SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૮ ચિત્ર ઉપાયો વડે તે લોકપંક્તિ, શુભને માટે કુશળ અનુબંધ માટે, પણ છે અર્થાત્ કુશળ ફળ માટે પણ છે. વળી તેના અર્થીનો લોકપંક્તિના અર્થીનો, ધર્મ શુભને માટે નથી; દિ જે કારણથી, ધનને માટે ક્લેશ=શ્રમ, પણ ઈષ્ટ છે; કેમ કે ધનના અર્થીઓની રાજસેવા વગેરેમાં પ્રવૃત્તિનું દર્શન છે; ક્લેશને માટે જ્ઞાતિ ક્યારેય, ધન ઈષ્ટ નથી. તે અર્થને સ્પષ્ટ કરે છે - ધનથી મને ક્લેશ થાઓ" એ પ્રકારે કોઈપણ વિચારક ઇચ્છતો નથી જ. તે=ધર્મને માટે લોકપંક્તિ શુભને માટે છે વળી લોકપંક્તિના અર્થીને ધર્મ શુભને માટે નથી તે, આ કહેવાયું છે=યોગબિંદુ શ્લોક-૯૦માં તથા ષોડશક-૪, શ્લોક-૭માં કહેવાયું છે – “મહામતિને ધર્મ માટે લોકપંક્તિ કલ્યાણનું અંગ થાય, પરંતુ અલ્પબુદ્ધિવાળાઓનો તેના માટે=લોકપંક્તિ માટે ધર્મ અત્યંત પાપ માટે છે.” (યોગબિંદુ શ્લોક-૯૦) અને “સદ્ધર્મની પ્રશંસનાદિ થવાથી બીજાધાનાદિ થવાને કારણે સદ્ધર્મસિદ્ધિફળને દેનારું શુદ્ધ એવું જનપ્રિયપણું અત્યંત યુક્ત છે." (ષોડશક-૪, શ્લોક-૭) ‘ત' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. Iટા ‘સગર્શન' અહીં ‘' થી સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રનું ગ્રહણ કરવું. ‘સમUT' અહીં દ્ર' થી ઉચિત એવા તેના ભવિષ્યનું કથન કરવું વગેરેનું ગ્રહણ કરવું. ૧૨નસવા' અહીં '' થી વ્યાપાર-વાણિજ્યનું ગ્રહણ કરવું. ધર્મપ્રશંસનાઃ' અહીં ‘’ થી ધર્મનું પાલન, ધર્મનો સ્વીકાર વગેરેનું ગ્રહણ કરવું. વીનાધન' અહીં ‘ક’ થી ધર્મનો અંકુર, ધર્મનું ફળ વગેરે ગ્રહણ કરવાં. ભાવાર્થધર્મ માટે લોકપંક્તિ ઇષ્ટ હોવા છતાં લોકપંક્તિ માટે ધર્મ અનિષ્ટ : પૂર્વ શ્લોક-૭માં સ્થાપન કર્યું કે લોકપંક્તિથી કરાતી ધર્મક્રિયા દુરંત સંસારના ફળવાળી છે; આમ છતાં મહાત્માઓ યોગ્ય જીવોને ધર્મની પ્રાપ્તિ થાય તદર્થે દાન, સન્માન, ઉચિત સંભાષણાદિ વડે લોકપંક્તિનું આચરણ કરે છે, તે કુશળ ફળવાળું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy