SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪ ભાવાર્થ: ફળનિષ્પત્તિ પ્રત્યે ભાવ અને ક્રિયાનું સ્થાન : પૂર્વમાં કહ્યું કે ચ૨માવર્તમાં ભાવના યોગથી જ ક્રિયાનું યોગપણું છે. તેથી એ ફલિત થાય કે મોક્ષની કારણીભૂત એવી ક્રિયા સાથે ભાવની નિયત વ્યાપ્તિ છે અર્થાત્ જ્યાં જ્યાં મોક્ષની કારણીભૂત ક્રિયા હોય ત્યાં ત્યાં અવશ્ય પ્રણિધાનાદિ આશયરૂપ ભાવ હોય જ, અને આ ક્રિયા મોક્ષનું કારણ તો જ બને કે કોઈ તેવા સંયોગમાં ક્રિયાનો નાશ થાય તોપણ તે ક્રિયાકાળમાં થયેલા ભાવનો નાશ ન થાય, અને જો ભાવનો પણ નાશ થઈ જાય તો તે ક્રિયા મોક્ષનું કારણ બની શકે નહીં; કેમ કે ક્રિયા અને ભાવ બંનેનો નાશ થઈ જાય તો આગળના યોગના પ્રારંભનું કારણ એવો ભાવ પણ નથી અને ક્રિયા પણ નથી, તો પૂર્વની ક્રિયા મોક્ષફળવાળી છે તેમ કહી શકાય નહીં. તેથી દેવભવને કારણે તેવા પ્રકારના કષાયના ઉદયથી=અવિરતિઆપાદક કષાયના ઉદયથી, સંયમની ક્રિયાનો ભંગ થાય તોપણ સંયમના પાલન દરમ્યાન થયેલા ભાવની અનુવૃત્તિ હોય જ છે. ઉપ જેમ કે કોઈ સાધુ અપ્રમાદભાવથી સંયમની ક્રિયા કરતા હોય ત્યારે ક્રિયાકાળમાં વર્તતા સંયમના ભાવો આત્મા ઉપર સંસ્કારરૂપે અવસ્થિત રહે છે, અને તે સાધુ એક ક્રિયા પૂર્ણ કર્યા પછી બીજી ઉચિત ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે સાધુની બીજી ક્રિયા પણ પૂર્વની સંયમની ક્રિયાથી થયેલા ઉચિત ક્રિયા કરવાના સંસ્કારોને અતિશયિત કરે છે. તેથી સંયમની દરેક ક્રિયા ઉચિત પ્રવૃત્તિ કરવારૂપ સમભાવના સંસ્કાર આત્મામાં આધાન કરે છે, અને જો સામાયિકનો પરિણામ આ રીતે પ્રકર્ષને પામે તો તે સાધુને કેવળજ્ઞાન થાય; પણ જો તે સાધુને તે ભવમાં કેવળજ્ઞાન ન થાય તો કાળધર્મ પામી અવશ્ય દેવભવમાં ઉત્પન્ન થાય છે, અને દેવભવમાં અવિરતિઆપાદક કષાયના ઉદયને કારણે સંયમના અનુષ્ઠાનનો ભંગ થાય છે, તોપણ પૂર્વભવના સંયમ દરમ્યાન આત્મા ઉપર પાડેલા સંયમના સંસ્કારરૂપ ભાવની અનુવૃત્તિ દેવભવમાં પણ અવસ્થિત રહે છે; કેમ કે દેવભવમાં સંયમના પરિણામરૂપ ભાવની અભિવ્યક્તિનો અભાવ હોવા છતાં પણ સંયમના પડેલા સંસ્કારોની શક્તિ રહેલી છે, તેથી દેવભવમાં પણ સંયમનો બદ્ધરાગ અત્યંત વૃદ્ધિવાળો થાય છે, જેથી પૂર્વભવમાં સેવાયેલા સંયમના સંસ્કારો નાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy