SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૫ નથી. તેથી સદા જ અકલ્યાણને જોનારો હોય છે અને તેથી નિ:સાર એવા ભોગોમાંથી આનંદ લેવા યત્ન કરે છે. તેથી સદા દીન હોય છે. (૪) મત્સરી : ભવાભિનંદી જીવ પારકાનું કદી સારું જોઈ શકતો નથી; કેમ કે તેને ભૌતિક પદાર્થોનું વધુ આકર્ષણ હોય છે અને તે ભૌતિક પદાર્થો પોતાને મળે તેવી ઇચ્છા તેને હોય છે. તેથી બીજાનું સારું જુએ તો તે સહન કરી શકે નહીં. તેને થાય કે ‘હું કઈ રીતે તેનાથી અધિક સંપત્તિવાળો થાઉં', આવો અસહનશીલ પણ બહુલતાએ હોય, તેથી તેને મત્સરદોષવાળો કહેલ છે; અને ક્વચિત્ માત્સર્યભાવ ન કરે તો પણ મોટે ભાગે ભવાભિનંદી જીવોની પ્રકૃતિ મત્સરીeઇર્ષાવાળી હોય છે. (૫) ભયવાન : ભવાભિનંદી જીવ ભયવાળો હોય છે, કેમ કે તેને પૌલિક પદાર્થોનું ઘણું મહત્ત્વ હોય છે. તે પદાર્થો તેના જીવનનો શ્વાસ છે, અને તે ચાલ્યા જાય તો પોતે દુ:ખી થાય તેમ છે. તેથી તેના રક્ષણમાં પોતાની સર્વ શકિત તે વાપરે છે, માટે સદા ભયભીત છે અર્થાત્ સાતે ભયોથી તે ભીત હોય છે. ક્વચિત્ પુણ્યના પ્રકર્ષને કારણે બાહ્ય પદાર્થોના રક્ષણની સામગ્રી પૂરતી હોય તો બાહ્ય રીતે નિર્ભય પણ દેખાતો હોય, તોપણ તે પદાર્થો નાશ ન પામે તેની સતત ચિંતા વર્તતી હોવાથી ભયના નિવારણના ઉપાયમાં વ્યગ્ર હોવાથી નિત્યભીત છે. (૬) શઠ : ભવાભિનંદી જીવ=મિથ્યાત્વી જીવ, શઠ હોય છે અર્થાત્ માયાવી હોય છે. સામાન્ય રીતે મિથ્યાત્વ અવસ્થામાં જીવને ભૌતિક પદાર્થોનું મહત્ત્વ ઘણું હોય છે, સંસારનો ગાઢ રાગ હોય છે, તેથી માયા કરવાનો પરિણામ થાય છે, માટે શઠ છે . (૭) અજ્ઞ : ભવાભિનંદી જીવને મૂર્ખ કહેલ છે; કેમ કે ક્વચિત્ તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિથી તે બુદ્ધિમાન થાય તો પણ પગલિક પદાર્થોથી અતિરિક્ત આત્મિક ભાવોમાં સુખની કલ્પનામાત્ર પણ તે કરી શકતો નથી. તેથી તે તત્ત્વને જોવામાં મૂર્ખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy