસ્થિત મહત્ત્વનું અજ્ઞાન છે, આથી તેઓ લોકપંક્તિથી ધર્મક્રિયા કરે છે; છતાં ભવની ઉત્કટ ઇચ્છાનો અભાવ છે, આથી તુચ્છ એવા કીર્તિ આદિ અર્થે ધર્મ કરતા નથી, તેથી તેઓ ધર્મની હાનિને કરનારા નથી. વળી, તેઓ ધર્મક્રિયા અનાભોગથી કરે છે, તેનું કારણ તેઓ અજ્ઞાનને કારણે તત્ત્વની વિચારણા કરવામાં સંમૂચ્છિમ જીવ જેવા છે. તેથી સર્વોત્તમ એવા પણ ધર્મના પરમાર્થને જાણવા માટે પ્રયત્ન કરતા નથી; આમ છતાં કોઈકને ધર્મ કરતા જોઈને સ્વભાવથી વનયિક પ્રકૃતિ= વિનયવાળી પ્રકૃતિ, હોવાના કારણે તેઓ ધર્મક્રિયા કરે છે. તેઓની આ ધર્મક્રિયા કીર્તિ આદિની સ્પૃહા અર્થે નહીં હોવા છતાં લોકસદશ ભાવસંપાદનરૂપ છે, Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ પરંતુ શાસ્ત્રના વચનસદશ ભાવસંપાદનરૂપ નથી, તેથી લોકપંક્તિરૂપ છે. આવી લોકપંક્તિથી કરાતી ધર્મક્રિયા પણ કીર્તિ આદિની સ્પૃહાથી લોકપંક્તિની ધર્મક્રિયા કરનારા કરતાં થોડી સારી છે; કેમ કે કીર્તિ આદિની સ્પૃહાથી ધર્મક્રિયા કરનારા જીવો ધર્મનું મૂલ્ય તુચ્છ એવી કીર્તિ આદિથી કરે છે, તેથી ધર્મની હીનતા કરીને દીર્ઘ સંસારનું અર્જન કરે છે. તેવા દીર્ઘ સંસારનું અર્જન અનાભોગવાળાની ક્રિયાથી થતું નથી, તે અપેક્ષાએ તેમની ધર્મક્રિયા થોડી સારી છે; તોપણ પરમાર્થથી તે ધર્મક્રિયા સંસારના ઉચ્છેદનું કારણ નથી માટે નકામી છે; કેમ કે સંસારના ઉચ્છેદનું કારણ બને તેવી ધર્મક્રિયામાં પ્રણિધાનાદિ આશયોની અપેક્ષા છે, અને અનાભોગવાળા જીવોની ધર્મક્રિયામાં કોઈ જાતનું પ્રણિધાન નથી અર્થાત્ સંસારના ઈહલોકના સુખનું પણ પ્રણિધાન નથી કે સંસારનો ઉચ્છેદ કરીને મોક્ષની પ્રાપ્તિનું પણ પ્રણિધાન નથી. તેથી પ્રણિધાન વગરની ક્રિયા હોવાથી કોઈ ઇષ્ટપ્રાપ્તિનું કારણ નથી, માટે સુંદર નથી. ફક્ત દીર્ઘ સંસારનું કારણ નહીં હોવાથી કીર્તિ આદિની સ્પૃહાવાળાની ધર્મક્રિયા જેવી અનર્થકારી નથી, તે અપેક્ષાએ થોડી સુંદર છે, તેમ કહેલ છે. III અવતરણિકા :તાવાદ – અવતરણિકાર્ચ - તેને જ=પ્રણિધાનાદિઆશયને જ, કહે છે – ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે કીર્તિ આદિની સ્પૃહાથી કરાયેલું કે અનાભોગથી કરાયેલું અનુષ્ઠાન સુંદર નથી; કેમ કે પ્રણિધાનાદિનો અભાવ છે. તેથી જિજ્ઞાસા થાય કે અનુષ્ઠાનને સુંદર કરનારા એવા પ્રણિધાનાદિ આશયો શું છે ? તેથી તે પ્રણિધાનાદિ આશયોને ગ્રંથકાર કહે છે -- શ્લોક : प्रणिधानं प्रवृत्तिश्च तथा विघ्नजयस्त्रिधा । सिद्धिश्च विनियोगश्च एते कर्मशुभाशयाः ।।१०।। Page #44 -------------------------------------------------------------------------- ________________ ર૫ યોગલક્ષણ દ્વાચિંશિકા/બ્લોક-૧૦ અન્વયાર્થ - પ્રથાનં પ્રણિધાન, પ્રવૃત્તિ પ્રવૃત્તિ, તથા=અને ત્રિથા વિખનN =ત્રણ પ્રકારનો વિધ્વજય, સિદ્ધિસ્થ અને સિદ્ધિ વિનિયોગ્ર=અને વિનિયોગ, તે આ પ્રણિધાતાદિ પાંચ વર્ષમાશયા: ક્રિયાવિષયક શુભાશયો છે. [૧] શ્લોકાર્ચ - પ્રણિધાન, પ્રવૃત્તિ, ત્રણ પ્રકારનો વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ, આ પ્રણિધાનાદિ, ક્રિયાવિષયક શુભાશયો છે. II૧૦II ટીકા : प्रणिधानमिति-कर्मणि क्रियायां शुभाशयाः स्वपुष्टिशुद्ध्यनुबन्धहेतवः शुभपरिणामा, पुष्टिरुपचयः (पुष्टिः पुन्योपचयः), शुद्धिश्च ज्ञानादिगुणविघातिघातिकर्महासोत्थनिर्मलतेत्यवधेयम् ।।१०।। ‘પુષ્ટિપાવ:'ના સ્થાને ‘પુષ્ટિ પુચોપચય:', પાઠ જોઈએ. ટીકાર્ય - વર્મા ..... નિર્મનવઘેયમ્ | કર્મમાં ક્રિયામાં, શુભાશયો છે= સ્વતી પુષ્ટિના અને શુદ્ધિના અનુબંધહેતુ એવા શુભ પરિણામો છે અર્થાત્ ક્રિયાની પુષ્ટિ અને શુદ્ધિના પ્રવાહના હેતુ એવા શુભ પરિણામ છે. અહીં પુષ્ટિ પુણ્યનો ઉપચય છે અને શુદ્ધિ જ્ઞાનાદિ ગુણના વિઘાતી એવા ઘાતિકર્મના હાસથી ઊઠેલી નિર્મળતા છે, એ પ્રમાણે જાણવું. ઘ૧૦ || ભાવાર્થ – પ્રણિધાનાદિ પાંચ આશયો : પ્રણિધાનાદિ પાંચ પ્રકારના આશયોમાંથી કોઈપણ આશય ક્રિયાકાળમાં વર્તતો હોય તો તે આશયથી આત્મામાં પુણ્યાનુબંધી પુણ્યનો ઉપચય થાય છે અને જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મોનો હ્રાસ થાય છે. આ પુણ્યાનુબંધી પુણ્યનો ઉપચય વિશેષ પ્રકારની ધર્મક્રિયા કરવાને અનુકૂળ ભૌતિક સામગ્રી આપીને સહાયક બને છે અને ઘાતિકર્મના વિગમનથી થયેલી નિર્મળતા જીવને મોક્ષને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ યોગલક્ષણદ્વાચિંશિકા/બ્લોક-૧૦-૧૧ અનુકૂળ એવી ઉપર ઉપરની ક્રિયાની નિષ્પત્તિમાં કારણ બને છે. તેથી ક્રિયાની પુષ્ટિ અને શુદ્ધિના પ્રવાહના હેતુ એવા આ શુભ પરિણામો છે. અહીં વિશેષ એ છે કે કોઈપણ ધર્મઅનુષ્ઠાન, તે પૂજારૂપ હોય કે શાસ્ત્ર ભણવાની ક્રિયારૂપ હોય, તે સર્વ અનુષ્ઠાનમાં પ્રણિધાનઆશય વર્તતો હોય તો તે સર્વ ક્રિયાનું લક્ષ્ય નિર્લેપદશાની પ્રાપ્તિ છે. તેથી ક્રિયાકાળમાં વર્તતા નિર્લેપદશાને અભિમુખ ઉપયોગથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને વીર્યંતરાયકર્મરૂપ ઘાતિક શિથિલ થાય છે. ઘાતિકર્મોના વિગમનથી થયેલી શુદ્ધિ, પૂર્વની ક્રિયા કરતાં ઉત્તરની ક્રિયામાં જવા માટે સહાયક બને છે, અને તેથી ક્રિયાકાળમાં મોક્ષમાર્ગનો રાગ અને મોક્ષમાર્ગના ઉપાયોનો રાગ અને મોક્ષમાર્ગથી વિપરીત પ્રવૃત્તિ પ્રત્યે અસહિષ્ણુતારૂપ દ્વેષ ઉપયોગમાં વર્તતો હોવાથી, અતિચારના પરિવાર માટેનો અને લક્ષ્ય તરફ જવા માટેનો યત્ન થાય છે. આ પ્રકારના પ્રશસ્ત રાગ-દ્વેષના ઉપયોગથી સાધકને સદનુષ્ઠાન કરવા માટે અનુકૂળ એવી પુણ્યપ્રકૃતિનું સર્જન થાય છે, જે પુણ્યાનુબંધી પુણ્ય અન્ય ભવમાં પણ સદનુષ્ઠાન કરવા માટે ઉત્તમ સંઘયણબળ, ઉત્તમ મનુષ્યભવ અને યોગમાર્ગને અનુકૂળ અનેક ભૌતિક સામગ્રીની પ્રાપ્તિનું કારણ બને છે, અને ઘાતિકર્મના વિગમનથી આત્મામાં થયેલી શુદ્ધિ ઉત્તર ઉત્તર ભૂમિકામાં જવા માટે પ્રબળ કારણ બને છે. ૧૦ll અવતરણિકા : પાંચ આશયોમાંથી પ્રણિધાનઆશયનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : प्रणिधानं क्रियानिष्ठमधोवृत्तिकृपानुगम् । परोपकारसारं च चित्तं पापविवर्जितम् ।।११।। અન્વયાર્થ : પ્રળિથાનં પ્રણિધાન ક્રિયનિષ્ઠ ક્રિયાલિષ્ઠ છે ક્રિયાવિષયક છે, અથવૃત્તિકૃપાનુ=પોતાનાથી નીચેની ભૂમિકામાં રહેલા જીવોમાં કૃપાવાળું પરોપારસાણં પરોપકારસાર ચ=અને પાપવિવનિતચિત્ત પાપવિવજિત ચિત્ત છે. ૧૧II Page #46 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણ દ્વાત્રિશિકા/શ્લોક-૧૧ ૨૭ શ્લોકાર્ય : પ્રણિધાન ક્રિયાવિષયક છે, પોતાનાથી નીચેની ભૂમિકામાં રહેલા જીવોમાં કૃપાવાળું, પરોપકારસાર અને પાપવર્જિત ચિત્ત છે. ||૧૧|| ટીકા : प्रणिधानमिति-प्रणिधानं क्रियानिष्ठं=अधिकृतधर्मस्थानादविचलितस्वभावं, अधोवृत्तिषु-स्वप्रतिपन्नधर्मस्थानादधस्ताद्वर्तमानेषु प्राणिषु, कृपानुगं करुणान्वितं, न तु हीनगुणत्वेन तेषु द्वेषसमन्वितं, परोपकारसारं च-परार्थनिष्पत्तिप्रधानं च, चित्तं पापविवर्जितं सावधपरिहारेण निरवद्यवस्तुविषयम् ।।११।। ટીકાર્ચ - પ્રથાનં ..... નિરવદ્યવસ્તુવિષયમ્ | (૧) પ્રણિધાનઆશય - | (i) પ્રણિધાન ક્રિયાનિષ્ઠ છે=અધિકૃત ધર્મસ્થાનથી અવિચલિત સ્વભાવવાળું છે અર્થાત ક્રિયાથી નિપ્પાઘ એવો જે અધિકૃત ધર્મ, એ ધર્મસ્થાનથી અવિચલિત સ્વભાવવાળું છે અર્થાત્ તે ધર્મસ્થાનની નિષ્પત્તિ માટેના લક્ષ્યને ભૂલ્યા વિના તેને અનુરૂપ ક્રિયામાં યત્ન કરે તેવા સ્વભાવવાળું છે. (ii) અધોવૃત્તિમાં રહેલા=પોતાના સ્વીકારાયેલા ધર્મસ્થાનથી નીચેના ધર્મસ્થાનમાં રહેલા પ્રાણીઓમાં કૃપાનુi=કરુણાવિત, એવું ચિત્ત હોય છે અર્થાત્ હું એવું કરું કે જેથી આ લોકોને પણ મારી જેમ ઉપરનાં ધર્મસ્થાન પ્રાપ્ત થાય !” તે પ્રકારના અધ્યવસાયવાળું ચિત્ત હોય છે, પરંતુ હીતગુણપણું હોવાને કારણે તેઓમાં-પોતાના સ્વીકૃત ધર્મસ્થાનથી નીચેના ધર્મસ્થાનમાં રહેલા પ્રાણીઓમાં, દ્વેષથી યુક્ત ચિત્ત હોતું નથી, અને (ii) પરોપકારસારપરાર્થનિષ્પત્તિપ્રધાન અર્થાત્ પોતાનાથી કોઈનું પણ આત્મકલ્યાણના કારણીભૂત હિત થતું હોય તો તેની નિષ્પત્તિમાં પ્રધાન ચિત્ત છે. આ પ્રણિધાનઆશય સંસારની પ્રવૃત્તિવિષયક ગ્રહણ કરવાનો નથી, પરંતુ ધર્મની પ્રવૃત્તિવિષયક ગ્રહણ કરવાનો છે. તેથી કહે છે – Page #47 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ ૨૮ (iv) પાપવર્જિત ચિત્ત છે-સાવધના પરિહાર દ્વારા નિરવદ્ય વસ્તુવિષયવાળું ચિત્ત છે. ।।૧૧|| ભાવાર્થ : (૧) પ્રણિધાનઆશય :- આ આશયવાળું ચિત્ત કેવું હોય ? તે ચાર વિશેષણ દ્વારા બતાવ્યું છે : (૨) યિનિષ્ઠ (૨) અધોવૃત્તિવાનુ ં (૩) પરોપજારસારં (૪) પાવિર્ઘાનતમ્, પ્રણિધાનઆશયવાળા ચિત્તનાં આ ચાર વિશેષણોમાં ‘અધોવૃત્તિકૃપાનુાં' અને ‘પરોવવ્હારસારં’ એ બે વિશેષણો પ્રણિધાન કરવા માટેની યોગ્યતાને બતાવે છે, ‘પાર્ષાવનિતં’ એ વિશેષણ સંસારક્રિયાવિષયક પ્રણિધાનની વ્યાવૃત્તિને કરનારું છે, અને ‘પ્રિયનિષ્ઠ’ વિશેષણ ક્રિયામાં લક્ષ્યને અનુરૂપ પ્રણિધાન છે, તે બતાવે છે. તે આ રીતે – (૨) ઝિયાનિષ્ઠ : ક્રિયાથી જે ધર્મસ્થાન પેદા કરવાનું છે, તે લક્ષ્યને ભૂલ્યા વિના તેને અનુરૂપ પ્રવૃત્તિ થાય તેવા સંકલ્પરૂપ પ્રણિધાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કાર્યનો અર્થી ફળરૂપ લક્ષ્ય નક્કી કરે છે, ત્યારપછી લક્ષ્યને અનુરૂપ ક્રિયા કરવામાં જે માનસયત્ન કરે છે, તે પ્રણિધાન છે. જેમ શ્રાવક મોક્ષના ઉપાયભૂત સર્વવિરતિની પ્રાપ્તિનું લક્ષ્ય નક્કી કરી ભગવાનની પૂજા કરે, ત્યારે તેનો મનોભાવ એ હોય છે કે “આ દ્રવ્યસ્તવનું સેવન સર્વવિરતિરૂપ ભાવસ્તવનું કારણ છે, માટે હું આ ભગવાનની પૂજારૂપ દ્રવ્યસ્તવ એવી રીતે કરું કે જેથી આ પૂજા મારા માટે ભાવસ્તવરૂપ સંયમની પ્રાપ્તિનું કારણ બને અને સંયમને અનુકૂળ નિર્લેપ ચિત્ત નિષ્પન્ન થાય.” તે આ રીતે - શ્રાવક, ભગવાનની સિદ્ધઅવસ્થાને તત્ત્વકાયઅવસ્થારૂપે જુએ છે, ભગવાનની તીર્થસ્થાપના વખતની અવસ્થા કે સમવસરણમાં ઉપદેશ આપતી અવસ્થાને કર્મકાયઅવસ્થારૂપે જુએ છે અને ભગવાનની પૂર્વની છદ્મસ્થઅવસ્થાને સાધકઅવસ્થારૂપે જુએ છે. પૂજા કરતાં આ અવસ્થાઓ ભાવતાં તેનો ઉપયોગ એ હોય કે “ભગવાન આ રીતે સાધના કરી વીતરાગ બન્યા ત્યારે અપાયાપગમાતિ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૯ યોગલક્ષણદ્વાäિશિકા/શ્લોક-૧૧ શયાદિ ચાર અતિશયવાળા હોવાથી સન્માર્ગને સ્થાપન કરી જગત ઉપર ઉપકાર કર્યો અને અંતે સિદ્ધઅવસ્થાને પામ્યા. મારે પણ તે અવસ્થા પ્રાપ્ત કરવી છે, માટે ભગવાનના વચનાનુસાર હું પણ સર્વવિરતિની શક્તિને અનુરૂપ સામર્થ્યવાળો થાઉં અને ભગવાનની તે રીતે પૂજા કરું કે ભગવાનની અવસ્થાથી ભાવિત ચિત્ત સંવૃતભાવને પામે=સંયમને અનુકૂળ સંવરભાવને પામે અને મને સર્વવિરતિની પ્રાપ્તિ થાય.” આવા ઉપયોગપૂર્વક દ્રવ્યસ્તવ દ્વારા સર્વવિરતિની ભૂમિકાને અનુકૂળ તેનો યત્ન થતો હોય તો તે ક્રિયા પ્રણિધાનઆશયવાળી થાય. જે સાધકો ક્રિયાના પ્રારંભથી ક્રિયાની નિષ્ઠા સુધી લક્ષ્યને અનુરૂપ આવું પ્રણિધાન ટકાવી શકતા નથી, તેઓનું પ્રણિધાન ત્રુટિવાળું હોય છે, શિથિલ મૂળવાળું હોય છે; પરંતુ જે સાધકો ક્રિયાના પ્રારંભથી નિષ્ઠાપર્યત લક્ષ્યને અનુરૂપ સંકલ્પ કરી યત્ન કરે છે, તેઓની ક્રિયા સુપ્રણિધાનવાળી કહેવાય છે. (૨) અઘોવૃત્તિપાનુi : સામાન્ય રીતે જીવો પોતાનાથી હીનગુણી જીવો પ્રત્યે તિરસ્કારના સ્વભાવવાળા હોય છે. જેમ સુખી માણસ માગનારા પ્રત્યે તિરસ્કારના સ્વભાવવાળો હોય છે, તેમ પોતે જે ધર્મસ્થાન સ્વીકાર્યું છે, તે ધર્મસ્થાન જે જીવોએ સ્વીકાર્યું નથી, તેઓના પ્રત્યે હીનપણાની બુદ્ધિને કારણે તિરસ્કારનો ભાવ વર્તે તો તે દોષ છે. તેથી ધર્મક્ષેત્રમાં તેવા દોષવાળો જીવ પારમાર્થિક પ્રણિધાનઆશય કરી શકે નહીં. તેથી પ્રણિધાનઆશયવાળો જીવ પોતે સ્વીકારેલ ધર્મસ્થાનથી હીન ભૂમિકાના ધર્મસ્થાનમાં વર્તનારા જીવો પ્રત્યે કરુણાબુદ્ધિવાળો થાય અને વિચારે કે તેઓને પણ મારી જેમ સુંદર ધર્મસ્થાન પ્રાપ્ત થાઓ' અને પોતાનાથી હીન પ્રકારના ધર્મ કરનારાને માર્ગમાં લાવવો શક્ય ન હોય તો તેને માર્ગમાં લાવવા પ્રયત્ન ન પણ કરે, પરંતુ દૈષ કરે નહીં. (૩) પરોપારસાર : વળી યોગમાર્ગમાં જેમ હનગુણી જીવો પ્રત્યે કરુણાની અપેક્ષા છે, તેમ જીવમાત્ર પ્રત્યે પરોપકારકરણની વૃત્તિની પણ અપેક્ષા છે. તેથી કોઈપણ જીવ હોય અને પોતાનાથી તેનું હિત થતું હોય તો શક્ય પ્રયત્ન કરે, તેવું ઉત્તમ પ્રકૃતિવાળું ચિત્ત પ્રણિધાનઆશયમાં અપેક્ષિત છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ 30 (૪) વિત્ત પાપવિવનિત : યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ પ્રણિધાનઆશયમાં પાપવર્જિત ચિત્ત હોય છે અર્થાત્ સાવઘના પરિહારથી નિરવદ્ય વસ્તુવિષયક ચિત્ત હોય છે. આશય એ છે કે સંસારી જીવો સંસારવિષયક કોઈપણ ક્રિયા કરતા હોય, તેમાં જે પ્રણિધાન વર્તતું હોય, તેવા પ્રણિધાનને આ પ્રણિધાનઆશયમાં ગ્રહણ કરવાનું નથી; કેમ કે તે પ્રણિધાન સાવદ્ય વસ્તુવિષયક છે. અહીં યોગમાર્ગમાં ઉપયોગી એવો પ્રણિધાનઆશય ગ્રહણ કરવો છે. તેથી સંસારની પ્રવૃત્તિમાં વર્તતા પ્રણિધાનના પરિહાર અર્થે કહ્યું કે ‘સાવદ્યના પરિહારપૂર્વક નિરવદ્ય વસ્તુવિષયક ચિત્ત' પ્રણિધાનઆશયમાં હોય છે. જેમ કોઈ સાધક સાધર્મિકવાત્સલ્યની ક્રિયા કરે તો તે ક્રિયા બાહ્ય રીતે આરંભ-સમારંભવાળી છે, તોપણ ‘આ ગુણવાન જીવોની ભક્તિ કરીને હું મારા આત્માનો નિસ્તાર કરું.' આ પ્રકારના નિરવઘ પરિણામવાળું ચિત્ત હોય તો આવા પ્રકારની સાધર્મિકવાત્સલ્યની ક્રિયા પ્રણિધાનઆશયવાળી બને છે. તેથી તે સાધર્મિકવાત્સલ્યની ક્રિયા યોગરૂપ બને છે; અને સાધર્મિક-વાત્સલ્યાદિમાં જેવી ભોજનાદિ અર્થે આરંભ-સમારંભની પ્રવૃત્તિ છે, તેવા જ પ્રકારની આરંભસમારંભવાળી પ્રવૃત્તિ પોતાના કુટુંબ-સ્વજનાદિ અર્થે કરતા હોય ત્યારે, ‘હું આ કુટુંબીઓ આદિને સારી રીતે જમાડીને સારી પ્રતિષ્ઠા આદિ પ્રાપ્ત કરું’ આવા પ્રકારનો કોઈક માન-ખ્યાતિનો આશય વર્તે છે, તેથી તે પ્રવૃત્તિ યોગરૂપ નથી. જ્યારે સાધર્મિકવાત્સલ્યમાં નિવદ્ય વસ્તુવિષયક ચિત્ત હોય તો યોગરૂપ બને, નહીંતર તે પણ ન બને. ઉપર્યુક્ત પ્રણિધાનઆશયમાં વર્તતા ચાર વિશેષણવાળા ચિત્ત પૈકી ‘-ધોવૃત્તિપાનુાં' અને 'પરોપવારસારૂં' એ બે વિશેષણો પ્રણિધાનઆશયને અનુકૂળ એવું નિર્મળ ચિત્ત પેદા કરનાર છે. જેની પાસે આવું ચિત્ત સર્વથા નથી, તે જીવો પ્રણિધાન માટે અનધિકારી છે. વળી પોતાનાથી હીનગુણી જીવો પ્રતિ કરુણાવાળા અને જીવમાત્ર પ્રત્યે પરોપકાર કરવાની વૃત્તિવાળા એવા પણ જીવો, ક્વચિત્ નિમિત્ત પામીને વિપરીત ભાવ કરનારા પણ બને છે. આમ છતાં ઉપદેશાદિ સાંભળે કે કોઈ નિમિત્તને પામે ત્યારે આ બે પ્રકારના ચિત્તની નિષ્પત્તિ કરવાની . Page #50 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિશિકા/શ્લોક-૧૧-૧૨ ૩૧ રુચિ થતી હોય તો તે અંશથી જીવમાં યોગ્યતા છે, અને જે જીવોએ આ બે પ્રકારના ચિત્તના ભાવો પ્રકૃતિરૂપે કર્યા છે, તેઓ પ્રણિધાનઆશય કરવા માટે વિશેષ રીતે યોગ્ય છે. તેથી આ બે પ્રકારના ચિત્તના ભાવો સાક્ષાત્ પ્રણિધાનની ક્રિયામાં જોડાયેલા નથી, પરંતુ પ્રણિધાનની ક્રિયા લક્ષ્યને અનુરૂપ બને તેને અનુકૂળ એવા ચિત્તરૂપ આ બે ભાવો છે. ||૧૧| અવતરણિકા : પ્રણિધાનઆશય પછી ક્રમ પ્રાપ્ત પ્રવૃત્તિઆશયને બતાવે છે – શ્લોક : प्रवृत्तिः प्रकृतस्थाने यत्नातिशयसम्भवा । अन्याभिलाषरहिता चेतःपरिणतिः स्थिरा ।।१२।। અન્વયાર્થ: પ્રવૃતિસ્થાને-પ્રકૃતિ સ્થાનમાં અધિકૃત ધર્મના વિષયમાં રત્નતિશયસમવા= યત્રાતિશયથી થનારી ગમતાષરહિત અન્ય અભિલાષથી રહિત સ્થિર વેત પરિતિઃ=ચિત્તની સ્થિર પરિણતિ પ્રવૃત્તિ =પ્રવૃત્તિ છે=પ્રવૃત્તિઆશય છે. I૧૨ શ્લોકાર્ય : અધિકૃત ધર્મસ્થાનમાં યત્નાતિશયથી થનારી, અન્ય અભિલાષાથી રહિત, ચિતની સ્થિર પરિણતિ પ્રવૃતિ છે અર્થાત્ પ્રવૃત્તિઆશય છે. ll૧રા ટીકા : प्रवृत्तिरिति-प्रवृत्तिः प्रकृतस्थाने अधिकृतधर्मविषये, यत्नातिशयसम्भवा= पूर्वप्रयत्नाधिकोत्तरप्रयत्नजनिता, अन्याभिलाषेण अधिकृतेतरकार्याभिलाषेण रहिता, चेतसा अन्तरात्मनः परिणतिः, स्थिरा-एकाग्रा, स्वविषय एव यत्नातिशयाज्जाता तत्रैव च तज्जननीत्यर्थः ।।१२।। ટીકાર્ય : પ્રવૃત્તિ: ..... તન્નાનાર્થઃ | Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ યોગલક્ષણદ્વાચિંશિકા/બ્લોક-૧૨ (૨) પ્રવૃત્તિ આશય : પ્રકૃતિ સ્થાનમાં અધિકૃત ધર્મના વિષયમાં, યત્નાતિશયથી થનારી=પૂર્વ પ્રયત્નથી અધિક એવા ઉત્તર પ્રયત્નથી જનિત, અન્ય અભિલાષથી રહિત અધિકૃતથી ઈતર કાર્યના અભિલાષથી રહિત, ચિતની અંતરાત્માની, સ્થિર એકાગ્ર, પરિણતિ પ્રવૃત્તિ છે. શ્લોકનો અર્થ કર્યા પછી આખા કથનનો ફલિતાર્થ બતાવે છે – સ્વવિષયમાં જ જે ક્રિયામાં પ્રવૃત્તિઆશય વર્તે છે તે ક્રિયાના વિષયમાં જ, યત્રાતિશયથી થયેલી, અને તેમાં જ–તે ક્રિયામાં જ, તન્નનનીeતે ધર્મસ્થાનને પેદા કરનારી, પ્રવૃત્તિ-પ્રવૃત્તિઆશય છે, એમ અવય છે. ll૧૨ાા. ભાવાર્થ :(૨) પ્રવૃત્તિ આશય : યોગમાર્ગની વૃદ્ધિ કરે તેવા ધર્મસ્થાનને વિષે કોઈ સાધક મહાત્મા શાસ્ત્રવિધિના જ્ઞાનપૂર્વક યત્નાતિશયથી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે, જો તેમના ચિત્તની પરિણતિ ક્રિયાકાળમાં તે ક્રિયાથી અન્ય સર્વ અભિલાષથી રહિત હોય, અને એકાગ્રતાપૂર્વક લક્ષ્યની નિષ્પત્તિને અનુકૂળ શક્તિના અતિશયથી પ્રયત્ન થતો હોય તો તે પ્રવૃત્તિઆશય છે. જેમ સાધુને પ્રતિલેખનાની ક્રિયા પોતાનામાં વર્તતા સમભાવની વૃદ્ધિ અર્થે કરવાની છે, અને જે સાધુ પોતાનામાં વર્તતા સમભાવની વૃદ્ધિ અર્થે શાસ્ત્રવિધિના બોધપૂર્વક શક્તિના પ્રકર્ષથી ઉપયુક્ત થઈને તે ક્રિયા કરતા હોય, ત્યારે તેની ચિત્તની પરિણતિ તે ક્રિયાથી અન્યત્ર કોઈપણ ઇન્દ્રિયના વિષયમાં ઉપયોગવાળી ન હોય, અને એકાગ્રતાપૂર્વક લક્ષ્યને અનુરૂપ ચિત્તની પરિણતિ વર્તતી હોય, તો તે પ્રવૃત્તિઆશય છે. આવા પ્રકારના પ્રવૃત્તિઆશયથી કરાયેલી ક્રિયાથી પૂર્વમાં પોતાનામાં જે સમભાવનો પરિણામ વર્તતો હતો તે સમભાવનો પરિણામ અતિશયિત થાય છે. તેથી પ્રવૃત્તિઆશયથી ક્રિયા કરીને સાધુ સંયમના કંડકસ્થાનોમાં વૃદ્ધિવાળા બને છે. પ્રણિધાનઆશય અને પ્રવૃત્તિઆશયના ફળનો ભેદ – જોકે પ્રણિધાનઆશયથી પણ સંયમની ક્રિયા કરીને સાધુ સંયમના કંડકસ્થાનોમાં વૃદ્ધિવાળા બને છે, છતાં પ્રણિધાનઆશય સુપ્રણિધાનવાળો હોય તોપણ Page #52 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨-૧૩ 33 પ્રવૃત્તિઆશયની જેમ યત્નાતિશયવાળો નથી, અને પ્રવૃત્તિઆશયની જેમ પ્રણિધાનઆશયમાં લક્ષ્યને અનુરૂપ એકાગ્રતા નથી, તેથી પ્રણિધાનઆશયથી સંયમની વૃદ્ધિ થાય છે, તેના કરતાં પ્રવૃત્તિઆશયથી સંયમના કંડકોની વૃદ્ધિ ઘણી થાય છે. [૧૨] અવતરણિકા : પ્રવૃત્તિઆશય પછી ક્રમપ્રાપ્ત વિઘ્નજયઆશયને બતાવે છે શ્લોક ઃ बाह्यान्तर्व्याधिमिथ्यात्वजयव्यङ्ग्याशयात्मकः । कण्टकज्वरमोहानां जयैर्विघ्नजयः समः ।।१३।। અન્વયાર્થ: વાદ્યાન્નધિમિથ્યાત્વનયવ્યક્ યાશયાત્મ:=બાહ્ય વ્યાધિના=બાહ્ય વિઘ્નના જયથી, અંતર્થાધિના=અંતર વિઘ્નના જયથી, મિથ્યાત્વના જયથી જણાતા આશયસ્વરૂપ ટળ્વરમોદાનાં નયે સમઃ=કંટક, જ્વર=તાવ અને મોહના જય સમાન વિઘ્નનય: વિધ્વજય છે-વિઘ્નજયઆશય છે. ।।૧૩।। શ્લોકાર્થ : - બાહ્ય વ્યાધિના જયથી અર્થાત્ બાહ્ય વિઘ્નના જયથી, અંતર્વાધિના જયથી, મિથ્યાત્વના જયથી જણાતા આશયસ્વરૂપ, કંટક, જ્વર અને મોહના જય સમાન વિધ્વજય છે અર્થાત્ વિઘ્નજયઆશય છે. ।।૧૩। ટીકા ઃ बाह्येति- बाह्यव्याधयः शीतोष्णादयः अन्तर्व्याधयश्च ज्वरादयः मिथ्यात्वं भगवद्वचनाश्रद्धानं, तेषां जय: - तत्कृतवैक्ल्व्यनिराकरणं तद्व्यङ्ग्याशयात्मकः कण्टकज्वरमोहानां जयैः समो विघ्नजयः, इत्थं च हीनमध्यमोत्कृष्टत्वेनास्य त्रिविधत्वं प्रागुक्तं व्यक्तीकृतं, तथाहि कस्यचित्पुंसः कण्टकाकीर्णमार्गावतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुः, तद्रहिते तु पथि प्रवृत्तस्य निराकुलं गमनं सञ्जायते, एवं कंटकविघ्नजयसमः प्रथमो विघ्नजयः, तथा तस्यैव Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૩ ज्वरवेदनाभिभूतशरीरस्य विह्वलपादन्यासस्य निराकुलं गमनं चिकीर्षोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादप्यधिको ज्वरविघ्नः, तज्जयस्तु निराकुलप्रवृत्तिहेतुः, एवं ज्वरविघ्नजयसमो द्वितीयो विघ्नजयः, तस्यैव चाध्वनि जिगमिषोदिङ्मोहकल्पो मोहविघ्नः तेनाभिभूतस्य प्रेर्यमाणस्याप्यध्वनीनैर्न गमनोत्साहः कथंचित्प्रादुर्भवति, तज्जयस्तु स्वरसतो मार्गगमनप्रवृत्तिहेतुः, एवमिह मोहविघ्नजयसमस्तृतीयो विघ्नजयः इति फलैकोत्रेयाः खल्वेते ।।१३।। ટીકાર્ય : વર્થિવ્યાપ: ..... રવન્ટેતે | (૩) વિષ્ણજય આશય : ઠંડી, ગરમી આદિ બાહ્ય વ્યાધિઓ, તાવ વગેરે અંતવ્યધિઓ અને ભગવાનના વચનમાં અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ, તેઓનો જય બાહ્ય વ્યાધિઓનો, અંતર્થાધિઓનો અને મિથ્યાત્વનો જય તિવૃતવૈવનિરીવાર અર્થાત્ લક્ષ્યને અનુરૂપ કરાતી ક્રિયામાં વિધ્વથી થતી વિકલતાનું નિરાકરણ, તેનાથી વ્યંગ્ય આશયાત્મક તે નિરાકરણથી જણાતા અધ્યવસાયસ્વરૂપ, કંટક, જવર અને મોહતા જય સમાન વિધ્વજય છે; અને આ રીતે કંટક, જવર અને મોહના જય સમાન વિધ્વજય છે એ રીતે, હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટપણા વડે, આવું વિધ્વજયનું, પૂર્વમાં કહેલું ગાથાના પૂર્વાર્ધમાં કહેલું, ત્રિવિધપણું વ્યક્ત કરાયું. કંટક, જ્વર અને મોહના જેવાં ત્રણ પ્રકારનાં વિઘ્નો છે, એ ‘તથદિ' થી બતાવે છે -- તે આ પ્રમાણે – કંટકથી વ્યાપ્ત માર્ગમાં અવતીર્ણ=પ્રવેશેલા, એવા કોઈક પુરુષને કંટકનું વિઘ્ન વિશિષ્ટ ગમનમાં વિઘાતનું કારણ છે, વળી તેનાથી રહિતરકંટકથી રહિત, માર્ગમાં પ્રવૃત્તિને નિરાકુળ ગમત થાય છે. એ રીતેત્રમાર્ગમાં જનારને જેમ કંટકવિધ્વજય માર્ગગમનનો હેતુ છે એ રીતે, (i) કંટકવિધ્વજયની સમાન પ્રથમ વિધ્વજય છે=બાહ્ય વ્યાધિતા જયરૂપ વિધ્વજય છે. અને Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩પ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૩ (i) તાવની વેદનાથી અભિભૂત શરીરવાળા, વિઠ્ઠળ પગલાં મૂકનારા, નિરાકુળ ગમનને ઈચ્છવા છતાં પણ તેને નિરાકુળ ગમન કરવાને, અસમર્થ એવા તેને જ=તે પુરુષને જ, કંટકવિધ્વથી પણ અધિક તાવનું વિધ્ધ છે, અને તેનો જય જવરવિધ્યનો જય, નિરાકુળ પ્રવૃત્તિનું કારણ છે. એ રીતે માર્ગમાં જતારને જેમ વરવિધ્વજય માર્ગગમનનો હેતુ છે એ રીતે, જ્વવિધ્વજય સમાન દ્વિતીય વિધ્વજય છે-અંતર્થાધિરૂપ વિAજય છે. અને (iii) માર્ગે જવાની ઈચ્છાવાળા એવા તેને જ તે પુરુષને જ, દિમોહ સમાન મોહવિષ્મ છે. તેનાથી મોહવિતથી, અભિભૂત થયેલા તેને પથિકો વડે પ્રેરાતા છતાં પણ કોઈ રીતે જવાનો ઉત્સાહ ઉત્પન્ન થતો નથી. વળી તેનો જયનમોહવિષ્મતો જય, સ્વરસથી સ્વઈચ્છાથી, માર્ગગમનની પ્રવૃત્તિનું કારણ છે. એ રીતેત્રમાર્ગમાં જનારને જેમ દિમોહવિધ્વજય માર્ગગમનનો હેતુ છે એ રીતે, અહીં યોગમાર્ગમાં, મોહવિધ્વજય સમાન ત્રીજો વિધ્વજય છે-મિથ્યાત્વજયરૂપ વિધ્વજય છે. રૂતિ એ પ્રમાણે =આeત્રણે વિધ્વજય, પૌંન્નેવા: એકમાત્ર ફળથી જણાય છે અર્થાત્ વિધ્યોથી ખૂલતા પામેલ પ્રવૃત્તિઆશય ફરી ચાલુ થવારૂપ ફળ દ્વારા જણાય છે. [૧૩ના ભાવાર્થ - (૩) વિષ્ણજય આશય - યોગમાર્ગમાં પ્રવૃત્તને વિપ્નો આવે છે ત્યારે પ્રવૃત્તિ સ્કૂલના પામે છે. એ વિઘ્નો ત્રણ પ્રકારનાં છે અને એ ત્રણ પ્રકારનાં વિક્નોના જયથી યોગમાર્ગની ખલિત થયેલી પ્રવૃત્તિ પણ ફરી શરૂ થાય છે. તે દૃષ્ટાંતથી બતાવે છે. જેમ કોઈ પુરુષ ઉપદ્રવવાળા નગરમાં વસતો હોય, તેથી તેને છોડીને કોઈક ઉપદ્રવ વગરના નગર તરફ જવાના અભિલાષવાળો હોય, અને તેને જ્ઞાન થયું કે “અમુક નગર તદ્દન ઉપદ્રવ વગરનું છે; કેમ કે ત્યાં સુરાજ્ય પ્રવર્તે છે અને પોતે જે નગરમાં છે ત્યાં કુરાજ્ય પ્રવર્તે છે, તેથી તે નગર તરફ જવા માટે પ્રસ્થિત એવા તે પુરુષને કોઈ વિઘ્ન ન આવે તો સુખપૂર્વક તે ઇષ્ટ સ્થાનરૂપ સુરાજ્યમાં પહોંચી શકે છે; પરંતુ તે પુરુષને માર્ગમાં જતાં વિઘ્નો આવે તો ત્રણ પ્રકારનાં વિક્નોનો સંભવ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧૩ (i) કંટકવિઘ્ન :- માર્ગે જતાં માર્ગ કંટકાકીર્ણ હોય તો જધન્ય વિઘ્ન ઉપસ્થિત થાય છે. તેથી જો કાંટારૂપ વિઘ્ન દૂર ન કરે તો ગમનક્રિયા કરી શકે નહીં. તેથી તેને દૂર કરે=કંટકરૂપ વિઘ્નનો જય કરે, તો નિરાકુળ ગમન થઈ શકે. (ii) જ્વરવિઘ્ન :- માર્ગે જતાં જ્વર આવે તો મધ્યમ વિઘ્ન ઉપસ્થિત થાય છે. તેથી ઇષ્ટ સ્થાને પહોંચવાની ઇચ્છાવાળો હોવા છતાં પગ લથડિયાં ખાવાથી ગમનક્રિયા કરી શકે નહીં. તેથી જો ઔષધાદિનું સેવન કરી તે જ્વર દૂર કરે તો નિરાકુળ ગમન થઈ શકે. (iii) મોહવેિદન :- જો માર્ગ જતાં કોઈકને કંટકવિઘ્ન પણ ન હોય, જ્વરવિઘ્ન પણ ન હોય, આમ છતાં તે નગર તરફ જવાની દિશામાં ભ્રમ પેદા થાય તો ઉત્કૃષ્ટ વિઘ્ન ઉપસ્થિત થાય છે. તેથી તે નગર તરફ જવાનો માર્ગ કયો છે, તેમાં તેની મતિ ભ્રમિત થઈ જાય છે, ગમનનો ઉત્સાહ થતો નથી. તેવા સમયે સાચા માર્ગનો નિર્ણય કરવાનો ઉપાય કોઈક સુયોગ્ય પુરુષ પાસેથી માર્ગ જાણવા માટેનો યત્ન છે. જો એ રીતે પ્રયત્ન કરે અને માર્ગનો નિર્ણય કરે તો ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરી તે નિરુપદ્રવ નગરરૂપ ઇષ્ટ સ્થાનમાં નિરાકુળ ગમન કરી પહોંચી શકે છે. આ ત્રણ પ્રકારનાં વિઘ્નોનો ઉચિત ઉપાયો દ્વારા જય કરવામાં આવે તો માર્ગગમનની પ્રવૃત્તિ નિરાકુળ ત્વરિત થઈ શકે છે અને ઇષ્ટ સ્થાનમાં પહોંચી શકે છે. યોગમાર્ગમાં પ્રસ્થિત જીવને પણ નિરુપદ્રવ નગર જેવો મોક્ષ દેખાય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય એક શમપરાયણ માર્ગ દેખાય છે. તે ઉપાયમાં શાસ્ત્રવચનાનુસાર સન્ક્રિયાઓના અવલંબનથી તે પ્રવૃત્ત હોય; આમ છતાં તેને યોગમાર્ગમાં કંટક, જ્વર અને મોહસમ ત્રણ વિઘ્નો આવી શકે છે અને તેનો જય કરી ફરી પ્રવૃત્તિ શરૂ થઈ શકે છે. (i) બાહ્ય વ્યાધિઓનો જય :- યોગમાર્ગમાં પ્રસ્થિત સાધકને કંટકવિઘ્ન સમાન શરીરને બાધક એવા ઠંડી-ગરમી આદિ સંયોગો ઉપસ્થિત થાય તો તેની અંતરંગ સુદૃઢ પ્રવૃત્તિમાં સ્ખલના થવાથી અનુષ્ઠાનનું સેવન કરવા છતાં પણ અંતરંગ શમપરાયણ માર્ગમાં યત્ન થઈ શકતો નથી. તેથી વિઘ્નભૂત એવા Page #56 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૩ ૩૭ ઠંડી-ગરમી આદિ ઉપસર્ગો તિતિક્ષા ભાવનાથી=ઠંડી-ગરમી આદિ પ્રત્યે ઉપેક્ષા થાય તે પ્રકારના પદાર્થના ચિતવનથી કોઈક રીતે દૂર કરવામાં આવે તો શમપરાયણ માર્ગમાં ફરી નિરાકુળ પ્રવૃત્તિ થાય છે. | (ii) અંતર્થાધિઓનો જય :- યોગમાર્ગમાં પ્રસ્થિત કોઈ સાધકને રવિપ્ન સમાન અસહ્ય મહાવ્યાધિ થાય તો સદનુષ્ઠાનના અવલંબનથી શમપરાયણ માર્ગમાં થતી સુદઢ પ્રવૃત્તિમાં સ્કુલના થાય છે, સુદઢ યત્નની ઇચ્છા છતાં યત્ન કરી નિરાકુળ ગમન કરી શકતો નથી. વિદ્યમાન શમપરાયણ માર્ગ પ્રકર્ષને પામે તેના માટે તેણે આવેલ તે વિપ્નને દૂર કરવા હિતાવાર-મિતાહાર આદિ ઉપાયો દ્વારા તે રોગને દૂર કરવા યત્ન કરવો જોઈએ. વળી ક્વચિત્ બળવાન કર્મ હોય અને હિતાહાર-મિતાહારથી પણ રોગ ન મટે તો “આ રોગ દેહને બાધક છે, મને બાધક નથી અર્થાત્ મારા આત્માને કંઈ પીડા કરી શકતો નથી.” તે પ્રકારનું સૂક્ષ્મ પર્યાલોચન કરીને અંતરંગ શક્તિ સંચય કરે અને સંચિત શક્તિના બળથી શરીરની શિથિલતા હોવા છતાં જો શમપરાયણ માર્ગમાં યત્ન કરી શકે તો ફરી નિરાકુળ ગમન થાય. (iii) મિથ્યાત્વજય - યોગમાર્ગમાં પ્રસ્થિત કોઈક સાધકને મોહવિપ્ન સમાન દિગૂમોહ થાય તો શમપરાયણ માર્ગમાં કઈ રીતે યત્ન કરવો ? તેની દિશા જ સૂઝતી નથી. તેથી લક્ષ્ય નક્કી છે છતાં લક્ષ્યની દિશા જ સૂઝતી ન હોવાથી તે તરફ જવાનો યત્ન થતો નથી. ત્યારે પણ ક્વચિત્ તે પુરુષ બાહ્ય ક્રિયા કરતો પણ હોય, અને નિરુત્સાહી થઈને તે ક્રિયા ન પણ કરતો હોય, પરંતુ દિમોહ હોવાને કારણે લક્ષ્ય તરફ જવાની પ્રવૃત્તિ થતી નથી. તેથી જેમ ઇષ્ટ પુર તરફ જતા પથિકને દિગમોહ થાય ત્યારે માર્ગના જાણકારને પૂછી યોગ્ય નિર્ણય કરી યત્ન કરે તો ગમનનો પ્રારંભ થાય, તેમ મોક્ષ તરફ જવાનો માર્ગ સર્વજ્ઞના વચનો બતાવે છે, તેથી સર્વજ્ઞના વચનના પરમાર્થના જાણ એવા યોગી પુરુષ પાસેથી તે સાધક દિશાનો નિર્ણય કરીને આગળ જવાના માર્ગનો સ્પષ્ટ બોધ કરી શકે, તો ફરી ગમનનો પ્રારંભ થાય. સમ્યગૂ ઉપાયથી આ ત્રણે પ્રકારનાં વિદ્ગોમાંથી ઉપસ્થિત થયેલ કોઈપણ વિપ્નનો જય થયો છે કે કેમ તેનો નિર્ણય નિરાકુળ માર્ગની પ્રવૃત્તિ ફરી શરૂ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ યોગલક્ષણદ્વાચિંશિકા/બ્લોક-૧૩-૧૪ થાય તેનાથી થાય છે. પરંતુ તે નિરાકુળ ગમનની પ્રવૃત્તિ ન થઈ હોય, અને જઘન્ય વિદનની ઉપસ્થિતિ સમયે તિતિક્ષા ભાવના કરી હોય, મધ્યમ વિપ્નની ઉપસ્થિતિ વખતે હિતાહાર-મિતાહાર આદિ દ્વારા વર દૂર કર્યો હોય અને ઉત્કૃષ્ટ વિજ્ઞની ઉપસ્થિતિ સમયે ઉચિત માર્ગ જાણવા માટેના ઉપાયમાં યત્ન કર્યો હોય; આમ છતાં, ઉપરના શમપરાયણ માર્ગમાં નિરાકુળ ગમન થઈ શકે તે રીતે અનુષ્ઠાનોમાં યત્ન ન થતો હોય, તો વિધ્વજય થયો છે તેમ કહી શકાય નહીં. II૧૩il અવતરાણિકા – વિધ્વજયઆશય પછી ક્રમ પ્રાપ્ત સિદ્ધિઆશયને કહે છે – શ્લોક : सिद्धिस्तात्त्विकधर्माप्तिः साक्षादनुभवात्मिका । कृपोपकारविनयान्विता हीनादिषु क्रमात् ।।१४।। અન્વયાર્થ: #મ િ=ક્રમથી ઢીનાવિહીનાદિમાં, કૃપાપાનિયાન્વિતા કૃપા, ઉપકાર અને વિનયથી યુક્ત સાક્ષાદિનુમવાત્મિસાક્ષાત્ અનુભવ સ્વરૂપ તાત્ત્વિઘર્માપ્તિ =તાત્વિક ધર્મની પ્રાપ્તિ સિદ્ધ=સિદ્ધિ છેકસિદ્ધિઆશય છે. ll૧૪. બ્લોકાર્ય : ક્રમથી હીનાદિમાં કૃપા, ઉપકાર અને વિનયથી યુક્ત, સાક્ષાત્ અનુભવ સ્વરૂપ તાત્વિક ધર્મની પ્રાપ્તિ સિદ્ધિ છે અર્થાત્ સિદ્ધિઆશય છે. II૧૪ ટીકા : सिद्धिरिति-सिद्धिः तात्त्विकस्याभ्यासशुद्धस्य, न त्वाभ्यासिकमात्रस्य धर्मस्याहिंसादेः, आप्तिः=उपलब्धिः, साक्षाद्=अनुपचारेण, अनुभवात्मिका आत्मन Page #58 -------------------------------------------------------------------------- ________________ 36 યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૪ आत्मना संवित्तिरूपा ज्ञानदर्शनचारित्रैकमूर्तिका, हीनादिषु क्रमात् कृपोपकारविनयान्विता, हीने कृपान्विता, मध्यमे उपकारान्विता, अधिके च विनययुक्ता ।।१४।। ટીકાર્ચ - સિદ્ધિઃ .. વિનયયુI IT (૪) સિદ્ધિઆશય : તાત્વિક=આભ્યાસિકમાત્ર નહીં, પરંતુ અભ્યાસશુદ્ધ એવા અહિંસાદિ ધર્મની પ્રાપ્તિ-ઉપલબ્ધિ, સિદ્ધિ છે સિદ્ધિઆશય છે. વળી સિદ્ધિ કેવી છે ? તે સ્પષ્ટ કરે છે -- આત્મા વડે આત્માની સંવિત્તિરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર એકમૂર્તિક અર્થાત એક સ્વરૂપ, સાક્ષાત્ –અનુપચારથી, અનુભવાત્મિકા અનુભવ સ્વરૂપ, સિદ્ધિ છે. વળી તે સિદ્ધિ કેવી છે ? તે સ્પષ્ટ કરે છે -- હીનાદિમાં ક્રમથી કૃપા, ઉપકાર અને વિનયથી યુક્ત છે હીતમાં કૃપાયુક્ત, મધ્યમમાં ઉપકારયુક્ત અને અધિકમાં વિતયયુક્ત સિદ્ધિ છે. ૧૪ ભાવાર્થ : (૪) સિદ્ધિઆશય :- પ્રવૃત્તિઆશયવાળા સાધક કોઈ વિઘ્ન ઉપસ્થિત થાય તો સમ્યગુ યત્નપૂર્વક તે વિઘ્નનો જય કરે છે, ત્યાર પછી તેની યોગમાર્ગમાં નિરાકુળ પ્રવૃત્તિ થાય છે, અને યોગમાર્ગમાં કરાયેલી નિરાકુળ પ્રવૃત્તિ સિદ્ધિરૂપ ફળમાં પર્યવસાન પામે છે ત્યારે જીવને સિદ્ધિઆશય આવે છે. તે સિદ્ધિઆશય આભ્યાસિક ક્રિયારૂપ નથી, પરંતુ અભ્યાસશુદ્ધ ક્રિયા છે=અભ્યાસથી શુદ્ધ એવા અહિંસાદિ ધર્મસ્થાનની પ્રાપ્તિરૂપ છે. તેનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – આ સિદ્ધિઆશયમાં જે અહિંસાદિ ધર્મસ્થાનની પ્રાપ્તિ થાય છે તે સાક્ષાત્ અનુભવ સ્વરૂપ છે. જેમ સંયમનું પાલન કરતાં કરતાં યોગી અસંગભાવમાં આવે છે ત્યારે આત્માના પ્રયત્નથી આત્માની રત્નત્રયીની પરિણતિનો સાક્ષાત્ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ અનુભવ કરે છે અર્થાત્ ત્યારે ભગવાનના વચનના સ્મરણના બળથી રત્નત્રયીમાં યત્ન થતો નથી, પરંતુ રત્નત્રયીની એકતા આત્મા સાથે થયેલી હોવાથી આત્માનો શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ સહજ ભાવે પ્રવર્તે છે. તેથી જેમ ચંદનમાં સહજ ગંધ પ્રવર્તે છે, તેમ તેવા યોગીમાં સર્વત્ર નિર્લેપદશારૂપ જ્ઞાનનો ઉપયોગ સહજ પ્રવર્તે છે, જે રત્નત્રયીની એકતારૂપ છે અર્થાત્ નિર્વિકલ્પજ્ઞાનના ઉપયોગરૂપ છે. અહીં “સાક્ષાત્' કહેવાથી એ કહેવું છે કે ભગવાનના વચનના બળથી જે સાધુઓ રત્નત્રયીમાં યત્ન કરે છે, તેઓમાં ભગવાનના વચનના રાગથી કરાતા રત્નત્રયીના આચારો દ્વારા રત્નત્રયીનો અનુભવ છે, તેમ કહેવાય; પણ અહીં ભગવાનના વચનનો રાગ પ્રવર્તક નથી, પરંતુ જીવની પ્રકૃતિ જ રત્નત્રયીના ઉપયોગમાં પ્રવર્તે છે. તેથી સાક્ષાત્ અનુભવ સ્વરૂપ રત્નત્રયીની પરિણતિ છે. આવા સિદ્ધિઆશયવાળા યોગીઓ શુદ્ધ સામાયિકના પરિણામવાળા હોવાથી ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે; કેમ કે સામાયિકનો પરિણામ પત્તપદાઈi a'sઉચિત પ્રવૃત્તિપ્રધાન હોય છે. તેથી સિદ્ધિઆશયવાળા યોગીઓ હનગુણી જીવોમાં કુપાયુક્ત હોય છે, મધ્યમગુણી જીવોમાં ઉપકારયુક્ત હોય છે અને પોતાનાથી અધિક ગુણોવાળાઓમાં વિનયથી યુક્ત હોય છે. તેથી જગતના જીવમાત્ર પ્રત્યે ઉચિત પ્રવૃત્તિ કરનારા બને છે. ll૧૪ll અવતરણિકા :સિદ્ધિઆશય પછી ક્રમ પ્રાપ્ત વિનિયોગઆશયને કહે છે – શ્લોક : अन्यस्य योजनं धर्मे विनियोगस्तदुत्तरम् । कार्यमन्वयसंपत्त्या तदवन्ध्यफलं मतम् ।।१५।। અન્વયાર્થ : તત્તરં વાર્થ તેનું સિદ્ધિનું ઉત્તર કાર્ય કન્યસ્થ ઘર્ષે યોનનં-બીજાને ધર્મમાં યોજન વિનિયોગ:=વિનિયોગ છે વિનિયોગઆશય છે. તે તે=અન્યને ધર્મમાં યોજન, અર્ચયસંપા=અવયસંપત્તિથી વચ્ચત્ન અવંધ્ય ફળવાળું મતzકહેવાયું છે. ૧૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/બ્લોક-૧૫ શ્લોકાર્થ : સિદ્ધિનું ઉત્તર કાર્ય, અન્યનું ધર્મમાં યોજન, વિનિયોગ છે અર્થાત્ વિનિયોગઆશય છે. તે=અન્યને ધર્મમાં યોજન, અન્વયસંપત્તિથી અવંધ્ય ફળવાળું કહેવાયું છે. ।।૧૫।। ટીકા ઃ अन्यस्येति - अन्यस्य - स्वव्यतिरिक्तस्य, योजनं धर्मेऽहिंसादौ विनियोगः, तदुत्तरं = सिद्धयुत्तरं कार्यं, तदन्वयसंपत्त्या = अविच्छेदसिद्ध्या, अवन्ध्यफलम् = अव्यभिचारिफलं मतं, स्वपरोपकारबुद्धिलक्षणस्यानेकजन्मान्तरसन्ततोद्बोधेन प्रकृष्टधर्मસ્થાનાવાપ્તિ,તુત્વાત્ III ટીકાર્થ = अन्यस्य વાપ્તિદેતુત્વાત્ । અન્યT=અન્યનું=સ્વવ્યતિરિક્તનું, અહિંસાદિ ધર્મમાં યોજન તવુત્તર=સિદ્ધિનું ઉત્તર કાર્ય વિનિયોગ છે. તે=અન્યનું ધર્મમાં યોજન, અન્વયસંપત્તિથી=અવિચ્છેદ સિદ્ધિથી અવંધ્ય ળવાળુંઅવ્યભિચારી ફળવાળું અર્થાત્ નિયમથી ક્ષાયિકભાવની પ્રાપ્તિરૂપ ફળવાળું મનાયું છે; કેમ કે સ્વપરઉપકારબુદ્ધિ સ્વરૂપ વિનિયોગનું, અનેક જન્માંતરમાં સંતાનના ઉદ્બોધ વડે પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું હેતુપણું છે. ૧૫ ૪૧ નોંધ :- ટીકામાં ‘સન્તતોવ્યોધન’ ના સ્થાને ‘સંતાનોવ્યોધન’ પાઠની સંભાવના છે, અને ‘સન્નતોોધન’ પાઠ ગ્રહણ કરવો હોય તો સતત ઉદ્બોધન વડે એમ અર્થ કરી યોજન કરવું. ભાવાર્થ : (૫) વિનિયોગઆશય :- સિદ્ધિઆશયની પ્રાપ્તિ થયા પછી પ્રાપ્ત થયેલા ધર્મસ્થાનનું યોગ્ય જીવોમાં યોજન ક૨વાનો અધ્યવસાય વિનિયોગઆશય છે, અને આ વિનિયોગઆશયથી કરાતું ધર્માનુષ્ઠાન વિનિયોગ કરનારને અન્વયસંપત્તિ દ્વારા અર્થાત્ અનેક ભવો સુધી તે અનુષ્ઠાનની અવિચ્છેદ પ્રાપ્તિ દ્વારા, નિયમા ક્ષાયિકભાવની પ્રાપ્તિરૂપ ફળનું કારણ છે; કેમ કે સ્વપરનો ઉપકાર કરવાની બુદ્ધિ વિનિયોગઆશયમાં છે, અને આ વિનિયોગઆશયથી કરાયેલું ધર્માનુષ્ઠાન Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫ અનેક જન્મો સુધી પ્રવાહરૂપે પ્રાપ્ત થઈને પ્રકૃષ્ટ એવા ક્ષાયિકભાવના ધર્મસ્થાનની પ્રાપ્તિનો હેતુ છે. સર્વવિરતિરૂપ યોગની પ્રવૃત્તિમાં પ્રણિધાનાદિઆશયનું યોજન :-- પ્રસ્તુત બત્રીશીમાં યોગના લક્ષણને કહેવાય છે, અને યોગ મોક્ષની સાથે યોજન કરનાર રત્નત્રયીની પરિણતિરૂપ છે. આ રત્નત્રયીની પરિણતિને અતિશયિત કરવા અર્થે કરાતી ઉચિત ક્રિયામાં પ્રણિધાનાદિ પાંચ આશયો સર્વવિરતિધર એવા સાધકમાં કઈ રીતે ક્રમબદ્ધ પ્રગટ થાય છે અને કેવા પ્રકારે કાર્ય કરે છે તે અહીં બતાવાય છે -- કોઈ સાધક સાધુધર્મની યોગ્યતા નિષ્પન્ન કરવા અર્થે સાધુધર્મનું ભાવન કરે અને સાધુધર્મની યોગ્યતા પ્રગટ્યા પછી ઉચિત વિધિપૂર્વક સંયમ ગ્રહણ કરે, તો ભાવથી સંયમની પ્રાપ્તિ થાય, ત્યારે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળું માનસ પ્રગટે છે, જેથી તે સાધકના મન-વચન અને કાયાના યોગો સંપૂર્ણ સંવૃત થાય છે. તેથી અવિરતિથી આવતાં કર્મોનું આગમન અટકે છે. આવા સાધક સંયમ ગ્રહણ કર્યા પછી પ્રથમ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં યત્ન કરીને સંયમનાં કંડકોની વૃદ્ધિ અર્થે યત્ન કરે, ત્યારે પરિપૂર્ણ શાસ્ત્રાનુસારી સંયમયોગની પ્રવૃત્તિ ન કરી શકે તો પ્રણિધાનઆશયપૂર્વક ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા સંયમનાં કંડકોની વૃદ્ધિ થાય છે, છતાં હજુ તેવો દઢ યત્ન ઉલ્લસિત ન થવાથી તેવા મહાત્માઓને પ્રવૃત્તિઆશય આવતો નથી; તોપણ ભગવાનના વચનનું અવલંબન લઈને સંવેગની વૃદ્ધિ થાય તે રીતે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં યત્ન કરતા હોય તો ક્રમે કરીને પ્રણિધાનઆશયમાંથી પ્રવૃત્તિઆશય પ્રગટે, ત્યારે પ્રણિધાનઆશયથી જે પ્રકારના સંવેગની વૃદ્ધિ થતી હતી, તેના કરતાં પ્રવૃત્તિઆશયથી અતિશયિત સંવેગની વૃદ્ધિ થાય છે. વળી, કોઈ સાધક સંયમ ગ્રહણની સાથે જ શાસ્ત્રાનુસારી સંયમયોગમાં યત્ન કરી શકે તો સંયમના સ્વીકારથી જ પ્રવૃત્તિઆશય આવી શકે છે. આ રીતે પ્રણિધાનઆશયપૂર્વક અથવા પ્રવૃત્તિઆશયપૂર્વક સંયમમાં પ્રવૃત્ત સાધકને પણ ત્રણ પ્રકારનાં વિઘ્નોમાંથી કોઈક વિઘ્ન ઉપસ્થિત થાય તો યોગમાર્ગની પ્રવૃત્તિનો બાધ થાય છે, અને તે સાધક ઉચિત ઉપાયો દ્વારા વિઘ્નનો જય કરે ત્યારે Page #62 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫-૧૬ સ્ખલના પામેલી તે પ્રવૃત્તિનો પુન: પ્રારંભ થાય છે, જેથી પૂર્વની જેમ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા ઉત્તરોત્તર સંયમનાં કંડકોની વૃદ્ધિ થવા માંડે છે. આ રીતે પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિઘ્નજયઆશયપૂર્વક અભ્યાસના અતિશયથી તે રત્નત્રયીની પરિણતિ ચંદનગંધન્યાયથી જીવની પ્રકૃતિરૂપ બને છે, ત્યારે અસંગભાવવાળા એવા તે સાધક સિદ્ધિયોગને પ્રાપ્ત કરે છે, જે સિદ્ધિયોગકાળમાં ભગવાનના વચનના અવલંબન વગર સહજભાવથી શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે અર્થાત્ શુદ્ધ જ્ઞાનના ઉપયોગ સ્વરૂપ રત્નત્રયીની પરિણતિ વર્તે છે. તે વખતે જે સંયમસ્થાનમાં યત્ન વર્તે છે, તે સિદ્ધિઆશયપૂર્વકની ક્રિયા છે. ૪૩ આવા સિદ્ધિઆશયવાળા સાધક પણ પોતાનામાં પ્રગટ થયેલ રત્નત્રયીની પરિણતિનું પરમાં નિયોજન ક૨વા યત્ન કરે, તે વખતે તેમનામાં વિનિયોગઆશય પ્રગટે છે; અને તે વિનિયોગઆશયપૂર્વકની પોતાનામાં વર્તતી રત્નત્રયીની પરિણતિને અનુકૂળ જે ઉચિત ક્રિયાઓ થાય છે, તે વિનિયોગઆશયપૂર્વકની ક્રિયા છે; અને વિનિયોગઆશયપૂર્વકની કરાયેલી ક્રિયાઓ પાત થયા વગર અન્ય ભવોમાં અવિચ્છિન્ન રીતે યોગમાર્ગની પ્રાપ્તિ કરાવીને ક્ષાયિકભાવરૂપ રત્નત્રયીની પરિણતિને પ્રાપ્ત કરાવે છે. II૧૫॥ અવતરણિકા : ગાથા-૯માં કહેલ કે પ્રણિધાનાદિઆશયના અભાવને કારણે એક પણ ક્રિયા તત્ત્વથી સુંદર નથી. તેથી જિજ્ઞાસા થાય કે પ્રણિધાનાદિઆશય શું છે ? માટે ગાથા-૧૦ થી ૧૫ સુધી પ્રણિધાનાદિ પાંચ આશયો બતાવ્યા. હવે પ્રણિધાનાદિઆશય વિનાની ક્રિયા શુભ કેમ નથી ? તે બતાવે છે - શ્લોક ઃ एतैराशययोगैस्तु विना धर्माय न क्रिया । प्रत्युत प्रत्यपायाय लोभक्रोधक्रिया यथा । ।१६।। અન્વયાર્થ: તેરશયયોઔસ્તુ વિના=વળી આ પ્રણિધાનાદિ આશયના યોગ વિતા= આશયના સંબંધ વિના યિા=ધર્માનુષ્ઠાનની આચરણા, ધર્માય ન=ધર્મ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ યોગલક્ષણદ્વાત્રિંશિકા/બ્લોક-૧૬ માટે નથી, પ્રત્યુત=ઊલટું પ્રત્યપાવાવ=પ્રત્યપાય માટે છે. યથા=જેમ તોમોòયા-લોભ-ક્રોધની ક્રિયા પ્રત્યપાય માટે છે. ||૧૬|| શ્લોકાર્થ : વળી આપ્રણિધાનાદિ આશયના સંબંધ વિના ધર્માનુષ્ઠાનની આચરણા ધર્મ માટે નથી, ઊલટું પ્રત્યપાય માટે છે. જેમ લોભ-ક્રોધની ક્રિયા પ્રત્યપાય માટે છે. II૧૬।। ટીકા ઃ एतैरिति एतैः प्रणिधानादिभिः, आशययोगैस्तु विना धर्माय न क्रिया प्रत्युतान्तर्मालिन्यसद्भावात्प्रत्यपायाय- इष्यमाणप्रतिपक्ष बाह्यकायव्यापाररूपा, विघ्नाय यथा लोभक्रोधक्रिया कूटतुलादिसंग्रामादिलक्षणा । तदुक्तं - “ तत्त्वेन तु पुनर्नैकाप्यत्र धर्मक्रया मता । તત્પ્રત્યાવૃિત્ત્તા વિવખ્યાતોમાષ્ઠા યથા" ।। ટીકાર્ય : एतैः યથા' ।। આ=પ્રણિધાનાદિ, આશયના યોગ વિના-આશયના સંબંધ વગર, બાહ્ય કાયવ્યાપારરૂપ ક્રિયા ધર્મ માટે નથી, ઊલટું અંદરમાં મલિતતાનો સદ્ભાવ હોવાથી પ્રત્યપાય માટે છે=રૂમાળપ્રતિપક્ષવિનાય= આ ક્રિયાથી ઇચ્છાતાં નિર્જરારૂપ ફળતા કે મોક્ષરૂપ ળના પ્રતિપક્ષરૂપ વિઘ્નની પ્રાપ્તિ માટે છે. જેમ ખોટા તોલ આદિ લોભક્રિયા અને સંગ્રામાદિ સ્વરૂપ ક્રોધક્રિયા પ્રત્યપાયને માટે છે. ..... (યોગવિન્તુ શ્લો-૧૨) TIÆTT તે કહેવાયું છે=ગાથામાં કહ્યું તે, ‘યોગબિંદુ' શ્લોક-૯૨માં કહેવાયું છે - “જેમ લોભ-ક્રોધની ક્રિયા ધર્મક્રિયા નથી, તે પ્રમાણે તત્ત્વથી=તત્ત્વવૃત્તિથી, વળી અહીં=મલિન અન્તરાત્માથી કે અનાભોગવાળા પુરુષથી કરાયેલી ધર્મક્રિયામાં, એક પણ ધર્મક્રિયા મનાઈ નથી જ; કેમ કે તત્પ્રવૃત્તિ આદિનું વૈગુણ્ય છેતેમાં પ્રવૃત્તિ આદિ આશયનો અભાવ છે.” (યોગબિંદુ-૯૨) ।૧૬।। Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૫ યોગલક્ષણદ્વાચિંશિકા/બ્લોક-૧૬-૧૭ ક ઉદ્ધરણમાં 'તું' શબ્દ ‘વાર' અર્થમાં છે અને તેનું યોજન ‘ન' સાથે છે. - ‘ફૂટતુર્ના” અહીં ‘’ થી ખોટા માપનું ગ્રહણ કરવું. “સંગ્રામ' અહીં ‘’ થી બોલાચાલી, મારામારીનું ગ્રહણ કરવું. તત્રવૃર્ચાર' અહીં 'મ' થી વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગઆશયનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પ્રણિધાનાદિ આશય વિનાની ધર્મક્રિયા સંસારની અન્ય ક્રિયા સદશ : કોઈ માણસ સંસારમાં લોભને વશ થઈને ખોટા તોલ આદિની ક્રિયા કરતો હોય અને ક્રોધને વશ થઈને સંગ્રામાદિ કરતો હોય તો તે ક્રિયા જેમ ધર્મક્રિયા નથી, તેમ પ્રણિધાનાદિ આશય વગર ધર્મઅનુષ્ઠાનરૂપ બાહ્યક્રિયાઓ કરવામાં આવે તે પણ ધર્મક્રિયા નથી, પરંતુ ધર્મક્રિયાકાળમાં કીર્તિ આદિની સ્પૃહારૂપ અંદરમાં માલિન્યનો સદ્ભાવ હોવાથી કે અનાભોગરૂપ માલિત્યનો સદુભાવ હોવાથી પ્રણિધાનાદિ આશય વગરની ક્રિયાઓ અનર્થ માટે છે. અર્થાત્ તે ક્રિયાઓ દ્વારા જે મોક્ષ કે નિર્જરારૂપ ફળ ઇચ્છાય છે તેના બદલે તેના પ્રતિપક્ષભૂત કર્મબંધની પ્રાપ્તિરૂપ વિપ્નોની પ્રાપ્તિ થાય છે. તેથી તે ક્રિયાઓના બળથી જ યોગમાર્ગની પ્રાપ્તિ દુર્લભ બને છે. જેમ સંસારી જીવો ખોટા તોલ આદિની ક્રિયાઓ કરીને સંસારવૃદ્ધિ કરે છે, જેના કારણે સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ થાય છે, તેમ ધર્માનુષ્ઠાન પણ પ્રણિધાનાદિ આશય વગર કરવાથી સંસારવૃદ્ધિ થાય છે. II૧૬ના અવતરણિકા : ગાથા-૨માં કહ્યું કે ચરમપુદ્ગલપરાવર્તમાં યોગનો સંભવ છે અને ગાથા૩માં કહ્યું કે અચરમાવર્તમાં સન્માર્ગનું અભિમુખપણું પણ નથી. તે કેમ તથી ? તેનો વિસ્તાર ગાથા-૧૬ સુધી કર્યો. હવે તેનું નિગમન કરતાં અર્થાત્ ફલિતાર્થ બતાવતાં કહે છે – Page #65 -------------------------------------------------------------------------- ________________ ४५ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૭ श्योs : तस्मादचरमावर्तेष्वयोगो योगवर्त्मनः ।। योग्यत्वेऽपि तृणादीनां घृतत्वादेस्तदा यथा ।।१७।। मन्वयार्थ : तस्मात्=ते १२४थी अयरमावतभा प्रधाननो ममाव होवाथी अचरमावर्तेषु सयरमावर्तमा योगवर्त्मनः योगमा, योग्यत्वेऽपि-योग्य डोवा छतi ५। अयोग: अयो। छे=योगमान संभव छ. यथा हेम तृणादीनां घास माjि; तदात्यारे-धासमामा घृतत्वादेः-धीugu माहिनो भयोग छ. ।।१७।। सोडार्थ : તે કારણથી અચરમાવર્તમાં યોગમાર્ગનું યોગ્યપણું હોવા છતાં પણ અયોગ છે અર્થાત યોગમાર્ગનો અસંભવ છે, જે પ્રમાણે ઘાસ આદિનું; ત્યારે ઘાસઆદિકાળમાં, ઘીપણા આદિનો અયોગ છે. ll૧૬Iી. * योग्यत्वेऽपि' २८ अपि' थी हे छ पाएमा योग्य५j नथी, तेथी તેમાંથી ઘી બનતું નથી, પણ તૃણાદિમાં ઘીનું યોગ્યપણું હોવા છતાં પણ ઘીનો जयोग७. * तृणादीनां' मी आदि' थी पत्र-पुष्पानि । ४२j. * 'घृतत्वादः' 'आदि' थी ६५-६६ दिनुं । २j. टी। : तस्मादिति - तस्मात्-प्रणिधानाद्यभावात्, अचरमावर्तेषु योगवर्त्मनो= योगमार्गस्य अयोग: असम्भवः, योग्यत्वेऽपि योगस्वरूपयोग्यत्वेऽपि, तृणादीनां तदा-तृणादिकाले, यथा घृतत्वादेरयोगः, तृणादिपरिणामकाले तृणादेघृतादिपरिणामस्वरूपयोग्यत्वेपि घृतादिपरिणामसहकारियोग्यताभावाद्यथा न घृतादिपरिणामस्तथा प्रकृतेऽपि भावनीयं । अत एव सहकारियोग्यताभाववति तत्र काले कार्यानुपधानं तद्योग्यताभाववत्त्वेनैव साधयितुमभिप्रेत्याह हरिभद्रसूरिः ।। (योगबिंदौ ९३-९४ श्लोकयुगलं) Page #66 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/બ્લોક-૧૭ “तस्मादचरमावर्तेष्वध्यात्मं नैव युज्यते । कायस्थितितरोर्यद्वत्तज्जन्मस्वामरं सुखम् ।। तैजसानां च जीवानां भव्यानामपि नो तदा । યયા પરિર્ઝમત્યેવં નાન્યવા યોગસમ્ભવ:’।। (યોનિંકુ-૧૩-૧૪) કૃતિ ।।૨૭।। ટીકાર્યઃ ४७ तस्मात्=प्रणिधानाद्यभावात् યોસમ્ભવ:” ।। રૂતિ ।। તે કારણથી= પ્રણિધાનાદિનો અભાવ હોવાથી, અચરમાવર્તમાં યોગ્યપણું હોવા છતાં પણ=અચરમાવર્તમાં પણ જીવમાં યોગમાર્ગનું સ્વરૂપયોગ્યપણું હોવા છતાં પણ, યોવર્સ્વનઃ=યોગમાર્ગનો, અયોગ છે=અસંભવ છે, જે પ્રમાણે ઘાસ આદિનું; ત્યારે=ઘાસ આદિકાળમાં, ઘીપણા આદિનો અયોગ છે. દૃષ્ટાંતનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે તૃણાદિના પરિણામકાળમાં, તૃણાદિમાં ઘી આદિના પરિણામનું સ્વરૂપયોગ્યપણું હોતે છતે પણ તૃણાદિમાં ઘી આદિ પરિણામની સહકારીયોગ્યતાનો અભાવ હોવાથી, જેમ ઘી આદિ પરિણામ નથી; તેમ પ્રકૃતમાં પણ=અચરમાવર્તમાં પણ=અચરમાવર્તવાળા જીવમાં પણ, ભાવન કરવું જીવમાં યોગમાર્ગની યોગ્યતા હોવા છતાં પણ સહકારીયોગ્યતાનો અભાવ હોવાથી યોગમાર્ગનો અસંભવ છે, એમ વિચારવું. આથી જ=પૂર્વમાં સ્થાપત કર્યું કે અચરમાવર્તમાં જીવમાં સહકારીની યોગ્યતાનો અભાવ છે આથી જ, જીવની સહકારીયોગ્યતાના અભાવવાળા તે કાળમાં=અચરમાવર્તકાળમાં, કાર્યનું અનુપધાન=કાર્યની અપ્રાપ્તિ, તેની યોગ્યતાના=કાર્યની યોગ્યતાના, અભાવપણા વડે કરીને જ સાધવા માટેના અભિપ્રાયથી હરિભદ્રસૂરિ મહારાજ ‘યોગબિંદુ' શ્લોક-૯૩-૯૪માં કહે છે “યવ્રુત્=જેમ કાયસ્થિતિ વનસ્પતિને=અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળપર્યંત વનસ્પતિકાયમાં રહેનારી વનસ્પતિને, તે જન્મમાં=વનસ્પતિના જન્મમાં, અમરનું સુખ=દેવતાનું સુખ, નથી અર્થાત્ અમરના સુખના કારણ એવા અણુવ્રત-મહાવ્રતાદિનો તેઓમાં સદા અભાવ હોવાને કારણે દેવતાઈ સુખની પ્રાપ્તિ નથી; તેમ અચરમાવર્તમાં તે કારણથી=લોકપંક્તિમાત્ર ફળવાળી ધર્મક્રિયાનું અધર્મપણું હોવાથી અધ્યાત્મ ઘટતું જ નથી." (યોગબિંદુ-૯૩) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ યોગલક્ષણદ્વાર્કિંચિકા/શ્લોક-૧૭ “ભવ્ય પણ તેઉકાય જીવોને ત્યારે તેઉકાયના ભવમાં, જે પ્રમાણે ચારિત્ર નથી= મનુષ્યભવમાત્રની યોગ્યતા નહીં હોવાથી, અનંતર ભવમાં મનુષ્યપણાની પ્રાપ્તિ કરીને ચારિત્રનો સંભવ નથી, એ રીતે અન્યદા=અચરમાવર્તમાં, યોગનો સંભવ નથી.” (યોગબિંદુ-૯૪) ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૭મા ભાવાર્થ : ચરમાવર્તની બહારના જીવોને પ્રણિધાનાદિ આશયમાંથી કોઈ આશય આવતો નથી, એટલું જ નહીં પણ લક્ષ્યને અનુકૂળ પ્રણિધાનનો અલ્પ અંશ પણ આવતો નથી. તેથી અચરમાવર્તવાળા જીવોની ક્રિયાઓ સંવેગના અંશના સ્પર્શથી સર્વથા રહિત હોય છે. જોકે અચરમાવર્તવાળા જે ભવ્ય જીવો છે, તેમાં ત્યારે મોક્ષની યોગ્યતા રહેલી છે; તોપણ તેઓમાં સહકારીયોગ્યતાનો અભાવ છે, તેથી અચરમાવર્તકાળમાં તેમનામાં યોગમાર્ગનો સંભવ નથી. જેમ તૃણાદિકાળમાં તૃણમાં ઘીની સ્વરૂપયોગ્યતા હોવા છતાં પણ સહકારીયોગ્યતાનો અભાવ હોવાથી તણાદિમાં ઘીની પ્રાપ્તિનો સંભવ નથી, તેથી ઘીની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન થતો નથી; તેમ અચરમાવર્તવાળા જીવોમાં સહકારીયોગ્યતાનો અભાવ હોવાથી અધ્યાત્મની પ્રાપ્તિનો પ્રયત્ન થઈ શકતો નથી; કેમ કે સહકારીયોગ્યતાના અભાવે ઉપદેશાદિ સહકારી સામગ્રી દ્વારા પણ તેઓમાં રહેલ યોગમાર્ગનું યોગ્યત્વ વર્તમાનમાં અધ્યાત્મને પ્રગટ કરવા માટે અસમર્થ છે. સહકારીયોગ્યતા અને સ્વરૂપયોગ્યતાનું સ્વરૂપ આ પ્રમાણે છે -- (૧) સહકારીયોગ્યતા :- સહકારીના બળથી કાર્યને અભિમુખ થવાની ઉપાદાનકારણમાં રહેલી યોગ્યતા તે સહકારીયોગ્યતા છે. જેમ કે ચરમાવર્તવાળા જે જીવ મોક્ષે જવા માટે યોગ્ય છે, તેમને ઉપદેશાદિ સહકારી સામગ્રી મળે તો તેઓમાં રહેલું મોક્ષગમનયોગ્યત્વ ફળસન્મુખ પરિપાક થવા માંડે છે, તેથી તેઓમાં સહકારીયોગ્યતા છે. (૨) સ્વરૂપયોગ્યતા :- વર્તમાનમાં સહકારી સામગ્રીની પ્રાપ્તિ થાય તોપણ જે કાર્યસન્મુખ થાય તેમ નથી, તે સ્વરૂપયોગ્યતા; પરંતુ તેમાં રહેલું સ્વરૂપ યોગ્યત્વ ભાવિમાં સહકારીયોગ્યત્વને પામશે ત્યારે સહકારીના બળથી કાર્યને અભિમુખ Page #68 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણ દ્વાચિંશિકા/શ્લોક-૧૭-૧૮ ૪૯ પરિણમન પામશે. જેમ ચરમાવર્ત બહારના જીવોને ઉપદેશાદિ સહકારી સામગ્રી મળે તોપણ તેઓમાં રહેલું સ્વરૂપયોગ્યત્વ ફળને સન્મુખ પરિપાક પામતું નથી, માટે તેઓમાં સ્વરૂપ યોગ્યત્વ છે પણ સહકારીયોગ્યત્વ નથી; પરંતુ તેઓ ચરમાવર્તમાં આવશે ત્યારે તેમનામાં રહેલું સ્વરૂપયોગ્યત્વ સહકારીયોગ્યત્વને પામશે અને ઉપદેશાદિ સામગ્રીના બળથી ફળસન્મુખ પરિપાક પામશે. ll૧૭ના શ્લોક : नवनीतादिकल्पस्तच्चरमावर्त इष्यते । अत्रैव विमलो भावो गोपेन्द्रोऽपि यदभ्यधात् ।।१८।। અન્વયાર્થ :– તે તે કારણથી તૃણાદિમાં ઘી આદિનું યોગ્યપણું હોવા છતાં પણ તૃણાદિમાંથી ઘીનો સંભવ નથી. તેમ અચરમાવર્તમાં યોગનો સંભવ નથી તે કારણથી, નવનીતવિ7:=માખણ આદિ જેવો ઘરમાવર્ત =ચરમાવત રૂધ્યતે ઇચ્છાય છે. અત્રેવ=અહીં જ=ચરમાવર્તમાં જ, વિરત્નો માવો-વિમલ ભાવ ઉત્કટ મિથ્યાત્વમોહનીયકર્મની મંદતાથી જવ્ય ભવના તીવ્ર અભિળંગના અભાવરૂપ વિમલ ભાવ થાય છે, ત્ય ન્ટિજે કારણથી જોરેન્દ્રોડપિ ગમ્યથા–ગોપેન્દ્રએ પણ કહ્યું છે. ૧૮ શ્લોકાર્ચ - તે કારણથી માખણ આદિ જેવો ચરમાવર્ત ઈચ્છાય છે. અહીં જ અર્થાત્ ચરમાવર્તમાં જ, વિમલ ભાવ થાય છે, જે કારણથી ગોપેન્દ્રએ પણ કહ્યું છે. ll૧૮II ટીકા : नवनीतादीति-नवनीतादिकल्पो=घृतपरिणामनिबन्धननवनीतदधिदुग्धादितुल्यः, तत् तस्मात्, चरमावर्त इष्यते, योगपरिणामनिबन्धनं, अत्रैव-चरमावर्त एव विमलो भावो भवाभिष्वगाभावाद् भवति । यद्गोपेन्द्रोऽपि अभ्यधाद् મવેત્તરે ૨૮ . Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૦ યોગલક્ષણહાવિંશિકા/બ્લોક-૧૮ ટીકાર્ય : નવનીતાવિવલ્પો .. મમ્મઘાત્ મ ન્તરેT તે કારણથી તૃણાદિમાં ધી આદિનું યોગ્યપણું હોવા છતાં પણ તૃણાદિમાંથી ઘીનો સંભવ નથી તેમ અચરમાવર્તમાં યોગનો સંભવ નથી તે કારણથી, માખણ આદિ જેવો ઘીના પરિણામના કારણભૂત માખણ, દહીં, દૂધ આદિ તુલ્ય યોગપરિણામનું કારણ એવો ચરમાવર્ત ઈચ્છાય છે. અહીં જ ચરમાવર્તમાં જ, વિમલ ભાવ થાય છે; કેમ કે ભવના અભિન્કંગનો અભાવ છે=ભવતા કારણ પ્રત્યે ગાઢ રાગનો અભાવ છે; જે કારણથી ગોપેન્દ્રએ પણ ભંગ્યુંતરથી વિકલ્પાંતરથી, કહ્યું છે. ll૧૮|| ભાવાર્થ :નવનીત આદિ જેવો ચરમાવર્તકાળ : ચરમાવર્તની બહારના જીવોમાં કર્મનું અતિ જોર હોવાથી યોગમાર્ગની પ્રારંભિક ભૂમિકાને અનુકૂળ એવું પણ ચિત્ત પ્રગટ થતું નથી, પરંતુ જીવ ચરમાવર્તમાં આવે છે ત્યારે અત્યંત વિપર્યાસ આધાયક=અત્યંત વિપર્યાસ કરાવનાર, મિથ્યાત્વમોહનીય કર્મની મંદતા થવાથી કંઈક નિર્મળ ભાવ થાય છે. તેથી ગ્રંથકાર ચરમાવર્તન માખણ આદિ તુલ્ય કહે છે. જેમ ઘીની નિષ્પત્તિમાં માખણ, દહીં કે દૂધ કારણ બને છે અને કોઈ સમ્યગુ યત્ન કરે તો માખણ આદિમાંથી ઘી થઈ શકે છે, તેમ ચરમાવર્તમાં આવેલા જીવમાં મિથ્યાત્વની મંદતા થવાને કારણે યોગમાર્ગ નિષ્પન્ન થાય તેવો નિર્મળ ભાવ હોય છે, તેથી ઉપદેશાદિની સામગ્રી મળે તો યોગમાર્ગનો પ્રાદુર્ભાવ થઈ શકે; જ્યારે ચરમાવર્તની બહારના જીવોમાં સામગ્રીથી પણ યોગમાર્ગનો પ્રાદુર્ભાવ થાય નહીં, તેથી તેઓની ધર્મક્રિયા લોકપંક્તિથી થઈ શકે, પરંતુ મોક્ષનું કારણ બને નહીં. અહીં વિશેષ એ છે કે બાળક કેડબરીને પણ ખાતો હોય અને વિષ્ટા પણ મુખમાં નાખતો હોય, અને તેની મા વિષ્ટાને “છી-છી' કહે ત્યારે બાળક વિષ્ટાના ત્યાગને અભિમુખ કંઈક ભાવ થવાથી “આ છી છે' એમ બોલે છે; પરંતુ કેડબરી છોડાવવા માટે “છી-છી' કહે તો તે સાંભળે પણ નહીં, પરંતુ Page #70 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણહાવિંશિકાશ્લોક-૧૮-૧૯ પ૧ તેની પ્રાપ્તિ માટે જ જીદ રાખે છે. તેમ જે જીવોને ભવની ભોગસામગ્રી પ્રત્યે ગાઢ રાગ છે, તેઓને ભવની ભોગસામગ્રી વગરના મોક્ષ પ્રત્યે રુચિ થતી નથી; પરંતુ બાળકને કેડબરીનો ત્યાગ દ્વેષનો વિષય છે, તેમ ભવના ગાઢ રાગવાળા જીવોને મોક્ષ દ્વેષનો વિષય બને છે. ક્વચિત્, મોક્ષ પ્રત્યે દ્વેષ કરવાથી મારા ઇષ્ટફળનો વ્યાઘાત થશે તેવી શંકાથી દ્વેષ ન પણ કરે, પણ તે નિઃસાર લાગે છે. જેમ મનુષ્યને વિષ્ટા પ્રત્યે દ્વેષ થાય છે, તોપણ દ્વેષ કરવાથી મને પાપબંધ થશે તેવી બુદ્ધિ થાય તો વિષ્ટા પ્રત્યે દ્વેષ ન પણ કરે, તોપણ વિષ્ટા નિ:સાર જણાય છે, તેમ ભોગસામગ્રી વગરનો મોક્ષ નિ:સાર છે, તેવી સ્થિર બુદ્ધિ ચરમાવર્તની બહારના જીવોમાં હોય છે. તેથી મોક્ષના કારણભૂત યોગમાર્ગનો સંભવ ચરમાવર્તની બહાર થતો નથી. વળી જેમ બાળકને વિષ્ટા પ્રત્યે ખાવાનું વલણ છે, છતાં તેમાં તેનો કેડબરી જેવો ગાઢ રાગ નહીં હોવાથી ‘વિષ્ટા છી છે એમ માના વચનથી બાળક કંઈક સ્વીકારે છે; કેમ કે બાળકને વિષ્ટા પ્રત્યે ગાઢ આકર્ષણ નથી; તેમ ચરમાવર્તવ જીવો યોગીઓના ઉપદેશાદિ સાંભળવા દ્વારા “આ સંસારના ભાવો અસાર છે અને સંસારના ભાવોથી અતીત એવો મોક્ષ સાર છે' તેવું કંઈક સ્વીકારે છે, કારણ કે ચરમાવર્તવર્તી જીવોને ભોગસામગ્રી પ્રત્યે ગાઢ આકર્ષણ નથી; તેથી ભોગસામગ્રી વગરના મોક્ષ પ્રત્યે દ્વેષ થતો નથી, અને ઉપદેશાદિ દ્વારા વિશેષ બોધ થાય છે ત્યારે, ભોગને સંક્લેશરૂપે પણ જોઈ શકે છે અને ભોગના સંક્લેશ વગરના મોક્ષને સારરૂપે પણ જોઈ શકે છે. તેથી ચરમાવર્ત યોગપ્રાપ્તિ માટે અનુકૂળ કાળ છે. ટીકાના અંતમાં કહ્યું કે “ભંગ્યુંતરથી ગોપેન્દ્રએ પણ કહ્યું છે' - તેનો ભાવ એ છે કે ગ્રંથકારે ચરમાવર્તને નવનીતાદિ તુલ્ય કહ્યો, જ્યારે ગોપેન્દ્રએ નિવૃત્ત અધિકારવાળા એવા ચરમાવર્તમાં યોગમાર્ગની જિજ્ઞાસા થાય છે, એ રૂપ વિકલ્પાંતરથી ચરમાવર્તને બતાવેલ છે. II૧૮II અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ગોપેન્દ્રએ કહ્યું છે. તેથી હવે ગોપેન્દ્રએ શું કહ્યું છે? તે બતાવે છે – Page #71 -------------------------------------------------------------------------- ________________ પર યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૯ શ્લોક :__ अनिवृत्ताधिकारायां प्रकृतौ सर्वथैव हि । न पुंसस्तत्त्वमार्गेऽस्मिजिज्ञासापि प्रवर्तते ।।१९।। અન્વયાર્થ : સર્વથવ દિ=સર્વથા જ નિવૃત્તાવાર યાં પ્રવૃતો=અતિવૃતઅધિકારવાળી પ્રકૃતિ હોતે છતે પુસઃ=પુરુષને સ્પિનું તત્ત્વમા આ તત્વમાર્ગમાં યોગના સ્વરૂપને કહેવા માટે પ્રારંભ કરાયેલા એવા આ તત્વમાર્ગમાં, જિજ્ઞાસાgિ= જિજ્ઞાસા પણ ન પ્રવર્તત પ્રવર્તતી નથી. II૧૯I શ્લોકાર્ચ - સર્વથા જ અનિવૃતઅધિકારવાળી પ્રકૃતિ હોતે છતે, પુરુષને આ તત્ત્વમાર્ગમાં અર્થાત્ યોગને કહેવા માટે પ્રારંભ કરાયેલા એવા આ તત્વમાર્ગમાં, જિજ્ઞાસા પણ પ્રવર્તતી નથી. II૧૯ll નાપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અચરમાવર્તમાં યોગમાર્ગની પ્રવૃત્તિ તો દૂર રહી, પરંતુ યોગમાર્ગની જિજ્ઞાસા પણ થતી નથી. ટીકા : अनिवृत्तेति-अनिवृत्तः प्रतिलोमशक्त्यान्तरलीनोऽधिकारः पुरुषाभिभवनरूपो यस्यास्तस्यां प्रकृतौ, सर्वथैव हि सर्वैरेव प्रकारैः, अपुनर्बन्धस्थानस्याप्यप्राप्तावित्यर्थः, न-नैव पुंसः तत्त्वमार्गेऽस्मिन् वक्तुमुपक्रान्ते, जिज्ञासापि=ज्ञातुमिच्छापि, किं पुनस्तदभ्यास इत्यपिशब्दार्थः प्रवर्तते-सञ्जायते ।।१९।। ટીકાર્ચ - નિવૃત્ત. ..... સMાયતે | સર્વથા જ=સર્વ પ્રકારે જ, અનિવૃતઅધિકારવાળી પ્રકૃતિ હોતે છતે=પ્રતિલોમ શક્તિથી અંતર્લીન એવો પુરુષઅભિભવનરૂપ અધિકાર અનિવૃત્ત છે જેમાં એવી પ્રકૃતિ હોતે છતે અર્થાત્ અપુનબંધસ્થાનની પણ અપ્રાપ્તિ હોતે છતે, કહેવા માટે પ્રારંભ કરાયેલા આ તત્વમાર્ગમાં પુરુષને જિજ્ઞાસા પણ જાણવાની ઈચ્છા પણ, Page #72 -------------------------------------------------------------------------- ________________ પ3 યોગલક્ષણહાવિંશિકા/શ્લોક-૧૯ પ્રવર્તતી નથી જ-થતી નથી જ, તો તેના અભ્યાસમાં યોગમાર્ગના અભ્યાસમાં, પ્રવૃત્તિ કેવી રીતે થાય ? એ પ્રકારનો ‘મપિ' શબ્દનો અર્થ છે. ll૧૯I - “મપુનર્વસ્થાન ' અહીં ‘પ’ થી એ કહેવું છે કે સમ્યકત્વ આદિ તો મળ્યું નથી, પરંતુ અપુનબંધસ્થાનની પણ પ્રાપ્તિ નથી. ભાવાર્થ :તત્ત્વજિજ્ઞાસા ક્યારે ? - સાંખ્યદર્શન પ્રમાણે પ્રકૃતિમાંથી બુદ્ધિ, અહંકાર આદિના ક્રમથી ભાવો નીકળે છે, જે અનુલોમશક્તિથી પ્રકૃતિનાં કાર્યો છે, અને તે કાર્યો પ્રતિલોમશક્તિથી અર્થાત્ પાછળથી પૂર્વ પૂર્વમાં વિશ્રાંત થાય અને અંતે પ્રકૃતિમાં વિલય થાય, ત્યારે મોક્ષ થાય છે. તેથી પાછળનો ભાવ પૂર્વમાં વિશ્રાંત થાય તે પ્રતિલોમશક્તિ છે, જેમાં પુરુષથી પ્રકૃતિનો ક્રમસર અભિભવ થાય છે; અને અનાદિકાળથી પ્રકૃતિમાંથી ક્રમસર જે સર્વ ભાવો નીકળે છે તે અનુલોમશક્તિથી નીકળી પુરુષની શક્તિનો અભિભવ કરે છે, અને પ્રકૃતિથી અભિભવ પામેલો પુરુષ તત્ત્વાતત્ત્વનો વિચાર પણ કરતો નથી, પરંતુ પ્રકૃતિને જ અનુસરે છે, તેથી સંસારની અવિચ્છિન્ન ધારા ચાલે છે. આમ છતાં, પુરુષનો અભિભવ કરનારી પ્રકૃતિ પ્રતિલોમશક્તિથી કંઈક નિવર્તન પામે છે ત્યારે પુરુષને યોગમાર્ગની જિજ્ઞાસા પ્રગટે છે. તેથી ગોપેન્દ્ર કહે છે કે જ્યાં સુધી પ્રતિલોમશક્તિથી સર્વથા પ્રકૃતિનો અધિકાર પુરુષ ઉપરથી ગયો નથી, ત્યાં સુધી પુરુષ આ તત્ત્વમાર્ગમાં લેશ પણ જિજ્ઞાસા કરતો નથી, તો યોગમાર્ગનો અભ્યાસ તો તેને ક્યાંથી સંભવે ? આ અવસ્થા કઈ છે ? તે સ્પષ્ટ કરવા માટે ટીકાકારે કહ્યું કે અપુનબંધક સ્થાનની સર્વથા અપ્રાપ્તિ એ અનિવૃત્તઅધિકારવાળી પ્રકૃતિ છે. તેથી એ પ્રાપ્ત થયું કે ફરી ઉત્કટ કર્મ ન બાંધે તેવા સ્થાનની પ્રાપ્તિ તે નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ છે, અને તેવા સ્થાનની અપ્રાપ્તિ તે અનિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ છે. ૧૯II Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ યોગલક્ષણ દ્વાચિંશિકા/શ્લોક-૨૦ અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે આત્મા ઉપરથી પ્રકૃતિનો અધિકાર સર્વથા નિવૃત્ત થયો ન હોય તો પુરુષને તત્ત્વમાર્ગમાં જિજ્ઞાસા પણ થતી નથી. તે વાતને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – શ્લોક : साधिकारप्रकृतिमत्यावर्ते हि नियोगतः । पथ्येच्छेव न जिज्ञासा क्षेत्ररोगोदये भवेत् ।।२०।। અન્વયાર્થ: સથવારપ્રવૃતિમતાવર્તે દ=સાધિકાર પ્રકૃતિવાળો આવર્ત હોતે છતે જ= પ્રકૃતિનો આત્મા ઉપર અધિકાર વર્તતો હોય એવો અચરમાવર્તરૂપ આવર્ત હોતે છતે જ નિતિઃ =નક્કી ક્ષેત્ર -ક્ષેત્રરોગના ઉદયમાં=સર્વ રોગના આધારભૂત એવી રોગવાળી અવસ્થામાં, પથ્ય છેવ=પથ્યની ઇચ્છાની જેમ નિસાસા–તત્વમાર્ગને જાણવાની ઈચ્છા ન મ–થતી નથી. ૨૦ના શ્લોકાર્થ : સાધિકાર પ્રકૃતિવાળો આવર્ત હોતે છતે જ નક્કી ક્ષેત્રરોગના ઉદયમાં પથ્યની ઈચ્છાની જેમ તત્વમાર્ગને જાણવાની જિજ્ઞાસા થતી નથી. ll૨૦II ટીકા : साधिकारेति-साधिकारा पुरुषाभिभवप्रवृत्ता या प्रकृतिस्तद्वत्यावर्ते हि, नियोगतो निश्चयतः, जिज्ञासा-तत्त्वमार्गपरिज्ञानेच्छा न भवेत्, क्षेत्ररोगोदय इव पथ्येच्छा । क्षेत्ररोगो नाम रोगान्तराधारभूतः कुष्टादिरोगः, ततो यथा पथ्यापथ्यधीविपर्यासस्तथा प्रकृतेऽपि ।।२०।। ટીકાર્ચ - સfઘIRI ... પ્રકૃૉડપિ Nો સાધિકાર પુરુષના અભિભવમાં પ્રવૃત એવી પ્રકૃતિવાળું આવર્ત હોતે છતે જ નિયોગથી=નક્કી, જિજ્ઞાસા-તત્વમાર્ગને જાણવાની ઈચ્છા, થતી નથી. ક્ષેત્રરોગના ઉદયમાં પથ્ય ઈચ્છાની જેમ. Page #74 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૦ પપ ક્ષેત્રરોગ એટલે શું ? તે સ્પષ્ટ કરે છે – ક્ષેત્રરોગ એટલે રોગાન્તરના=અન્ય રોગોના, આધારભૂત કુષ્ટાદિ રોગ. તેનાથી-ક્ષેત્રરોગથી, જે પ્રમાણે પથ્યાપથ્યની બુદ્ધિનો વિપર્યાસ થાય છે, તે પ્રમાણે પ્રકૃતિમાં પણ=સાધિકાર પ્રકૃતિવાળા આવર્તમાં પણ, હિતાહિતની બુદ્ધિનો વિપર્યાસ થાય છે. ૨૦. ભાવાર્થ - ચરમાવર્તની બહાર તત્ત્વજિજ્ઞાસાનો અસંભવ : અનાદિકાળથી જીવ ઉપર પ્રકૃતિનો અધિકાર છે, તેથી કર્મરૂપ પ્રકૃતિ પુરુષની શક્તિનો અભિભવ કરે છે અને કર્મરૂપ પ્રકૃતિથી અભિભૂત થયેલો પુરુષ કર્મપ્રકૃતિની પ્રેરણા અનુસાર સર્વ પ્રવૃત્તિ કરીને સંસારને લીલોછમ રાખે છે. જ્યાં સુધી પુરુષ ઉપર પ્રકૃતિનો અધિકાર સર્વથા પ્રવર્તે છે, અર્થાત્ લેશ પણ પ્રકૃતિનો અધિકાર ઓછો થતો નથી, પરંતુ સર્વથા પ્રવર્તે છે, ત્યાં સુધી પુરુષ ચરમાવર્તની બહાર છે અને તે ચરમાવર્ત બહારની અવસ્થા સાધિકાર પ્રકૃતિવાળી છે. તે અવસ્થામાં જીવને તત્ત્વમાર્ગને જાણવાની ઇચ્છા થતી નથી અર્થાત્ મારા માટે હિતકારી તત્ત્વ શું છે ? અને તે તત્ત્વની પ્રાપ્તિનો ઉપાય શું છે ? તે જાણવાની જિજ્ઞાસા થતી નથી, પરંતુ પ્રકૃતિ જે પ્રકારની પ્રેરણા કરે તે પ્રમાણે પુરુષ પ્રવૃત્તિ કરે છે. જેમ કોઈને સર્વરોગના આધારભૂત એવો કુષ્ટાદિ રોગ થાય ત્યારે પથ્યાપથ્યમાં વિપર્યાસની બુદ્ધિ વર્તે છે અર્થાત્ અપથ્ય જ પથ્ય દેખાય છે અને પથ્ય અપથ્ય દેખાય છે, તેથી તેવા જીવોની અપથ્યસેવનની પ્રવૃત્તિ રોગવૃદ્ધિનું કારણ બને છે; તેમ ચરમાવર્ત બહારના જીવોમાં મારા માટે હિત શું છે ? અને અહિત શું છે ? તેના વિષયમાં વિપર્યાસ વર્તે છે; તેથી પોતાના માટે જે અહિતની પ્રવૃત્તિ છે તે હિતરૂપે દેખાય છે, અને જે હિતની પ્રવૃત્તિ છે તે અહિતરૂપે દેખાય છે. તેથી હિતરૂપ યોગમાર્ગને જાણવાની જિજ્ઞાસા થતી નથી, અને અહિતરૂપ એવા સંસારમાર્ગને ખીલવવામાં જ યત્ન થાય છે; અને આવા જીવો ક્વચિતું ધર્મઅનુષ્ઠાન સેવે તોપણ તેનું ધર્મઅનુષ્ઠાન સંસારમાર્ગને ખીલવવાનું કારણ બને તે રીતે જ તેઓ સેવે છે. ૨૦માં Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૬ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૧ અવતરણિકા : પૂર્વગાથામાં બતાવ્યું કે અચરમાવર્તમાં તત્ત્વમાર્ગના વિષયમાં જિજ્ઞાસા થતી નથી. હવે તત્વવિષયક જિજ્ઞાસા થાય છે ત્યારે પ્રકૃતિથી પુરુષનો અભિભવ કંઈક દૂર થાય છે; તે બતાવે છે – શ્લોક : पुरुषाभिभवः कश्चित्तस्यामपि हि हीयते । युक्तं तेनैतदधिकमुपरिष्टाद् भणिष्यते ।।२१।। અન્વયાર્થ : તસ્થામપિ દિકને પણ હોતે છતે જિજ્ઞાસા પણ હોતે છતે પુરુષfમવ:= પુરુષનો અભિભવ સ્થિ=િકંઈક રીતે ઓછો થાય છે, તેને તે કારણથી પત આ ગોપેન્દ્રએ કહ્યું છે એ, યુવતંત્રયુક્ત છે. મધzગોપેન્દ્રએ કહ્યું છે એ વિષયમાં અધિક ૩પરિણઆગળની દ્વાáિશિકામાં મણિd= કહેવાશે. ર૧II શ્લોકાર્ચ - | જિજ્ઞાસા પણ હોતે છતે, પુરુષનો અભિભવ કંઈક ઓછો થાય છે, તે કારણથી આeગોપેન્દ્રએ કહ્યું છે એ, યુક્ત છે. અધિકઅર્થાત્ ગોપેન્દ્રએ કહ્યું છે એ વિષયમાં અધિક, આગળની દ્વાચિંશિકામાં કહેવાશે. ||૧|| ‘તથાપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે યોગમાર્ગની પ્રવૃત્તિ હોતે છતે તો પુરુષનો અભિભવ ઓછો થાય છે, પરંતુ જિજ્ઞાસા હોતે છતે પણ કંઈક પુરુષનો અભિભવ ઓછો થાય છે. ટીકા : पुरुषेति-तस्यामपि हि जिज्ञासायामपि हि सत्यां, कश्चित् पुरुषाभिभवः प्रकृते हीयते (प्रकृतेहीयते) निवर्तते, न ह्येकान्तेनाक्षीणपापस्य विमलो भावः सम्भवति, तेन एतद्-गोपेन्द्रोक्तं युक्तं, अधिकमपरिणाम्यात्मपक्षे तदभिभवतनिवृत्त्याद्यनुपपत्तिलक्षणम् उपरिष्टाद्-अग्रिमद्वात्रिंशिकायां भणिष्यते ।।२१।। Page #76 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણાવિંશિકા/શ્લોક-૨૧ પ૭ ટીકાર્ય : તસ્થાપિ . માધ્યતે || તચાપ દિકજિજ્ઞાસા પણ હોતે છતે, પ્રકૃતિથી પુરુષનો અભિભવ કંઈક તિવર્તન પામે છે, એકાંતથી અક્ષીણ પાપવાળાને વિમલ ભાવ ન દિકનૈવ-સંભવતો નથી જ. તેન તે કારણથી=જિજ્ઞાસા હોતે છતે પુરુષનો અભિભવ કંઈક ઓછો થાય છે તે કારણથી, આ=ગોપેન્દ્રએ કહેલું, યુક્ત છે. અપરિણામી આત્મપક્ષમાં તેનો અભિભવ=પુરુષનો અભિભવ, અને તેની નિવૃત્તિ=પુરુષના અભિભવતી નિવૃત્તિ, આદિની અનુપપત્તિ લક્ષણ અધિક ઉપરની આગળની દ્વાáિશિકામાં કહેવાશે. ર૧. "ત્રવૃર્ચા અહીં ‘દ્રિ' થી યોગમાર્ગની પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. નોંધ:- ટીકામાં પ્રવૃત રીતે' ના સ્થાને પ્રવૃત્તટીયતે' પાઠ બંધ બેસે છે. ભાવાર્થ : આત્મા ઉપરથી કર્મના અભિભવની કંઈક ન્યૂનતાથી તત્ત્વજિજ્ઞાસા : મારું હિત શું છે ? મારું અહિત શું છે ? એ પ્રકારની જિજ્ઞાસા કોઈક નિમિત્તને પામીને ચરમાવર્તમાં આવેલા જીવને થાય છે, અને આ પ્રકારની પારમાર્થિક જિજ્ઞાસા પુરુષને થાય છે ત્યારે પુરુષને અભિભવ કરનાર પ્રકૃતિનો અધિકાર પુરુષ ઉપરથી કંઈક નિવર્તન પામ્યો છે; કેમ કે જે જીવ ઉપરથી એકાંતે વિપર્યાસ આધાયક એવું પાપ ક્ષય પામ્યું નથી, તે જીવને તત્ત્વમાર્ગની જિજ્ઞાસારૂપ વિમલ ભાવ થતો નથી અર્થાત્ નિર્મળ કોટીનો અધ્યવસાય થતો નથી. તેથી એ ફલિત થાય છે કે જે જીવને સંસારનું ગાઢ આકર્ષણ ઘટ્યું છે, તેને જ “ખરેખર ! મનુષ્યભવને પામીને આત્મહિત માટે મારે શું કરવું જોઈએ ?” એ પ્રકારની યોગી આદિ પાસેથી જાણવાની જિજ્ઞાસા થાય છે. વળી આ જિજ્ઞાસા માત્ર વિચાર કરીને વિશ્રાંત પામતી નથી, પરંતુ શક્તિને અનુરૂપ તત્ત્વ જાણવા માટે યત્ન પણ કરાવે છે, અને યોગમાર્ગને જાણવાની પ્રવૃત્તિ આદિ કરાવીને અવશ્ય તત્ત્વનો બોધ કરાવે તેવી પારમાર્થિક છે. આવી જિજ્ઞાસા જેને થઈ છે તે જીવમાં વર્તતો આ નિર્મળ ભાવ એ બતાવે છે કે આ જીવ ઉપરથી કર્મપ્રકૃતિનો અધિકાર કંઈક ઘટ્યો છે, તેથી સંસારના ઉચ્છેદના બીજભૂત એવી આ જિજ્ઞાસા પ્રગટી છે માટે ગોપેન્દ્રએ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૨૧-૨૨ જે કહ્યું કે સાધિકાર પ્રકૃતિવાળા આવર્તમાં જિજ્ઞાસા પ્રગટ થતી નથી, એ વાત સાચી છે. ફક્ત ગોપેન્દ્ર આત્માને અપરિણામી માને છે અને અપરિણામી આત્મપક્ષમાં પ્રકૃતિથી પુરુષનો અભિભવ અને પ્રકૃતિથી તે પુરુષના અભિભવની નિવૃત્તિ ઘટે નહીં; અર્થાત્ અપરિણામી આત્મા ફૂટસ્થનિત્ય-એક-સ્વભાવવાળો હોવાથી તેમાં પુરુષનો પ્રકૃતિથી અભિભવ અને પ્રકૃતિથી પુરુષના અભિભવની નિવૃત્તિરૂપ પરિણામાંતર ઘટી શકે નહીં. તે વાત આગળની દ્વાત્રિંશિકામાં ગ્રંથકાર બતાવશે. II૨૧I અવતરણિકા : શ્લોક-૯માં કહ્યું કે પ્રણિધાનાદિનો અભાવ હોવાથી લોકપંક્તિથી કરાયેલી ક્રિયા કે અનાભોગથી કરાયેલી ક્રિયા મોક્ષનું કારણ નથી, તેથી મોક્ષનું કારણ પ્રણિધાનાદિ ભાવ છે; અને શ્લોક-૧માં યોગના લક્ષણમાં કહેલ કે ‘મુલ્ય હેતુવ્યાપારતા’ એ યોગનું લક્ષણ છે. ત્યાં મુખ્ય હેતુથી પ્રણિધાનાદિ ભાવતું ગ્રહણ કેમ થાય છે ? અને ક્રિયાનું ગ્રહણ કેમ થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે શ્લોક ઃ भावस्य मुख्यहेतुत्वं तेन मोक्षे व्यवस्थितम् । तस्यैव चरमावर्ते क्रियाया अपि योगतः ।। २२ ।। અન્વયાર્થ : તેન=તે કારણથી=શ્ર્લોક-૯માં બતાવેલ કે પ્રણિધાનાદિ આશય વગરની એક પણ ક્રિયા સુંદર નથી તે કારણથી, મોક્ષે=મોક્ષમાં માવસ્ય=ભાવનું મુદ્દતૃત્વ=મુખ્યહેતુપણું વ્યવસ્થિતમ્=વ્યવસ્થિત છે. તસ્યેવ યોતઃ-તેના જ યોગથી=ભાવના જ યોગથી, પરમાવર્તે-ચરમાવર્તમાં યિાવા પિ=ક્રિયાનું પણ=ક્રિયાનું પણ મુખ્યહેતુપણું વ્યવસ્થિત છે. ।।૨૨।। શ્લોકાર્થ : તે કારણથી મોક્ષમાં ભાવનું મુખ્યહેતુપણું વ્યવસ્થિત છે. તેના જ યોગથી ચરમાવર્તમાં ક્રિયાનું પણ મુખ્યહેતુપણું વ્યવસ્થિત છે. ।।૨૨।। Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૯ યોગલક્ષણદ્વાત્રિશિકા/બ્લોક-૨૨ ટીકા :__ भावस्येति-तेन भावस्य अन्तःपरिणामस्य, मोक्षे मुख्यहेतुत्वं व्यवस्थितं, तेन स एव योग इत्युक्तं भवति, तस्यैव योगतश्चरमावर्ते क्रियाया अपि मोक्षे मुख्यहेतुत्वं, अतस्तस्या अपि योगत्वमिति ।।२२।। ટીકાર્ય : તેન માવી ... યોગત્વમિતિ | તે કારણથી શ્લોક-૯માં બતાવેલ કે પ્રણિધાનાદિ આશય વગરની એક પણ ક્રિયા સુંદર નથી તે કારણથી, ભાવનું અંતઃપરિણામનું પ્રણિધાનાદિ આશયનું, મોક્ષમાં મુખ્ય હેતુપણું વ્યવસ્થિત છે. તેનાથી=ભાવનું મોક્ષમાં મુખ્યહેતુપણું છે તેનાથી, તે જs ભાવ જ, યોગ છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. તેના જ ભાવના જ, યોગથી ચરમાવર્તમાં ક્રિયાનું પણ મોક્ષમાં મુખ્ય હેતુપણું છે. આથી તેનું પણ=ક્રિયાનું પણ, યોગપણું છે. ‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ૨૨ાા. ભાવાર્થ :મોક્ષ પ્રત્યે ભાવ મુખ્ય હેતુ અને ભાવના યોગથી ક્રિયા પણ મુખ્ય હેતુ - શ્લોક-૯માં સ્થાપન કર્યું કે પ્રણિધાનાદિ પાંચ આશયમાંથી કોઈપણ આશય તે ભાવ છે અને તે ભાવ વિનાની ક્રિયા મોક્ષનું કારણ નથી. તેનાથી એ ફલિત થયું કે મોક્ષપ્રાપ્તિ પ્રત્યે ભાવ મુખ્ય હેતુ છે, ક્રિયા મુખ્ય હેતુ નથી; કેમ કે જો ભાવ ન હોય તો ક્રિયામાત્રથી મોક્ષરૂપ કાર્ય થતું નથી. આશય એ છે કે પ્રથમ શ્લોકમાં યોગનું લક્ષણ કરેલ કે - તનુષ્યદેતુવ્યાપારતા', ત્યાં તત્' શબ્દથી મોક્ષનું ગ્રહણ થાય છે અને મોક્ષનો મુખ્ય હેતુ ભાવ છે, અને તે ભાવ લક્ષ્યને અનુરૂપ વ્યાપારવાળો હોય ત્યારે તે ભાવમાં તસ્કૂધ્યત્વવ્યાપારતા' છે, માટે તે ભાવ યોગ છે. આનાથી એ ફલિત થાય કે મોક્ષને અનુકૂળ એવો ભાવ જીવમાં પ્રગટે અને તે ભાવ જ્યારે ઉત્તર-ઉત્તર ભાવને પ્રગટ કરતો હોય, ત્યારે તે ભાવ લક્ષ્યને અનુરૂપ વ્યાપારવાળો છે, અને તે લક્ષ્યને અનુરૂપ વ્યાપારવાળો ભાવ યોગ છે; Page #79 -------------------------------------------------------------------------- ________________ go યોગલક્ષણહાત્રિશિકા/શ્લોક-૨૨-૨૩ પરંતુ મોક્ષને અનુકૂળ પ્રગટ થયેલો ભાવ પણ વ્યાપારવાળો ન હોય, ત્યારે યોગ બનતો નથી. આ રીતે નિશ્ચયનયની દૃષ્ટિથી ભાવને મોક્ષ પ્રત્યે મુખ્ય હેતુ સ્થાપન કર્યા પછી વ્યવહારનયની દૃષ્ટિથી મોક્ષને અનુકૂળ કરાતી ધર્મક્રિયામાં યોગનું લક્ષણ કઈ રીતે ઘટે ? તે બતાવવા માટે કહે છે – ભાવના જ યોગથી=પ્રણિધાનાદિ આશયના જ યોગથી, ચરમાવર્તમાં કરાતી ક્રિયાનું પણ મોક્ષનું મુખ્યહેતુપણું છે, આથી ક્રિયાનું પણ યોગપણું છે. આનાથી એ પ્રાપ્ત થયું કે ક્રિયાઓ પ્રણિધાનાદિ આશયરૂ૫ ભાવપૂર્વક કરાતી હોય ત્યારે તે ભાવના યોગને કારણે તે ધર્માનુષ્ઠાનની ક્રિયાઓને પણ મોક્ષનું કારણ વ્યવહારનય સ્વીકારે છે. વસ્તુત: ભાવપૂર્વક ક્રિયાઓ કરાય છે ત્યારે, તે ક્રિયાઓ પૂર્વના ભાવની વૃદ્ધિમાં નિમિત્ત કારણ છે. તેથી ક્રિયાને અવલંબીને પ્રગટ થયેલો ભાવ અર્થાત્ આ ક્રિયા દ્વારા મારે સમ્યક રીતે ઉત્તર ઉત્તરના ભાવને પ્રગટ કરવો છે” એ પ્રકારનો પ્રણિધાનાદિ રૂપ ભાવ ક્રિયાકાળમાં ઉત્તરભાવરૂપે પરિણમન પામે છે. તેથી ભાવને વ્યાપારરૂપે કરવામાં ક્રિયા નિમિત્તકારણ છે, તોપણ વ્યવહારનય ક્રિયાને પ્રધાન કહે છે, તેથી કહે છે કે ભાવપૂર્વકની ક્રિયા મોક્ષનું કારણ છે. રશા અવતરણિકા : પૂર્વગાથા-૨૨માં સ્થાપન કર્યું કે મોક્ષના કારણરૂપે સંમત એવી વ્યવહારનયની ક્રિયા પણ ભાવના યોગથી જ મોક્ષનો હેતુ બને છે. તે કથનને દાંતથી સ્પષ્ટ કરે છે – શ્લોક : रसानुवेधात्ताम्रस्य हेमत्वं जायते यथा । क्रियाया अपि सम्यक्त्वं तथा भावानुवेधतः ।।२३।। અન્વયાર્થ : યથા=જેમ રસાનુદા રસાતુવેધથી તામ્રસ્થ તાંબાનું દેવં સુવર્ણપણું નાવતે થાય છે તથા તેમ ક્રિયાથી પિત્રક્રિયાનું પણ માવાનુવે ત=ભાવના અતુવેધથી સર્વ=મોક્ષસંપાદનની શક્તિરૂપ સમ્યફપણું થાય છે. રા. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૧ યોગલક્ષણદ્વાáિશિકા/બ્લોક-૨૩ શ્લોકાર્ય : જેમ રસાનુવેધથી તાંબાનું સુવર્ણપણું થાય છે, તેમ ક્રિયાનું પણ ભાવના અન્વેધથી મોક્ષસંપાદનની શક્તિરૂપ સમ્યપણું થાય છે. ર3ll ટીકા - रसानुवेधादिति-ताम्रस्य रसानुवेधात्-सिद्धरससम्पर्कात्, यथा हेमत्वं जायते, तथा क्रियाया अपि भावानुवेधतः सम्यक्त्वं मोक्षसम्पादनशक्तिरूपम् ।।२३।। ટીકાર્ચ - તારા ...... મોક્ષમ્યાનશત્તરૂપમ્ II રસના અનુવેધથી સિદ્ધરસતા સંપર્કથી, તાંબાનું જેમ સુવર્ણપણું થાય છે, તેમ ભાવતા અતુવેધથી ક્રિયાનું પણ મોક્ષસંપાદનશક્તિરૂપ સમ્યફપણું થાય છે. ૨૩ ભાવાર્થ સિદ્ધરસના પુદ્ગલોમાં એવા પ્રકારની શક્તિવિશેષ છે કે તાંબાના પુદ્ગલ ઉપર સિદ્ધરસને નાંખવામાં આવે તો તાંબાના પુદ્ગલો સુવર્ણરૂપે પરિણમન પામે છે. તેમ પ્રણિધાનાદિ આશયરૂપ ભાવમાં એવી અદ્ભુત શક્તિ છે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ કરાતાં ધર્મઅનુષ્ઠાનો પ્રણિધાનાદિ આશયથી અનુવિદ્ધ બને તો મોક્ષસંપાદનની શક્તિવાળા બને છે. આશય એ છે કે લક્ષ્યનું પ્રણિધાન કરીને સાધક ક્રિયામાં યત્ન કરે છે ત્યારે, લક્ષ્યને નિષ્પન્ન કરવા માટે કરાયેલા પ્રણિધાનરૂપ આશયથી તે ક્રિયાઓ લક્ષ્યની નિષ્પત્તિના કારણભૂત એવા ભાવોને ઉલ્લસિત કરે છે. જેમ કોઈ શ્રાવક વિચારે કે ‘દ્રવ્યસ્તવ એ ભાવસ્તવનું કારણ છે, માટે હું દ્રવ્યસ્તવ એ રીતે કરું કે જેથી ભાવસ્તવરૂપ સંયમ મારામાં પ્રગટે.’ આ પ્રકારનું પ્રણિધાન કરીને, લોકોત્તમ પુરુષનું સ્વરૂપ ઉપસ્થિત કરીને, તેમના ભાવોથી પોતાનું ચિત્ત રંજિત થાય તે રીતે ઉપયુક્ત થઈને ભગવાનની પૂજાની ક્રિયા કરતો હોય, તો તે ક્રિયાકાળમાં તેના ચિત્તમાં ઉલ્લસિત થતો ભગવાનના બહુમાનનો ભાવ સંયમને અનુકૂળ શક્તિસંચય કરે છે, અને પ્રકર્ષને પામે તો તત્કાળ સંયમના પરિણામ પ્રગટે છે, અને અતિશયિત થાય તો વીતરાગતાનું Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ પણ કારણ બને છે, કેમ કે વીતરાગની પૂજામાં તન્મય થયેલો જીવ પોતાનામાં રહેલા વીતરાગભાવનો આવિર્ભાવ કરે છે. આ રીતે પ્રણિધાનપૂર્વકની કરાયેલી ક્રિયામાં મોક્ષસંપાદનની શક્તિરૂપ સમ્યપણું પ્રગટ થાય છે. ll૨૩ અવતરણિકા : ભાવના યોગથી ક્રિયાને પણ યોગપણું પ્રાપ્ત થાય છે, તે વાત યુક્તિથી અને સૌગતની માન્યતા દ્વારા પુષ્ટ કરે છે – શ્લોક :___ भावसात्म्येऽत एवास्या भङ्गेऽपि व्यक्तमन्वयः । सुवर्णघटतुल्यां तां ब्रुवते सौगता अपि ।।२४।। અન્વયાર્થ : મત =આથી જ=ભાવના સંબંધથી કરાયેલી ક્રિયા મોક્ષનું કારણ બને છે આથી જ, મા=ક્રિયાનું માવસાન્થ ભાવની સાથે સામ્યપણું હોતે છતે ભાવની સાથે ક્રિયાની એકતા હોતે છતે વ્યવર્ત પ્રગટ મોડપિક ભંગમાં પણ તેવા પ્રકારના કષાયના ઉદયથી અનુષ્ઠાનના ભંગમાં પણ, ૩મન્વય:=અવય છે. (આથી જ) સીતા પ= સૌગતો પણ બૌદ્ધો પણ, તાં તેને=ભાવશુદ્ધક્રિયાને સુવઘટતુન્યાં=સુવર્ણઘટતુલ્ય વૃવતે કહે છે. અરજી શ્લોકાર્થ : આથી જ, આનું ક્રિયાનું, ભાવની સાથે સામ્યપણું હોતે છતે પ્રગટ ભંગમાં પણ અન્વય છે. (આથી જ) બોદ્ધો પણ તેને સુવર્ણઘટતુલ્ય કહે છે. ll૨૪ll ટીકા : भावेति-अत एव अस्याः क्रियाया भावसात्म्ये स्वजननशक्त्या भावव्याप्तिलक्षणे सति, भङ्गेऽपि तथाविधकषायोदयान्नाशेऽपि, व्यक्तं प्रकटं, अन्वयो= भावानुवृत्तिलक्षणः, तद्व्यक्त्यभावेऽपि तच्छक्त्यनपगमात्, अत एव तां भावशुद्धां क्रियां सौगता अपि सुवर्णघटतुल्यां ब्रुवते, यथा हि सुवर्णघटो भिद्यमानोऽपि Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૩ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૪ न स्वर्णानुबन्धं मुञ्चति एवं शुभक्रिया तथाविधकषायोदयाद् भग्नापि शुभफलैवेति । तदिदमुक्तं - "भाववृद्धिरतोऽवश्यं सानुबन्धं शुभोदयम् । Tયતડાદ્યતત્સવઘટસન્નમમ્” (યો વિશ્નોલ-રૂક૨) રૂતિ સાર૪પ ટીકાર્ય : ગત વાસ્થ: .... ઘટસન્નિમમ્” તિ છે. આથી જ ભાવના સંબંધથી કરાયેલી ક્રિયા મોક્ષનું કારણ બને છે આથી જ, ક્રિયાનું ભાવસાભ્ય હોતે છત=સ્વજનનશક્તિથી અર્થાત્ મોક્ષને ઉત્પન્ન કરવાની શક્તિથી, ભાવ સાથે વ્યાપ્તિરૂપ ભાવસામ્ય હોતે છતે, વ્યક્ત પ્રગટ, ભંગમાં પણ તથાવિધ કષાયના ઉદયથી શુભ અનુષ્ઠાનના ભંગમાં પણ, અવય છે=ભાવની અનુવૃત્તિ સ્વરૂપ અવય છે; કેમ કે તવ્યક્તિના અભાવમાં પણ ક્રિયાકાળમાં વર્તતા ભાવરૂપ વ્યક્તિના અભાવમાં પણ, તન્શક્તિનો અનપગમ છે ક્રિયાકાળમાં વર્તતા મોક્ષને અનુકૂળ એવા ભાવની શક્તિનો અનપગમ છે અર્થાત્ સંયમની ક્રિયા અને સંયમની પરિણતિરૂપ ભાવના અભાવમાં પણ ચારિત્રની પરિણતિરૂપ ભાવની શક્તિ ગઈ નથી. આથી જ=ક્રિયાના અભાવે ક્રિયાકાળમાં વર્તતા ભાવનો ભંગ હોવા છતાં અવય છે આથી જ, ભાવશુદ્ધ એવી ક્રિયાને સીગતો પણ=બૌદ્ધદર્શનવાળા પણ, સુવર્ણઘટતુલ્ય કહે છે. આ કથનને ‘યથા દિ' થી યુક્તિપૂર્વક સ્પષ્ટ કરે છે -- જે પ્રમાણે ભંગાતો પણ સુવર્ણઘટ સુવર્ણના અનુબંધને સુવર્ણના પ્રવાહને, છોડતો નથી, એ રીતે શુભ ક્રિયા તથાવિધ કષાયના ઉદયથી ભગ્ન થયેલી પણ શુભ ફળવાળી જ છે ક્રિયાકાળમાં વર્તતા શુભભાવની અનુવૃત્તિવાળી જ છે. “તિ' શબ્દ ‘ાથદિ' થી કહેલ કથનની સમાપ્તિમાં છે. ‘તવિમુક્ત' તે મૂળ શ્લોકમાં કહ્યું કે, આ કહેવાયું છે=યોગબિંદુ શ્લોક-૩૫૧માં કહેવાયું છે. “આનાથી=સત્સયોપશમથી, ભાવવૃદ્ધિ અવશ્ય થાય છે. અન્ય વડે પણ= બૌદર્શનવાળા વડે પણ, આ શુભ અનુષ્ઠાન. સુવર્ણઘટ જેવું સાનુબંધ શુભોદયવાળું કહેવાયું છે.” (યોગબિંદુ શ્લોક-૩૫૧) Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૪ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૪ ત’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. રજા મડ'= તવધવાવિયાત્રાશST' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે સંયમની આરાધના કરનારા સાધુઓ એક અનુષ્ઠાન સેવ્યા પછી અન્ય અનુષ્ઠાન સેવે છે ત્યારે, તથાવિધ કષાયના ઉદયથી ક્રિયાનો ભંગ ન હોય ત્યારે તો ભાવની અનુવૃત્તિ છે; પરંતુ જ્યારે સાધુ કાળધર્મ પામી દેવભવમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેવા પ્રકારના અવિરતિપાદક કષાયના ઉદયથી ક્રિયાના નાશ થવા છતાં પણ પૂર્વભવમાં સંયમનું સેવન કરતાં જે સંયમના સંસ્કારોરૂપ ભાવો આધાન થયા હતા, તેની અનુવૃત્તિ રહે છે. ‘સીતા પ’ – અહીં ‘પ' થી એ કહેવું છે કે જૈનો તો કહે છે, પરંતુ બૌદ્ધો પણ કહે છે. આ તથ્યવ7મવેપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સંયમ ગ્રહણ કરીને સંયમજીવનનાં અનુષ્ઠાનોનું સેવન કરાય છે ત્યારે સંયમના પરિણામરૂપ વ્યક્તિનો અભાવ નથી, ત્યારે તો સંયમની શક્તિનો અનપગમ છે; પરંતુ સંયમ પાળીને કાળધર્મ પામી, દેવલોકમાં ઉત્પન્ન થાય છે ત્યારે પણ સાધુના જીવરૂપ દેવમાં ત્યાં અવિરતિના ઉદયને કારણે સંયમનું અનુષ્ઠાન નહીં હોવાથી સંયમના પરિણામરૂપ ભાવની અભિવ્યક્તિનો અભાવ હોવા છતાં પણ, પૂર્વભવમાં સંયમનું પાલન કરીને પાડેલા સંસ્કારરૂપ સંયમની શક્તિનો અનપગમ છે, અર્થાત્ સંયમના સંસ્કારો દેવભવમાં પણ સુરક્ષિત રહે છે. fમધમાનો પિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સુવર્ણઘટ ભેદા ન હોય ત્યારે તો સુવર્ણના અનુબંધને–પ્રવાહને, છોડતો નથી અર્થાત્ સુવર્ણરૂપે અવસ્થિત છે, પરંતુ ભેદાતો હોય તોપણ સુવર્ણના અનુબંધને છોડતો નથી. ‘મનપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે કષાયોનો ઉદય નહિ હોવાથી શુભક્રિયા ભગ્ન નથી અર્થાત્ સંયમ જીવનમાં સાધુ એક ક્રિયા પૂર્ણ કર્યા પછી અન્ય ઉચિત ક્રિયા કરે છે ત્યારે, તથાવિધ કષાયનો ઉદય નહિ હોવાથી તે ક્રિયા ભગ્ન નથી, ત્યારે તો તે ક્રિયા શુભફળવાળી છે; પરંતુ દેવભવમાં તથાવિધ અવિરતિપાદક કષાયના ઉદયથી સંયમની ક્રિયા ભગ્ન થાય છે ત્યારે પણ તે શુભ ફળવાળી છે. ૩ પ' ઉદ્ધરણના આ 'પ' શબ્દથી એ કહેવું છે કે જેનો તો કહે જ છે કે શુભ અનુષ્ઠાન સુવર્ણઘટ જેવું સાનુબંધ શુભોદયવાળું છે, પરંતુ બદ્ધા પણ કહે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪ ભાવાર્થ: ફળનિષ્પત્તિ પ્રત્યે ભાવ અને ક્રિયાનું સ્થાન : પૂર્વમાં કહ્યું કે ચ૨માવર્તમાં ભાવના યોગથી જ ક્રિયાનું યોગપણું છે. તેથી એ ફલિત થાય કે મોક્ષની કારણીભૂત એવી ક્રિયા સાથે ભાવની નિયત વ્યાપ્તિ છે અર્થાત્ જ્યાં જ્યાં મોક્ષની કારણીભૂત ક્રિયા હોય ત્યાં ત્યાં અવશ્ય પ્રણિધાનાદિ આશયરૂપ ભાવ હોય જ, અને આ ક્રિયા મોક્ષનું કારણ તો જ બને કે કોઈ તેવા સંયોગમાં ક્રિયાનો નાશ થાય તોપણ તે ક્રિયાકાળમાં થયેલા ભાવનો નાશ ન થાય, અને જો ભાવનો પણ નાશ થઈ જાય તો તે ક્રિયા મોક્ષનું કારણ બની શકે નહીં; કેમ કે ક્રિયા અને ભાવ બંનેનો નાશ થઈ જાય તો આગળના યોગના પ્રારંભનું કારણ એવો ભાવ પણ નથી અને ક્રિયા પણ નથી, તો પૂર્વની ક્રિયા મોક્ષફળવાળી છે તેમ કહી શકાય નહીં. તેથી દેવભવને કારણે તેવા પ્રકારના કષાયના ઉદયથી=અવિરતિઆપાદક કષાયના ઉદયથી, સંયમની ક્રિયાનો ભંગ થાય તોપણ સંયમના પાલન દરમ્યાન થયેલા ભાવની અનુવૃત્તિ હોય જ છે. ઉપ જેમ કે કોઈ સાધુ અપ્રમાદભાવથી સંયમની ક્રિયા કરતા હોય ત્યારે ક્રિયાકાળમાં વર્તતા સંયમના ભાવો આત્મા ઉપર સંસ્કારરૂપે અવસ્થિત રહે છે, અને તે સાધુ એક ક્રિયા પૂર્ણ કર્યા પછી બીજી ઉચિત ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે સાધુની બીજી ક્રિયા પણ પૂર્વની સંયમની ક્રિયાથી થયેલા ઉચિત ક્રિયા કરવાના સંસ્કારોને અતિશયિત કરે છે. તેથી સંયમની દરેક ક્રિયા ઉચિત પ્રવૃત્તિ કરવારૂપ સમભાવના સંસ્કાર આત્મામાં આધાન કરે છે, અને જો સામાયિકનો પરિણામ આ રીતે પ્રકર્ષને પામે તો તે સાધુને કેવળજ્ઞાન થાય; પણ જો તે સાધુને તે ભવમાં કેવળજ્ઞાન ન થાય તો કાળધર્મ પામી અવશ્ય દેવભવમાં ઉત્પન્ન થાય છે, અને દેવભવમાં અવિરતિઆપાદક કષાયના ઉદયને કારણે સંયમના અનુષ્ઠાનનો ભંગ થાય છે, તોપણ પૂર્વભવના સંયમ દરમ્યાન આત્મા ઉપર પાડેલા સંયમના સંસ્કારરૂપ ભાવની અનુવૃત્તિ દેવભવમાં પણ અવસ્થિત રહે છે; કેમ કે દેવભવમાં સંયમના પરિણામરૂપ ભાવની અભિવ્યક્તિનો અભાવ હોવા છતાં પણ સંયમના પડેલા સંસ્કારોની શક્તિ રહેલી છે, તેથી દેવભવમાં પણ સંયમનો બદ્ધરાગ અત્યંત વૃદ્ધિવાળો થાય છે, જેથી પૂર્વભવમાં સેવાયેલા સંયમના સંસ્કારો નાશ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૬ યોગલક્ષણહાવિંશિકા/બ્લોક-૨૪-૨૫ તો પામતા નથી, પરંતુ અનુવૃત્તિરૂપે દેવભવમાં પણ સાથે જ રહે છે. તેથી સંયમી પ્રત્યે બહુમાનભાવ જીવંત રહેવાથી તે સાધુ દેવભવમાં સંયમીની ઉચિત ભક્તિ કરીને પોતાના આત્મામાં રહેલા સંયમના સંસ્કારોને પુષ્ટ કરે છે અને તે પુષ્ટ થયેલા સંસ્કારો જન્માંતરમાં પૂર્વના સંયમ કરતાં પણ શ્રેષ્ઠ કોટીના સંયમની પ્રાપ્તિ કરાવે છે. આનાથી એ ફલિત થાય કે ભાવપૂર્વકની કરાયેલી સંયમની ક્રિયા દેવભવમાં અપ્રાપ્ત છે તોપણ પૂર્વભવમાં સેવાયેલા સંયમના સંસ્કારો સુરક્ષિત છે, અને તે સંસ્કારો આગળની સાધનામાં ઉપયોગી બને છે. આથી શુભ ક્રિયા સુવર્ણઘટ સદશ છે, તેમ બોદ્ધો પણ કહે છે. જેમ સુવર્ણનો ઘટ તૂટવા છતાં પણ સુવર્ણપણું છોડતો નથી, તેમ સાધુપણામાં પાળેલ સંયમની ક્રિયાનો નાશ થવા છતાં પણ સંયમના પડેલા સંસ્કારોરૂપ સુવર્ણભાવ આત્મામાંથી જતો નથી. ૨૪ અવતરણિકા : ગાથા-૨૨ના પૂર્વાર્ધમાં બતાવ્યું કે મોક્ષપ્રાપ્તિમાં પ્રણિધાનાદિ ભાવનું મુખ્ય હેતુપણું છે અને ઉત્તરાર્ધમાં બતાવ્યું કે તે ભાવતા યોગથી જ ક્રિયાનું મુખ્ય હેતુપણું છે. ત્યાર પછી ગાથા-૨૩માં દાંતથી સ્પષ્ટ કર્યું કે ભાવના યોગથી ક્રિયા મોક્ષનું કારણ બને છે અને ગાથા-૨૪માં યુક્તિથી બતાવ્યું કે ભાવની સાથે ક્રિયાનું સામ્ય છે, તેથી ક્રિયાના ભંગમાં પણ ભાવ જીવ સાથે અવિત રહે છે. હવે ક્રિયાથી ભાવવૃદ્ધિ કઈ રીતે થાય છે તે દાનથી બતાવે છે – શ્લોક :शिरोदकसमो भावः क्रिया च खननोपमा । भावपूर्वादनुष्ठानाद् भाववृद्धिरतो ध्रुवा ।।२५।। અન્વયાર્થ : શિરોમ=શિરાના જળ જેવો-પાણીની શેર અર્થાત્ સરવાણી જેવો, ભાવ:=ભાવ છે ગુનનોપમ =અને ખનનના જેવી કૂવો ખોદવાના જેવી, શિયા=ક્રિયા છે. ગત =આથી ભાવપૂર્વાવનુષ્ઠાનાત્ભાવપૂર્વકના અનુષ્ઠાનથી માવવૃદ્ધિઃ =ભાવવૃદ્ધિ ધ્રુવ=નક્કી છે. રપા. Page #86 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫ શ્લોકાર્થ : શિરાજળ જેવો ભાવ છે અને ખનનના જેવી અર્થાત્ કૂવો ખોદવાના જેવી ક્રિયા છે. આથી ભાવપૂર્વકના અનુષ્ઠાનથી ભાવવૃદ્ધિ ધ્રુવ છે= નક્કી છે. 11૨૫|| ટીકા ઃ शिरेति - शिरोदकसम: - तथाविधकूपे सहजप्रवृत्तशिराजलतुल्यो भावः क्रिया च खननोपमा = शिराश्रयकूपादिखननसदृशी, अतः भावपूर्वादनुष्ठानाद्, भाववृद्धिर्भुवा, जलवृद्धी कूपखननस्येव भाववृद्धी क्रियाया हेतुत्वाद्, भावस्य दलत्वेऽपि बहुदलमेलनरूपाया वृद्धेस्तदन्वयव्यतिरेकानुविधानात् ।।२५।। ટીકાર્થ ઃ शिरोदकसम: વૃદ્ધેસ્તવન્દ્રયવ્યતિરેાનુવિધાનાત્ ।। તેવા પ્રકારના કૂપમાં= જેનાથી પોતાને ઇષ્ટ એવા જળની વૃદ્ધિની પ્રાપ્તિ થાય તેવા પ્રકારના કૂવાને ખોદવામાં, શિરાજળ જેવો ભાવ છે=સહજ પ્રવૃત્ત શિરાના જળ જેવો ભાવ છે અર્થાત્ જે શિરામાં પાણી સહજ રીતે આવતું હોય તેવી શિરામાં રહેલા જળતુલ્ય ભાવ છે, અને ક્રિયા ખનન ઉપમાવાળી છે=શિરાના આશ્રયવાળા કૂવાદિતા ખોદવા સદ્દેશ ક્રિયા છે. આથી=શિરાજળ જેવો ભાવ છે અને શિરાના આશ્રયવાળા કૂવાને ખોદવા જેવી ક્રિયા છે આથી, ભાવપૂર્વકના અનુષ્ઠાનથી ભાવવૃદ્ધિ ધ્રુવ છે=નક્કી છે; કેમ કે જળવૃદ્ધિમાં કૂવાના ખોદવાની જેમ ભાવવૃદ્ધિમાં ક્રિયાનું હેતુપણું છે. કઈ રીતે ભાવની વૃદ્ધિમાં ક્રિયાનું હેતુપણું છે, તેમાં હેતુ કહે છે ૬૭ ભાવનું દલપણું હોતે છતે પણ=ભાવનું મોક્ષ પ્રત્યે ઉપાદાનકારણપણું હોતે છતે પણ, બહુદલમેલનરૂપ વૃદ્ધિનું=મોક્ષને અનુકૂળ ઘણા ભાવતા સંચયરૂપ વૃદ્ધિનું, તેની સાથે=ક્રિયાની સાથે, અન્વય-વ્યતિરેકથી અનુવિધાન છે=અનુસરણ છે. ૨૫ા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ભાવાર્થ : યોગલક્ષણદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫ મોક્ષના કારણીભૂત ભાવ સાથે ક્રિયા અન્વયતિરેકરૂપે નિમિત્ત કારણ ઃ જે કૂવામાં સહજ રીતે શિરાનું જળ આવ્યા કરતું હોય તેવા કૂવામાં વર્તતા શિરાજળ જેવો ભાવ છે, તે ભાવ મોક્ષનું કારણ છે, અને શિરાના આશ્રયવાળા કૂવાને ખોદવા જેવી ક્રિયા છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે સ્થાનમાં તેવી શિરાઓ હોય કે જેમાંથી સતત પાણી આવે તેમ હોય, તેવા સ્થાને કૂવો ખોદવામાં આવે તો નક્કી પાણીની વૃદ્ધિ થયા કરે. તેની જેમ જે સાધક પ્રણિધાનાદિ આશયપૂર્વક અપ્રમાદભાવથી ક્રિયા કરે તો તે ક્રિયાથી ભાવની વૃદ્ધિ અવશ્ય થાય; કેમ કે શિરા જેવો પ્રણિધાનાદિ આશયરૂપ ભાવ છે અને કૂવો ખોદવાની ક્રિયા જેવી આ અનુષ્ઠાનની ક્રિયાઓ છે. તેથી જેમ કૂવો ખોદવાથી શિરામાં રહેલું પાણી વૃદ્ધિ પામે છે, તેમ પ્રણિધાનપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે પ્રણિધાનાદિકાળમાં થયેલો ભાવ અનુષ્ઠાનના સેવનકાળમાં વૃદ્ધિવાળો થાય છે. તેનાથી એ ફલિત થાય કે જળવૃદ્ધિમાં જેમ કૂવો ખોદવાની ક્રિયા કારણ છે, તેમ પ્રણિધાનાદિ આશયરૂપ ભાવની વૃદ્ધિમાં પ્રણિધાનપૂર્વક કરાતી ક્રિયા કારણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે મોક્ષ પ્રત્યે ભાવ ઉપાદાનકારણ છે, તોપણ ઉપાદાનકારણરૂપ ભાવની વૃદ્ધિમાં ક્રિયા અન્વયવ્યતિરેકવાળી છે અર્થાત્ જ્યાં જ્યાં પ્રણિધાનસહિત ક્રિયા ક૨વામાં આવે છે, ત્યાં ત્યાં અવશ્ય ભાવની વૃદ્ધિ થાય છે, અને જ્યાં જ્યાં ભાવની વૃદ્ધિ નથી ત્યાં ત્યાં પ્રણિધાનપૂર્વક ક્રિયા નથી. જેમ કોઈ જીવે પ્રણિધાન કર્યું કે “આ લોકોત્તમ પુરુષની ભક્તિ કરીને હું સંયમના કંડકોની શક્તિનો સંચય કરું.’ આવા પ્રકારનો પ્રણિધાનરૂપ આશય પ્રગટ્યા પછી જો કોઇક કારણે તે જીવ તે લોકોત્તમ પુરુષની ભક્તિની ક્રિયા ન કરી શકે તો તે ભાવની વૃદ્ધિ થાય નહીં, અને તેવું પ્રણિધાન કર્યા પછી તે પ્રણિધાનને અનુરૂપ લોકોત્તમ પુરુષની ભક્તિમાં યત્ન કરે તો અવશ્ય પૂર્વના ભાવ કરતાં ક્રિયાકાળમાં ભાવનો અતિશય થાય છે. તેથી મોક્ષ પ્રત્યે ઉપાદાનકારણ એવા ભાવની વૃદ્ધિમાં ક્રિયા કારણ છે, એ અર્થ ફલિત થાય છે. II૨૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૯ યોગલક્ષણ દ્વાચિંશિકાશ્લોક-૨૬ અવતરણિકા : ભાવપૂર્વક કરાતી ક્રિયામાં ભાવનું સ્થાન શું છે? અને ક્રિયાનું સ્થાન શું છે? તે વાત પૂર્વશ્લોકમાં દષ્ટાંતથી બતાવી. હવે ભાવપૂર્વકની ક્રિયા અને ભાવ વિનાની ક્રિયા તે બંનેમાં શું ભેદ છે ? તે બતાવવા માટે કહે છે – અથવા ગાથા-૨૨ના ઉત્તરાર્ધમાં કહેલ કે ભાવના જ યોગથી ક્રિયા પણ મોક્ષમાં મુખ્ય કારણ છે. હવે તે સ્પષ્ટ કરવા માટે ભાવ વિનાની ક્રિયા અને ભાવવાળી ક્રિયા તે બંનેમાં શું ભેદ છે ? તે સ્પષ્ટ કરે છે – શ્લોક : मण्डूकचूर्णसदृशः क्लेशध्वंसः क्रियाकृतः । तद्भस्मसदृशस्तु स्याद् भावपूर्वक्रियाकृतः ।।२६।। અન્વયાર્થ:શિયાવૃત્તિ =ક્રિયાથી કરાયેલ વોશä =રાગાદિનો પરિક્ષય મજૂચૂર્ણ શ=દેડકાના ચૂર્ણ સદશ છે, તુવળી માવપૂર્વયિાત=ભાવપૂર્વકની ક્રિયાથી કરાયેલ ફ્લેશધ્વંસ તદ્મશ્નરશ: સ્થાતેની ભસ્મ સદશ છે દેડકાની ભસ્મ સદશ છે. ૨૬ શ્લોકાર્ચ - ક્રિયાથી કરાયેલ ક્લેશધ્વંસ દેડકાના ચૂર્ણ સદશ છે, વળી ભાવપૂર્વકની ક્રિયાથી કરાયેલ ક્લેશધ્વસ તેની ભસ્મ સદેશ છે. llરકા ટીકા : भण्डूकेति-क्रियाकृतः केवलक्रियाजनितः, क्लेशध्वंसः रागादिपरिक्षयः, मण्डूकचूर्णसदृशः, पुनरुत्पत्तिशक्त्यन्वितत्वात् । भावपूर्वक्रियाकृतस्तु तद्भस्मसदृशः मण्डूकभस्मसदृशः स्यात्, पुनरुत्पत्तिशक्त्यभावात् । एवं च क्लेशध्वंसविशेषजनकः शक्तिविशेष एव क्रियायां भाववृद्ध्यनुकूल इति फलितम् ।।२६।। Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૬ ટીકાર્ય : ક્રિયાતઃ .. તિ નિતમ્ II ક્રિયાથી કરાયેલ ફક્ત ક્રિયાથી ઉત્પન્ન થયેલ, ક્લેશધ્વસ-રાગાદિ પરિક્ષય, દેડકાના ચૂર્ણ જેવો છે; કેમ કે ફરી રાગાદિની ઉત્પત્તિ કરાવી શકે તેવી શક્તિથી યુક્ત છે. વળી ભાવપૂર્વકની ક્રિયાથી કરાયેલ (ક્લેશધ્વસ) તેની ભસ્મ દેડકાની ભસ્મ, જેવો છે; કેમ કે ફરી ઉત્પત્તિશક્તિનો અભાવ છે અર્થાત્ ક્રિયાકાળમાં પ્રણિધાન આશયપૂર્વક યત્ન હોવાથી તે ક્રિયાથી જે કંઈ ક્લેશનાશ થાય છે, તે ક્લેશકાશ સંપૂર્ણ ક્લેશકાશ સાથે એકવાક્યતાથી જોડાયેલો હોવાથી ફરી તે ક્લેશની ઉત્પત્તિ કરી શકે તેવી શક્તિ વગરનો છે; અને આ રીતે=ભાવપૂર્વકની ક્રિયાથી કરાયેલો ક્લેશધ્વંસ મંડુક ભમતુલ્ય છે એ રીતે, ક્લેશના=રાગાદિ ક્લેશના, ધ્વંસવિશેષની ફરી રાગાદિ ઉત્પન્ન ન થાય તેવા બંસવિશેષની, જનક એવી શક્તિવિશેષ જ ક્રિયામાં ભાવવૃદ્ધિને અનુકૂળ છે અર્થાત્ પૂર્વશ્લોકમાં કહ્યું કે ભાવવૃદ્ધિમાં ક્રિયા હેતુ છે, તે ભાવવૃદ્ધિમાં શક્તિવિશેષવાળી જ ક્રિયા હેતુ છે, અન્ય નહીં, એ ફલિત થયું. ૨૬ ભાવાર્થ :ભાવપૂર્વકની ક્રિયા અને ભાવરહિત ક્રિયા વચ્ચેનો ભેદ - કોઈ જીવ પ્રણિધાનાદિ આશય વિનાની ક્રિયા કરતો હોય અને તે ક્રિયાકાળમાં રાગાદિનો ઉપયોગ વર્તતો ન હોય તો જે રાગાદિનો પરિક્ષય છે, તે રાગાદિનો ક્ષય દેડકાનાં ચૂર્ણ જેવો છે અર્થાત્ જેમ દેડકાં મરી ગયા પછી તેનાં કલેવરોનું ચૂર્ણ પડેલું હોય તેમાં કંઈ દેડકાંના જીવો હોતા નથી, પરંતુ વરસાદનું પાણી પડે એટલે તે નિમિત્તને પામીને તે ચૂર્ણમાંથી ફરી દેડકાં ઉત્પન્ન થાય છે, તેમ પ્રણિધાનાદિ આશય વગરની ક્રિયાથી રાગાદિનો પરિક્ષય થાય તોપણ નિમિત્ત મળતાં ફરી તે રાગાદિ ભાવો ઉત્પન્ન થાય, તેવી શક્તિ તેમાં વર્તે છે. જેમ કોઈ સાધક “મારે અણાહારીભાવ પ્રગટ કરવો છે” તેવા સંકલ્પ વિના માત્ર તપ કરતો હોય, ત્યારે તપની પ્રવૃત્તિ સમયે આહારાદિની પ્રવૃત્તિ નહીં હોવાથી આહારાદિવિષયક રાગાદિ ભાવો પ્રવર્તતા નથી, તોપણ તપ પછી Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૧ યોગલક્ષણદ્વાચિંશિકા/બ્લોક-૨૬ આહારાદિની પ્રવૃત્તિ કરે છે ત્યારે ફરી તે આહારાદિવિષયક ભાવો ફુરણ થાય છે. તેથી પ્રણિધાનાદિ આશય વગરની તે ક્રિયાથી થયેલ રાગાદિનો પરિક્ષય દેડકાના ચૂર્ણ જેવો છે. જ્યારે કોઈ અન્ય સાધક પ્રણિધાનાદિ આશયપૂર્વક તપ કરતો હોય અર્થાત્ “જીવનો આહાર કરવાનો સ્વભાવ નથી, વસ્તુત: તેનો અણાહારી સ્વભાવ છે, અને મારે અણાહારી સ્વભાવને પ્રગટ કરવા માટે આહારની વૃત્તિનો ઉચ્છેદ કરવો છે. તેથી આહારસંજ્ઞાથી પર થઈ તપ કરવા દ્વારા હું પણ મારા આત્માના અણાહારીભાવને પ્રગટ કરું.” આવા પ્રકારના અણાહારીભાવને પ્રગટ કરવાના પ્રણિધાનથી તેને અનુરૂપ તપમાં યત્ન કરતો હોય, તો તપની ક્રિયા દરમ્યાન જે રાગાદિનો પરિક્ષય થાય છે તે દેડકાંની ભસ્મ જેવો છે અર્થાત્ ભસ્મભૂત થયેલ દેડકાંના કલેવરોમાંથી ફરી વરસાદરૂપ નિમિત્ત સામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ ક્યારેય નવાં દેડકાં ઉત્પન્ન થઈ શકતાં નથી, તેમ અણાહારીભાવના પ્રણિધાનપૂર્વક તપમાં કરાયેલ યત્નથી આહારસંજ્ઞાનો તે રીતે પરિક્ષય થાય છે કે જેથી ઉત્તરમાં ભોગાદિકાળમાં પણ તે પ્રકારના પૂર્વ જેવા રાગાદિ ફુરણ થતા નથી. તેથી પ્રણિધાનપૂર્વક કરાયેલી તપની ક્રિયાથી રાગાદિનો પરિક્ષય ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વીતરાગતારૂપ ફળમાં પર્યવસાન પામનાર છે. આનાથી શું ફલિત થયું ? તે ટીકામાં સ્પષ્ટ કરે છે -- પ્રણિધાનઆશયપૂર્વકની ક્રિયાથી થયેલો ક્લેશધ્વસ તે ધ્વસવિશેષ છે અને તે ધ્વસવિશેષની જનક એવી શક્તિવિશેષ તે ક્રિયામાં છે, અને તે ક્રિયામાં રહેલી શક્તિવિશેષ ભાવવૃદ્ધિને અનુકૂળ છે. આશય એ છે કે પ્રણિધાનાદિ આશય વગરની ક્રિયાથી જે ક્લેશધ્વંસ થાય છે, તે ક્લેશધ્વસ સામાન્ય છે; અને પ્રણિધાનઆશયપૂર્વકની ક્રિયાથી જે ફ્લેશધ્વસ થાય છે તે ધ્વસવિશેષ છે. આવો જે ક્લેશધ્વંસ થયો છે તે ક્લેશ ફરી ઉત્પન્ન થતો નથી, અને આવા ધ્વસવિશેષની જનક એવી પ્રણિધાનાદિ આશયરૂપ શક્તિવિશેષ તે ક્રિયામાં છે, અને તે ક્રિયામાં રહેલી આ શક્તિવિશેષ ભાવવૃદ્ધિનું કારણ છે. ||રકા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૭ અવતરણિકા :તથા ૨ - અવતરણિકાર્ય : અને તે રીતે – ભાવાર્થ : પૂર્વ શ્લોકમાં કહ્યું કે પ્રણિધાનાદિ આશયરૂપ શક્તિવિશેષથી કરાયેલી ક્રિયામાં દેડકાંની ભસ્મ જેવો ક્લેશધ્વંસ થાય છે. તેથી એ ફલિત થાય કે જે ક્રિયામાં દેડકાંના ચૂર્ણ જેવો ક્લેશધ્વંસ થાય છે તે ક્રિયામાં શક્તિવિશેષ નથી, પરંતુ જે ક્રિયામાં દેડકાંની ભસ્મસદશ ક્લેશધ્વંસ થાય છે તે ક્રિયામાં શક્તિવિશેષ છે; અને તે શક્તિવિશેષ જ ભાવવૃદ્ધિને અનુકૂળ છે; અને તે રીતે શું પ્રાપ્ત થાય છે, તે ‘તથા વ' થી કહે છે – બ્લોક :विचित्रभावद्वारा तत् क्रिया हेतुः शिवं प्रति । अस्या व्यञ्जकताप्येषा परा ज्ञाननयोचिता ।।२७।। અન્વયાર્થ : ત= તે કારણથી ક્રિયામાં ભાવવૃદ્ધિને અનુકૂળ શક્તિવિશેષ છે તે કારણથી, વિચિત્રમાdદ્વારા વિચિત્ર ભાવ દ્વારા ત્રિક્રિયા શિવં પ્રતિ મોક્ષ પ્રતિ હેતુ =હેતુ છે. સ્થા.=આની ક્રિયાની પર અષા વ્યક્તવતપિકપરા એવી આ વ્યંજકતા પણ જ્ઞાનનયતા જ્ઞાનનયને ઉચિત છે. રા. શ્લોકાર્ચ : તે કારણથી ક્રિયામાં ભાવવૃદ્ધિને અનુકૂળ શક્તિવિશેષ છે તે કારણથી, વિચિત્ર ભાવ દ્વારા ક્રિયા મોક્ષ પ્રતિ હેતુ છે. આની ક્રિયાની પરા એવી આ વ્યંજકતા પણ અર્થાત્ શ્રેષ્ઠ એવી હેતુતાવિશેષરૂપ વ્યંજકતા પણ જ્ઞાનનયને ઉચિત છે. ર૭ના Page #92 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ૭૩ ક વ્યગ્નતાપ્રેષા' - અહીં 'પ' થી એ કહેવું છે કે ક્રિયાની મોક્ષ પ્રતિ જે હેતુતા છે તે તો શક્તિવિશેષરૂપ છે જ, પરંતુ જ્ઞાનનયને ઉચિત એવી વ્યંજકતા પણ હેતુતાવિશેષરૂપ છે. ટીકા : विचित्रेति-विचित्रो भावोऽध्यात्मादिरूपः तद्वारा क्रिया शिवं प्रति हेतुः, दण्ड इव चक्रभ्रमिद्वारा घटे, करणता च तस्याः शक्तिविशेषेण न तु भावपूर्वकत्वेनैव, भावस्यान्यथासिद्धिप्रसङ्गात्, अस्याः क्रियायाः, व्यञ्जकताप्येषा हेतुताविशेषरूपा परा, अत एव भावस्य ज्ञापकत्वरूपाभिव्यञ्जकता ज्ञाननयोचिताज्ञाननयप्राधान्योपयुक्ता, न तु व्यवहारतो वास्तवी, अन्यथा सत्कार्यवादप्रसङ्गात् રૂતિ ભવ: સારા . ટીકાર્ય : ચિત્રો ..... તિ માવઃ II અધ્યાત્માદિરૂપ વિચિત્ર ભાવ છે, તેના દ્વારા ક્રિયા મોક્ષ પ્રતિ હેતુ છે, ઘટમાં ચક્રભૂમિ દ્વારા દંડની જેમ; અને તેની ક્રિયાની કરણતા શક્તિવિશેષથી છે=સમ્યજ્ઞાનના નિયંત્રણરૂપ શક્તિ-વિશેષથી છે, પરંતુ ભાવપૂર્વકત્વથી જ નથી; કેમ કે ભાવની અત્યથાસિદ્ધિ માનવાનો પ્રસંગ છે. આની ક્રિયાની, આ વ્યંજકતા પણ પરા શ્રેષ્ઠ, એવી હેતુતાવિશેષરૂપ છે. આથી જ વ્યંજકતા પણ શ્રેષ્ઠ એવી હેતુતાવિશેષરૂપ છે આથી જ, ભાવની જ્ઞાપકત્વરૂપ અભિવ્યંજકતા=ક્રિયામાં ભાવને જણાવવારૂપ અભિવ્યંજકતા, જ્ઞાનનયને ઉચિત છે-જ્ઞાનનયના પ્રાધાન્યથી ઉપયુક્ત છે, પરંતુ વ્યવહારનયથી વાસ્તવિક નથી. અન્યથા=ક્રિયામાં ભાવની અભિવ્યંજકતાને જ્ઞાનનયના પ્રાધાન્યથી ન સ્વીકારવામાં આવે પણ વ્યવહારનયથી સ્વીકારવામાં આવે તો, સત્કાર્યવાદનો પ્રસંગ છે. તેથી ક્રિયાની વ્યંજકતા જ્ઞાનનયના પ્રાધાન્યથી ઉપયુક્ત છે, એમ અવય છે, એ પ્રમાણે ભાવ છે. રક્ષા “અધ્યાત્મ – અહીં ‘’ થી ભાવનાયોગ આદિનું ગ્રહણ કરવું. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ભાવાર્થ : પૂર્વશ્લોકમાં ક્રિયાના બે પ્રકાર બતાવ્યા : (૧) એક ક્રિયાથી ક્લેશધ્વંસ દેડકાનાં ચૂર્ણ જેવો થાય છે. (૨) બીજી ક્રિયાથી ક્લેશધ્વંસ દેડકાંની ભસ્મ જેવો થાય છે. યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭ ત્યાર પછી સ્પષ્ટતા કરી કે જે ક્રિયાથી દેડકાંની ભસ્મ જેવો ક્લેશધ્વંસ થાય છે, તે ક્રિયામાં ભાવવૃદ્ધિને અનુકૂળ એવી શક્તિવિશેષ છે. તેનાથી શું ફલિત થયું ? તે બતાવવા માટે કહે છે વ્યવહારનય અર્થાત્ ક્રિયાનય, ક્રિયાને મોક્ષ પ્રતિ કારણ માને છે, તે ક્રિયા પણ શક્તિવિશેષવાળી ગ્રહણ કરવાની છે, પરંતુ જે ક્રિયામાં શક્તિવિશેષ નથી, તે ક્રિયાને મોક્ષનું કારણ વ્યવહારનય પણ માનતો નથી. આ વાત શ્લોકના પૂર્વાર્ધથી બતાવે છે. નિશ્ચયનય અર્થાત્ જ્ઞાનનય, મોક્ષ પ્રતિ જ્ઞાનને કારણ માને છે, અને ક્રિયા મોક્ષનું કારણ નથી પરંતુ ક્રિયા જ્ઞાનની અભિવ્યંજક છે, અને ક્રિયાથી અભિવ્યક્ત થયેલું=પ્રગટ થયેલું, જ્ઞાન મોક્ષનું કારણ છે, એમ માને છે. આ વાત શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે - વ્યવહારનય કહે છે કે દંડ જેમ ચક્રની ભ્રમિ દ્વારા ઘટ પ્રતિ કારણ છે, તેમ ક્રિયા અધ્યાત્માદિરૂપ ભાવો પેદા કરીને મોક્ષ પ્રતિ કારણ છે. તેથી જેમ દંડ ભૂમિ દ્વારા ઘટ પ્રત્યે કારણ છે માટે દંડમાં ક૨ણતા છે, તેમ ક્રિયા ભાવ દ્વારા મોક્ષ પ્રત્યે કારણ બને છે, માટે ક્રિયામાં કરણતા છે; કેમ કે ‘વ્યાપારવવું અસાધારણારનું રાં' એ પ્રમાણે કરણનું લક્ષણ છે; અને ક્રિયામાં કરણતા છે તે શક્તિવિશેષથી છે, પરંતુ ભાવપૂર્વકત્વથી નથી. તેથી એ ફલિત થાય કે પ્રણિધાનાદિ આશયવાળી ક્રિયાને મોક્ષનો હેતુ સ્વીકારીએ અને પ્રણિધાનાદિ આશયોને ભાવ કહીએ, તો ભાવપૂર્વકની ક્રિયા મોક્ષનો હેતુ છે, તેવો અર્થ પ્રાપ્ત થાય; અને સ્વયં ગ્રંથકારે પૂર્વમાં કહેલ કે ભાવપૂર્વકની ક્રિયાથી કરાયેલો ક્લેશધ્વંસ દેડકાંની ભસ્મ જેવો થાય છે. તેથી એમ જ કહેવું પડે કે ભાવપૂર્વકની ક્રિયા મોક્ષનું કારણ છે; પરંતુ આ કથન ગ્રંથકારે સ્થૂલ દૃષ્ટિથી કરેલું છે. જ્યારે સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો ભાવપૂર્વકની Page #94 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણ દ્વાચિંશિકા/શ્લોક-૨૭ ૭૫ ક્રિયા મોક્ષનો હેતુ છે, એમ કહેવામાં આવે, અને પછી કહેવામાં આવે કે પ્રણિધાનાદિ ભાવપૂર્વકની ક્રિયાથી અધ્યાત્માદિરૂપ ભાવ થાય છે, અને તેના દ્વારા ક્રિયા મોક્ષનો હેતુ છે; તો એ પ્રાપ્ત થાય કે ક્રિયામાં રહેલો પ્રણિધાનાદિ આશય મોક્ષરૂપ કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ છે. જેમ દંડ ભૂમિ દ્વારા ઘટનું કારણ છે અને દંડમાં રહેલું દંડત્વકાર્ય નિયત પૂર્વવર્તી હોવા છતાં ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ છે, તેમ ભાવપૂર્વકની ક્રિયા અધ્યાત્માદિરૂપ ભાવ દ્વારા મોક્ષનું કારણ છે, તેમ કહીએ તો ક્રિયામાં વર્તતો ભાવ દંડત્વની જેમ મોક્ષરૂપ કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ છે કારણ નથી, તેમ માનવાનો પ્રસંગ આવે. તેથી પ્રથમ ગ્રંથકારે કહેલ કે ભાવપૂર્વકની ક્રિયા ભાવવૃદ્ધિનું કારણ છે અથવા ભાવપૂર્વકની ક્રિયાથી ક્લેશધ્વસ દેડકાની ભસ્મ જેવો થાય છે, તે સ્થૂલદૃષ્ટિથી કહેલ છે. અહીં ભૂલદૃષ્ટિથી ક્રિયામાં રહેલ પ્રણિધાનાદિ આશયને ભાવ કહેલ છે, અને સુક્ષ્મદ્રષ્ટિથી ક્રિયામાં વર્તતા પ્રણિધાનાદિ આશયને શક્તિવિશેષરૂપે કહેલ છે અને પ્રણિધાનાદિ આશયપૂર્વક કરાતી ક્રિયાથી ઉત્પન્ન થતા અધ્યાત્માદિભાવોને ભાવરૂપે કહેલ છે. તેથી સૂક્ષ્મદૃષ્ટિથી વિચારીએ તો એ ફલિત થાય કે ગમે તેવી ક્રિયા ફળનિષ્પત્તિનું કારણ નથી, પરંતુ સમ્યજ્ઞાનથી નિયંત્રિત ક્રિયા ફળનિષ્પત્તિનું કારણ છે. માટે ધર્મના અનુષ્ઠાનવિષયક સમ્યજ્ઞાન હોય, તે જ્ઞાનથી નિયંત્રિત અનુષ્ઠાન કરવાનું પ્રણિધાન હોય, તો તે ક્રિયાથી અધ્યાત્માદિ ભાવો દ્વારા ક્રમે કરીને મોક્ષફળ પ્રાપ્ત થાય છે. આમ, પ્રણિધાનાદિ આશયવાળી ક્રિયા સમ્યજ્ઞાનથી નિયંત્રિત છે અને તે ક્રિયામાં વર્તતા પ્રણિધાનાદિ આશયો શક્તિવિશેષરૂપ છે અને તે શક્તિવિશેષવાળી ક્રિયા અધ્યાત્માદિરૂપ ભાવોને પેદા કરવામાં કારણ બને છે અને તેના દ્વારા ક્રિયા મોક્ષનું કારણ બને છે. માટે આવી શક્તિવિશેષવાળી ક્રિયાથી પ્રથમ અધ્યાત્મ પેદા થાય, ત્યારપછી ક્રમસર ભાવના-ધ્યાન-સમતા અને વૃત્તિસંક્ષય થાય, જેથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આમ સ્વીકારવાથી પ્રણિધાનાદિ આશયને મોક્ષ પ્રતિ અન્યથાસિદ્ધ માનવાનો પ્રસંગ આવતો નથી, પરંતુ મોક્ષ પ્રતિ કારણભૂત એવી ક્રિયામાં શક્તિવિશેષરૂપે તે આશયો રહેલા છે, અને તે આશયથી યુક્ત એવી ક્રિયા મોક્ષનું કારણ છે, એ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ યોગલક્ષણદ્વાત્રિંશિકા|શ્લોક-૨૭ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. તેથી ક્રિયાની સમ્યગ્ નિષ્પત્તિ કરવામાં પ્રણિધાનાદિ આશયો કારણ છે, અને પ્રણિધાનાદિ આશયથી નિષ્પન્ન થયેલી સમ્યગ્ ક્રિયા અધ્યાત્માદિભાવો ઉત્પન્ન કરવા દ્વારા મોક્ષનો હેતુ છે, એ પ્રકારનો વ્યવહારનયનો મત છે. વળી વ્યવહારનય=ક્રિયાનય, અસત્કાર્યવાદી છે. તેથી તે માને છે કે જે કાર્ય વિદ્યમાન નથી, તે કાર્યનો અર્થી તે કાર્યના કારણમાં યત્ન કરીને કાર્યને નિષ્પન્ન કરે છે. માટે વ્યવહારનય કહે છે કે સંસારી જીવ મોક્ષનો અર્થી બને છે ત્યારે, મોક્ષના ઉપાયરૂપે ક્રિયામાં યત્ન કરે છે, તે ક્રિયાથી મોક્ષને અનુકૂળ ભાવ પેદા થાય છે અને ઉત્તર ઉત્તરની ક્રિયા ઉત્તર ઉત્તરના ભાવને પેદા કરી મોક્ષનું કારણ બને છે. આથી ક્રિયામાં ભાવની જ્ઞાપકત્વરૂપ ભંજકતા વ્યવહારનયથી વાસ્તવિક નથી તેમ ટીકામાં કહેલ છે; કેમ કે ક્રિયાને ભાવની વ્યંજક માનીએ તો સદ્ એવો ભાવ જ ક્રિયાથી અભિવ્યક્ત થાય છે તેમ પ્રાપ્ત થાય. તેથી વ્યવહારનયને સત્કાર્યવાદ સ્વીકારવાનો પ્રસંગ આવે. વસ્તુતઃ વ્યવહારનયથી જેમ દંડ ભ્રમિને પેદા કરે છે, તેના દ્વારા દંડ ઘટનો હેતુ છે, તેમ ક્રિયા ભાવને પેદા કરે છે અને તેના દ્વારા ક્રિયા મોક્ષનો હેતુ છે. તેથી વ્યવહારનયથી ક્રિયા ભાવની જનક છે, પરંતુ ભાવની વ્યંજક નથી, માટે વ્યવહારનયને સત્કાર્યવાદ માનવાનો પ્રસંગ નથી. વ્યવહારનયની દૃષ્ટિથી ક્રિયા ભાવ દ્વારા મોક્ષનો હેતુ છે, તે બ્લોકના પૂર્વાર્ધમાં યુક્તિથી બતાવ્યું. હવે શ્લોકના ઉત્તરાર્ધમાં જ્ઞાનનય=નિશ્ચયનય, મોક્ષ પ્રત્યે જ્ઞાનને કારણ માને છે, તે બતાવે છે જ્ઞાનનય=નિશ્ચયનય સત્કાર્યવાદી છે અને મોક્ષ પ્રત્યે જ્ઞાનને કારણ માને છે અને ક્રિયાને વિદ્યમાન જ્ઞાનની વ્યંજક માને છે. તેથી તે કહે છે કે ક્રિયા સતુ એવા જ્ઞાનને અભિવ્યક્ત કરે છે, પરંતુ જ્ઞાનને પેદા કરતી નથી. આથી સમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વ પ્રગટે છે, એમ જ્ઞાનનય કહે છે. તે રીતે આત્મામાં મોક્ષને અનુકૂળ એવી જ્ઞાનની પરિણતિ વિદ્યમાન છે, પરંતુ અત્યારે અભિવ્યક્ત નથી, જે ક્રિયાથી અભિવ્યક્ત થાય છે.જેમ શરાવમાં=માટીના કોડિયામાં, ગંધ છે છતાં અભિવ્યક્ત નથી, અને શરાવ ઉપર પાણી છાંટવાથી તે ગંધ અભિવ્યક્ત થાય છે. તેમ આત્મામાં મોક્ષને અનુકૂળ કષાયના સંશ્લેષ વગરની જ્ઞાનની પરિણતિ વિદ્યમાન છે, છતાં Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૭ યોગલક્ષણદ્વાચિંશિકા/બ્લોક-૨૭ સંસારી જીવમાં તે અભિવ્યક્ત નથી; તે કષાયના સંશ્લેષ વગરની જ્ઞાનની પરિણતિ શાસ્ત્રાનુસારી ક્રિયા કરવાથી અભિવ્યક્ત થાય છે=પ્રગટ થાય છે, જે અધ્યાત્માદિ. ભાવરૂપ છે; અને ક્રિયા દ્વારા અધ્યાત્માદિભાવરૂપે પ્રગટ થયેલી જ્ઞાનની પરિણતિ ઉત્તરોત્તર વિશુદ્ધ વિશુદ્ધતર થઈને મોક્ષનું કારણ બને છે. આ રીતે નિશ્ચયનયથી ક્રિયા જ્ઞાનને અભિવ્યક્ત કરીને ચરિતાર્થ થાય છે. માટે ક્યિા મોક્ષનો હેતુ નથી, જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. વળી જ્ઞાનનય કહે છે કે ક્રિયામાં જે અભિવ્યંજકતા છે, તે પણ યથા-તથા કરાયેલી ક્રિયામાં નથી, પરંતુ પ્રણિધાનાદિ આશયપૂર્વક કરાયેલી ક્રિયામાં છે, અને પ્રણિધાનાદિ આશય એ ક્રિયામાં શક્તિવિશેષ છે. તેથી તે શક્તિવિશેષવાળી જ્યિા મોક્ષને અનુકૂળ એવી જ્ઞાનપરિણતિની અભિવ્યંજક છે, અને તે જ્ઞાનપરિણતિ ઉત્તરોત્તર પ્રકર્ષને પામીને મોક્ષનું કારણ છે, એમ ફલિત થાય છે. સંક્ષેપ - વ્યવહારનયથી સમ્યજ્ઞાનથી નિયંત્રિત એવી શક્તિવિશેષવાળી ક્રિયા અધ્યાત્માદિ ભાવ દ્વારા મોક્ષનું કારણ છે, અને તે શક્તિવિશેષ ક્રિયાકાળમાં વર્તતા પ્રણિધાનાદિ આશયો છે. નિશ્ચયનયથી જ્ઞાન મોક્ષનું કારણ છે અને ક્રિયા જ્ઞાનની અભિવ્યંજક છે= મોક્ષને અનુકૂળ એવું જ્ઞાન આત્મામાં છે, તેને પ્રગટ કરીને ક્રિયા ચરિતાર્થ થઈ જાય છે, અને ક્રિયાથી પ્રગટ થયેલું જ્ઞાન મોક્ષનું કારણ છે. અહીં ટીકામાં કહ્યું કે પરાતુતાવિશેષરૂપ આ વ્યંજકતા ક્રિયાની છે. તેથી એ પ્રાપ્ત થાય કે ક્રિયામાં જ્ઞાનની વ્યંજકતા બે પ્રકારની છે. I હેતુતાવિશેષરૂપ વ્યંજકતા, ૫ શ્રેષ્ઠ હેતુતાવિશેષરૂપ વ્યંજકતા. I હેતુતાવિશેષરૂ૫ વ્યંજકતા : જે ક્રિયામાં હેતુતાવિશેષરૂપ વ્યંજકતા છે=મંડુકચૂર્ણ જેવા જ્ઞાનને અભિવ્યક્ત કરે તેવી હેતુતાવિશેષરૂપ વ્યંજકતા છે, તે ક્રિયા મોક્ષનું કારણ એવા ભાવને અભિવ્યક્ત કરતી નથી. તે આ રીતે -- Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૮. યોગલક્ષણદ્વાત્રિંશિકા|શ્લોક-૨૭ જે ક્રિયા પ્રણિધાનાદિ આશયવાળી નથી, તે ક્રિયા પણ રાગાદિનો પરિક્ષય કરે છે, અને તે ક્રિયાથી રાગાદિના પરિક્ષયવાળા જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે, તોપણ તે રાગાદિના પરિક્ષયવાળો જ્ઞાનનો ઉપયોગ મોક્ષ પ્રત્યે કારણ નથી. તેથી આ ક્રિયામાં રહેલી વ્યંજકતાને જ્ઞાનનય શ્રેષ્ઠ હેતુતાવિશેષરૂપ વ્યંજકતા તરીકે સ્વીકારતો નથી, પરંતુ હેતુતાવિશેષરૂપ વ્યંજકતા તરીકે સ્વીકારે છે. II શ્રેષ્ઠ હેતુતાવિશેષરૂપ વ્યંજકતા ઃ જે ક્રિયામાં પરાહેતુતાવિશેષરૂપ વ્યંજકતા છે=મોક્ષનું કારણ બને તેવા મંડુકભસ્મ જેવા જ્ઞાનને અભિવ્યક્ત કરે તેવી શ્રેષ્ઠ હેતુતાવિશેષરૂપ વ્યંજકતા છે, તે ક્રિયાથી અભિવ્યક્ત થયેલું જ્ઞાન મોક્ષનું કારણ છે. તેથી એ ફલિત થાય કે જે ક્રિયા પ્રણિધાનઆદિ આશયવાળી છે, તે ક્રિયાથી સાનુબંધ રાગાદિનો ક્ષય થાય છે અને તે ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે. આ ક્રિયામાં રહેલી વ્યંજકતાને જ્ઞાનનય શ્રેષ્ઠ હેતુતાવિશેષરૂપ વ્યંજકતા તરીકે સ્વીકારે છે. વળી ટીકામાં કહ્યું કે ભાવની જ્ઞાપકત્વરૂપ અભિવ્યંજકતા જ્ઞાનનયના પ્રાધાન્યથી ઉપયુક્ત છે. તેથી એ પ્રાપ્ત થાય કે ક્રિયાથી ભાવ અભિવ્યક્ત થાય છે, તેથી ક્રિયામાં ભાવની અભિવ્યંજકતા છે, અને તે અભિવ્યંજકતા ભાવને અભિવ્યક્ત કરે છે, તેથી તે ક્રિયા ભાવની જ્ઞાપક બની અર્થાત્ જેમ શરાવમાં રહેલી ગંધ જ્ઞાત ન હતી અને તેના ઉપર જળ નાખવાથી જળ તે ગંધનું જ્ઞાપન કરે છે, તેથી જળ જ્ઞાપક છે; તેમ આત્મામાં રહેલ ભાવ જ્ઞાત ન હતો અને ક્રિયા ભાવનું જ્ઞાપન કરે છે. તેથી તે ક્રિયા ભાવની જ્ઞાપક બની. માટે ક્રિયામાં રહેલી અભિવ્યંજકતા જ્ઞાપકત્વરૂપ છે, અને તે અભિવ્યંજકતા જ્ઞાનનયના પ્રાધાન્યથી ઉપયોગી છે=જ્ઞાનનયના પ્રાધાન્યથી માન્ય છે, પરંતુ વ્યવહારનયથી વાસ્તવિક નથી; કેમ કે વ્યવહારનય અસત્કાર્યવાદી છે, અને જો વ્યવહારનયથી ક્રિયામાં ભાવની વ્યંજકતા વાસ્તવિક સ્વીકારીએ તો વ્યવહારનયને સત્કાર્યવાદ સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. વસ્તુત: વ્યવહારનય કહે છે કે જે કાર્ય થયું નથી, તે કાર્યનો અર્થી ક્રિયામાં યત્ન કરીને તે કાર્યને પેદા કરે છે; કેમ કે વ્યવહારનય સત્કાર્યવાદ માનતો નથી, પરંતુ અસત્કાર્યવાદ માને છે. માટે વ્યવહારનયથી ક્રિયામાં ભાવની Page #98 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮ ૭૯ અભિવ્યંજકતા નથી, પરંતુ જનકતા છે. તેથી તે નયથી અભિવ્યંજકતા વાસ્તવિક નથી; જ્યારે જ્ઞાનનય સત્કાર્યવાદી છે. તેથી જ્ઞાનનય કહે છે કે આત્મામાં વિદ્યમાન જ જ્ઞાન ક્રિયાથી અભિવ્યક્ત થાય છે, નવું ઉત્પન્ન થતું નથી. રિલા અવતરણિકા : શ્લોક-૧માં મોક્ષના મુખ્ય હેતુની વ્યાપારતા યોગનું લક્ષણ છે' એમ કહ્યું, અને ત્યાર પછી શ્લોક-૨૭માં યુક્તિથી સ્થાપન કર્યું કે વ્યવહારનયથી ક્રિયા અધ્યાત્માદિ ભાવ પેદા કરવા દ્વારા મોક્ષ પ્રત્યે હેતુ છે, અને જ્ઞાનનયથી ક્રિયા વિદ્યમાન ભાવની અભિવ્યંજક છે અને અભિવ્યક્ત થયેલો ભાવ મોક્ષ પ્રત્યે હેતુ છે; પરંતુ ભાવતો વ્યાપાર યોગ છે તેમ કહ્યું નહીં. તેથી જિજ્ઞાસા થાય કે મોક્ષનો જે હેતુ હોય તેને શ્લોક-૧માં યોગ કહેવો જોઈએ, પરંતુ મોક્ષના હેતુના વ્યાપારને યોગ કેમ કહ્યો ? તેથી કહે છે - શ્લોક : व्यापारश्चिद्विवर्तत्वाद्वीर्योल्लासाच्च स स्मृतः । विविच्यमाना भिद्यन्ते परिणामा हि वस्तुनः ।।२८।। અન્વયાર્થ: વિદ્રિવર્તત્વ=ચિવિવર્તપણું હોવાથી જ્ઞાનનો પરિણામ હોવાથી, વિર્ષોત્તસાયૅ અને વીર્ષોલ્લાસ હોવાથી આત્માની શક્તિનું સ્ફોરસ હોવાથી તેનું યોગ વ્યાપાર: મૃતઃ=વ્યાપાર કહેવાયો છે, હિં=જે કારણથી વસ્તુન: વસ્તુના વિવિધ્યમાન પરિVT/HT=વિવિથ્યમાન પરિણામો મચત્તે ભેદ પામે છે. ૨૮ શ્લોકાર્ચ - ચિવિવર્તપણું હોવાથી અને વર્ષોલ્લાસ હોવાથી, તે અર્થાત્ યોગ, વ્યાપાર કહેવાયો છે, જે કારણથી વસ્તુના વિવિધ્યમાન પરિણામો ભેદ પામે છે. ર૮II ટીકા : व्यापार इति-स-योगः चिद्विवर्तत्वात्-ज्ञानपरिणामात्, वीर्योल्लासाद्= आत्मशक्तिस्फोरणाच्च, व्यापारः स्मृतः, क्रमवतः प्रवृत्तिविषयस्य व्यापारत्वात्, Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ યોગલક્ષણદ્વાત્રિશિકા/શ્લોક-૨૮ एतेन द्रव्यादेर्व्यवच्छेदः, हि-यतः विविच्यमानाः=भेदनयेन गृह्यमाणा वस्तुनः परिणामा भिद्यन्ते, तथा च न व्यापाराश्रयस्यापि व्यापारत्वमिति भावः ।।२८।। ટીકાર્થ : =ો .... માવ: પા ચિદ્વિવર્તપણું હોવાથી જ્ઞાનનો પરિણામ હોવાથી, અને વીર્ષોલ્લાસ હોવાથી=આત્મશક્તિનું મ્હોરણ હોવાથી, તે યોગ, વ્યાપાર કહેવાયો છે; કેમ કે ક્રમવાળી પ્રવૃત્તિના વિષયનું વ્યાપારપણું છે. આનાથી= મોક્ષને અનુકૂળ એવા ભાવના વ્યાપારને યોગ કહ્યો એનાથી, દ્રવ્યાદિનો વ્યવચ્છેદ થયો=દ્રવ્યાદિનો વ્યાપાર યોગ છે એનો વ્યવચ્છેદ થયો, જે કારણથી વિવિધ્યમાન ભેદનયથી ગ્રહણ કરાતા, વસ્તુના પરિણામો ભેદ પામે છે અર્થાત્ ભેદનયથી ગ્રહણ કરાતા આત્માના પરિણામો આત્માથી જુદા પડે છે, અને તે રીતે ભેદનયથી આત્માના પરિણામો આત્માથી જુદા છે તે રીતે, વ્યાપારના આશ્રયનું પણ વ્યાપારપણું નથી યોગમાર્ગને અનુકૂળ એવા વ્યાપારના આશ્રયવાળા એવા આત્માનું પણ વ્યાપારપણું નથી, પરંતુ મોક્ષને અનુકૂળ ભાવનું વ્યાપારપણું છે, એ પ્રકારનો ભાવ છે. ૨૮ - વ્ય' અહીં દ્ર' થી શુદ્ધ જ્ઞાયક સ્વભાવનું ગ્રહણ કરવું. વ્યાપારાશ્રયસ્થપ' અહીં ' થી એ કહેવું છે કે, વ્યાપારનો જે આશ્રય નથી, તેનું તો વ્યાપારપણું નથી, પરંતુ વ્યાપારના આશ્રયનું પણ વ્યાપારપણું નથી. ભાવાર્થ : જીવમાં વર્તત મોક્ષને અનુકૂળ ભાવ સમ્યગુક્રિયા દ્વારા વૃદ્ધિ પામે છે ત્યારે વૃદ્ધિ પામતો તે પરિણામ ચિદ્વિવર્તરૂપ છે અર્થાત્ કોઈક અંશથી કષાયના સંશ્લેષ વગરના જીવના જ્ઞાનના પરિણામરૂપ છે, અને તે વખતે જીવ તે ભાવને પ્રકર્ષ કરવા અર્થે વીર્ષોલ્લાસવાળો હોય છે. તેથી કર્મની પરતંત્રતાને છોડીને આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરવા માટે આત્મશક્તિનું સ્લોરણ કરે છે. તેથી યોગ વ્યાપાર કહેવાયો છે અર્થાત્ મોક્ષના હેતુભૂત એવા ભાવનો વ્યાપાર યોગ કહેવાય છે; કેમ કે ક્રમવાળી પ્રવૃત્તિના વિષયનું વ્યાપારપણું છે અર્થાત્ જીવમાં વર્તતો જે મોક્ષને અનુકૂળ ભાવ એ ક્રમસર અધિક-અધિક થાય છે, Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૧ યોગલક્ષણદ્વાત્રિશિકા/શ્લોક-૨૮ તેથી ક્રમવાળી પ્રવૃત્તિનો વિષય તે ભાવ બને છે, અને તે ભાવ ક્રમસર વધતો હોય ત્યારે તે વ્યાપારરૂપ છે, અને તે વ્યાપાર યોગ છે. જેમ કે કોઈ સાધકના ચિત્તમાં ભગવાન પ્રત્યે બહુમાનભાવ છે, તેથી તેના ચિત્તમાં વર્તતો ભગવાનના બહુમાનનો ભાવ તે ચિતું પરિણામ છે=જ્ઞાન પરિણામ છે અર્થાત્ કષાયના કંઈક સ્પર્શ વિનાના જ્ઞાનના પરિણામરૂપ છે; અને તે સાધક ભગવાનની ભક્તિમાં પ્રણિધાનાદિ આશયપૂર્વક યત્ન કરતો હોય ત્યારે તેના આત્મામાં વર્તતો કંઈક કષાયના સંશ્લેષ વગરનો જ્ઞાનના પરિણામરૂપ ભાવ ક્રમસર વૃદ્ધિ પામે છે અર્થાત્ પૂર્વ કરતાં વિશેષ કષાયના સંશ્લેષ વિનાના પરિણામરૂપે પરિણમન પામે છે; કેમ કે તે વખતે તે સાધક કર્મની અસરથી મુક્ત થઈને આત્મશક્તિનું સ્કરણ કરે છે. તેથી તે આત્મશક્તિના સ્કરણને કારણે પ્રગટ થયેલો કંઈક શુદ્ધ ભાવ અધિક શુદ્ધ બને છે; અને જેમ જેમ તે સાધક અત્યંત ઉપયોગપૂર્વક પૂજાનો વ્યાપાર કરે છે, તેમ તેમ તેનો ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ પ્રવર્ધમાન બને છે અને તે પ્રવર્ધમાન થતો જ્ઞાનનો પરિણામ યોગ છે. જે રીતે જીરણ શ્રેષ્ઠીને ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ હતો અને ભગવાન ચાર મહિનાના ઉપવાસ પછી ભિક્ષા માટે નીકળ્યા તે જોઈને જીરણ શ્રેષ્ઠીને ભાવ થયો કે “આજે જરૂર ભગવાન મારે ત્યાં પારણા માટે પધારશે'; કેમ કે પોતે રોજ ભગવાનને ભક્તિથી વંદન કરીને પારણાનો લાભ આપવા માટે વિનંતિ કરતા હતા; અને ઘરે આવ્યા પછી ભગવાનના આગમનના અને તેમના પ્રત્યેની ભક્તિના ભાવમાં ઉપયુક્ત થયેલા હોવાથી જીરણ શ્રેષ્ઠીને ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ પ્રતિક્ષણ વધતો હતો અને તે ભાવ ક્ષપકશ્રેણી તરફ જઈ રહ્યો હતો. તે વધતો જતો ભાવ વ્યાપારરૂપ છે અને તે યોગ છે; અને જો ભગવાનના પારણાનો દુંદુભિનો નાદ ન સંભળાયો હોત તો તે વધતો જતો ભાવ ક્ષપકશ્રેણીના પ્રારંભનું કારણ પણ બનત. જ્યાં સુધી તે ભાવ વધતો ગયો ત્યાં સુધી વ્યાપારરૂપ છે અને તેથી યોગરૂપ છે, ત્યારબાદ અટકી ગયો ત્યારથી યોગરૂપ નથી. તેથી એ ફલિત થાય કે સદંત:કરણપૂર્વક પ્રવર્તતો ભાવ વ્યાપારરૂપ હોવાથી યોગ છે; પરંતુ ક્રિયામાં યત્ન હોવા છતાં તે ભાવ લક્ષ્ય તરફ પ્રવર્તતો ન હોય અને ઉપયોગ અન્ય ક્રિયામાં હોય અથવા તો અપેક્ષિત ક્રિયામાં હોવા છતાં Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ યોગલક્ષણદ્વાચિંશિકાશ્લોક-૨૮ મોહના ઉન્મેલનને અનુકૂળ ન હોય, પરંતુ બાહ્ય આચરણાના ક્રમમાત્રમાં વિશ્રાંત હોય; જેથી મન લક્ષ્ય તરફ જવાને બદલે મૂછિત જેવું બાહ્ય આચરણામાત્રમાં પ્રવર્તતું હોય, ત્યારે જીવમાં ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ છે, તોપણ તે ક્રિયાથી ભાવવૃદ્ધિ થતી નથી. માટે તે ક્રિયાથી ભાવ પ્રવર્ધમાન નહિ હોવાથી તે ભાવ યોગ બને નહિ. 'ઇતન' આના દ્વારા દ્રવ્યાદિનો વ્યવચ્છેદ થાય છે. આશય એ છે કે જીવમાં વર્તતો ભાવ ક્રિયાથી વૃદ્ધિ પામતો હોય ત્યારે તે ભાવ યોગરૂ૫ છે, એમ કહેવાથી દ્રવ્યાદિનો વ્યવચ્છેદ થાય છે અર્થાત્ તે ભાવનો આશ્રય એવા જીવદ્રવ્યનો વ્યાપાર યોગ છે, એ કથનનો વ્યવચ્છેદ થાય છે, અને ‘દ્રવ્યઃ ' માં ' પદથી જીવમાં વર્તતા શુદ્ધ જ્ઞાયકભાવનો વ્યવચ્છેદ થાય છે, કેમ કે ભેદનાથી ગ્રહણ કરાતા વસ્તુના પરિણામો વસ્તુથી જુદા છે. તાત્પર્ય એ છે કે શુદ્ધ જ્ઞાયકસ્વભાવવાળા આત્મદ્રવ્યથી આત્મામાં વર્તતા ઔપાધિક ભાવોને આત્માથી જુદા જોનારો એવો જે ભેદનય છે, તે ભેદનથી આત્મામાં વર્તતા પાધિક ભાવને ગ્રહણ કરવામાં આવે ત્યારે તે ઔપાધિક ભાવના આશ્રયભૂત એવા આત્મદ્રવ્યનો વ્યવચ્છેદ થાય છે. તેથી એ ફલિત થાય કે શુદ્ધ જ્ઞાયકસ્વભાવવાળું આત્મદ્રવ્ય જુદું છે અને તેમાં વર્તતા ઔપાધિક ભાવો જુદા છે. અર્થાત્ યોગમાર્ગની સાધનાકાળમાં વર્તતા પણ ક્ષાયોપથમિકદિ ભાવરૂપ ઔપાધિક ભાવો આત્મદ્રવ્યથી જુદા છે. આ પ્રકારના કથનથી શું ફલિત થાય છે તે બતાવતાં ટીકાકાર કહે છે કે તે રીતે વ્યાપારના આશ્રયનું=જીવનું, પણ વ્યાપારપણું નથી. આશય એ છે કે જ્યારે જીવ સદનુષ્ઠાન કરે છે અને તે સદનુષ્ઠાનથી મોક્ષને અનુકૂળ ભાવો વૃદ્ધિ પામે છે, ત્યારે તે ભાવ વ્યાપારરૂપ છે; અને તે વ્યાપારનો આશ્રય જીવદ્રવ્ય છે, તોપણ તે જીવદ્રવ્યમાં વ્યાપારપણું નથી, પરંતુ જીવથી ભિન્ન એવા કિયાથી વૃદ્ધિ પામતા ભાવમાં વ્યાપારપણું છે. તેથી એ ફલિત થાય કે આત્માનો વ્યાપાર યોગ નથી અને આત્મામાં રહેલો જ્ઞાયકભાવ પણ યોગ નથી, પરંતુ મોક્ષને અનુકૂળ એવા ભાવનો વ્યાપાર અર્થાતુ આત્માના જ્ઞાયકભાવને અનુકૂળ એવા ભાવનો વ્યાપાર યોગ છે. Il૨૮માં Page #102 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૯ અવતરણિકા :एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે – ભાવાર્થ : પૂર્વશ્લોક-૨૮માં કહ્યું એને જ કહે છે=ભેદનયથી ગ્રહણ કરાતા વસ્તુના પરિણામ વસ્તુથી જુદા છે, અને તે દૃષ્ટિથી વિચારીએ તો ભેદનયથી આત્મામાં વર્તતા ઔપાધિક ભાવરૂપ પરિણામો આત્માથી જુદા છે, એને જ કહે છે – શ્લોક : जीवस्थानानि सर्वाणि गुणस्थानानि मार्गणाः । __ परिणामा विवर्तन्ते जीवस्तु न कदाचन ।।२९।। અન્વયાર્થ : સર્વાળિ નીવસ્થાનનિ=સર્વ જીવસ્થાનરૂપ ગુજસ્થાનનિ સર્વ ગુણસ્થાનરૂપ મા =માર્ગણારૂપ પરિVTમ=પરિણામો વિવર્તન્તકવિવર્તન પામે છેઃ પરિણામાંતર પામે છે, નીવતુ પરંતુ જીવ ન વાવન=ક્યારેય નહીં જીવ ક્યારેય વિવર્તન પામતો નથી. ૨૯ો. શ્લોકાર્થ : સર્વ જીવસ્થાનરૂપ, સર્વ ગુણસ્થાનરૂપ અને માર્ગણારૂપ પરિણામો વિવર્તન પામે છે અર્થાત્ પરિણામાંતર પામે છે, પરંતુ જીવ ક્યારેય નહીં અર્થાત્ જીવ ક્યારેય પરિણામાંતરને પામતો નથી. //ર૯I ટીકા : जीवस्थानानीति-सर्वाणि चतुर्दशापि जीवस्थानानि, गुणस्थानानि तावन्त्येव, मार्गणा गतीन्द्रियाद्याः परिणामाः विवर्तन्ते-दशाविशेषं भजन्ते, जीवस्तु कदाचन न विवर्तते, तस्य शुद्धज्ञायकभावस्यैकस्वभावत्वात् ।।२९।। Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ યોગલક્ષણદ્વાચિંશિકા/ક-૨૯ ટીકાર્ય : સર્વોf.... વવસ્વાન્ ! સર્વ ચૌદ પણ જીવસ્થાનોરૂપ, તેટલા જ=ચૌદ, ગુણસ્થાનોરૂપ, ગતિ-ઈન્દ્રિયાદિ માર્ગણારૂપ પરિણામો વિવર્તન પામે છેદશાવિશેષને પામે છે, વળી જીવ ક્યારેય પણ વિવર્તન પામતો નથી; કેમ કે શુદ્ધ જ્ઞાયકભાવવાળા એવા તેનું જીવનું, એકસ્વભાવપણું છે. ૨૯. - વતુર્દશા ' અહીં ૩પ' થી એ કહેવું છે કે કોઈ એક નહીં પણ ચૌદ પણ જીવસ્થાનો વિવર્તન પામે છે. તાંન્દ્રિયા: ' અહીં ફર' થી બાકીની માર્ગણા ગ્રહણ કરવી. ભાવાર્થ - સંસારી જીવોના એકેન્દ્રિયાદિ ચૌદ જીવસ્થાનકો છે, મિથ્યાત્વાદિ ચૌદ ગુણસ્થાનકો છે અને ગતિ-જાતિ આદિ ચૌદ માર્ગણાઓ છે. તે સર્વ પરિણામો જીવનમાં પરિવર્તન પામે છે, તે આ રીતે – (૧) ચૌદ જીવસ્થાનરૂપ પરિણામોમાં વિવર્તન :- ચંદ જીવસ્થાનકમાંથી ક્યારેક કોઈ એક જીવસ્થાનકના પરિણામ જીવમાં વર્તે છે, તો કોઈક અન્ય કાળે અન્ય જીવસ્થાનકનાં પરિણામ વર્તે છે. તેથી જીવસ્થાનકરૂપ પરિણામ જીવમાં પરાવર્તન પામે છે. (૨) ચૌદ ગુણસ્થાનરૂપ પરિણામોમાં વિવર્તન :- જીવમાં ગુણનો વિકાસ કરવાનાં સ્થાનો ચૌદ છે. તે ચૌદમાંથી જીવને કોઈ એક કાળે એક ગુણસ્થાનક વર્તે છે તો અન્ય કાળે અન્ય ગુણસ્થાનક વર્તે છે. આ રીતે ચૌદ ગુણસ્થાનકના પરિણામો પણ જીવમાં પરાવર્તન પામે છે. (૩) ચોદ માર્ગણાસ્થાનરૂપ પરિણામોમાં વિવર્તન :- જેમ ચૌદ ગુણસ્થાનક અને ચૌદ જીવસ્થાનક છે, તેમ ચૌદ માર્ગણાસ્થાન છે. તેમાંથી પ્રત્યેક માર્ગણાસ્થાનને આશ્રયીને જીવમાં પરાવર્તન થાય છે. જેમ જીવને ચાર ગતિમાંથી કોઈ એક ગતિ કોઈ એક કાળમાં વર્તે છે, તો અન્ય કાળમાં કોઈ અન્ય ગતિ વર્તે છે, તે રીતે ચૌદ માર્ગણાસ્થાનમાં સમજી લેવું. તેથી પ્રત્યેક માર્ગણાસ્થાનને આશ્રયીને માર્ગણાસ્થાનરૂપ પરિણામ જીવમાં પરાવર્તન પામે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯-૩૦ આ રીતે ચૌદ માર્ગણાસ્થાનક, એક ગુણસ્થાનક અને એક જીવસ્થાનકને આશ્રયીને ૧૬ વિકલ્પવાળા વિવર્તનો જીવમાં વર્તે છે. ભેદનયથી વિચારીએ તો આ બધા પરિણામોથી જીવ જુદો છે અને જીવ પોતે કોઈ પરિણામાંતરને પામતો નથી; કેમ કે જીવનો શુદ્ધજ્ઞાયકભાવરૂપ એક સ્વભાવ છે. જેમ સિદ્ધ અવસ્થામાં સિદ્ધના આત્માઓ સર્વ કર્મથી રહિત છે, દેહથી રહિત છે અને જ્ઞેયમાત્રનું જ્ઞાન કરે છે, પરંતુ જ્ઞેય સાથે લેશ પણ સંશ્લેષ પામતા નથી, તેવો તેમનો સ્વભાવ છે; તેમ સંસા૨અવસ્થામાં પણ જીવનો સિદ્ધના જેવો જ શુદ્ધજ્ઞાયકભાવરૂપ એક સ્વભાવ છે, અને જે અન્ય અન્ય પરિણામો દેખાય છે, તે જીવના નથી, જીવથી જુદા છે. તે બતાવવા માટે ભેદનયનું આશ્રયણ કરીને અહીં જીવનું લક્ષણ કરેલ છે. ૮૫ ભેદનયનું આશ્રયણ કરીને જીવનું લક્ષણ કરવાથી જીવને બોધ થાય છે કે “મારું વાસ્તવિક સ્વરૂપ આ છે અને એ સ્વરૂપને પ્રગટ કરવા અર્થે યોગની પ્રવૃત્તિ છે. આ યોગ સ્વયં વ્યાપારરૂપ છે અને જીવના પરિણામરૂપ નથી, તોપણ આ વ્યાપારથી જ જીવમાં વર્તતાં સર્વ જીવસ્થાનકો આદિ ભાવોનો નાશ થશે, અને શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો મારો આત્મા છે, છતાં અત્યારે તે સ્વભાવ અભિવ્યક્ત નથી, તેની અભિવ્યક્તિ અંતે યોગની પ્રવૃત્તિથી થશે.” અત્યારે પણ ભેદનયથી આપણો આત્મા શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો હોવા છતાં અભેદનયથી તેવો નથી, જ્યારે સિદ્ધના આત્માઓમાં જીવસ્થાનકાદિ કોઈ ભાવો નહીં હોવાથી સદા શુદ્ધ જ્ઞાયક એક સ્વભાવવાળા છે. ||૨|| અવતરણિકા : પૂર્વશ્લોક-૨૯માં કહ્યું કે જીવસ્થાતકાદિ પરિણામો વિવર્તત પામે છે, જીવ વિવર્તન પામતો નથી. હવે તે જીવસ્થાનકાદિ પરિણામો શેનાથી થાય છે ? અને જીવ કેમ વિવર્તન પામતો નથી ? તે યુક્તિથી બતાવે છે – શ્લોક ઃ उपाधिः कर्मणैव स्यादाचारादौ श्रुतं ह्यदः । विभावानित्यभावेऽपि ततो नित्यस्वभाववान् ।।३० ।। Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૬ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૩૦ અન્વયાર્થ : ઉપાધિ:-ઉપાધિ ર્મોવ સ્વાત્ કર્મથી જ થાય, અવ:=એ આચારો= આચારાદિમાં=આચારાંગ આદિ સૂત્રમાં શ્રુત=સંભળાયું છે. તતઃ-તે કારણે= ઉપાધિને કારણે વિમાવનિત્યમાવેઽપિ=વિભાવોનો અનિત્ય ભાવ હોવા છતાં પણ નિત્યસ્વમાવવા=નિત્યસ્વભાવવાળો આત્મા છે. ।।૩૦|| શ્લોકાર્થ : ઉપાધિ કર્મથી જ થાય, એ આચારાંગાદિ સૂત્રમાં સંભળાયું છે. તે કારણે=ઉપાધિને કારણે, વિભાવોનો અનિત્યભાવ હોવા છતાં પણ નિત્યસ્વભાવવાળો આત્મા છે. I|30|| * ‘વિનિત્યમાવેઽપ’ અહીં ‘ર્ઝાપ’ થી એ કહેવું છે કે વિભાવોનો અનિત્યભાવ ન હોય તો તો આત્માને નિત્યસ્વભાવવાળો કહેવામાં વાંધો નથી, પરંતુ વિભાવોનો અનિત્યભાવ હોવા છતાં પણ આત્મા નિત્યસ્વભાવવાળો છે. ટીકા : उपाधिरिति - आचारादौ अदः श्रुतं यदुत उपाधिः कर्मणैव स्यात् “कम्मुणा વાદી નાયફ ત્તિ (આવારા।-?-રૂ-? સૂ.૨૦) વશ્વનાત્, તતો વિમાવાનાં= मिथ्यात्वगुणस्थानादारभ्यायोगिगुणस्थानं यावत् प्रवर्तमानानामौपाधिकभावानाम्, अनित्यभावेऽपि स्वभाववानात्मा नित्य:, तस्योपाध्यजनितत्वाद्, उपाधिनिमित्तका अप्यात्मनो भावास्तद्रूपा एव युज्यन्ते इति चेत् ? सत्यं, शुद्धनयदृष्ट्यात्मपुद्गलयो: स्वस्वशुद्धभावजननचरितार्थत्वे संयोगजभावस्य भित्तौ खटिकाश्वेतिम्न इव विविच्यमानस्येकत्राप्यनन्तर्भावेन मिथ्यात्वात् ।। ३० ।। ટીકાર્ય :आचारादौ આ સંભળાયું છે શું સંભળાયું છે તે ‘યદ્યુત’ થી બતાવે છે ઉપાધિ કર્મ વડે જ થાય છે; કેમ કે “કર્મ વડે ઉપાધિ થાય છે,” એ પ્રમાણેનું વચન છે. (આચારાંગ સૂત્ર-૧/૩/૧ સૂત્ર-૧૧૦) તે કારણે=ઉપાધિને કારણે, મિથ્યાત્વાત્ ।। આચારાદિમાં=આચારાંગસૂત્ર આદિમાં, - -- Page #106 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણ દ્વાચિંશિકા/શ્લોક-૩૦ વિભાવોનું મિથ્યાત્વગુણસ્થાનકથી આરંભીને અયોગી ગુણસ્થાનક સુધી પ્રવર્તમાન એવા ઔપાધિક ભાવોનું, અનિત્યપણું હોવા છતાં પણ, સ્વભાવવાળો આત્મા શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો આત્મા નિત્ય છે; કેમ કે તેનું આત્માનું ઉપાધિઅતિતપણું છે અર્થાત્ આત્મા કર્મની ઉપાધિથી પેદા થયો નથી, માટે નિત્ય છે, એમ અવય છે. ઉપાધિના નિમિત્તે થનારા પણ આત્માના ભાવો તદ્રુપ જ=આત્મારૂપ જ, ઘટે છે, એમ જો તું કહેતા હો તો તારી વાત સાચી છે. આમ કહીને પૂર્વપક્ષીનું કથન અર્ધ સ્વીકારીને તેના નિરાકરણ માટે હેતુ કહે છે -- શુદ્ધનયની દૃષ્ટિથી આત્મા અને પુદ્ગલોનું સ્વસ્વશુદ્ધભાવને ઉત્પન્ન કરવામાં ચરિતાર્થપણું હોતે છતે વિવિધ્યમાનચ=ભેદ કરાતા, એવા સંયોગથી થતા ભાવોનું, ભીંતમાં ખડીની ક્ષેતતાની જેમ, એકમાં પણ આત્મા કે પુગલ બેમાંથી એકમાં પણ, અત્તર્ભાવ હોવાને કારણે=અસમાવેશ હોવાને કારણે, મિથ્યાપણું છે. ll૩૦ ભાવાર્થ : આચારાંગાદિ સૂત્રોમાં કહ્યું છે કે કર્મથી જ ઉપાધિ થાય છે અર્થાત્ કર્મ જ સ્વયં ઉપાધિરૂપ છે, માટે કર્મ વડે આત્મામાં ઉપાધિ પ્રાપ્ત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્યાં સુધી જીવ કર્મવાળો છે, ત્યાં સુધી કર્મરૂપ ઉપાધિને કારણે જીવમાં પાધિક ભાવો વર્તે છે. તેથી મિથ્યાત્વગુણસ્થાનકથી આરંભીને ચૌદમાં ગુણસ્થાનક સુધીના જીવમાં જે કોઈ ભાવો છે, તે સર્વ જીવના વિભાવ સ્વભાવ છે, અને આ સર્વ વિભાવ સ્વભાવોનું અનિત્યપણું હોવા છતાં પણ સ્વભાવવાળો આત્મા=નિજ સ્વભાવવાળો આત્મા, નિત્ય છે, કેમ કે આત્મા કોઈ ઉપાધિથી જન્ય નથી, પરંતુ સદા પોતાના સ્વભાવમાં રહેનારો છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ભેદનયથી વિચારીએ તો ચૌદમાં ગુણસ્થાનક સુધીમાં વર્તતા જીવોમાં જે કોઈ જીવસ્થાનક, ગુણસ્થાનક કે માર્ગણાઓના પરિણામો વર્તે છે, તે સર્વ કર્મની ઉપાધિથી થનારા ભાવો છે; અને તે ભાવારૂપ આત્માનો સ્વભાવ નથી, પરંતુ તે ભાવો આત્માનો વિભાવ છે; અને ભેદનયની Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ યોગલક્ષણદ્વાäિશિકા/શ્લોક-૩૦ દૃષ્ટિથી વિચારીએ તો આત્મા આ સર્વ ભાવોથી જુદો છે, અને પોતાના સ્વભાવમાં રહેનારો છે અને નિત્ય છે; કેમ કે આત્મા આવી કમરૂપ ઉપાધિથી જનિત નથી. અહીં કોઈને શંકા થાય કે ઉપાધિના નિમિત્તથી થનારા ભાવો પણ આત્માના જ ભાવો છે, માટે તે આત્મરૂપ જ છે. આ પ્રકારની અભેદનયની દૃષ્ટિને સામે રાખીને શંકા થાય તો તેનો જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે અશુદ્ધનયની દૃષ્ટિએ તારી વાત સાચી છે; તોપણ શુદ્ધનયની દૃષ્ટિથી વિચારીએ તો આત્મા અને પુગલ પોતપોતાના શુદ્ધભાવોને ઉત્પન્ન કરવામાં ચરિતાર્થ છે. તેથી આત્મા પોતાના શુદ્ધભાવને ઉત્પન્ન કરે છે, અને આત્માનો શુદ્ધભાવ જ્ઞાયક સ્વભાવ છે, તેથી આત્મા પોતાના જ્ઞાયક સ્વભાવને ઉત્પન્ન કરવામાં ચરિતાર્થ છે; અને પુદ્ગલનો જડ સ્વભાવ છે, તેથી પુદ્ગલ પોતાના જડ સ્વભાવને ઉત્પન્ન કરવામાં ચરિતાર્થ છે. વળી, જીવસ્થાનક, ગુણસ્થાનક અને માર્ગણારૂપ ભાવો સંયોગથી પેદા થનારા છે, અને ભેદનથી વિચારવામાં આવે કે આ જીવસ્થાનક આદિ ભાવો જીવના છે કે કર્મના છે ? ત્યારે તે સંયોગથી થનારા ભાવો જીવમાં પણ અંતર્ભાવ પામતા નથી અને કર્મમાં પણ અંતર્ભાવ પામતા નથી. તેથી તે ભાવો મિથ્યા છે. જેમ ચૂનાને ભીંત ઉપર લગાડવામાં આવે તે વખતે જેવી શ્વેતતા દેખાય છે, તેવી શ્વેતતા ચૂનાની પણ નથી અને ભીંતની પણ નથી; કેમ કે જો તેવી શ્વેતતા ચૂનાની હોય તો ભીંત પર લગાડ્યા પૂર્વે પડેલા ચૂનામાં તેવી ચેતતા દેખાવી જોઈએ. વસ્તુત: ભીંત ઉપર લગાડ્યા વિનાના ચૂનામાં મલિન શ્વેતતા છે, પણ ભીંત ઉપર લગાવેલા ચૂના જેવી શ્વેતતા નથી. તેથી તે શ્વેતતા ચૂનામાં રહેતી નથી. વળી તે શ્વેતતા ભીંતની પણ નથી; કેમ કે જો ભીતની હોય તો ચૂનો લગાડ્યા પૂર્વે ભીતમાં દેખાવી જોઈએ જે ભીંતમાં દેખાતી નથી; અને ચૂનો લગાડ્યા પછી પણ તે શ્વેતતા ચૂનામાંથી સંક્રમિત થઈને ભીંતમાં આવી છે તેમ પણ કહી શકાય નહીં; કેમ કે ચૂનાનાં પુદ્ગલો જુદાં છે અને ભીંતનાં પુદ્ગલો જુદાં છે, અને ચૂનાના પુદ્ગલોમાં રહેલ ધર્મ ભીંતના પુદ્ગલમાં કઈ રીતે જઈ Page #108 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/મ્લોક-૩૦-૩૧ ૮૯ શકે ? અર્થાત્ ન જઈ શકે. તેથી ભીંત અને ચૂનાને વિભાગ કરનારી દૃષ્ટિથી જોવામાં આવે તો આ દેખાતી શ્વેતતા ચૂનામાં પણ અંતર્ભાવ પામતી નથી કે ભીંતમાં પણ અંતર્ભાવ પામતી નથી; અને ચૂનો અને ભીંત સિવાય કોઈ ત્રીજો પદાર્થ નથી કે જેમાં આ શ્વેતતા રહી શકે, અને નિરાશ્રય શ્વેતતા પણ હોઈ શકે નહીં. તેથી આ દેખાતી શ્વેતતા ભ્રમાત્મક છે. જેમ ચિત્રમાં ઊંચી-નીચી અવસ્થા દેખાય છે, તે દેખાતી અવસ્થા વાસ્તવિક નથી, તેમ ભીંતમાં દેખાતી શ્વેતતા ભેદનયથી વાસ્તવિક નથી. જેમ પર્વત ઉપરથી નીચે નજર કરીએ તો વેંતિયા માણસો અર્થાત્ કદમાં અત્યંત નાના માણસો દેખાય છે, પરંતુ વાસ્તવમાં મનુષ્યનું આટલું નાનું કદ નથી, તેથી તે ભ્રમાત્મક છે, તેમ આ દેખાતી શ્વેતતા ભ્રમાત્મક છે. તે રીતે કર્મની ઉપાધિથી આત્મામાં થનારા ભાવો કર્મપુદ્ગલના પણ પરિણામો નથી અને જીવના પણ પરિણામો નથી, છતાં દેખાય છે તે ઇન્દ્રજાળ જેવા મિથ્યા છે; કેમ કે કોઈ પણ ભાવ વાસ્તવમાં નિરાશ્રય રહી શકતો નથી; અને દેખાતા ભાવો કર્મરૂપ આશ્રયમાં પણ નથી અને જીવરૂપ આશ્રયમાં પણ નથી, અને તે બંનેથી જુદો એવો ત્રીજો પદાર્થ પણ નથી, કે જેમાં આ ભાવો રહી શકે, માટે તે ભાવો વસ્તુતઃ નથી. આ પ્રકારે ભેદનય દેખાડે છે. ||30|| અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે શુદ્ધનયની દૃષ્ટિથી ઉપાધિથી થનારા ભાવો મિથ્યા છે. ત્યાં પ્રશ્ન થાય કે સંસાર અવસ્થામાં આત્મા અને કર્મનો સર્વથા ભેદ નથી. તેથી કથંચિત્ કર્મ સાથે અભિન્ન અવસ્થાને પામેલ એવા આત્માના જીવસ્થાનકાદિ ભાવો છે, તેમ માનીએ તો અનુભવતી સંગતિ થાય છે. આમ છતાં તે ભાવોને મિથ્યા કેમ કહ્યા ? તેથી ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ द्रव्यादेः स्यादभेदेऽपि शुद्धभेदनयादिना । इत्थं व्युत्पादनं युक्तं नयसारा हि देशना ।। ३१ ।। — Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૦ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૩૧ અન્વયાર્થ : દ્રવ્યઃ મેડપિEદ્રવ્યાદિતો કથંચિત્ અભેદ હોવા છતાં પણ દ્રવ્યાદિનો પરિણામની સાથે કથંચિત્ અભેદ હોવા છતાં પણ, શુદ્ધએનાદ્રિના= શુદ્ધભેદનયાદિ દ્વારા રૂલ્પે=આ રીતે=આગળના શ્લોક-૩૦માં કહ્યું કે પાધિક ભાવોનો જીવ કે પુદ્ગલમાં ક્યાંય અંતર્ભાવ થતો નથી એ રીતે વ્યુત્પનિંગકથન યુવતંત્રયુક્ત છે, રિ-જે કારણથી નયસાર=નયપ્રધાન સેશના દેશના છે. I૩૧TI શ્લોકાર્ચ - દ્રવ્યાદિનો કથંચિત્ અભેદ હોવા છતાં પણ, શુદ્ધભેદનયાદિ દ્વારા આ રીતે કથન યુક્ત છે, જે કારણથી નયપ્રધાન દેશના છે. Il3૧. વ્યા: ' અહીં દ્ર' થી શુદ્ધ જ્ઞાયકસ્વભાવનું ગ્રહણ કરવું. ‘થાપિ ' અહીં ૩પ' થી એ કહેવું છે કે દ્રવ્યાદિના કથંચિત્ ભેદમાં તો આ રીતે કથન યુક્ત છે, પરંતુ દ્રવ્યાદિના કથંચિત્ અભેદમાં પણ શુદ્ધભેદનયાદિ દ્વારા આ રીતે કથન યુક્ત છે. શુકૂમવનના ' અહીં ૩ થી કર્મઉપાધિરહિત શુદ્ધદ્રવ્યાસ્તિકનયનું ગ્રહણ કરવું. ટીકા : द्रव्यादेरिति-द्रव्यादेः परिणामेभ्यः स्याद्-कथंचिद्, अभेदेऽपि, शुद्धः केवल:, यो भेदनयस्तदादिना, इत्थम्=उक्तरीत्या व्युत्पादनं युक्तं, नयसारा-नयप्रधाना हि देशना शास्त्रे प्रवर्तते, अन्यथाऽनुयोगपरिणत आत्मापि योग इतीष्यत एव, चरणात्मनोऽपि भगवत्यां प्रतिपादनादिति भावः ।।३१।। ટીકાર્ચ - દ્રવ્યા ..... માવ: | પરિણામોથી ચાલ્કથંચિત્ દ્રવ્યાદિનો અભેદ હોવા છતાં પણ શુદ્ધ-કેવલ, જે ભેદનય, તે આદિ દ્વારા આ રીતિથી ઉક્ત રીતિથી શ્લોક-૩૦માં બતાવ્યું કે પાધિક ભાવો પુગલમાં કે આત્મામાં અંતર્ભાવ પામતા નથી માટે મિથ્યા છે એ રીતિથી, વ્યુત્પાદન=કથન, યુક્ત છે; જે કારણથી નયસારાતયપ્રધાન, દેશના શાસ્ત્રમાં પ્રવર્તે છે. અન્યથાર શુદ્ધભેદનયથી વિચારવામાં ન આવે, પરંતુ અમેદવયથી વિચારવામાં આવે Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૧ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૩૧ તો, અનુયોગપરિણત આત્મા પણ=ચરણકરણાનુયોગાદિ ચાર અનુયોગમાંથી કોઈ પણ અનુયોગથી પરિણત એવો આત્મા પણ, યોગ ઇચ્છાય જ છે; કેમ કે ચરણઆત્માને પણ ચરણકરણાનુયોગપરિણત આત્માને પણ, ભગવતીમાં પ્રતિપાદન છે યોગરૂપે પ્રતિપાદન છે, એ ભાવ છે એ તાત્પર્ય છે. li૩૧II. ‘વર મનોપ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે જીવમાં વર્તતો ભાવ તો યોગ છે, પરંતુ ચરણાત્માનું પણ ભગવતીમાં યોગરૂપે પ્રતિપાદન છે. ભાવાર્થ પૂર્વશ્લોક-30માં સ્થાપન કર્યું કે વૈભાવિક ભાવો અનિત્ય છે અને આત્મા નિત્ય છે. આ વૈભાવિક ભાવો જીવમાં પણ અંતર્ભાવ પામતા નથી અને પુદગલમાં પણ અંતર્ભાવ પામતા નથી માટે મિથ્યા છે. તેથી એ ફલિત થયું કે શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો આત્મા જ સત્ય છે અને આ દેખાતું જગત મિથ્યા છેઃ વૈભાવિક ભાવો મિથ્યા છે, એટલે કે જે જીવ-અજીવ જગતમાં મિશ્ર છે તે મિશ્રણથી જન્ય ભાવો મિથ્યા છે, શુદ્ધ આત્મા અને શુદ્ધ પુદ્ગલના ભાવો મિથ્યા નથી. અહીં વિચારકને શંકા થાય કે જીવદ્રવ્ય અને શુદ્ધજ્ઞાયકસ્વભાવ તે બંનેથી જીવસ્થાનકાદિ પરિણામોનો અભેદ પણ છે. તેથી અભેદને વિચારીને દેખાતા વૈભાવિક ભાવોનો જીવમાં અંતર્ભાવ થઈ શકે છે; કેમ કે જીવની સાથે કથંચિત અભેદ પરિણામને પામેલા આ ભાવો અનુભવાય છે. તે આ રીતે -- કર્માદિન નિમિત્ત કરીને જીવ જ એકેન્દ્રિયાદિ જીવસ્થાનરૂપે પરિણમન પામે છે કે ગુણસ્થાનરૂપે પરિણમન પામે છે કે માર્ગણારૂપે પરિણમન પામે છે. માટે આ અવસ્થાનકાદિ પરિણામો મિથ્યા છે તેમ કહેવાનો પ્રસંગ નહીં આવે. ઉપર્યુક્ત શંકાના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે જીવદ્રવ્યથી અને જીવના શુદ્ધજ્ઞાયકસ્વભાવથી જીવસ્થાનકાદિ પરિણામોની કથંચિત્ અભેદ હોવા છતાં આ જીવસ્થાનકાદિ દેખાતા પરિણામો જીવમાં કે પુદ્ગલમાં અંતર્ભાવ પામી શકતા નથી, એમ કહેવું શુદ્ધભેદનયથી યુક્ત છે; કેમ કે નયપ્રધાન દેશના શાસ્ત્રમાં છે. તેથી જે સમયે જે દેશના યોગમાર્ગની પ્રવૃત્તિમાં ઉપકારક થતી હોય તે સમયે તે નયને પ્રધાન કરીને દેશના અપાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ યોગલક્ષણદ્વાત્રિશિકા/શ્લોક-૩૧ ભેદનયની દેશના અહીં પ્રસ્તુત છે; કેમ કે યોગનું લક્ષણ બતાવીને યોગનો બોધ કરાવવા અર્થે શુદ્ધભેદનયથી આત્મા કેવો છે, તેનો બોધ કરાવવો છે, અને તેવા આત્માને પ્રગટ કરવા માટે આ યોગમાર્ગ છે, તેમ બતાવવું છે. તે માટે પરમાર્થથી શુદ્ધનયથી દેખાતો આત્મા વાસ્તવિક છે અને જીવસ્થાનક આદિ પરિણામો ઇન્દ્રજાળ જેવા છે, તેમ બતાવીને આ સર્વ ભાવો પ્રત્યે ઉપેક્ષા કરાવવી છે અને જીવને શુદ્ધનયમાં તન્મય કરાવવો છે, જે માટે શુદ્ધનયની દેશના જ ઉપકારક છે. તેથી શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળા એવા આત્માને પ્રગટ કરવાના ઉદ્દેશથી આત્માને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરાવવા અર્થે શુદ્ધભેદનયથી અહીં યોગનું લક્ષણ કરેલ છે. વળી ભેદનયથી બોધ કરાવવાની વિવક્ષા ન હોય તો આત્માની સાથે આત્માના પરિણામોનો અભેદ સ્વીકારીને પણ યોગનું લક્ષણ કરાય છે. આથી અભેદનયથી ભગવતીસૂત્રમાં ચરણકરણાનુયોગપરિણત આત્માને પણ યોગ કહ્યો છે. તેથી ચાર પ્રકારના અનુયોગમાંથી કોઈપણ અનુયોગપરિણા આત્માને અભેદનયથી યોગ કહી શકાય. પરંતુ પ્રસ્તુતમાં અનુયોગપરિણત આત્માને યોગ કહેવો નથી, પણ શુદ્ધભેદનયથી આત્મા કેવો છે, તે બતાવવું છે. તેથી શુદ્ધભેદનયથી આત્માનું સ્વરૂપ બતાવીને શુદ્ધભેદનથી દેખાતા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં પ્રણિધાનાદિ આશયપૂર્વકની ક્રિયાથી અભિવ્યંગ્ય એવા ભાવોને યોગરૂપે બતાવવા છે, જેથી ખ્યાલ આવે કે પ્રણિધાનાદિ આશયપૂર્વકની કરાયેલી ક્રિયાથી અભિવ્યક્ત થતો ભાવ પ્રકર્ષને પામીને શુદ્ધભેદનને અભિમત એવા શુદ્ધજ્ઞાયક સ્વભાવવાળા આત્માને પ્રગટ કરશે; અને તે પ્રગટ કરવા અર્થે જ યોગમાર્ગનો ઉપદેશ છે. અહીં અનુયોગપરિણત આત્માને યોગ કહ્યો, તેનાથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રવચનાનુસાર સાધક આત્મા ચરણકરણાનુયોગ સેવતા હોય ત્યારે ચરણ કરણાનુયોગપરિણત આત્મા યોગ છે. વળી ચરણકરણાનુયોગપરિણત સાધક આત્મા શાસ્ત્રવચનાનુસાર ગણિતાનુયોગાદિનું ચિંતન કરતા હોય અને તેનાથી સંવેગની વૃદ્ધિ થતી હોય ત્યારે ગણિતાનુયોગાદિપરિણત આત્મા યોગ છે. અહીં “શુદ્ધભેદનયનો અર્થ કર્યો કે “કેવળ જે ભેદનય.” તેથી એ બતાવ્યું છે કે ગ્રંથકારશ્રીએ અભેદનયના સ્પર્શ વગરના ફક્ત ભેદનયનો આશ્રય કરીને Page #112 -------------------------------------------------------------------------- ________________ યોગલક્ષણદ્વાäિશિકા/શ્લોક-૩૧-૩૨ ૯૩ આ કથન કર્યું છે. જોકે સ્યાદ્વાદી અનેકાંતને માનનાર છે, તોપણ નયપ્રધાન દેશના છે, તેથી અહીં અભેદનયને ગૌણ કરીને, ફક્ત ભેદનયનો આશ્રય કરીને કહ્યું કે “ઔપાધિક ભાવો મિથ્યા છે.' મૂળશ્લોકના ‘શુદ્ધમેદનવિના' શબ્દના ગર' પદથી શુદ્ધદ્રવ્યાસ્તિકનયનું ગ્રહણ છે. તેથી – શુદ્ધદ્રવ્યાજ્ઞિકનય અને શુદ્ધભેદનય વચ્ચેનો તફાવત - પુદ્ગલ પોતાના શુદ્ધભાવને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે, અને આત્મા પોતાના શુદ્ધભાવને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, તેમ શુદ્ધભેદનપત્ર શુદ્ધપર્યાયાસ્તિકનય, માને છે. જ્યારે શુદ્ધ દ્રવ્યાસ્તિકનય આત્માને પોતાના શુદ્ધભાવને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો માનતો નથી, પરંતુ આત્મા શુદ્ધભાવભુત છે, એમ માને છે અર્થાત્ આત્મા શુદ્ધભાવથી ભરેલો છે એમ માને છે. તેથી શુદ્ધદ્રવ્યાસ્તિકનયથી આત્મા ત્રિકાળવર્તી શુદ્ધજ્ઞાયકસ્વભાવથી ભૂત છે અને શુદ્ધભેદન શુદ્ધપર્યાયાસ્તિકનયથી, આત્મા શુદ્ધ જ્ઞાયકભાવને કરવાના સ્વભાવવાળો છે. ll૩૧ના અવતરણિકા :યોગલક્ષણ દ્વાáિશિકાનું નિગમન કરતાં કહે છે – શ્લોક : योगलक्षणमित्येवं जानानो जिनशासने । परोक्तानि परीक्षेत परमानन्दबद्धधीः ।।३२।। અન્વયાર્થી : નિનશાસને જિનશાસનમાં એવા પ્રકારનું પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનું યોનિક્ષnયોગલક્ષણ છે, વં એ પ્રમાણે, નાનાનો જાણતા પરમાનન્દ્રવદ્ધથી પરમાનંદમાં બદ્ધ બુદ્ધિવાળા=મોક્ષમાં બદ્ધ બુદ્ધિવાળા પરોવત્તનિ પર વડે કહેવાયેલા યોગલક્ષણને પરોક્ષેત-પરીક્ષા કરે. Im૩૨ા. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ યોગલક્ષણાવિંશિકા/શ્લોક-૩૨ શ્લોકાર્ય : જિનશાસનમાં પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનું યોગનું લક્ષણ છે એ પ્રમાણે જાણતા, પરમાનંદમાં બદ્ધ બુદ્ધિવાળા, પર વડે કહેવાયેલા યોગલક્ષણની પરીક્ષા કરે. II3II (શ્લોક સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા લખેલ નથી.) ભાવાર્થ : ભગવાનના શાસનમાં રહેલા યોગમાર્ગના જિજ્ઞાસુઓ, ભગવાનના શાસ્ત્રવચનના બળથી પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના યોગલક્ષણને જાણીને, ભેદનયથી પોતાના આત્મા શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો છે તેમ જાણીને, અને શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળા આત્માને પરમ સુખરૂપ જાણીને પરમાનંદરૂપ મોક્ષમાં બદ્ધ બુદ્ધિવાળા બને છે; અને જેમને પરમાનંદમાં અત્યંત બદ્ધ બુદ્ધિ છે, એવા સાધકો માત્ર સ્વદર્શનના યોગના લક્ષણને જાણીને સંતોષ પામતા નથી, પરંતુ યોગમાર્ગને કહેનારા અન્યદર્શનવાળાઓ યોગનું લક્ષણ શું કહે છે, તેને જાણવા પણ યત્ન કરે છે અને તેની પરીક્ષા કરે છે, જેથી યોગના સ્વરૂપનો પારમાર્થિક બોધ થાય અને તેના બળથી પરમાનંદની પ્રાપ્તિ થાય. આ હેતુથી પરમાનંદમાં બદ્ધ બુદ્ધિવાળા સાધકો સ્વદર્શનના અને પરદર્શનના યોગમાર્ગને જાણીને, પરીક્ષા કરીને, શક્તિના પ્રકર્ષથી યોગમાં યત્ન કરે છે, જેથી આ સંસારનો અંત થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય. રૂચા इति योगलक्षणद्वात्रिंशिका ।।१०।। Page #114 -------------------------------------------------------------------------- ________________ ‘રસાનુદાત્તામ્રશ્ય, हेमत्वं ज्ञायते यथा। क्रियाया अपि सम्यक्त्वं, તથા માવાનુવંશત: l'' ' “સિદ્ધરસના સંપર્કથી જેમ તાંબાનું સુવર્ણપણું થાય છે તેમ ભાવના અનવેધથી 'ક્રિયાનું પણ મોક્ષસંપાદના શક્તિરૂપ સમ્યપણું થાય છે.” : પ્રકાશક : કાઈ ગઈ.' DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૯. ટેલિ./ફેક્સ: (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in www.jain 5426566401erg