SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૬ ટીકાર્ય : ક્રિયાતઃ .. તિ નિતમ્ II ક્રિયાથી કરાયેલ ફક્ત ક્રિયાથી ઉત્પન્ન થયેલ, ક્લેશધ્વસ-રાગાદિ પરિક્ષય, દેડકાના ચૂર્ણ જેવો છે; કેમ કે ફરી રાગાદિની ઉત્પત્તિ કરાવી શકે તેવી શક્તિથી યુક્ત છે. વળી ભાવપૂર્વકની ક્રિયાથી કરાયેલ (ક્લેશધ્વસ) તેની ભસ્મ દેડકાની ભસ્મ, જેવો છે; કેમ કે ફરી ઉત્પત્તિશક્તિનો અભાવ છે અર્થાત્ ક્રિયાકાળમાં પ્રણિધાન આશયપૂર્વક યત્ન હોવાથી તે ક્રિયાથી જે કંઈ ક્લેશનાશ થાય છે, તે ક્લેશકાશ સંપૂર્ણ ક્લેશકાશ સાથે એકવાક્યતાથી જોડાયેલો હોવાથી ફરી તે ક્લેશની ઉત્પત્તિ કરી શકે તેવી શક્તિ વગરનો છે; અને આ રીતે=ભાવપૂર્વકની ક્રિયાથી કરાયેલો ક્લેશધ્વંસ મંડુક ભમતુલ્ય છે એ રીતે, ક્લેશના=રાગાદિ ક્લેશના, ધ્વંસવિશેષની ફરી રાગાદિ ઉત્પન્ન ન થાય તેવા બંસવિશેષની, જનક એવી શક્તિવિશેષ જ ક્રિયામાં ભાવવૃદ્ધિને અનુકૂળ છે અર્થાત્ પૂર્વશ્લોકમાં કહ્યું કે ભાવવૃદ્ધિમાં ક્રિયા હેતુ છે, તે ભાવવૃદ્ધિમાં શક્તિવિશેષવાળી જ ક્રિયા હેતુ છે, અન્ય નહીં, એ ફલિત થયું. ૨૬ ભાવાર્થ :ભાવપૂર્વકની ક્રિયા અને ભાવરહિત ક્રિયા વચ્ચેનો ભેદ - કોઈ જીવ પ્રણિધાનાદિ આશય વિનાની ક્રિયા કરતો હોય અને તે ક્રિયાકાળમાં રાગાદિનો ઉપયોગ વર્તતો ન હોય તો જે રાગાદિનો પરિક્ષય છે, તે રાગાદિનો ક્ષય દેડકાનાં ચૂર્ણ જેવો છે અર્થાત્ જેમ દેડકાં મરી ગયા પછી તેનાં કલેવરોનું ચૂર્ણ પડેલું હોય તેમાં કંઈ દેડકાંના જીવો હોતા નથી, પરંતુ વરસાદનું પાણી પડે એટલે તે નિમિત્તને પામીને તે ચૂર્ણમાંથી ફરી દેડકાં ઉત્પન્ન થાય છે, તેમ પ્રણિધાનાદિ આશય વગરની ક્રિયાથી રાગાદિનો પરિક્ષય થાય તોપણ નિમિત્ત મળતાં ફરી તે રાગાદિ ભાવો ઉત્પન્ન થાય, તેવી શક્તિ તેમાં વર્તે છે. જેમ કોઈ સાધક “મારે અણાહારીભાવ પ્રગટ કરવો છે” તેવા સંકલ્પ વિના માત્ર તપ કરતો હોય, ત્યારે તપની પ્રવૃત્તિ સમયે આહારાદિની પ્રવૃત્તિ નહીં હોવાથી આહારાદિવિષયક રાગાદિ ભાવો પ્રવર્તતા નથી, તોપણ તપ પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy