SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ યોગલક્ષણદ્વાત્રિંશિકા|શ્લોક-૨૭ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. તેથી ક્રિયાની સમ્યગ્ નિષ્પત્તિ કરવામાં પ્રણિધાનાદિ આશયો કારણ છે, અને પ્રણિધાનાદિ આશયથી નિષ્પન્ન થયેલી સમ્યગ્ ક્રિયા અધ્યાત્માદિભાવો ઉત્પન્ન કરવા દ્વારા મોક્ષનો હેતુ છે, એ પ્રકારનો વ્યવહારનયનો મત છે. વળી વ્યવહારનય=ક્રિયાનય, અસત્કાર્યવાદી છે. તેથી તે માને છે કે જે કાર્ય વિદ્યમાન નથી, તે કાર્યનો અર્થી તે કાર્યના કારણમાં યત્ન કરીને કાર્યને નિષ્પન્ન કરે છે. માટે વ્યવહારનય કહે છે કે સંસારી જીવ મોક્ષનો અર્થી બને છે ત્યારે, મોક્ષના ઉપાયરૂપે ક્રિયામાં યત્ન કરે છે, તે ક્રિયાથી મોક્ષને અનુકૂળ ભાવ પેદા થાય છે અને ઉત્તર ઉત્તરની ક્રિયા ઉત્તર ઉત્તરના ભાવને પેદા કરી મોક્ષનું કારણ બને છે. આથી ક્રિયામાં ભાવની જ્ઞાપકત્વરૂપ ભંજકતા વ્યવહારનયથી વાસ્તવિક નથી તેમ ટીકામાં કહેલ છે; કેમ કે ક્રિયાને ભાવની વ્યંજક માનીએ તો સદ્ એવો ભાવ જ ક્રિયાથી અભિવ્યક્ત થાય છે તેમ પ્રાપ્ત થાય. તેથી વ્યવહારનયને સત્કાર્યવાદ સ્વીકારવાનો પ્રસંગ આવે. વસ્તુતઃ વ્યવહારનયથી જેમ દંડ ભ્રમિને પેદા કરે છે, તેના દ્વારા દંડ ઘટનો હેતુ છે, તેમ ક્રિયા ભાવને પેદા કરે છે અને તેના દ્વારા ક્રિયા મોક્ષનો હેતુ છે. તેથી વ્યવહારનયથી ક્રિયા ભાવની જનક છે, પરંતુ ભાવની વ્યંજક નથી, માટે વ્યવહારનયને સત્કાર્યવાદ માનવાનો પ્રસંગ નથી. વ્યવહારનયની દૃષ્ટિથી ક્રિયા ભાવ દ્વારા મોક્ષનો હેતુ છે, તે બ્લોકના પૂર્વાર્ધમાં યુક્તિથી બતાવ્યું. હવે શ્લોકના ઉત્તરાર્ધમાં જ્ઞાનનય=નિશ્ચયનય, મોક્ષ પ્રત્યે જ્ઞાનને કારણ માને છે, તે બતાવે છે જ્ઞાનનય=નિશ્ચયનય સત્કાર્યવાદી છે અને મોક્ષ પ્રત્યે જ્ઞાનને કારણ માને છે અને ક્રિયાને વિદ્યમાન જ્ઞાનની વ્યંજક માને છે. તેથી તે કહે છે કે ક્રિયા સતુ એવા જ્ઞાનને અભિવ્યક્ત કરે છે, પરંતુ જ્ઞાનને પેદા કરતી નથી. આથી સમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વ પ્રગટે છે, એમ જ્ઞાનનય કહે છે. તે રીતે આત્મામાં મોક્ષને અનુકૂળ એવી જ્ઞાનની પરિણતિ વિદ્યમાન છે, પરંતુ અત્યારે અભિવ્યક્ત નથી, જે ક્રિયાથી અભિવ્યક્ત થાય છે.જેમ શરાવમાં=માટીના કોડિયામાં, ગંધ છે છતાં અભિવ્યક્ત નથી, અને શરાવ ઉપર પાણી છાંટવાથી તે ગંધ અભિવ્યક્ત થાય છે. તેમ આત્મામાં મોક્ષને અનુકૂળ કષાયના સંશ્લેષ વગરની જ્ઞાનની પરિણતિ વિદ્યમાન છે, છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy