SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૩ ૩૭ ઠંડી-ગરમી આદિ ઉપસર્ગો તિતિક્ષા ભાવનાથી=ઠંડી-ગરમી આદિ પ્રત્યે ઉપેક્ષા થાય તે પ્રકારના પદાર્થના ચિતવનથી કોઈક રીતે દૂર કરવામાં આવે તો શમપરાયણ માર્ગમાં ફરી નિરાકુળ પ્રવૃત્તિ થાય છે. | (ii) અંતર્થાધિઓનો જય :- યોગમાર્ગમાં પ્રસ્થિત કોઈ સાધકને રવિપ્ન સમાન અસહ્ય મહાવ્યાધિ થાય તો સદનુષ્ઠાનના અવલંબનથી શમપરાયણ માર્ગમાં થતી સુદઢ પ્રવૃત્તિમાં સ્કુલના થાય છે, સુદઢ યત્નની ઇચ્છા છતાં યત્ન કરી નિરાકુળ ગમન કરી શકતો નથી. વિદ્યમાન શમપરાયણ માર્ગ પ્રકર્ષને પામે તેના માટે તેણે આવેલ તે વિપ્નને દૂર કરવા હિતાવાર-મિતાહાર આદિ ઉપાયો દ્વારા તે રોગને દૂર કરવા યત્ન કરવો જોઈએ. વળી ક્વચિત્ બળવાન કર્મ હોય અને હિતાહાર-મિતાહારથી પણ રોગ ન મટે તો “આ રોગ દેહને બાધક છે, મને બાધક નથી અર્થાત્ મારા આત્માને કંઈ પીડા કરી શકતો નથી.” તે પ્રકારનું સૂક્ષ્મ પર્યાલોચન કરીને અંતરંગ શક્તિ સંચય કરે અને સંચિત શક્તિના બળથી શરીરની શિથિલતા હોવા છતાં જો શમપરાયણ માર્ગમાં યત્ન કરી શકે તો ફરી નિરાકુળ ગમન થાય. (iii) મિથ્યાત્વજય - યોગમાર્ગમાં પ્રસ્થિત કોઈક સાધકને મોહવિપ્ન સમાન દિગૂમોહ થાય તો શમપરાયણ માર્ગમાં કઈ રીતે યત્ન કરવો ? તેની દિશા જ સૂઝતી નથી. તેથી લક્ષ્ય નક્કી છે છતાં લક્ષ્યની દિશા જ સૂઝતી ન હોવાથી તે તરફ જવાનો યત્ન થતો નથી. ત્યારે પણ ક્વચિત્ તે પુરુષ બાહ્ય ક્રિયા કરતો પણ હોય, અને નિરુત્સાહી થઈને તે ક્રિયા ન પણ કરતો હોય, પરંતુ દિમોહ હોવાને કારણે લક્ષ્ય તરફ જવાની પ્રવૃત્તિ થતી નથી. તેથી જેમ ઇષ્ટ પુર તરફ જતા પથિકને દિગમોહ થાય ત્યારે માર્ગના જાણકારને પૂછી યોગ્ય નિર્ણય કરી યત્ન કરે તો ગમનનો પ્રારંભ થાય, તેમ મોક્ષ તરફ જવાનો માર્ગ સર્વજ્ઞના વચનો બતાવે છે, તેથી સર્વજ્ઞના વચનના પરમાર્થના જાણ એવા યોગી પુરુષ પાસેથી તે સાધક દિશાનો નિર્ણય કરીને આગળ જવાના માર્ગનો સ્પષ્ટ બોધ કરી શકે, તો ફરી ગમનનો પ્રારંભ થાય. સમ્યગૂ ઉપાયથી આ ત્રણે પ્રકારનાં વિદ્ગોમાંથી ઉપસ્થિત થયેલ કોઈપણ વિપ્નનો જય થયો છે કે કેમ તેનો નિર્ણય નિરાકુળ માર્ગની પ્રવૃત્તિ ફરી શરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy