SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ યોગલક્ષણદ્વાત્રિશિકા/શ્લોક-૨૮ તેથી ક્રમવાળી પ્રવૃત્તિનો વિષય તે ભાવ બને છે, અને તે ભાવ ક્રમસર વધતો હોય ત્યારે તે વ્યાપારરૂપ છે, અને તે વ્યાપાર યોગ છે. જેમ કે કોઈ સાધકના ચિત્તમાં ભગવાન પ્રત્યે બહુમાનભાવ છે, તેથી તેના ચિત્તમાં વર્તતો ભગવાનના બહુમાનનો ભાવ તે ચિતું પરિણામ છે=જ્ઞાન પરિણામ છે અર્થાત્ કષાયના કંઈક સ્પર્શ વિનાના જ્ઞાનના પરિણામરૂપ છે; અને તે સાધક ભગવાનની ભક્તિમાં પ્રણિધાનાદિ આશયપૂર્વક યત્ન કરતો હોય ત્યારે તેના આત્મામાં વર્તતો કંઈક કષાયના સંશ્લેષ વગરનો જ્ઞાનના પરિણામરૂપ ભાવ ક્રમસર વૃદ્ધિ પામે છે અર્થાત્ પૂર્વ કરતાં વિશેષ કષાયના સંશ્લેષ વિનાના પરિણામરૂપે પરિણમન પામે છે; કેમ કે તે વખતે તે સાધક કર્મની અસરથી મુક્ત થઈને આત્મશક્તિનું સ્કરણ કરે છે. તેથી તે આત્મશક્તિના સ્કરણને કારણે પ્રગટ થયેલો કંઈક શુદ્ધ ભાવ અધિક શુદ્ધ બને છે; અને જેમ જેમ તે સાધક અત્યંત ઉપયોગપૂર્વક પૂજાનો વ્યાપાર કરે છે, તેમ તેમ તેનો ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ પ્રવર્ધમાન બને છે અને તે પ્રવર્ધમાન થતો જ્ઞાનનો પરિણામ યોગ છે. જે રીતે જીરણ શ્રેષ્ઠીને ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ હતો અને ભગવાન ચાર મહિનાના ઉપવાસ પછી ભિક્ષા માટે નીકળ્યા તે જોઈને જીરણ શ્રેષ્ઠીને ભાવ થયો કે “આજે જરૂર ભગવાન મારે ત્યાં પારણા માટે પધારશે'; કેમ કે પોતે રોજ ભગવાનને ભક્તિથી વંદન કરીને પારણાનો લાભ આપવા માટે વિનંતિ કરતા હતા; અને ઘરે આવ્યા પછી ભગવાનના આગમનના અને તેમના પ્રત્યેની ભક્તિના ભાવમાં ઉપયુક્ત થયેલા હોવાથી જીરણ શ્રેષ્ઠીને ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ પ્રતિક્ષણ વધતો હતો અને તે ભાવ ક્ષપકશ્રેણી તરફ જઈ રહ્યો હતો. તે વધતો જતો ભાવ વ્યાપારરૂપ છે અને તે યોગ છે; અને જો ભગવાનના પારણાનો દુંદુભિનો નાદ ન સંભળાયો હોત તો તે વધતો જતો ભાવ ક્ષપકશ્રેણીના પ્રારંભનું કારણ પણ બનત. જ્યાં સુધી તે ભાવ વધતો ગયો ત્યાં સુધી વ્યાપારરૂપ છે અને તેથી યોગરૂપ છે, ત્યારબાદ અટકી ગયો ત્યારથી યોગરૂપ નથી. તેથી એ ફલિત થાય કે સદંત:કરણપૂર્વક પ્રવર્તતો ભાવ વ્યાપારરૂપ હોવાથી યોગ છે; પરંતુ ક્રિયામાં યત્ન હોવા છતાં તે ભાવ લક્ષ્ય તરફ પ્રવર્તતો ન હોય અને ઉપયોગ અન્ય ક્રિયામાં હોય અથવા તો અપેક્ષિત ક્રિયામાં હોવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy