SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮. યોગલક્ષણદ્વાત્રિંશિકા|શ્લોક-૨૭ જે ક્રિયા પ્રણિધાનાદિ આશયવાળી નથી, તે ક્રિયા પણ રાગાદિનો પરિક્ષય કરે છે, અને તે ક્રિયાથી રાગાદિના પરિક્ષયવાળા જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે, તોપણ તે રાગાદિના પરિક્ષયવાળો જ્ઞાનનો ઉપયોગ મોક્ષ પ્રત્યે કારણ નથી. તેથી આ ક્રિયામાં રહેલી વ્યંજકતાને જ્ઞાનનય શ્રેષ્ઠ હેતુતાવિશેષરૂપ વ્યંજકતા તરીકે સ્વીકારતો નથી, પરંતુ હેતુતાવિશેષરૂપ વ્યંજકતા તરીકે સ્વીકારે છે. II શ્રેષ્ઠ હેતુતાવિશેષરૂપ વ્યંજકતા ઃ જે ક્રિયામાં પરાહેતુતાવિશેષરૂપ વ્યંજકતા છે=મોક્ષનું કારણ બને તેવા મંડુકભસ્મ જેવા જ્ઞાનને અભિવ્યક્ત કરે તેવી શ્રેષ્ઠ હેતુતાવિશેષરૂપ વ્યંજકતા છે, તે ક્રિયાથી અભિવ્યક્ત થયેલું જ્ઞાન મોક્ષનું કારણ છે. તેથી એ ફલિત થાય કે જે ક્રિયા પ્રણિધાનઆદિ આશયવાળી છે, તે ક્રિયાથી સાનુબંધ રાગાદિનો ક્ષય થાય છે અને તે ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે. આ ક્રિયામાં રહેલી વ્યંજકતાને જ્ઞાનનય શ્રેષ્ઠ હેતુતાવિશેષરૂપ વ્યંજકતા તરીકે સ્વીકારે છે. વળી ટીકામાં કહ્યું કે ભાવની જ્ઞાપકત્વરૂપ અભિવ્યંજકતા જ્ઞાનનયના પ્રાધાન્યથી ઉપયુક્ત છે. તેથી એ પ્રાપ્ત થાય કે ક્રિયાથી ભાવ અભિવ્યક્ત થાય છે, તેથી ક્રિયામાં ભાવની અભિવ્યંજકતા છે, અને તે અભિવ્યંજકતા ભાવને અભિવ્યક્ત કરે છે, તેથી તે ક્રિયા ભાવની જ્ઞાપક બની અર્થાત્ જેમ શરાવમાં રહેલી ગંધ જ્ઞાત ન હતી અને તેના ઉપર જળ નાખવાથી જળ તે ગંધનું જ્ઞાપન કરે છે, તેથી જળ જ્ઞાપક છે; તેમ આત્મામાં રહેલ ભાવ જ્ઞાત ન હતો અને ક્રિયા ભાવનું જ્ઞાપન કરે છે. તેથી તે ક્રિયા ભાવની જ્ઞાપક બની. માટે ક્રિયામાં રહેલી અભિવ્યંજકતા જ્ઞાપકત્વરૂપ છે, અને તે અભિવ્યંજકતા જ્ઞાનનયના પ્રાધાન્યથી ઉપયોગી છે=જ્ઞાનનયના પ્રાધાન્યથી માન્ય છે, પરંતુ વ્યવહારનયથી વાસ્તવિક નથી; કેમ કે વ્યવહારનય અસત્કાર્યવાદી છે, અને જો વ્યવહારનયથી ક્રિયામાં ભાવની વ્યંજકતા વાસ્તવિક સ્વીકારીએ તો વ્યવહારનયને સત્કાર્યવાદ સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. વસ્તુત: વ્યવહારનય કહે છે કે જે કાર્ય થયું નથી, તે કાર્યનો અર્થી ક્રિયામાં યત્ન કરીને તે કાર્યને પેદા કરે છે; કેમ કે વ્યવહારનય સત્કાર્યવાદ માનતો નથી, પરંતુ અસત્કાર્યવાદ માને છે. માટે વ્યવહારનયથી ક્રિયામાં ભાવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy