SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૨૦ પપ ક્ષેત્રરોગ એટલે શું ? તે સ્પષ્ટ કરે છે – ક્ષેત્રરોગ એટલે રોગાન્તરના=અન્ય રોગોના, આધારભૂત કુષ્ટાદિ રોગ. તેનાથી-ક્ષેત્રરોગથી, જે પ્રમાણે પથ્યાપથ્યની બુદ્ધિનો વિપર્યાસ થાય છે, તે પ્રમાણે પ્રકૃતિમાં પણ=સાધિકાર પ્રકૃતિવાળા આવર્તમાં પણ, હિતાહિતની બુદ્ધિનો વિપર્યાસ થાય છે. ૨૦. ભાવાર્થ - ચરમાવર્તની બહાર તત્ત્વજિજ્ઞાસાનો અસંભવ : અનાદિકાળથી જીવ ઉપર પ્રકૃતિનો અધિકાર છે, તેથી કર્મરૂપ પ્રકૃતિ પુરુષની શક્તિનો અભિભવ કરે છે અને કર્મરૂપ પ્રકૃતિથી અભિભૂત થયેલો પુરુષ કર્મપ્રકૃતિની પ્રેરણા અનુસાર સર્વ પ્રવૃત્તિ કરીને સંસારને લીલોછમ રાખે છે. જ્યાં સુધી પુરુષ ઉપર પ્રકૃતિનો અધિકાર સર્વથા પ્રવર્તે છે, અર્થાત્ લેશ પણ પ્રકૃતિનો અધિકાર ઓછો થતો નથી, પરંતુ સર્વથા પ્રવર્તે છે, ત્યાં સુધી પુરુષ ચરમાવર્તની બહાર છે અને તે ચરમાવર્ત બહારની અવસ્થા સાધિકાર પ્રકૃતિવાળી છે. તે અવસ્થામાં જીવને તત્ત્વમાર્ગને જાણવાની ઇચ્છા થતી નથી અર્થાત્ મારા માટે હિતકારી તત્ત્વ શું છે ? અને તે તત્ત્વની પ્રાપ્તિનો ઉપાય શું છે ? તે જાણવાની જિજ્ઞાસા થતી નથી, પરંતુ પ્રકૃતિ જે પ્રકારની પ્રેરણા કરે તે પ્રમાણે પુરુષ પ્રવૃત્તિ કરે છે. જેમ કોઈને સર્વરોગના આધારભૂત એવો કુષ્ટાદિ રોગ થાય ત્યારે પથ્યાપથ્યમાં વિપર્યાસની બુદ્ધિ વર્તે છે અર્થાત્ અપથ્ય જ પથ્ય દેખાય છે અને પથ્ય અપથ્ય દેખાય છે, તેથી તેવા જીવોની અપથ્યસેવનની પ્રવૃત્તિ રોગવૃદ્ધિનું કારણ બને છે; તેમ ચરમાવર્ત બહારના જીવોમાં મારા માટે હિત શું છે ? અને અહિત શું છે ? તેના વિષયમાં વિપર્યાસ વર્તે છે; તેથી પોતાના માટે જે અહિતની પ્રવૃત્તિ છે તે હિતરૂપે દેખાય છે, અને જે હિતની પ્રવૃત્તિ છે તે અહિતરૂપે દેખાય છે. તેથી હિતરૂપ યોગમાર્ગને જાણવાની જિજ્ઞાસા થતી નથી, અને અહિતરૂપ એવા સંસારમાર્ગને ખીલવવામાં જ યત્ન થાય છે; અને આવા જીવો ક્વચિતું ધર્મઅનુષ્ઠાન સેવે તોપણ તેનું ધર્મઅનુષ્ઠાન સંસારમાર્ગને ખીલવવાનું કારણ બને તે રીતે જ તેઓ સેવે છે. ૨૦માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy