SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ યોગલક્ષણદ્વાિિશકા/બ્લોક-૪-૫ અનુરૂપ હોતી નથી અને (૨) લોકપંક્તિમાં આદરવાળી હોય છે અર્થાત્ તેઓ આગમવચનથી નિરપેક્ષ રીતે ગતાનગતિક ક્રિયાઓ કરે છે અને તે રીતે ક્રિયા કરવાના યત્નવાળા હોય છે. તેથી ચરમાવર્તની બહારનો કોઈ જીવ લૌકિક પ્રવ્રજ્યા ગ્રહણ કરે કે લોકોત્તર પ્રવ્રજ્યા ગ્રહણ કરે તો પણ તેની તે પ્રવ્રજ્યાની ક્રિયા સન્માર્ગને અભિમુખ હોતી નથી. માટે અચરમાવર્તવર્તી જીવોમાં ભવ્યત્વ વિદ્યમાન હોવા છતાં તેઓની ક્રિયા મોક્ષરૂપ કાર્યને અનુકૂળ યત્નરૂપ નથી, માટે તેઓને યોગનો સંભવ નથી. અહીં વિશેષ એ છે કે ચરમાવર્તવત જીવો પણ મોક્ષનું સ્વરૂપ સાંભળીને મોક્ષની ઇચ્છાવાળા થયા હોય, અને મોક્ષના ઉપાયરૂપે પ્રવજ્યાદિ ગ્રહણ કરી હોય, છતાં આગમવચનના નિયંત્રણ નીચે સંવેગ થાય તે રીતે સદનુષ્ઠાનને કરતા ન હોય, તો લોકપંક્તિમાં આદર કરનારા છે. તેથી સદનુષ્ઠાન દ્વારા સંજ્ઞાઓનો ઉચ્છેદ થાય તે રીતે સંવેગના ઉપયોગવાળા નથી, માટે તેઓની ક્રિયા સંજ્ઞાન વિષ્ક્રમણ કરતી નથી. આમ છતાં તેઓ યોગમાર્ગના ઉપદેશને સાંભળે ત્યારે, સાંભળતાં જો તેઓને સંવેગનો પરિણામ થતો હોય અર્થાત્ “હું સર્વજ્ઞના વચનાનુસાર ક્રિયા કરીને સંસારથી વિસ્તારને પામું” તેવો અધ્યવસાય થતો હોય, તો રુચિઅંશથી તેઓમાં સંજ્ઞાનું વિખંભણ છે, માટે તેઓની ક્રિયા સર્વથા નિષ્ફળ નથી. જ્યારે શરમાવર્તની બહારના જીવોને તો યોગમાર્ગના શ્રવણ સમયે પણ લેશમાત્ર સંવેગ થતો નથી. તેથી તેઓની સંયમની પ્રવૃત્તિ સન્માર્ગને અભિમુખ નથી, માટે મોક્ષનું કારણ નથી. તાજા અવતરણિકા - પૂર્વના શ્લોક-૩-૪માં કહ્યું કે ચરમાવર્તની બહારના જીવો ભવાભિનંદી હોવાના કારણે સન્માર્ગને અભિમુખ પ્રયત્ન કરતા નથી. તેથી હવે ભવાભિનંદી જીવ કેવો હોય છે ? તે બતાવે છે – શ્લોક : क्षुद्रो लोभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यानिष्फलारम्भसङ्गतः ।।५।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy