SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ યોગલક્ષણદ્વાત્રિશિકા/શ્લોક-૩૧ ભેદનયની દેશના અહીં પ્રસ્તુત છે; કેમ કે યોગનું લક્ષણ બતાવીને યોગનો બોધ કરાવવા અર્થે શુદ્ધભેદનયથી આત્મા કેવો છે, તેનો બોધ કરાવવો છે, અને તેવા આત્માને પ્રગટ કરવા માટે આ યોગમાર્ગ છે, તેમ બતાવવું છે. તે માટે પરમાર્થથી શુદ્ધનયથી દેખાતો આત્મા વાસ્તવિક છે અને જીવસ્થાનક આદિ પરિણામો ઇન્દ્રજાળ જેવા છે, તેમ બતાવીને આ સર્વ ભાવો પ્રત્યે ઉપેક્ષા કરાવવી છે અને જીવને શુદ્ધનયમાં તન્મય કરાવવો છે, જે માટે શુદ્ધનયની દેશના જ ઉપકારક છે. તેથી શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળા એવા આત્માને પ્રગટ કરવાના ઉદ્દેશથી આત્માને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરાવવા અર્થે શુદ્ધભેદનયથી અહીં યોગનું લક્ષણ કરેલ છે. વળી ભેદનયથી બોધ કરાવવાની વિવક્ષા ન હોય તો આત્માની સાથે આત્માના પરિણામોનો અભેદ સ્વીકારીને પણ યોગનું લક્ષણ કરાય છે. આથી અભેદનયથી ભગવતીસૂત્રમાં ચરણકરણાનુયોગપરિણત આત્માને પણ યોગ કહ્યો છે. તેથી ચાર પ્રકારના અનુયોગમાંથી કોઈપણ અનુયોગપરિણા આત્માને અભેદનયથી યોગ કહી શકાય. પરંતુ પ્રસ્તુતમાં અનુયોગપરિણત આત્માને યોગ કહેવો નથી, પણ શુદ્ધભેદનયથી આત્મા કેવો છે, તે બતાવવું છે. તેથી શુદ્ધભેદનયથી આત્માનું સ્વરૂપ બતાવીને શુદ્ધભેદનથી દેખાતા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં પ્રણિધાનાદિ આશયપૂર્વકની ક્રિયાથી અભિવ્યંગ્ય એવા ભાવોને યોગરૂપે બતાવવા છે, જેથી ખ્યાલ આવે કે પ્રણિધાનાદિ આશયપૂર્વકની કરાયેલી ક્રિયાથી અભિવ્યક્ત થતો ભાવ પ્રકર્ષને પામીને શુદ્ધભેદનને અભિમત એવા શુદ્ધજ્ઞાયક સ્વભાવવાળા આત્માને પ્રગટ કરશે; અને તે પ્રગટ કરવા અર્થે જ યોગમાર્ગનો ઉપદેશ છે. અહીં અનુયોગપરિણત આત્માને યોગ કહ્યો, તેનાથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રવચનાનુસાર સાધક આત્મા ચરણકરણાનુયોગ સેવતા હોય ત્યારે ચરણ કરણાનુયોગપરિણત આત્મા યોગ છે. વળી ચરણકરણાનુયોગપરિણત સાધક આત્મા શાસ્ત્રવચનાનુસાર ગણિતાનુયોગાદિનું ચિંતન કરતા હોય અને તેનાથી સંવેગની વૃદ્ધિ થતી હોય ત્યારે ગણિતાનુયોગાદિપરિણત આત્મા યોગ છે. અહીં “શુદ્ધભેદનયનો અર્થ કર્યો કે “કેવળ જે ભેદનય.” તેથી એ બતાવ્યું છે કે ગ્રંથકારશ્રીએ અભેદનયના સ્પર્શ વગરના ફક્ત ભેદનયનો આશ્રય કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy