SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૩૧ તો, અનુયોગપરિણત આત્મા પણ=ચરણકરણાનુયોગાદિ ચાર અનુયોગમાંથી કોઈ પણ અનુયોગથી પરિણત એવો આત્મા પણ, યોગ ઇચ્છાય જ છે; કેમ કે ચરણઆત્માને પણ ચરણકરણાનુયોગપરિણત આત્માને પણ, ભગવતીમાં પ્રતિપાદન છે યોગરૂપે પ્રતિપાદન છે, એ ભાવ છે એ તાત્પર્ય છે. li૩૧II. ‘વર મનોપ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે જીવમાં વર્તતો ભાવ તો યોગ છે, પરંતુ ચરણાત્માનું પણ ભગવતીમાં યોગરૂપે પ્રતિપાદન છે. ભાવાર્થ પૂર્વશ્લોક-30માં સ્થાપન કર્યું કે વૈભાવિક ભાવો અનિત્ય છે અને આત્મા નિત્ય છે. આ વૈભાવિક ભાવો જીવમાં પણ અંતર્ભાવ પામતા નથી અને પુદગલમાં પણ અંતર્ભાવ પામતા નથી માટે મિથ્યા છે. તેથી એ ફલિત થયું કે શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો આત્મા જ સત્ય છે અને આ દેખાતું જગત મિથ્યા છેઃ વૈભાવિક ભાવો મિથ્યા છે, એટલે કે જે જીવ-અજીવ જગતમાં મિશ્ર છે તે મિશ્રણથી જન્ય ભાવો મિથ્યા છે, શુદ્ધ આત્મા અને શુદ્ધ પુદ્ગલના ભાવો મિથ્યા નથી. અહીં વિચારકને શંકા થાય કે જીવદ્રવ્ય અને શુદ્ધજ્ઞાયકસ્વભાવ તે બંનેથી જીવસ્થાનકાદિ પરિણામોનો અભેદ પણ છે. તેથી અભેદને વિચારીને દેખાતા વૈભાવિક ભાવોનો જીવમાં અંતર્ભાવ થઈ શકે છે; કેમ કે જીવની સાથે કથંચિત અભેદ પરિણામને પામેલા આ ભાવો અનુભવાય છે. તે આ રીતે -- કર્માદિન નિમિત્ત કરીને જીવ જ એકેન્દ્રિયાદિ જીવસ્થાનરૂપે પરિણમન પામે છે કે ગુણસ્થાનરૂપે પરિણમન પામે છે કે માર્ગણારૂપે પરિણમન પામે છે. માટે આ અવસ્થાનકાદિ પરિણામો મિથ્યા છે તેમ કહેવાનો પ્રસંગ નહીં આવે. ઉપર્યુક્ત શંકાના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે જીવદ્રવ્યથી અને જીવના શુદ્ધજ્ઞાયકસ્વભાવથી જીવસ્થાનકાદિ પરિણામોની કથંચિત્ અભેદ હોવા છતાં આ જીવસ્થાનકાદિ દેખાતા પરિણામો જીવમાં કે પુદ્ગલમાં અંતર્ભાવ પામી શકતા નથી, એમ કહેવું શુદ્ધભેદનયથી યુક્ત છે; કેમ કે નયપ્રધાન દેશના શાસ્ત્રમાં છે. તેથી જે સમયે જે દેશના યોગમાર્ગની પ્રવૃત્તિમાં ઉપકારક થતી હોય તે સમયે તે નયને પ્રધાન કરીને દેશના અપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy