SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ યોગલક્ષણાવિંશિકા/શ્લોક-૩૨ શ્લોકાર્ય : જિનશાસનમાં પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનું યોગનું લક્ષણ છે એ પ્રમાણે જાણતા, પરમાનંદમાં બદ્ધ બુદ્ધિવાળા, પર વડે કહેવાયેલા યોગલક્ષણની પરીક્ષા કરે. II3II (શ્લોક સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા લખેલ નથી.) ભાવાર્થ : ભગવાનના શાસનમાં રહેલા યોગમાર્ગના જિજ્ઞાસુઓ, ભગવાનના શાસ્ત્રવચનના બળથી પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના યોગલક્ષણને જાણીને, ભેદનયથી પોતાના આત્મા શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો છે તેમ જાણીને, અને શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળા આત્માને પરમ સુખરૂપ જાણીને પરમાનંદરૂપ મોક્ષમાં બદ્ધ બુદ્ધિવાળા બને છે; અને જેમને પરમાનંદમાં અત્યંત બદ્ધ બુદ્ધિ છે, એવા સાધકો માત્ર સ્વદર્શનના યોગના લક્ષણને જાણીને સંતોષ પામતા નથી, પરંતુ યોગમાર્ગને કહેનારા અન્યદર્શનવાળાઓ યોગનું લક્ષણ શું કહે છે, તેને જાણવા પણ યત્ન કરે છે અને તેની પરીક્ષા કરે છે, જેથી યોગના સ્વરૂપનો પારમાર્થિક બોધ થાય અને તેના બળથી પરમાનંદની પ્રાપ્તિ થાય. આ હેતુથી પરમાનંદમાં બદ્ધ બુદ્ધિવાળા સાધકો સ્વદર્શનના અને પરદર્શનના યોગમાર્ગને જાણીને, પરીક્ષા કરીને, શક્તિના પ્રકર્ષથી યોગમાં યત્ન કરે છે, જેથી આ સંસારનો અંત થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય. રૂચા इति योगलक्षणद्वात्रिंशिका ।।१०।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy