SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ યોગલક્ષણહાવિંશિકા/બ્લોક-૧૮ ટીકાર્ય : નવનીતાવિવલ્પો .. મમ્મઘાત્ મ ન્તરેT તે કારણથી તૃણાદિમાં ધી આદિનું યોગ્યપણું હોવા છતાં પણ તૃણાદિમાંથી ઘીનો સંભવ નથી તેમ અચરમાવર્તમાં યોગનો સંભવ નથી તે કારણથી, માખણ આદિ જેવો ઘીના પરિણામના કારણભૂત માખણ, દહીં, દૂધ આદિ તુલ્ય યોગપરિણામનું કારણ એવો ચરમાવર્ત ઈચ્છાય છે. અહીં જ ચરમાવર્તમાં જ, વિમલ ભાવ થાય છે; કેમ કે ભવના અભિન્કંગનો અભાવ છે=ભવતા કારણ પ્રત્યે ગાઢ રાગનો અભાવ છે; જે કારણથી ગોપેન્દ્રએ પણ ભંગ્યુંતરથી વિકલ્પાંતરથી, કહ્યું છે. ll૧૮|| ભાવાર્થ :નવનીત આદિ જેવો ચરમાવર્તકાળ : ચરમાવર્તની બહારના જીવોમાં કર્મનું અતિ જોર હોવાથી યોગમાર્ગની પ્રારંભિક ભૂમિકાને અનુકૂળ એવું પણ ચિત્ત પ્રગટ થતું નથી, પરંતુ જીવ ચરમાવર્તમાં આવે છે ત્યારે અત્યંત વિપર્યાસ આધાયક=અત્યંત વિપર્યાસ કરાવનાર, મિથ્યાત્વમોહનીય કર્મની મંદતા થવાથી કંઈક નિર્મળ ભાવ થાય છે. તેથી ગ્રંથકાર ચરમાવર્તન માખણ આદિ તુલ્ય કહે છે. જેમ ઘીની નિષ્પત્તિમાં માખણ, દહીં કે દૂધ કારણ બને છે અને કોઈ સમ્યગુ યત્ન કરે તો માખણ આદિમાંથી ઘી થઈ શકે છે, તેમ ચરમાવર્તમાં આવેલા જીવમાં મિથ્યાત્વની મંદતા થવાને કારણે યોગમાર્ગ નિષ્પન્ન થાય તેવો નિર્મળ ભાવ હોય છે, તેથી ઉપદેશાદિની સામગ્રી મળે તો યોગમાર્ગનો પ્રાદુર્ભાવ થઈ શકે; જ્યારે ચરમાવર્તની બહારના જીવોમાં સામગ્રીથી પણ યોગમાર્ગનો પ્રાદુર્ભાવ થાય નહીં, તેથી તેઓની ધર્મક્રિયા લોકપંક્તિથી થઈ શકે, પરંતુ મોક્ષનું કારણ બને નહીં. અહીં વિશેષ એ છે કે બાળક કેડબરીને પણ ખાતો હોય અને વિષ્ટા પણ મુખમાં નાખતો હોય, અને તેની મા વિષ્ટાને “છી-છી' કહે ત્યારે બાળક વિષ્ટાના ત્યાગને અભિમુખ કંઈક ભાવ થવાથી “આ છી છે' એમ બોલે છે; પરંતુ કેડબરી છોડાવવા માટે “છી-છી' કહે તો તે સાંભળે પણ નહીં, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy