SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 36 યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૪ आत्मना संवित्तिरूपा ज्ञानदर्शनचारित्रैकमूर्तिका, हीनादिषु क्रमात् कृपोपकारविनयान्विता, हीने कृपान्विता, मध्यमे उपकारान्विता, अधिके च विनययुक्ता ।।१४।। ટીકાર્ચ - સિદ્ધિઃ .. વિનયયુI IT (૪) સિદ્ધિઆશય : તાત્વિક=આભ્યાસિકમાત્ર નહીં, પરંતુ અભ્યાસશુદ્ધ એવા અહિંસાદિ ધર્મની પ્રાપ્તિ-ઉપલબ્ધિ, સિદ્ધિ છે સિદ્ધિઆશય છે. વળી સિદ્ધિ કેવી છે ? તે સ્પષ્ટ કરે છે -- આત્મા વડે આત્માની સંવિત્તિરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર એકમૂર્તિક અર્થાત એક સ્વરૂપ, સાક્ષાત્ –અનુપચારથી, અનુભવાત્મિકા અનુભવ સ્વરૂપ, સિદ્ધિ છે. વળી તે સિદ્ધિ કેવી છે ? તે સ્પષ્ટ કરે છે -- હીનાદિમાં ક્રમથી કૃપા, ઉપકાર અને વિનયથી યુક્ત છે હીતમાં કૃપાયુક્ત, મધ્યમમાં ઉપકારયુક્ત અને અધિકમાં વિતયયુક્ત સિદ્ધિ છે. ૧૪ ભાવાર્થ : (૪) સિદ્ધિઆશય :- પ્રવૃત્તિઆશયવાળા સાધક કોઈ વિઘ્ન ઉપસ્થિત થાય તો સમ્યગુ યત્નપૂર્વક તે વિઘ્નનો જય કરે છે, ત્યાર પછી તેની યોગમાર્ગમાં નિરાકુળ પ્રવૃત્તિ થાય છે, અને યોગમાર્ગમાં કરાયેલી નિરાકુળ પ્રવૃત્તિ સિદ્ધિરૂપ ફળમાં પર્યવસાન પામે છે ત્યારે જીવને સિદ્ધિઆશય આવે છે. તે સિદ્ધિઆશય આભ્યાસિક ક્રિયારૂપ નથી, પરંતુ અભ્યાસશુદ્ધ ક્રિયા છે=અભ્યાસથી શુદ્ધ એવા અહિંસાદિ ધર્મસ્થાનની પ્રાપ્તિરૂપ છે. તેનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – આ સિદ્ધિઆશયમાં જે અહિંસાદિ ધર્મસ્થાનની પ્રાપ્તિ થાય છે તે સાક્ષાત્ અનુભવ સ્વરૂપ છે. જેમ સંયમનું પાલન કરતાં કરતાં યોગી અસંગભાવમાં આવે છે ત્યારે આત્માના પ્રયત્નથી આત્માની રત્નત્રયીની પરિણતિનો સાક્ષાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy