SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫-૧૬ સ્ખલના પામેલી તે પ્રવૃત્તિનો પુન: પ્રારંભ થાય છે, જેથી પૂર્વની જેમ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા ઉત્તરોત્તર સંયમનાં કંડકોની વૃદ્ધિ થવા માંડે છે. આ રીતે પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિઘ્નજયઆશયપૂર્વક અભ્યાસના અતિશયથી તે રત્નત્રયીની પરિણતિ ચંદનગંધન્યાયથી જીવની પ્રકૃતિરૂપ બને છે, ત્યારે અસંગભાવવાળા એવા તે સાધક સિદ્ધિયોગને પ્રાપ્ત કરે છે, જે સિદ્ધિયોગકાળમાં ભગવાનના વચનના અવલંબન વગર સહજભાવથી શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે અર્થાત્ શુદ્ધ જ્ઞાનના ઉપયોગ સ્વરૂપ રત્નત્રયીની પરિણતિ વર્તે છે. તે વખતે જે સંયમસ્થાનમાં યત્ન વર્તે છે, તે સિદ્ધિઆશયપૂર્વકની ક્રિયા છે. ૪૩ આવા સિદ્ધિઆશયવાળા સાધક પણ પોતાનામાં પ્રગટ થયેલ રત્નત્રયીની પરિણતિનું પરમાં નિયોજન ક૨વા યત્ન કરે, તે વખતે તેમનામાં વિનિયોગઆશય પ્રગટે છે; અને તે વિનિયોગઆશયપૂર્વકની પોતાનામાં વર્તતી રત્નત્રયીની પરિણતિને અનુકૂળ જે ઉચિત ક્રિયાઓ થાય છે, તે વિનિયોગઆશયપૂર્વકની ક્રિયા છે; અને વિનિયોગઆશયપૂર્વકની કરાયેલી ક્રિયાઓ પાત થયા વગર અન્ય ભવોમાં અવિચ્છિન્ન રીતે યોગમાર્ગની પ્રાપ્તિ કરાવીને ક્ષાયિકભાવરૂપ રત્નત્રયીની પરિણતિને પ્રાપ્ત કરાવે છે. II૧૫॥ અવતરણિકા : ગાથા-૯માં કહેલ કે પ્રણિધાનાદિઆશયના અભાવને કારણે એક પણ ક્રિયા તત્ત્વથી સુંદર નથી. તેથી જિજ્ઞાસા થાય કે પ્રણિધાનાદિઆશય શું છે ? માટે ગાથા-૧૦ થી ૧૫ સુધી પ્રણિધાનાદિ પાંચ આશયો બતાવ્યા. હવે પ્રણિધાનાદિઆશય વિનાની ક્રિયા શુભ કેમ નથી ? તે બતાવે છે - શ્લોક ઃ एतैराशययोगैस्तु विना धर्माय न क्रिया । प्रत्युत प्रत्यपायाय लोभक्रोधक्रिया यथा । ।१६।। અન્વયાર્થ: તેરશયયોઔસ્તુ વિના=વળી આ પ્રણિધાનાદિ આશયના યોગ વિતા= આશયના સંબંધ વિના યિા=ધર્માનુષ્ઠાનની આચરણા, ધર્માય ન=ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy