SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ યોગલક્ષણદ્વાચિંશિકા/સંકલના : “યોગલક્ષણધ્રાગંશિકા’ના પદાર્થોની સંકલના: પ્રથમ બ્લોકમાં યોગનું લક્ષણ બતાવ્યું, અને તે યોગનું લક્ષણ ચરમાવર્તમાં સંભવે છે પરંતુ અન્ય આવર્તામાં સંભવતું નથી, તે વાત બીજા અને ત્રીજા શ્લોકમાં બતાવી. અન્ય આવતમાં જીવો ધર્મ કરે તોપણ લોકપંક્તિથી કરનારા છે, માટે તેઓને યોગનો સંભવ નથી, આમ કહીને એ બતાવવું છે કે ચરમાવર્તમાં રહેલો જીવ પણ જો લોકપંક્તિથી ધર્મનું સેવન કરે તો તે ધર્મ યોગ બને નહીં; છતાં, ચમાવર્તના જે જીવો લોકપંક્તિ છોડીને પ્રણિધાનાદિ આશયપૂર્વક ધર્મક્રિયા કરનારા છે, તેઓનો તે ધર્મ યોગરૂપ છે; જ્યારે શરમાવર્તની બહારના જીવો તો લોકપંક્તિથી જ ક્રિયા કરે છે, તેથી તેનો ધર્મ યોગરૂપ નથી. શ્લોક-૪માં લોકપંક્તિનો અર્થ કર્યો કે “લોકસદશ ભાવ સંપાદનરૂપ' અને લોક-૬માં બતાવ્યું કે “લોકઆરાધનના હેતુથી જે ક્રિયા કરાય છે તે લોકપંક્તિથી કરાયેલી છે અને બ્લોક-૮માં કહ્યું કે “દાન-સન્માન-ઉચિત સંભાષણાદિ વડે પણ જે લોકપંક્તિ ધર્મપ્રવૃત્તિ કરાય છે, તે કુશળ છે. તેથી લોકપંક્તિના અનેક પ્રકારના અર્થો થાય છે. તે આ રીતે – (૧) લોકો જેમ કરતા હોય તેમ ધર્મક્રિયાઓ કરવામાં આવે, પરંતુ શાસ્ત્રાનુસારી ન કરવામાં આવે તો તે લોકપંક્તિ છે. (૨) લોકોની આગળ સારું દેખાડવા માટે કીર્તિ-સ્પૃહાદિથી કરાય તે લોકચિત્તના આવર્જન માટે કરાતી ક્રિયા લોકપંક્તિ છે. (૩) યોગ્ય જીવોને ધર્મ પમાડવા માટે યોગીઓ જે દાન-સન્માન-ઉચિત સંભાષણાદિ પ્રવૃત્તિઓ કરે છે, તે પણ લોકપંક્તિ છે. લોકપંક્તિના આ ત્રણ અર્થ પૈકી નં. 9ની લોકપંક્તિ પરને ધર્મ પમાડવાના આશયથી છે, માટે કુશળ છે. આનાથી એ ફલિત થાય કે શાસ્ત્રવચનના બંધથી નિયંત્રિત અને આત્માના યોગમાર્ગને ખીલવવા માટે કરાતી પ્રવૃત્તિઓ સિવાયની સર્વ પ્રવૃત્તિઓ લોકપંક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy