SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ go યોગલક્ષણહાત્રિશિકા/શ્લોક-૨૨-૨૩ પરંતુ મોક્ષને અનુકૂળ પ્રગટ થયેલો ભાવ પણ વ્યાપારવાળો ન હોય, ત્યારે યોગ બનતો નથી. આ રીતે નિશ્ચયનયની દૃષ્ટિથી ભાવને મોક્ષ પ્રત્યે મુખ્ય હેતુ સ્થાપન કર્યા પછી વ્યવહારનયની દૃષ્ટિથી મોક્ષને અનુકૂળ કરાતી ધર્મક્રિયામાં યોગનું લક્ષણ કઈ રીતે ઘટે ? તે બતાવવા માટે કહે છે – ભાવના જ યોગથી=પ્રણિધાનાદિ આશયના જ યોગથી, ચરમાવર્તમાં કરાતી ક્રિયાનું પણ મોક્ષનું મુખ્યહેતુપણું છે, આથી ક્રિયાનું પણ યોગપણું છે. આનાથી એ પ્રાપ્ત થયું કે ક્રિયાઓ પ્રણિધાનાદિ આશયરૂ૫ ભાવપૂર્વક કરાતી હોય ત્યારે તે ભાવના યોગને કારણે તે ધર્માનુષ્ઠાનની ક્રિયાઓને પણ મોક્ષનું કારણ વ્યવહારનય સ્વીકારે છે. વસ્તુત: ભાવપૂર્વક ક્રિયાઓ કરાય છે ત્યારે, તે ક્રિયાઓ પૂર્વના ભાવની વૃદ્ધિમાં નિમિત્ત કારણ છે. તેથી ક્રિયાને અવલંબીને પ્રગટ થયેલો ભાવ અર્થાત્ આ ક્રિયા દ્વારા મારે સમ્યક રીતે ઉત્તર ઉત્તરના ભાવને પ્રગટ કરવો છે” એ પ્રકારનો પ્રણિધાનાદિ રૂપ ભાવ ક્રિયાકાળમાં ઉત્તરભાવરૂપે પરિણમન પામે છે. તેથી ભાવને વ્યાપારરૂપે કરવામાં ક્રિયા નિમિત્તકારણ છે, તોપણ વ્યવહારનય ક્રિયાને પ્રધાન કહે છે, તેથી કહે છે કે ભાવપૂર્વકની ક્રિયા મોક્ષનું કારણ છે. રશા અવતરણિકા : પૂર્વગાથા-૨૨માં સ્થાપન કર્યું કે મોક્ષના કારણરૂપે સંમત એવી વ્યવહારનયની ક્રિયા પણ ભાવના યોગથી જ મોક્ષનો હેતુ બને છે. તે કથનને દાંતથી સ્પષ્ટ કરે છે – શ્લોક : रसानुवेधात्ताम्रस्य हेमत्वं जायते यथा । क्रियाया अपि सम्यक्त्वं तथा भावानुवेधतः ।।२३।। અન્વયાર્થ : યથા=જેમ રસાનુદા રસાતુવેધથી તામ્રસ્થ તાંબાનું દેવં સુવર્ણપણું નાવતે થાય છે તથા તેમ ક્રિયાથી પિત્રક્રિયાનું પણ માવાનુવે ત=ભાવના અતુવેધથી સર્વ=મોક્ષસંપાદનની શક્તિરૂપ સમ્યફપણું થાય છે. રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy