SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૪ ત’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. રજા મડ'= તવધવાવિયાત્રાશST' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે સંયમની આરાધના કરનારા સાધુઓ એક અનુષ્ઠાન સેવ્યા પછી અન્ય અનુષ્ઠાન સેવે છે ત્યારે, તથાવિધ કષાયના ઉદયથી ક્રિયાનો ભંગ ન હોય ત્યારે તો ભાવની અનુવૃત્તિ છે; પરંતુ જ્યારે સાધુ કાળધર્મ પામી દેવભવમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેવા પ્રકારના અવિરતિપાદક કષાયના ઉદયથી ક્રિયાના નાશ થવા છતાં પણ પૂર્વભવમાં સંયમનું સેવન કરતાં જે સંયમના સંસ્કારોરૂપ ભાવો આધાન થયા હતા, તેની અનુવૃત્તિ રહે છે. ‘સીતા પ’ – અહીં ‘પ' થી એ કહેવું છે કે જૈનો તો કહે છે, પરંતુ બૌદ્ધો પણ કહે છે. આ તથ્યવ7મવેપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સંયમ ગ્રહણ કરીને સંયમજીવનનાં અનુષ્ઠાનોનું સેવન કરાય છે ત્યારે સંયમના પરિણામરૂપ વ્યક્તિનો અભાવ નથી, ત્યારે તો સંયમની શક્તિનો અનપગમ છે; પરંતુ સંયમ પાળીને કાળધર્મ પામી, દેવલોકમાં ઉત્પન્ન થાય છે ત્યારે પણ સાધુના જીવરૂપ દેવમાં ત્યાં અવિરતિના ઉદયને કારણે સંયમનું અનુષ્ઠાન નહીં હોવાથી સંયમના પરિણામરૂપ ભાવની અભિવ્યક્તિનો અભાવ હોવા છતાં પણ, પૂર્વભવમાં સંયમનું પાલન કરીને પાડેલા સંસ્કારરૂપ સંયમની શક્તિનો અનપગમ છે, અર્થાત્ સંયમના સંસ્કારો દેવભવમાં પણ સુરક્ષિત રહે છે. fમધમાનો પિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સુવર્ણઘટ ભેદા ન હોય ત્યારે તો સુવર્ણના અનુબંધને–પ્રવાહને, છોડતો નથી અર્થાત્ સુવર્ણરૂપે અવસ્થિત છે, પરંતુ ભેદાતો હોય તોપણ સુવર્ણના અનુબંધને છોડતો નથી. ‘મનપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે કષાયોનો ઉદય નહિ હોવાથી શુભક્રિયા ભગ્ન નથી અર્થાત્ સંયમ જીવનમાં સાધુ એક ક્રિયા પૂર્ણ કર્યા પછી અન્ય ઉચિત ક્રિયા કરે છે ત્યારે, તથાવિધ કષાયનો ઉદય નહિ હોવાથી તે ક્રિયા ભગ્ન નથી, ત્યારે તો તે ક્રિયા શુભફળવાળી છે; પરંતુ દેવભવમાં તથાવિધ અવિરતિપાદક કષાયના ઉદયથી સંયમની ક્રિયા ભગ્ન થાય છે ત્યારે પણ તે શુભ ફળવાળી છે. ૩ પ' ઉદ્ધરણના આ 'પ' શબ્દથી એ કહેવું છે કે જેનો તો કહે જ છે કે શુભ અનુષ્ઠાન સુવર્ણઘટ જેવું સાનુબંધ શુભોદયવાળું છે, પરંતુ બદ્ધા પણ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy