SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ અનુભવ કરે છે અર્થાત્ ત્યારે ભગવાનના વચનના સ્મરણના બળથી રત્નત્રયીમાં યત્ન થતો નથી, પરંતુ રત્નત્રયીની એકતા આત્મા સાથે થયેલી હોવાથી આત્માનો શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ સહજ ભાવે પ્રવર્તે છે. તેથી જેમ ચંદનમાં સહજ ગંધ પ્રવર્તે છે, તેમ તેવા યોગીમાં સર્વત્ર નિર્લેપદશારૂપ જ્ઞાનનો ઉપયોગ સહજ પ્રવર્તે છે, જે રત્નત્રયીની એકતારૂપ છે અર્થાત્ નિર્વિકલ્પજ્ઞાનના ઉપયોગરૂપ છે. અહીં “સાક્ષાત્' કહેવાથી એ કહેવું છે કે ભગવાનના વચનના બળથી જે સાધુઓ રત્નત્રયીમાં યત્ન કરે છે, તેઓમાં ભગવાનના વચનના રાગથી કરાતા રત્નત્રયીના આચારો દ્વારા રત્નત્રયીનો અનુભવ છે, તેમ કહેવાય; પણ અહીં ભગવાનના વચનનો રાગ પ્રવર્તક નથી, પરંતુ જીવની પ્રકૃતિ જ રત્નત્રયીના ઉપયોગમાં પ્રવર્તે છે. તેથી સાક્ષાત્ અનુભવ સ્વરૂપ રત્નત્રયીની પરિણતિ છે. આવા સિદ્ધિઆશયવાળા યોગીઓ શુદ્ધ સામાયિકના પરિણામવાળા હોવાથી ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે; કેમ કે સામાયિકનો પરિણામ પત્તપદાઈi a'sઉચિત પ્રવૃત્તિપ્રધાન હોય છે. તેથી સિદ્ધિઆશયવાળા યોગીઓ હનગુણી જીવોમાં કુપાયુક્ત હોય છે, મધ્યમગુણી જીવોમાં ઉપકારયુક્ત હોય છે અને પોતાનાથી અધિક ગુણોવાળાઓમાં વિનયથી યુક્ત હોય છે. તેથી જગતના જીવમાત્ર પ્રત્યે ઉચિત પ્રવૃત્તિ કરનારા બને છે. ll૧૪ll અવતરણિકા :સિદ્ધિઆશય પછી ક્રમ પ્રાપ્ત વિનિયોગઆશયને કહે છે – શ્લોક : अन्यस्य योजनं धर्मे विनियोगस्तदुत्तरम् । कार्यमन्वयसंपत्त्या तदवन्ध्यफलं मतम् ।।१५।। અન્વયાર્થ : તત્તરં વાર્થ તેનું સિદ્ધિનું ઉત્તર કાર્ય કન્યસ્થ ઘર્ષે યોનનં-બીજાને ધર્મમાં યોજન વિનિયોગ:=વિનિયોગ છે વિનિયોગઆશય છે. તે તે=અન્યને ધર્મમાં યોજન, અર્ચયસંપા=અવયસંપત્તિથી વચ્ચત્ન અવંધ્ય ફળવાળું મતzકહેવાયું છે. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy