SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ યોગલક્ષણ દ્વાત્રિશિકા/શ્લોક-૧૧ ૨૭ શ્લોકાર્ય : પ્રણિધાન ક્રિયાવિષયક છે, પોતાનાથી નીચેની ભૂમિકામાં રહેલા જીવોમાં કૃપાવાળું, પરોપકારસાર અને પાપવર્જિત ચિત્ત છે. ||૧૧|| ટીકા : प्रणिधानमिति-प्रणिधानं क्रियानिष्ठं=अधिकृतधर्मस्थानादविचलितस्वभावं, अधोवृत्तिषु-स्वप्रतिपन्नधर्मस्थानादधस्ताद्वर्तमानेषु प्राणिषु, कृपानुगं करुणान्वितं, न तु हीनगुणत्वेन तेषु द्वेषसमन्वितं, परोपकारसारं च-परार्थनिष्पत्तिप्रधानं च, चित्तं पापविवर्जितं सावधपरिहारेण निरवद्यवस्तुविषयम् ।।११।। ટીકાર્ચ - પ્રથાનં ..... નિરવદ્યવસ્તુવિષયમ્ | (૧) પ્રણિધાનઆશય - | (i) પ્રણિધાન ક્રિયાનિષ્ઠ છે=અધિકૃત ધર્મસ્થાનથી અવિચલિત સ્વભાવવાળું છે અર્થાત ક્રિયાથી નિપ્પાઘ એવો જે અધિકૃત ધર્મ, એ ધર્મસ્થાનથી અવિચલિત સ્વભાવવાળું છે અર્થાત્ તે ધર્મસ્થાનની નિષ્પત્તિ માટેના લક્ષ્યને ભૂલ્યા વિના તેને અનુરૂપ ક્રિયામાં યત્ન કરે તેવા સ્વભાવવાળું છે. (ii) અધોવૃત્તિમાં રહેલા=પોતાના સ્વીકારાયેલા ધર્મસ્થાનથી નીચેના ધર્મસ્થાનમાં રહેલા પ્રાણીઓમાં કૃપાનુi=કરુણાવિત, એવું ચિત્ત હોય છે અર્થાત્ હું એવું કરું કે જેથી આ લોકોને પણ મારી જેમ ઉપરનાં ધર્મસ્થાન પ્રાપ્ત થાય !” તે પ્રકારના અધ્યવસાયવાળું ચિત્ત હોય છે, પરંતુ હીતગુણપણું હોવાને કારણે તેઓમાં-પોતાના સ્વીકૃત ધર્મસ્થાનથી નીચેના ધર્મસ્થાનમાં રહેલા પ્રાણીઓમાં, દ્વેષથી યુક્ત ચિત્ત હોતું નથી, અને (ii) પરોપકારસારપરાર્થનિષ્પત્તિપ્રધાન અર્થાત્ પોતાનાથી કોઈનું પણ આત્મકલ્યાણના કારણીભૂત હિત થતું હોય તો તેની નિષ્પત્તિમાં પ્રધાન ચિત્ત છે. આ પ્રણિધાનઆશય સંસારની પ્રવૃત્તિવિષયક ગ્રહણ કરવાનો નથી, પરંતુ ધર્મની પ્રવૃત્તિવિષયક ગ્રહણ કરવાનો છે. તેથી કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy