SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ યોગલક્ષણદ્વાચિંશિકા/બ્લોક-૧૦-૧૧ અનુકૂળ એવી ઉપર ઉપરની ક્રિયાની નિષ્પત્તિમાં કારણ બને છે. તેથી ક્રિયાની પુષ્ટિ અને શુદ્ધિના પ્રવાહના હેતુ એવા આ શુભ પરિણામો છે. અહીં વિશેષ એ છે કે કોઈપણ ધર્મઅનુષ્ઠાન, તે પૂજારૂપ હોય કે શાસ્ત્ર ભણવાની ક્રિયારૂપ હોય, તે સર્વ અનુષ્ઠાનમાં પ્રણિધાનઆશય વર્તતો હોય તો તે સર્વ ક્રિયાનું લક્ષ્ય નિર્લેપદશાની પ્રાપ્તિ છે. તેથી ક્રિયાકાળમાં વર્તતા નિર્લેપદશાને અભિમુખ ઉપયોગથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને વીર્યંતરાયકર્મરૂપ ઘાતિક શિથિલ થાય છે. ઘાતિકર્મોના વિગમનથી થયેલી શુદ્ધિ, પૂર્વની ક્રિયા કરતાં ઉત્તરની ક્રિયામાં જવા માટે સહાયક બને છે, અને તેથી ક્રિયાકાળમાં મોક્ષમાર્ગનો રાગ અને મોક્ષમાર્ગના ઉપાયોનો રાગ અને મોક્ષમાર્ગથી વિપરીત પ્રવૃત્તિ પ્રત્યે અસહિષ્ણુતારૂપ દ્વેષ ઉપયોગમાં વર્તતો હોવાથી, અતિચારના પરિવાર માટેનો અને લક્ષ્ય તરફ જવા માટેનો યત્ન થાય છે. આ પ્રકારના પ્રશસ્ત રાગ-દ્વેષના ઉપયોગથી સાધકને સદનુષ્ઠાન કરવા માટે અનુકૂળ એવી પુણ્યપ્રકૃતિનું સર્જન થાય છે, જે પુણ્યાનુબંધી પુણ્ય અન્ય ભવમાં પણ સદનુષ્ઠાન કરવા માટે ઉત્તમ સંઘયણબળ, ઉત્તમ મનુષ્યભવ અને યોગમાર્ગને અનુકૂળ અનેક ભૌતિક સામગ્રીની પ્રાપ્તિનું કારણ બને છે, અને ઘાતિકર્મના વિગમનથી આત્મામાં થયેલી શુદ્ધિ ઉત્તર ઉત્તર ભૂમિકામાં જવા માટે પ્રબળ કારણ બને છે. ૧૦ll અવતરણિકા : પાંચ આશયોમાંથી પ્રણિધાનઆશયનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : प्रणिधानं क्रियानिष्ठमधोवृत्तिकृपानुगम् । परोपकारसारं च चित्तं पापविवर्जितम् ।।११।। અન્વયાર્થ : પ્રળિથાનં પ્રણિધાન ક્રિયનિષ્ઠ ક્રિયાલિષ્ઠ છે ક્રિયાવિષયક છે, અથવૃત્તિકૃપાનુ=પોતાનાથી નીચેની ભૂમિકામાં રહેલા જીવોમાં કૃપાવાળું પરોપારસાણં પરોપકારસાર ચ=અને પાપવિવનિતચિત્ત પાપવિવજિત ચિત્ત છે. ૧૧II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy