SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ ૨૮ (iv) પાપવર્જિત ચિત્ત છે-સાવધના પરિહાર દ્વારા નિરવદ્ય વસ્તુવિષયવાળું ચિત્ત છે. ।।૧૧|| ભાવાર્થ : (૧) પ્રણિધાનઆશય :- આ આશયવાળું ચિત્ત કેવું હોય ? તે ચાર વિશેષણ દ્વારા બતાવ્યું છે : (૨) યિનિષ્ઠ (૨) અધોવૃત્તિવાનુ ં (૩) પરોપજારસારં (૪) પાવિર્ઘાનતમ્, પ્રણિધાનઆશયવાળા ચિત્તનાં આ ચાર વિશેષણોમાં ‘અધોવૃત્તિકૃપાનુાં' અને ‘પરોવવ્હારસારં’ એ બે વિશેષણો પ્રણિધાન કરવા માટેની યોગ્યતાને બતાવે છે, ‘પાર્ષાવનિતં’ એ વિશેષણ સંસારક્રિયાવિષયક પ્રણિધાનની વ્યાવૃત્તિને કરનારું છે, અને ‘પ્રિયનિષ્ઠ’ વિશેષણ ક્રિયામાં લક્ષ્યને અનુરૂપ પ્રણિધાન છે, તે બતાવે છે. તે આ રીતે – (૨) ઝિયાનિષ્ઠ : ક્રિયાથી જે ધર્મસ્થાન પેદા કરવાનું છે, તે લક્ષ્યને ભૂલ્યા વિના તેને અનુરૂપ પ્રવૃત્તિ થાય તેવા સંકલ્પરૂપ પ્રણિધાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કાર્યનો અર્થી ફળરૂપ લક્ષ્ય નક્કી કરે છે, ત્યારપછી લક્ષ્યને અનુરૂપ ક્રિયા કરવામાં જે માનસયત્ન કરે છે, તે પ્રણિધાન છે. જેમ શ્રાવક મોક્ષના ઉપાયભૂત સર્વવિરતિની પ્રાપ્તિનું લક્ષ્ય નક્કી કરી ભગવાનની પૂજા કરે, ત્યારે તેનો મનોભાવ એ હોય છે કે “આ દ્રવ્યસ્તવનું સેવન સર્વવિરતિરૂપ ભાવસ્તવનું કારણ છે, માટે હું આ ભગવાનની પૂજારૂપ દ્રવ્યસ્તવ એવી રીતે કરું કે જેથી આ પૂજા મારા માટે ભાવસ્તવરૂપ સંયમની પ્રાપ્તિનું કારણ બને અને સંયમને અનુકૂળ નિર્લેપ ચિત્ત નિષ્પન્ન થાય.” તે આ રીતે - શ્રાવક, ભગવાનની સિદ્ધઅવસ્થાને તત્ત્વકાયઅવસ્થારૂપે જુએ છે, ભગવાનની તીર્થસ્થાપના વખતની અવસ્થા કે સમવસરણમાં ઉપદેશ આપતી અવસ્થાને કર્મકાયઅવસ્થારૂપે જુએ છે અને ભગવાનની પૂર્વની છદ્મસ્થઅવસ્થાને સાધકઅવસ્થારૂપે જુએ છે. પૂજા કરતાં આ અવસ્થાઓ ભાવતાં તેનો ઉપયોગ એ હોય કે “ભગવાન આ રીતે સાધના કરી વીતરાગ બન્યા ત્યારે અપાયાપગમાતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy