SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ પરંતુ શાસ્ત્રના વચનસદશ ભાવસંપાદનરૂપ નથી, તેથી લોકપંક્તિરૂપ છે. આવી લોકપંક્તિથી કરાતી ધર્મક્રિયા પણ કીર્તિ આદિની સ્પૃહાથી લોકપંક્તિની ધર્મક્રિયા કરનારા કરતાં થોડી સારી છે; કેમ કે કીર્તિ આદિની સ્પૃહાથી ધર્મક્રિયા કરનારા જીવો ધર્મનું મૂલ્ય તુચ્છ એવી કીર્તિ આદિથી કરે છે, તેથી ધર્મની હીનતા કરીને દીર્ઘ સંસારનું અર્જન કરે છે. તેવા દીર્ઘ સંસારનું અર્જન અનાભોગવાળાની ક્રિયાથી થતું નથી, તે અપેક્ષાએ તેમની ધર્મક્રિયા થોડી સારી છે; તોપણ પરમાર્થથી તે ધર્મક્રિયા સંસારના ઉચ્છેદનું કારણ નથી માટે નકામી છે; કેમ કે સંસારના ઉચ્છેદનું કારણ બને તેવી ધર્મક્રિયામાં પ્રણિધાનાદિ આશયોની અપેક્ષા છે, અને અનાભોગવાળા જીવોની ધર્મક્રિયામાં કોઈ જાતનું પ્રણિધાન નથી અર્થાત્ સંસારના ઈહલોકના સુખનું પણ પ્રણિધાન નથી કે સંસારનો ઉચ્છેદ કરીને મોક્ષની પ્રાપ્તિનું પણ પ્રણિધાન નથી. તેથી પ્રણિધાન વગરની ક્રિયા હોવાથી કોઈ ઇષ્ટપ્રાપ્તિનું કારણ નથી, માટે સુંદર નથી. ફક્ત દીર્ઘ સંસારનું કારણ નહીં હોવાથી કીર્તિ આદિની સ્પૃહાવાળાની ધર્મક્રિયા જેવી અનર્થકારી નથી, તે અપેક્ષાએ થોડી સુંદર છે, તેમ કહેલ છે. III અવતરણિકા :તાવાદ – અવતરણિકાર્ચ - તેને જ=પ્રણિધાનાદિઆશયને જ, કહે છે – ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે કીર્તિ આદિની સ્પૃહાથી કરાયેલું કે અનાભોગથી કરાયેલું અનુષ્ઠાન સુંદર નથી; કેમ કે પ્રણિધાનાદિનો અભાવ છે. તેથી જિજ્ઞાસા થાય કે અનુષ્ઠાનને સુંદર કરનારા એવા પ્રણિધાનાદિ આશયો શું છે ? તેથી તે પ્રણિધાનાદિ આશયોને ગ્રંથકાર કહે છે -- શ્લોક : प्रणिधानं प्रवृत्तिश्च तथा विघ्नजयस्त्रिधा । सिद्धिश्च विनियोगश्च एते कर्मशुभाशयाः ।।१०।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy