SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ યોગલક્ષણદ્વાચિંશિકા/સંકલના આ પાંચ આશયોમાંથી કોઈપણ આશયથી કરાયેલી ક્રિયા ધર્મરૂપ બને છે, તે સિવાયની ક્રિયા ધર્મરૂપ નથી. ચરમાવર્તની બહારના જીવોમાં પ્રણિધાનાદિઆશય નહીં હોવાથી ક્યારેય પણ તેમની ધર્મક્રિયા મોક્ષ માટે બનતી નથી; કેમ કે ચરમાવર્તની બહારના જીવો ઉપર કર્મની પ્રકૃતિનો અધિકાર સર્વથા જ ગયો નથી. તેથી યોગમાર્ગની જિજ્ઞાસા પણ તેઓને થતી નથી. આ રીતે બતાવીને જે ફલિત થાય છે તે શ્લોક-૨૨માં બતાવતાં કહે છે કે “આત્મામાં વર્તતો ભાવ તે યોગ છે, અને ક્રિયા પણ તે ભાવના સાંનિધ્યથી યોગ બને છે, અને તે ભાવ પ્રણિધાનાદિઆશય છે. આ આશયથી નિયંત્રિત ક્રિયાઓ પણ મોક્ષનું કારણ બને છે. આનાથી એ પ્રાપ્ત થાય કે મોક્ષને અનુકૂળ એવી ક્રિયા, ભાવની સાથે નિયત વ્યાપ્તિવાળી છે અર્થાત્ જે જે ક્રિયાઓ મોક્ષને અનુકૂળ હોય તેવી સર્વ ક્રિયાઓ ભાવથી અનુવિદ્ધ જ હોય, અને તે ક્રિયાઓનો કષાયના ઉદયથી ભંગ થાય તોપણ તે ભાવના સંસ્કારો આત્માની સાથે રહે છે. જેમ સંયમજીવનમાં સમતાની વૃદ્ધિને અનુકૂળ ક્રિયાઓ સાધુઓ કરે છે, અને અહીં જ તેમની સાધના અપૂર્ણ રહે તો દેવભવમાં જાય છે, અને ત્યાં અવિરતિઆપાદક કષાયના ઉદયને કારણે સંયમની ક્રિયા રહેતી નથી, તોપણ મનુષ્યભવમાં સાધુપણાના પાડેલા સંયમના સંસ્કારોની અનુવૃત્તિ દેવભવમાં પણ રહે છે. તેથી દેવભવમાં પણ સંયમ પ્રત્યેનો રાગ હોવાથી તે સંયમના સંસ્કારો પુષ્ટ બને છે. તેથી દેવભવ પછીના ભાવમાં પૂર્વના સંયમ કરતાં અધિક વિશુદ્ધ સંયમની પ્રાપ્તિ શીધ્ર થાય છે. આથી ભાવથી અનુવિદ્ધ ક્રિયાને સુવર્ણઘટતુલ્ય કહેવામાં આવી છે. ગ્રંથકારશ્રી દષ્ટાંતથી ભાવ અને ક્રિયાનો ભેદ બતાવે છે -- જેમ શિરાવાળા=પાણીની સરવાણી નીકળતી હોય તેવા, કૂવાને ખોદવામાં આવે ત્યાં ખોદવાની પ્રવૃત્તિતુલ્ય ક્રિયા છે અને શિરાજળતુલ્ય ભાવ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્મામાં મોક્ષને અનુકૂળ પ્રાથમિક ભાવ પ્રગટ્યો છે તે ક્રિયા કરાવે છે, અને ક્રિયાથી તે ભાવ વૃદ્ધિ પામે છે, અને વૃદ્ધિ પામતો એવો તે ભાવ પ્રકર્ષને પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy