SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/સંકલના છે. જેમ સંસારી જીવો સંસારની સર્વ પ્રવૃત્તિઓ કરે છે તે લોકસદશ ભાવસંપાદનરૂપ હોવાથી લોકપંક્તિ છે, અને શાસ્ત્રવચનથી નિરપેક્ષ ધર્મપ્રવૃત્તિ પણ લોકસદશ ભાવસંપાદનરૂપ હોવાથી લોકપંક્તિ છે, અથવા લોકોના ચિત્તને આવર્જન કરીને ‘હું ધર્મી છું’ તેવું બતાવવા અર્થે ધર્મઅનુષ્ઠાન કરાતાં હોય તોપણ તે લોકપંક્તિ છે. વળી, જેમ લોકપંક્તિથી ધર્મપ્રવૃત્તિ થાય છે, તેમ અનાભોગથી પણ ધર્મપ્રવૃત્તિ થાય છે, પરંતુ આ લોકપંક્તિથી કે અનાભોગથી થતી ધર્મપ્રવૃત્તિ યોગરૂપ નથી, અને આવી પ્રવૃત્તિ ચરમાવર્તની બહારના જીવો સર્વદા કરે છે; અને ક્વચિત્ ચ૨માવર્તવર્તી જીવો પણ કરે છે, તોપણ તે યોગરૂપ નથી. પ્રણિધાનાદિ આશયથી કરાયેલી ધર્મક્રિયા યોગરૂપ છે, અન્ય નહીં. આ પ્રણિધાનાદિ પાંચ આશયોનું વર્ણન વિસ્તારથી અન્ય ગ્રંથોમાં લખાયું છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોવું. સંક્ષેપથી પ્રણિધાનાદિ આશયનું સ્વરૂપ આ પ્રમાણે છે ૫ (૧) પ્રણિધાનઆશય :- મોક્ષને લક્ષ્ય કરીને તેની નિષ્પત્તિના ઉપાયના સમ્યક્ સેવનના સંકલ્પથી કરાતી ક્રિયા પ્રણિધાન આશયવાળી છે. પ્રણિધાન આશયવાળી તે ક્રિયા શાસ્ત્રથી સંપૂર્ણ નિયંત્રિત નથી, પરંતુ શાસ્ત્રથી નિયંત્રિત કરવાની બળવાન ઇચ્છા તે ક્રિયામાં વર્તે છે. (૨) પ્રવૃત્તિઆશય :- લક્ષ્યને અનુરૂપ, શાસ્ત્રવચનથી નિયંત્રિત, શક્તિના પ્રકર્ષથી થયેલ ક્રિયા પ્રવૃત્તિઆશયરૂપ છે. (૩) વિનજયઆશય :- પ્રવૃત્તિઆશયમાં વર્તતા સાધકને કોઈ વિઘ્ન ઉપસ્થિત થાય તો પ્રવૃત્તિઆશયથી થતી ક્રિયા સ્કૂલના પામે છે. તેવા સમયે પ્રાપ્ત થયેલાં વિઘ્નોનો ઉચિત ઉપાયો દ્વારા જય કરવામાં આવે જેથી ફરી પ્રવૃત્તિ પ્રારંભ થાય, તે વિઘ્નજયઆશય છે. (૪) સિદ્ધિઆશય :- જે અનુષ્ઠાનવિષયક પ્રવૃત્તિઆશય પ્રગટેલ હોય, તે અનુષ્ઠાન સ્વભાવસિદ્ધ બને, ત્યારે સિદ્ધિઆશય પ્રગટે છે, જે પ્રસ્તુતમાં અસંગઅનુષ્ઠાનની ભૂમિકારૂપ છે. (૫) વિનિયોગઆશય ઃ- પોતાનામાં પ્રગટ થયેલા ધર્મોને બીજામાં વિનિયોજન કરવાનો અધ્યવસાય તે વિનિયોગઆશય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy