SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ યોગલક્ષણદ્વાચિંશિકાશ્લોક-૨૮ મોહના ઉન્મેલનને અનુકૂળ ન હોય, પરંતુ બાહ્ય આચરણાના ક્રમમાત્રમાં વિશ્રાંત હોય; જેથી મન લક્ષ્ય તરફ જવાને બદલે મૂછિત જેવું બાહ્ય આચરણામાત્રમાં પ્રવર્તતું હોય, ત્યારે જીવમાં ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ છે, તોપણ તે ક્રિયાથી ભાવવૃદ્ધિ થતી નથી. માટે તે ક્રિયાથી ભાવ પ્રવર્ધમાન નહિ હોવાથી તે ભાવ યોગ બને નહિ. 'ઇતન' આના દ્વારા દ્રવ્યાદિનો વ્યવચ્છેદ થાય છે. આશય એ છે કે જીવમાં વર્તતો ભાવ ક્રિયાથી વૃદ્ધિ પામતો હોય ત્યારે તે ભાવ યોગરૂ૫ છે, એમ કહેવાથી દ્રવ્યાદિનો વ્યવચ્છેદ થાય છે અર્થાત્ તે ભાવનો આશ્રય એવા જીવદ્રવ્યનો વ્યાપાર યોગ છે, એ કથનનો વ્યવચ્છેદ થાય છે, અને ‘દ્રવ્યઃ ' માં ' પદથી જીવમાં વર્તતા શુદ્ધ જ્ઞાયકભાવનો વ્યવચ્છેદ થાય છે, કેમ કે ભેદનાથી ગ્રહણ કરાતા વસ્તુના પરિણામો વસ્તુથી જુદા છે. તાત્પર્ય એ છે કે શુદ્ધ જ્ઞાયકસ્વભાવવાળા આત્મદ્રવ્યથી આત્મામાં વર્તતા ઔપાધિક ભાવોને આત્માથી જુદા જોનારો એવો જે ભેદનય છે, તે ભેદનથી આત્મામાં વર્તતા પાધિક ભાવને ગ્રહણ કરવામાં આવે ત્યારે તે ઔપાધિક ભાવના આશ્રયભૂત એવા આત્મદ્રવ્યનો વ્યવચ્છેદ થાય છે. તેથી એ ફલિત થાય કે શુદ્ધ જ્ઞાયકસ્વભાવવાળું આત્મદ્રવ્ય જુદું છે અને તેમાં વર્તતા ઔપાધિક ભાવો જુદા છે. અર્થાત્ યોગમાર્ગની સાધનાકાળમાં વર્તતા પણ ક્ષાયોપથમિકદિ ભાવરૂપ ઔપાધિક ભાવો આત્મદ્રવ્યથી જુદા છે. આ પ્રકારના કથનથી શું ફલિત થાય છે તે બતાવતાં ટીકાકાર કહે છે કે તે રીતે વ્યાપારના આશ્રયનું=જીવનું, પણ વ્યાપારપણું નથી. આશય એ છે કે જ્યારે જીવ સદનુષ્ઠાન કરે છે અને તે સદનુષ્ઠાનથી મોક્ષને અનુકૂળ ભાવો વૃદ્ધિ પામે છે, ત્યારે તે ભાવ વ્યાપારરૂપ છે; અને તે વ્યાપારનો આશ્રય જીવદ્રવ્ય છે, તોપણ તે જીવદ્રવ્યમાં વ્યાપારપણું નથી, પરંતુ જીવથી ભિન્ન એવા કિયાથી વૃદ્ધિ પામતા ભાવમાં વ્યાપારપણું છે. તેથી એ ફલિત થાય કે આત્માનો વ્યાપાર યોગ નથી અને આત્મામાં રહેલો જ્ઞાયકભાવ પણ યોગ નથી, પરંતુ મોક્ષને અનુકૂળ એવા ભાવનો વ્યાપાર અર્થાતુ આત્માના જ્ઞાયકભાવને અનુકૂળ એવા ભાવનો વ્યાપાર યોગ છે. Il૨૮માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy