SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 30 (૪) વિત્ત પાપવિવનિત : યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ પ્રણિધાનઆશયમાં પાપવર્જિત ચિત્ત હોય છે અર્થાત્ સાવઘના પરિહારથી નિરવદ્ય વસ્તુવિષયક ચિત્ત હોય છે. આશય એ છે કે સંસારી જીવો સંસારવિષયક કોઈપણ ક્રિયા કરતા હોય, તેમાં જે પ્રણિધાન વર્તતું હોય, તેવા પ્રણિધાનને આ પ્રણિધાનઆશયમાં ગ્રહણ કરવાનું નથી; કેમ કે તે પ્રણિધાન સાવદ્ય વસ્તુવિષયક છે. અહીં યોગમાર્ગમાં ઉપયોગી એવો પ્રણિધાનઆશય ગ્રહણ કરવો છે. તેથી સંસારની પ્રવૃત્તિમાં વર્તતા પ્રણિધાનના પરિહાર અર્થે કહ્યું કે ‘સાવદ્યના પરિહારપૂર્વક નિરવદ્ય વસ્તુવિષયક ચિત્ત' પ્રણિધાનઆશયમાં હોય છે. જેમ કોઈ સાધક સાધર્મિકવાત્સલ્યની ક્રિયા કરે તો તે ક્રિયા બાહ્ય રીતે આરંભ-સમારંભવાળી છે, તોપણ ‘આ ગુણવાન જીવોની ભક્તિ કરીને હું મારા આત્માનો નિસ્તાર કરું.' આ પ્રકારના નિરવઘ પરિણામવાળું ચિત્ત હોય તો આવા પ્રકારની સાધર્મિકવાત્સલ્યની ક્રિયા પ્રણિધાનઆશયવાળી બને છે. તેથી તે સાધર્મિકવાત્સલ્યની ક્રિયા યોગરૂપ બને છે; અને સાધર્મિક-વાત્સલ્યાદિમાં જેવી ભોજનાદિ અર્થે આરંભ-સમારંભની પ્રવૃત્તિ છે, તેવા જ પ્રકારની આરંભસમારંભવાળી પ્રવૃત્તિ પોતાના કુટુંબ-સ્વજનાદિ અર્થે કરતા હોય ત્યારે, ‘હું આ કુટુંબીઓ આદિને સારી રીતે જમાડીને સારી પ્રતિષ્ઠા આદિ પ્રાપ્ત કરું’ આવા પ્રકારનો કોઈક માન-ખ્યાતિનો આશય વર્તે છે, તેથી તે પ્રવૃત્તિ યોગરૂપ નથી. જ્યારે સાધર્મિકવાત્સલ્યમાં નિવદ્ય વસ્તુવિષયક ચિત્ત હોય તો યોગરૂપ બને, નહીંતર તે પણ ન બને. ઉપર્યુક્ત પ્રણિધાનઆશયમાં વર્તતા ચાર વિશેષણવાળા ચિત્ત પૈકી ‘-ધોવૃત્તિપાનુાં' અને 'પરોપવારસારૂં' એ બે વિશેષણો પ્રણિધાનઆશયને અનુકૂળ એવું નિર્મળ ચિત્ત પેદા કરનાર છે. જેની પાસે આવું ચિત્ત સર્વથા નથી, તે જીવો પ્રણિધાન માટે અનધિકારી છે. વળી પોતાનાથી હીનગુણી જીવો પ્રતિ કરુણાવાળા અને જીવમાત્ર પ્રત્યે પરોપકાર કરવાની વૃત્તિવાળા એવા પણ જીવો, ક્વચિત્ નિમિત્ત પામીને વિપરીત ભાવ કરનારા પણ બને છે. આમ છતાં ઉપદેશાદિ સાંભળે કે કોઈ નિમિત્તને પામે ત્યારે આ બે પ્રકારના ચિત્તની નિષ્પત્તિ કરવાની Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy