SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૫ ચરમાવર્તની બહારના જીવોમાં ક્લિષ્ટતાઆપાદક કર્મની પ્રચૂરતા હોવાના કારણે, ભવના કારણભૂત ભાવોથી પર એવા આત્માના ભાવોને જોવા માટેની પણ યોગ્યતા હોતી નથી. તેથી અસાર એવો પણ ભવ સદા સાર જેવો લાગે એવા પ્રકારની પ્રકૃતિ તેઓમાં વર્તે છે, અને ચરમાવર્તમાં પણ માર્ગસન્મુખ ન થયા હોય તેવા જીવોમાં આવા પ્રકારની પ્રકૃતિ વર્તે છે. (૧) શુદ્ર - ભવાભિનંદી જીવને ભવના કારણભૂત એવા બાહ્ય પદાર્થોમાંથી આનંદ લેવાની મનોવૃત્તિ સદા હોય છે, જે ક્ષુદ્રભાવ છે. જેમ સંસારી જીવોને ક્યારેક અમુક પદાર્થને ખાવાની ઇચ્છા થાય, તો વળી ક્યારેક અન્ય કોઈ પદાર્થને ખાવાની ઇચ્છા થાય, પરંતુ ઇન્દ્રિયોને પ્રતિકૂળ એવા કટુ આદિ પદાર્થો કે વિષ્ટા આદિ પદાર્થોની ક્યારેય ઇચ્છા થતી નથી, તેમ ચરમાવર્તની બહારના ભવાભિનંદી જીવોને સંસારથી અતીત અવસ્થા ભોગસામગ્રી વિનાની હોવાથી નિઃસાર લાગે છે, અને તેના ઉપાયભૂત યોગમાર્ગ પણ નિ:સાર લાગે છે. તેથી મોક્ષ અને મોક્ષના ઉપાયભૂત ભાવોની તેમને ક્યારેય ઇચ્છા થતી નથી. વળી પ્રાયઃ તેઓ ધર્માનુષ્ઠાન કરતા નથી, ક્વચિત્ કરે તો આલોકના કે પરલોકના સુખથી કે અનાભોગથી ધર્માનુષ્ઠાન કરે છે. તેઓ આવા ક્ષુદ્ર પ્રકૃતિવાળા છે. (૨) લોભરતિ - વળી બાહ્ય પદાર્થોમાં (૧) અત્યંત લોભી છે, લોભમાં તેને આનંદ છે. અહીં કોઈક સ્થાને (૨) ‘લાભરતિ' પણ પાઠ છે અને તે પ્રમાણે અર્થ કરીએ તો બાહ્ય પદાર્થોના લાભમાં રતિવાળો=બાહ્ય પદાર્થોની યાચના કરવામાં આનંદ થાય તેવા સ્વભાવવાળો, ભવાભિનંદી જીવ છે; કેમ કે ભવના કારણભૂત બાહ્ય પદાર્થોના વિકારોમાં તેને સુખની બુદ્ધિ થાય છે. તેથી બાહ્ય પદાર્થોને મેળવીને “હું સુખી છું' તેવો રતિનો પરિણામ તેને થાય છે. (૩) દીન: જેમ સંસારમાં અતિ દરિદ્ર માણસો પ્રકૃતિથી અત્યંત દીન હોય છે, તેઓએ ક્યારેય સુંદર ભોગો જોયેલા હોતા નથી, તેથી સદા અસાર ભોગોથી આનંદ મેળવતા હોય છે; તેમ ભવાભિનંદી જીવે ઉપશમભાવનું સુખ ક્યારેય જોયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy