SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ યોગલક્ષણહાવિંશિકા/બ્લોક-૨૪-૨૫ તો પામતા નથી, પરંતુ અનુવૃત્તિરૂપે દેવભવમાં પણ સાથે જ રહે છે. તેથી સંયમી પ્રત્યે બહુમાનભાવ જીવંત રહેવાથી તે સાધુ દેવભવમાં સંયમીની ઉચિત ભક્તિ કરીને પોતાના આત્મામાં રહેલા સંયમના સંસ્કારોને પુષ્ટ કરે છે અને તે પુષ્ટ થયેલા સંસ્કારો જન્માંતરમાં પૂર્વના સંયમ કરતાં પણ શ્રેષ્ઠ કોટીના સંયમની પ્રાપ્તિ કરાવે છે. આનાથી એ ફલિત થાય કે ભાવપૂર્વકની કરાયેલી સંયમની ક્રિયા દેવભવમાં અપ્રાપ્ત છે તોપણ પૂર્વભવમાં સેવાયેલા સંયમના સંસ્કારો સુરક્ષિત છે, અને તે સંસ્કારો આગળની સાધનામાં ઉપયોગી બને છે. આથી શુભ ક્રિયા સુવર્ણઘટ સદશ છે, તેમ બોદ્ધો પણ કહે છે. જેમ સુવર્ણનો ઘટ તૂટવા છતાં પણ સુવર્ણપણું છોડતો નથી, તેમ સાધુપણામાં પાળેલ સંયમની ક્રિયાનો નાશ થવા છતાં પણ સંયમના પડેલા સંસ્કારોરૂપ સુવર્ણભાવ આત્મામાંથી જતો નથી. ૨૪ અવતરણિકા : ગાથા-૨૨ના પૂર્વાર્ધમાં બતાવ્યું કે મોક્ષપ્રાપ્તિમાં પ્રણિધાનાદિ ભાવનું મુખ્ય હેતુપણું છે અને ઉત્તરાર્ધમાં બતાવ્યું કે તે ભાવતા યોગથી જ ક્રિયાનું મુખ્ય હેતુપણું છે. ત્યાર પછી ગાથા-૨૩માં દાંતથી સ્પષ્ટ કર્યું કે ભાવના યોગથી ક્રિયા મોક્ષનું કારણ બને છે અને ગાથા-૨૪માં યુક્તિથી બતાવ્યું કે ભાવની સાથે ક્રિયાનું સામ્ય છે, તેથી ક્રિયાના ભંગમાં પણ ભાવ જીવ સાથે અવિત રહે છે. હવે ક્રિયાથી ભાવવૃદ્ધિ કઈ રીતે થાય છે તે દાનથી બતાવે છે – શ્લોક :शिरोदकसमो भावः क्रिया च खननोपमा । भावपूर्वादनुष्ठानाद् भाववृद्धिरतो ध्रुवा ।।२५।। અન્વયાર્થ : શિરોમ=શિરાના જળ જેવો-પાણીની શેર અર્થાત્ સરવાણી જેવો, ભાવ:=ભાવ છે ગુનનોપમ =અને ખનનના જેવી કૂવો ખોદવાના જેવી, શિયા=ક્રિયા છે. ગત =આથી ભાવપૂર્વાવનુષ્ઠાનાત્ભાવપૂર્વકના અનુષ્ઠાનથી માવવૃદ્ધિઃ =ભાવવૃદ્ધિ ધ્રુવ=નક્કી છે. રપા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy